જન્માષ્ટમી
કૃષ્ણ જન્માષ્ટમી જે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક ધાર્મિક તહેવાર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આથી આ દિવસે રાત્રિ પૂજાનું વિશેષ મહત્વ છે. લોકો જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને રાત્રે 12 વાગ્યે પારણુ ઝુલાવવામાં આવે છે.
જન્માષ્ટમીનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે. ભગવાન શ્રી કૃષ્ણને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. જેમનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમના રોજ, કંસના વધતા જતા અત્યાચારોથી મુક્ત કરવા માટે થયો હતો. તેથી, જન્માષ્ટમીનો દિવસ ભગવાન કૃષ્ણની ઉપાસના માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે.
નંદ ઘેર આનંદ ભયો! ભગવાન કૃષ્ણના રંગમાં ભક્તો રંગાયા, મહાનુભાવો તલ્લીન થયા – જુઓ Photos
હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 'હરે કૃષ્ણ મંદિર' ભાડજમાં ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણી ખુબ જ આનંદ અને ભક્તિભાવે કરવામાં આવી હતી, જેમાં ભક્તો અને સ્થાનિક લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
- TV9 Gujarati
- Updated on: Aug 18, 2025
- 5:08 pm
દરેક શ્વાનના માથા પર તિલક, કૃષ્ણ ભકિતમાં લીન થયા શ્વાન, મટકી ફોડી, જુઓ Video
Dahi Handi For Stray Dogs: સુરતમાં રખડતા કૂતરાઓ માટે એક અનોખી દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કૂતરાઓ ખુશીથી ભસતા જોવા મળે છે અને તેઓ તેમના ઉજવણીનો આનંદ માણી રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: Aug 18, 2025
- 4:22 pm
સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઈસ્કોન મંદિરે મનાવી કૃષ્ણ જન્માષ્ટમી
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, જન્માષ્ટમી પર્વની ઉજવણી અમદાવાદના ઈસ્કોન મંદિરે કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુમૂર્તિ પર પંચામૃતનો અભિષેક કર્યો હતો. રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Aug 17, 2025
- 1:07 pm
Breaking News : ભચાઉમાં ઉત્સવ વચ્ચે સર્જાઈ દુર્ઘટના, મટકી ફોડ્યા બાદ થાંભલો તુટી પડતાં એક કિશોરનું મોત, જુઓ Video
દેશભરમાં હર્ષઉલ્લાસથી જન્માષ્ટમીના પાવન પર્વ ઉજવણી થઈ રહી હતી. ત્યારે કચ્છના ભચાઉમાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ચોબારી ગામમાં મટકી ફોડતી વખતે અચાનક થાંભલો પડ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Aug 17, 2025
- 1:05 pm
Janmotsav : ભક્તિના સાગરમાં હૈયા તરબોળ, મધરાતે શંખનાદ અને જયઘોષ સાથે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કરાઈ ઉજવણી, જુઓ Video
ગતરાત્રીએ જન્માષ્ટમીના પાવન પર્વ પર ગુજરાતના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રે 12 વાગ્યે જ રાજ્યમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
- TV9 Gujarati
- Updated on: Aug 17, 2025
- 10:33 am
Plant In Pot : શ્રી કૃષ્ણ આ વાદળી ફૂલને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા, તેને ઘરે ઉગાડવું શુભ છે!
ભગવાન કૃષ્ણની પૂજા અને પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે નંદલાલને કેટલાક ખાસ ફૂલો ખૂબ ગમે છે, તેમાંથી એક અપરાજિતા ફૂલ છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણ સ્વર્ગમાંથી પૃથ્વી પર સુંદર અને શુભ ફૂલો લાવ્યા હતા. તેનો વાદળી અથવા સફેદ રંગ મનને શાંતિ આપે છે અને ઘરમાં સકારાત્મકતા લાવે છે.
