AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જન્માષ્ટમી

જન્માષ્ટમી

કૃષ્ણ જન્માષ્ટમી જે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક ધાર્મિક તહેવાર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આથી આ દિવસે રાત્રિ પૂજાનું વિશેષ મહત્વ છે. લોકો જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને રાત્રે 12 વાગ્યે પારણુ ઝુલાવવામાં આવે છે.

જન્માષ્ટમીનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે. ભગવાન શ્રી કૃષ્ણને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. જેમનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમના રોજ, કંસના વધતા જતા અત્યાચારોથી મુક્ત કરવા માટે થયો હતો. તેથી, જન્માષ્ટમીનો દિવસ ભગવાન કૃષ્ણની ઉપાસના માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે.

Read More

Maharashtra Breaking News : દહી હંડીના ઉત્સવનો આનંદ શોકની છાયામાં ફેરવાયો! મુંબઈમાં બે ગોવિંદાના મોત, 306 ગોવિંદા ઘાયલ; 49ની સારવાર ચાલુ

મહારાષ્ટ્રમાં ગઈ કાલે 05 સપ્ટેમ્બર 2026 ના રોજ દહીં હાંડીનો ઉત્સવ મોટા પ્રમાણમાં ઉજવાયો, તે દરમિયાન મુંબઈના માલવણી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે જ્યાં દહીં હાંડી તોડતી વખતે 7 વર્ષના ગોવિંદા પર સિમેન્ટ બ્લોક તૂટી પડ્યો. નવી મુંબઈમાં પણ વધુ એક ગોવિંદાનું મોત થયું છે.

Antilia Janmashtami : અબજોપતિ ઉદ્યોગપતિ અંબાણી પરિવારે આ રીતે ઉજવી જન્માષ્ટમી, જુઓ ભવ્ય તસવીરો !

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો ઉત્સાહ જોવા મળ્યો. મુકેશ અંબાણીના એન્ટિલિયામાં કૃષ્ણ જન્માષ્ટમી સમારોહ ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો. નીતા અંબાણી પરંપરાગત ગુજરાતી પોશાકમાં 'માતા યશોદે' તરીકે આકર્ષક ઘરેણાંથી શણગારેલા જોવા મળ્યા હતા.

Junagadh: વંથલીના ખોરાસામાં આખુ ગામ બન્યુ ગોકુળિયુ, ભવ્ય રીતે ઉજવાયો નંદોત્સવ-લઠ ઉત્સવ

Junagadh:જુનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાના ખોરાસા ગામમાં ભવ્ય નંદઉત્સવ- લઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ખોરાસામાં આવેલા 131 વર્ષ જૂના ભગવાન વેંકટેશ દેવસ્થાને ભવ્ય નંદ ઉત્સવ યોજાયો હતો.

શ્રીકૃષ્ણ જીવનના 5 અલૌકિક રહસ્યો: સમુદ્રમાં ડૂબેલી દ્વારકાથી લઈને જગન્નાથ પુરીમાં ધબકતા પવિત્ર અંશ સુધીની અજાણી ગાથા

ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ માત્ર પ્રેરણાદાયી જ નહીં, પરંતુ અગમ્ય રહસ્યોથી ભરેલી છે. દ્વારકા નગરીનું સમુદ્રમાં સમાઈ જવું, સુદર્શન ચક્રની પ્રાપ્તિ, ગુરુપુત્રને યમલોકમાંથી પાછો લાવી આપેલી ગુરુદક્ષિણા અને જગન્નાથ પુરીના ગર્ભગૃહમાં રહેલા પવિત્ર દિવ્ય તત્વ સાથે જોડાયેલી રહસ્યમય કથાઓ વિશે જાણો.

Surat Breaking News : સુરત વરાછામાં જન્માષ્ટમી નિમિત્તે જુગાર રમવો પડ્યો ભારે, 30 જુગારીઓ ઝડપાયા ! જુઓ Video

સુરતમાં જન્માષ્ટમીના નિમિતે જુગાર રમવું ભારે પડ્યું. વરાછા પોલીસે અલગ અલગ ચાર જગ્યાએ રેડ કરી. પોલીસે જુગાર રમતા 30 લોકોને ઝડપી પાડ્યા છે. 57 હજારનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.

05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાયા, મુકુલ વાસનિકના બદલે રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાને સોંપાઈ ગુજરાત કોંગ્રેસની કમાન

આજે 05 સપ્ટેમ્બરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

Janmashtami 2026 : મંદિરોમાં જયઘોષ, મધરાતે થયો કાન્હાનો જન્મ, ઠેર ઠેર ઉજવણી, જુઓ Video

જન્માષ્ટમી 2026 ના પાવન પર્વે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. મધરાતે કાન્હાના પ્રાગટ્ય સાથે મંદિરો જયઘોષથી ગુંજી ઉઠ્યા.

