AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જન્માષ્ટમી પર ચમકશે ભાગ્ય! 4 સપ્ટેમ્બર પહેલાં ઘરમાં લઈ આવો આ ‘5 વસ્તુ’, ક્યારેય નહીં થાય ‘ધનની કમી’

ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની આઠમ એટલે કે 4 સપ્ટેમ્બરે આખા દેશમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જન્માષ્ટમીના દિવસે વ્રત રાખવાથી અને લડ્ડુ ગોપાલની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિનો વાસ થાય છે. એવામાં શું તમે જાણો છો કે, જન્માષ્ટમી આવે તે પહેલાં જ ઘરમાં અમુક ખાસ અને અત્યંત પવિત્ર વસ્તુઓ લાવવાથી કાન્હાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે?

| Updated on: Sep 01, 2026 | 1:53 PM
Share
દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ (અષ્ટમી) તિથિના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026 ના રોજ આખા દેશમાં ધૂમધામ અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. માન્યતા છે કે, જન્માષ્ટમીના દિવસે વ્રત રાખવાથી અને વિધિપૂર્વક લડ્ડુ ગોપાલની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ (અષ્ટમી) તિથિના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026 ના રોજ આખા દેશમાં ધૂમધામ અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. માન્યતા છે કે, જન્માષ્ટમીના દિવસે વ્રત રાખવાથી અને વિધિપૂર્વક લડ્ડુ ગોપાલની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

1 / 7
હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ હોય છે. એવામાં જન્માષ્ટમી પહેલાં આ વસ્તુઓને ઘરમાં લાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આ વસ્તુઓને ઘરમાં લાવવાથી કાન્હાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે.

હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ હોય છે. એવામાં જન્માષ્ટમી પહેલાં આ વસ્તુઓને ઘરમાં લાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આ વસ્તુઓને ઘરમાં લાવવાથી કાન્હાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે.

2 / 7
ભગવાન કૃષ્ણને ગાય પ્રત્યે અત્યંત પ્રેમ અને લગાવ છે. એવામાં જન્માષ્ટમી પહેલાં પીતળ અથવા ચાંદીની કામધેનુ ગાય (વાછરડા સાથે) ની મૂર્તિ ઘરમાં લાવો અને તેને પૂજા સ્થાન અથવા કોઈ સાફ-સ્વચ્છ જગ્યા પર રાખો. આનાથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ભગવાન કૃષ્ણને ગાય પ્રત્યે અત્યંત પ્રેમ અને લગાવ છે. એવામાં જન્માષ્ટમી પહેલાં પીતળ અથવા ચાંદીની કામધેનુ ગાય (વાછરડા સાથે) ની મૂર્તિ ઘરમાં લાવો અને તેને પૂજા સ્થાન અથવા કોઈ સાફ-સ્વચ્છ જગ્યા પર રાખો. આનાથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

3 / 7
ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. જન્માષ્ટમી પહેલાં લાકડાની કે ચાંદીની વાંસળી ખરીદીને ઘરમાં લાવો અને તેને લડ્ડુ ગોપાલના ચરણોમાં અર્પિત કરી દો. ધાર્મિક માન્યતાઓ મુજબ, વાંસળીને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, મધુરતા વધે છે અને એકતા પણ આવે છે.

ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. જન્માષ્ટમી પહેલાં લાકડાની કે ચાંદીની વાંસળી ખરીદીને ઘરમાં લાવો અને તેને લડ્ડુ ગોપાલના ચરણોમાં અર્પિત કરી દો. ધાર્મિક માન્યતાઓ મુજબ, વાંસળીને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, મધુરતા વધે છે અને એકતા પણ આવે છે.

4 / 7
ભગવાન વિષ્ણુ અને કૃષ્ણજીની પૂજા તેમજ ભોગ તુલસી વગર અધૂરા માનવામાં આવે છે. તુલસી નારાયણને અતિ પ્રિય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો જન્માષ્ટમી પહેલાં તુલસી ઘરમાં લઈ આવો. ધાર્મિક માન્યતા છે કે, જે ઘરમાં તુલસી હોય છે ત્યાંનું વાતાવરણ સદૈવ સકારાત્મક રહે છે અને ત્યાં સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે.