- Disha Thakar
- Updated on: Aug 17, 2025
- 9:02 am
દ્વારકાધિશના દર્શને આવતા લાખો ભાવિકોની સલામતી માટે પોલીસ છાવણીમાં ફેરવાઈ દ્વારકા નગરી, મંદિર નજીક કરાઈ કિલ્લેબંધી- Video
દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારિકા નગરી પણ રાજાધિરાજના જન્મોત્સવની ઉજવણીમાં લીન બની છે લાખો ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. આ ભક્તોની સલામતી માટે સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર દ્વારકા નગરીને પોલીસ છાવણીમાં તબ્દીલ કરી દેવાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Aug 16, 2025
- 10:00 pm
દ્વારકાધિશના જન્મોત્સવ નિમીત્તે દ્વારકામાં ગુગળી બ્રાહ્મણની બહેનો દ્વારા તૈયાર કરાયા ખાસ 11 જાતના ભોગ- Video
રાજાધિરાજના જન્મોત્સવની ઉજવણીની દ્વારાકમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભગવાનને ખાસ ભોગ ધરાવવાનો પણ મહિમા છે. જેમા દ્નારકાના રાજા માટે 11 જાતના ભોગ તૈયાર કરવામા આવ્યા છે. મંદિરની પરંપરા મુજબ વર્ષોથી અહીં ગુગળી બ્રાહ્મણની બહેનો દ્વારા જ આ ભોગ તૈયાર કરવામાં આવે છે. ત્યારે બહેનોને પણ ભગવાન માટે ભોગ તૈયાર કરવાનો લ્હાવો મળતા ખુદને નસીબદાર ગણાવી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 16, 2025
- 9:48 pm
IG થી DGP સુધી, આ મોટા અધિકારીઓએ કૃષ્ણ ભક્તિ માટે છોડી દીધી પોતાની નોકરી
કૃષ્ણ ભક્તિમાં નોકરી છોડનારા મોટાભાગના અધિકારીઓમાં IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. એક અધિકારીએ પોતાને રાધા કહેવાનું શરૂ કર્યું અને પછી પોતાની નોકરી છોડી દીધી.
- Sagar Solanki
- Updated on: Aug 16, 2025
- 4:49 pm
Rain News : ભારે વરસાદ વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી ! ધોધમાર વરસાદ વચ્ચે ડાકોર મંદિરમાં ભક્તોની ભારે ભીડ, જુઓ Video
ખેડા જિલ્લા સહિત ડાકોરમાં પણ મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમીના પર્વ પર ભારે વરસાદ પડ્યો. વરસાદ છતાં, મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા.
- TV9 Gujarati
- Updated on: Aug 16, 2025
- 2:27 pm
Janmashtami : જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ, પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, જુઓ Video
આજે દેશ અને રાજ્યના દરેક કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ધુમ-ધામ ઉજવણી થઈ રહી છે. ત્યારે કૃષ્ણનગરી દ્વારકામાં પણ ભક્તોની ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 16, 2025
- 1:10 pm
Janmashtami : પ્રેમાનંદ મહારાજે જન્માષ્ટમી ઉજવવાની સાચી રીત જણાવી, જોજો આ ભૂલ ન કરી બેસતા
આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટ એટલે કે આજે ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા સમયે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે પ્રેમાનંદ મહારાજે જણાવ્યું છે.
- Disha Thakar
- Updated on: Aug 16, 2025
- 1:09 pm
Lord Krishna Kundli: કારાગૃહમાં જન્મ, માતાપિતાથી અલગ અને જીવનભરનો સંઘર્ષ… ભગવાન કૃષ્ણની કુંડળી કેવી હતી?
જો આપણે જ્યોતિષ શાસ્ત્રના આધારે ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર નજર કરીએ તો પ્રશ્ન એ થાય છે કે તેમનો જન્મ કઈ તિથિ, શુભ સમય, નક્ષત્ર અને લગ્નમાં થયો હતો. જેના કારણે તેમને આટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
- Meera Kansagara
- Updated on: Aug 16, 2025
- 1:12 pm
Janmashtami : જન્માષ્ટમી પર પ્રસાદ લાવવાનું ભૂલી ગયા છો ? ઘરે બનાવો પંજરીનો પ્રસાદ
ગુજરાતમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે અનેક મંદિરોમાં દિવ્ય શણગાર કરવામાં આવે છે. ત્યારે મંદિરમાં પંજરીનો પ્રસાદ આપવામાં આવે છે. તો તમે પણ 5 મિનિટમાં ઘરે પંજરીનો પ્રસાદ બનાવી શકો છો.
- Disha Thakar
- Updated on: Aug 16, 2025
- 9:20 am
16 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજ્યભરમાં જન્માષ્ટમીથી શરૂ થયો વરસાદનો વધુ એક રાઉન્ડ, 142 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ બોટાદમાં ખાબક્યો સવા બે ઈંચ, આગામી 4 દિવસ મેઘરાજા બોલાવશે ધડબડાટી
આજે 16 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Aug 16, 2025
- 10:10 pm