જન્માષ્ટમી પહેલાં કાળા પડેલા કાનુડાની મૂર્તિ ફરી સોના જેવી ચમકશે, અજમાવો આ સરળ અને અચૂક ઘરેલુ નુસ્ખા
શું જન્માષ્ટમી પહેલા તમારા લાડુ ગોપાલની મૂર્તિ કાળી કે ઝાંખી પડી ગઈ છે? જન્માષ્ટમી પહેલાં આ ખાસ બાબત જાણી લો, જે મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી! માર્કેટના મોંઘા કેમિકલ્સ છોડો! જુઓ રસોડાની જ વસ્તુઓથી મિનિટોમાં કેવી રીતે સાફ કરાય મૂર્તિ...જાણો

આ વર્ષે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે લાડુ ગોપાલની વિશેષ પૂજા અને શૃંગાર કરવામાં આવે છે. જો તમારા ઘરમાં રાખેલી લાડુ ગોપાલની પિત્તળ કે તાંબાની મૂર્તિ કાળી પડી ગઈ હોય, તો પૂજા પહેલાં તેને ચમકાવવી ખૂબ જ જરૂરી છે.

મૂર્તિની ચમક પાછી લાવવા માટે બજારમાં મળતા મોંઘા ક્લીનિંગ પ્રોડક્ટ્સ ખરીદવાની કોઈ જરૂર નથી. રસોડામાં જ હાજર કેટલીક સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને તમે મિનિટોમાં લાડુ ગોપાલને પહેલા જેવા જ ચમકદાર બનાવી શકો છો.

પિત્તળ અને તાંબાની મૂર્તિ પરનો જિદ્દી કાળાશ દૂર કરવા માટે થોડો પીતાંબરી પાવડર મૂર્તિ પર લગાવો. તેને સોફ્ટ કપડાં કે ક્લીનિંગ પેડથી 3-4 મિનિટ હળવા હાથે ઘસો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈને કોરા કપડાથી લૂછી લેવાથી મૂર્તિ સોનાની જેમ ચમકી ઉઠશે.

જો મૂર્તિ ખૂબ જ કાળી પડી ગઈ હોય, તો બ્રાસ ક્લીનિંગ લિક્વિડનો ઉપયોગ કરી શકાય છે. તેને સીધું મૂર્તિ પર રેડવાને બદલે રૂ (કોટોન) અથવા સોફ્ટ કપડાં પર લઈ હળવા હાથે મૂર્તિ સાફ કરવી. સફાઈ કર્યા પછી તેને પાણીથી ધોઈને બરાબર સૂકવી લેવી.

ઘરગથ્થુ નુસ્ખા તરીકે દહીંમાં થોડી ખાંડ, અમચૂર પાવડર, હળદર અને મધ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને મૂર્તિ પર થોડી વાર લગાવી રાખો અને પછી સોફ્ટ કપડાથી સાફ કરીને ધોઈ લો. આ નેચરલ ઉબટનથી મૂર્તિમાં એક નવી જ ચમક આવશે.

લીંબુના રસમાં થોડું મીઠું ઉમેરીને પેસ્ટ બનાવી મૂર્તિ પર હળવા હાથે લગાવો. થોડીવાર પછી સ્વચ્છ પાણીથી ધોઈને સૂકા કપડાથી લૂછી લો. આ ઉપાયથી મૂર્તિ પર જમા થયેલી જૂની ગંદકી તુરંત જ દૂર થઈ જાય છે.

મૂર્તિ સાફ કરતી વખતે ક્યારેય હાર્ડ સ્ક્રબર કે વાયર વાળા બ્રશનો ઉપયોગ ન કરવો, તેનાથી મૂર્તિ પર સ્ક્રેચ (ખાસરડા) પડી શકે છે. ઉપરાંત, જો મૂર્તિ પર કલર કે ઝરી-નગનું કામ કરેલું હોય તો ઘરેલુ નુસ્ખા વાપરતા પહેલાં મૂર્તિના પાછળના નાના ભાગ પર 'પેચ ટેસ્ટ' કરી લેવો હિતાવહ છે.
Breaking News : આ કંપનીને મળ્યો ₹2,400 કરોડનો મોટો ઓર્ડર! રોકાણકારોમાં વધ્યો ઉત્સાહ
