Char Dham Yatra : તમારા મમ્મી-પપ્પાને મોકલી રહ્યા છો ચારધામ યાત્રા, જાણો ડોક્ટરની મહત્વની ટિપ્સ
Char Dham Yatra Tips : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. ચાારધામની યાત્રા ધાર્મિક અને પવિત્ર યાત્રા માનવામાં આવે છે પરંતુ રસ્તાઓ ખુબ અઘરા અને ઉંચાઈ વાળા છે. તો આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે, હૃદય, ડાયાબિટીસ, બીપી અને સાંધાના દુખાવાના દર્દીઓએ મુસાફરી કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ?

ચારધામની પવિત્ર યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા (બદ્રીનાથ,કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રી) માટે આ વખતે મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન થયું છે. આ યાત્રા પર માત્ર ભારતીય જ નહી પરંતુ વિદેશી લોકો પણ આવે છે. ઉબડ ખાબડ રસ્તાઓ પાર કરીને અંદાજે 10 હજાર ફીટની ઉંચાઈ પર કેદારનાથનું મંદિર આવેલું છે.

પરંતુ કેટલાક લોકો માટે ચારધામની યાત્રા ખુબ જ પડકારજનક હોય છે. જે લોકોને હૃદય, ડાયાબિટીસ, બીપી અને સાંધાના દુખાવાના દર્દીઓ છે તેમણે ખુબ જ ધ્યાન રાખવું જરુરી છે.દિલ્હીના ડોક્ટર સંચયન રોય સાથે વાત કરી તો તો ચાલો તેને શું કહ્યું

આજે તમને જણાવીશું કે,ચારધામ યાત્રા પર જતાં પહેલા કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જરુરી છે. ડોક્ટરે કહ્યું ચારધામ યાત્રા એક પવિત્ર અને આધ્યાત્મિક યાત્રા છે.

હૃદય, ડાયાબિટીસ, બીપી અને સાંધાના દુખાવાના દર્દીઓએ ચારધામની યાત્રામાં જતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.યાત્રા પહેલા ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રાફી અને બ્લડ પ્રેશર તપાસવું મહત્વપૂર્ણ છે

એક્સપર્ટનું કહેવું છે કે, જો તમને ઉંચાઈ પર શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો પોર્ટેબલ ઓક્સીજન સિલેન્ડર તમારી સાથે જરુર રાખો. તેમજ એક ઓક્સોમીટર પણ તમારી સાથે રાખો.

જે લોકો બીપી અને ડાયાબિટીસના દર્દીઓ છે. તેમણે પોતાની રેગ્યુલર દવાઓ સાથે રાખવી. જે લોકોને ડાયાબિટીસ છે તેમણે બ્લડ શુગર ચેક કરવાનું મશીન સાથે રાખવું જરુરી છે. તેમજ વધારે ઓયલી કે મસાલેદાર ફુડથી દુર રહો.

સાંધાના દુખાવો જે મુસાફરોને છે તેમને ચારધામની યાત્રામાં ઉંચાઈ પર લાંબા સમય સુધી ચાલવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલા માટે ટ્રેકિંગ સ્ટિક, તેમજ સપોર્ટિવ શૂઝ પહેરો અને વચ્ચે વચ્ચે આરામ લો. ભારે વજન ઉઠાવવાનું ટાળો. પુરતી માત્રામાં ઊંઘ લો.

જો તમને મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તેને અવગણશો નહીં અને તાત્કાલિક નજીકના ડૉક્ટરની તબીબી મદદ લો. યાદ રાખો, ભક્તિની સાથે, હેલ્થની સંભાળ પણ મહત્વપૂર્ણ છે જેથી પ્રવાસ સફળ અને સલામત બની શકે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