ભગવાન વિષ્ણુ અને કૃષ્ણજીની પૂજા તેમજ ભોગ તુલસી વગર અધૂરા માનવામાં આવે છે. તુલસી નારાયણને અતિ પ્રિય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો જન્માષ્ટમી પહેલાં તુલસી ઘરમાં લઈ આવો. ધાર્મિક માન્યતા છે કે, જે ઘરમાં તુલસી હોય છે ત્યાંનું વાતાવરણ સદૈવ સકારાત્મક રહે છે અને ત્યાં સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે.

5 / 7
કાન્હાજીને મોરપંખથી ખાસ લગાવ છે. કૃષ્ણજીની દરેક તસવીર અને પ્રતિમામાં તેમના મુગટ પર મોરપંખ જરૂર હોય છે. જન્માષ્ટમી પહેલાં મોરપંખ ખરીદીને ઘરમાં લાવો અને તેને પૂજા સ્થાન કે તિજોરીમાં રાખો. માનવામાં આવે છે કે, આવું કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને દરેક પ્રકારનો વાસ્તુદોષ પણ દૂર થાય છે. મોરપંખ ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

કાન્હાજીને મોરપંખથી ખાસ લગાવ છે. કૃષ્ણજીની દરેક તસવીર અને પ્રતિમામાં તેમના મુગટ પર મોરપંખ જરૂર હોય છે. જન્માષ્ટમી પહેલાં મોરપંખ ખરીદીને ઘરમાં લાવો અને તેને પૂજા સ્થાન કે તિજોરીમાં રાખો. માનવામાં આવે છે કે, આવું કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને દરેક પ્રકારનો વાસ્તુદોષ પણ દૂર થાય છે. મોરપંખ ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

6 / 7
ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા-અર્ચના અને સેવા કરવાથી ભક્તોના તમામ દુઃખ તેમજ સંકટ દૂર થઈ જાય છે. જો તમે પણ લડ્ડુ ગોપાલને ઘરમાં લાવવા માંગો છો, તો જન્માષ્ટમી પહેલાં ઘરમાં લઈ આવો. જો કે, લડ્ડુ ગોપાલની સેવામાં નિયમિત રૂપે પૂજા, ભોગ, વસ્ત્ર અને શ્રૃંગાર જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આથી, લડ્ડુ ગોપાલને ત્યારે જ ઘરમાં લાવો જ્યારે તમે નિયમિત રૂપે તેમની સેવા કરી શકો. માન્યતા છે કે, જે ઘરમાં લડ્ડુ ગોપાલની શ્રદ્ધાભાવથી સેવા થાય છે, ત્યાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી હોતી.

ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા-અર્ચના અને સેવા કરવાથી ભક્તોના તમામ દુઃખ તેમજ સંકટ દૂર થઈ જાય છે. જો તમે પણ લડ્ડુ ગોપાલને ઘરમાં લાવવા માંગો છો, તો જન્માષ્ટમી પહેલાં ઘરમાં લઈ આવો. જો કે, લડ્ડુ ગોપાલની સેવામાં નિયમિત રૂપે પૂજા, ભોગ, વસ્ત્ર અને શ્રૃંગાર જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આથી, લડ્ડુ ગોપાલને ત્યારે જ ઘરમાં લાવો જ્યારે તમે નિયમિત રૂપે તેમની સેવા કરી શકો. માન્યતા છે કે, જે ઘરમાં લડ્ડુ ગોપાલની શ્રદ્ધાભાવથી સેવા થાય છે, ત્યાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી હોતી.

7 / 7
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. TV9 ગુજરાતી કોઈ પણ વાતની સત્યતાનો પુરાવો આપતું નથી.)

જન્માષ્ટમી પહેલાં કાળા પડેલા કાનુડાની મૂર્તિ ફરી સોના જેવી ચમકશે, અજમાવો આ સરળ અને અચૂક ઘરેલુ નુસ્ખા

Follow Us
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
g clip-path="url(#clip0_868_265)">