Janmashtami 2026: હોટલ રૂમમાં એવું શું થયું કે આ ફ્રેન્ચ ખેલાડી ભગવાન કૃષ્ણનો પરમ ભક્ત બની ગયો

ફ્રાન્સના પ્રોફેશનલ BMX રાઇડર જોરિસ કુલોમ્બ આજે ભગવાન કૃષ્ણના પરમ ભક્ત છે. પરંતુ એક સમયે સાહસિક જીવન જીવતા આ ખેલાડીની જિંદગી અચાનક બદલાઈ ગઈ હતી. દિલ્હીની એક હોટલના રૂમમાં તેને એવી વસ્તુ મળી હતી, જેણે તેને કૃષ્ણ ભક્તિના માર્ગે આગળ વધાર્યો.

Janmashtami 2026 : અમદાવાદના મંદિરોમાં જન્માષ્ટમીના પાવન પર્વનો અનેરો ઉત્સાહ, જુઓ Video

અમદાવાદમાં કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે મંદિરો સંપૂર્ણપણે સજ્જ છે. શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એ હાલો… ચરર ચરર મારુ ચકડોળ ચાલે….. લોકમેળાની મોજ માણવા ઉમટ્યા રાજકોટવાસીઓ, રાઈડ્સની મજા માણી થયા ખુશખુશાલ

રાજકોટનો ભવ્ય લોકમેળો સાતમ-આઠમની રજાઓમાં રાજકોટવાસીઓ અને આસપાસના ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બાળકો, યુવાનો અને વડીલો સૌ કોઈ રોમાંચક રાઈડ્સ, વિવિધ ખાણીપીણી અને રમકડાંની મજા માણી રહ્યા છે. આ મેળામાં 34 થી વધુ રાઈડ્સ, રંગબેરંગી સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જન્માષ્ટમીના પાવન અવસરે જગત મંદિરમાં ઉમટ્યુ ભાવિ ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધિશના દર્શન કરી થયા ભાવવિભોર- Video

જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકાધિશના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. જગત મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. આ તરફ જગતમંદિરમાં કૃષ્ણજન્મોત્સવની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે અને દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અડચણ ન આવે તેનુ ધ્યાન રખાઈ રહ્યુ છે.

Trending Video : મુંબઈની લોકલ બની ગોકુળ! ભાયંદરની ટ્રેનમાં ગુંજ્યો કાન્હાના નામનો નાદ, લડ્ડુ ગોપાલની મૂર્તિ અને દહીંહાંડી જોઈ મુસાફરો થયા લીન

મુંબઈની લોકલ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ શહેરની વિવિધતા, સંસ્કૃતિ અને ઉત્સવોની જીવંત ઝલક પણ છે. ગણેશોત્સવ, નવરાત્રી, જન્માષ્ટમી, દશેરા સહિત વિવિધ તહેવારોની ઉજવણી મુંબઈની લોકલમાં પણ અનોખી રીતે થતી જોવા મળે છે.

ગુજરાતના ભાલકા તીર્થથી મથુરા-વૃંદાવન સુધી, જ્યાં-જ્યાં પડ્યાં કાન્હાના ચરણ, શહેરોની બદલાઈ કિસ્મત !

મથુરાથી લઈ દ્વારકા અને ગુજરાત સુધી, જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના પગ સ્પર્શ્યા, તે ભૂમિ એક પવિત્ર તીર્થસ્થાન બની ગઈ. તેમણે ઘણા સામાન્ય નગરોને અમર ઓળખ આપી અને તેમનું ભાગ્ય કાયમ માટે બદલી નાખ્યું. જાણો શ્રી કૃષ્ણની જીવનયાત્રાના 7 મોટા પડાવ વિશે.

Gold Silver Rate Today: કૃષ્ણ જન્માષ્ટમી પર સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ થઈ મોંઘી, જાણો લેટેસ્ટ ભાવ

જન્માષ્ટમીનો તહેવાર 4 સપ્ટેમ્બરે ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે, દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો અટકી ગયો છે. જન્માષ્ટમીની સવારે, મોટાભાગના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ વધ્યા

04 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આખી સુરંગ ખોદી છતા ના તો મૃતદેહ મળ્યા કે ના તો કોઈ જીવતા મળ્યા… નેપાળ સુરંગમાં ફસાયેલા 39 કામદારોનો કોઈ પત્તો જ નહીં ?

આજે 04 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

g clip-path="url(#clip0_868_265)">