AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : સાવચેત રહેજો ! 7 થી 8 કલાક ઊંઘ પૂરી નહીં થાય તો શરીર બીમારીઓને આમંત્રણ આપશે

દરેક વ્યક્તિને દરરોજ 7 થી 8 કલાક સૂવાની સલાહ આપવામાં આવે છે. જો કે, આજકાલ લોકો રાત્રે મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરે છે અથવા તો મોડી રાતની શિફ્ટને કારણે તેઓ પૂરતી ઊંઘ લઈ શકતા નથી.

| Updated on: Aug 13, 2025 | 9:02 PM
Share
આજના સમયમાં મોટાભાગના લોકો મોડી રાત સુધી બેસી રહે છે અને મોબાઈલનો ઉપયોગ કરે છે, પછી મોડી રાત્રે સૂઈ જાય છે. હવે એમાંય જો સવારે સ્કૂલ કે કોલેજ હોય તો વહેલા ઉઠી જાય છે, જેના કારણે તેઓ 7 થી 8 કલાકની ઊંઘ લઈ શકતા નથી. જણાવી દઈએ કે, ઓછી ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

આજના સમયમાં મોટાભાગના લોકો મોડી રાત સુધી બેસી રહે છે અને મોબાઈલનો ઉપયોગ કરે છે, પછી મોડી રાત્રે સૂઈ જાય છે. હવે એમાંય જો સવારે સ્કૂલ કે કોલેજ હોય તો વહેલા ઉઠી જાય છે, જેના કારણે તેઓ 7 થી 8 કલાકની ઊંઘ લઈ શકતા નથી. જણાવી દઈએ કે, ઓછી ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

1 / 6
પૂરતી ઊંઘ લેવી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને પૂરતી ઊંઘ ન મળે, તો તમે આખો દિવસ ચીડિયાપણું અનુભવો છો.

પૂરતી ઊંઘ લેવી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને પૂરતી ઊંઘ ન મળે, તો તમે આખો દિવસ ચીડિયાપણું અનુભવો છો.

2 / 6
જ્યારે ઊંઘ પૂરી ન થાય ત્યારે શરીરમાં ઘણા સંકેતો જોવા મળે છે. આમાં વારંવાર થાક લાગવો, સવારે ઉઠવામાં મુશ્કેલી થવી અથવા કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવે છે. આ ઉપરાંત, તમારો મૂડ બગડી જાય છે અને તમે તણાવમાં રહો છો.

જ્યારે ઊંઘ પૂરી ન થાય ત્યારે શરીરમાં ઘણા સંકેતો જોવા મળે છે. આમાં વારંવાર થાક લાગવો, સવારે ઉઠવામાં મુશ્કેલી થવી અથવા કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવે છે. આ ઉપરાંત, તમારો મૂડ બગડી જાય છે અને તમે તણાવમાં રહો છો.

3 / 6
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઊંઘનો અભાવ તમારી યાદશક્તિને નબળી પાડે છે અને નિર્ણય લેવાની ક્ષમતા ઘટાડે છે. આ ઉપરાંત, ઊંઘની શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે જેમ કે નબળી રોગપ્રતિકારક શક્તિ, જેના કારણે શરીર રોગ સામે લડવામાં નબળું પડી જાય છે. કેટલાક લોકોને માથાનો દુખાવો પણ લાગે છે. લાંબા સમય સુધી ઊંઘનો અભાવ હોવાને કારણે સ્થૂળતા, હૃદય સંબંધિત સમસ્યાઓ અને ડાયાબિટીસનું જોખમ વધે છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઊંઘનો અભાવ તમારી યાદશક્તિને નબળી પાડે છે અને નિર્ણય લેવાની ક્ષમતા ઘટાડે છે. આ ઉપરાંત, ઊંઘની શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે જેમ કે નબળી રોગપ્રતિકારક શક્તિ, જેના કારણે શરીર રોગ સામે લડવામાં નબળું પડી જાય છે. કેટલાક લોકોને માથાનો દુખાવો પણ લાગે છે. લાંબા સમય સુધી ઊંઘનો અભાવ હોવાને કારણે સ્થૂળતા, હૃદય સંબંધિત સમસ્યાઓ અને ડાયાબિટીસનું જોખમ વધે છે.

4 / 6
બીજીબાજુ, દરરોજ પૂરતી ઊંઘ લેવાથી મન શાંત રહે છે, ઉર્જા મળે છે અને તમે દિવસભર વધુ સારી રીતે કામ કરી શકો છો. પૂરતી ઊંઘ લેવાથી ચીડિયાપણું, મૂડ સ્વિંગ અને તણાવ જેવી સમસ્યા અટકી જાય છે.

બીજીબાજુ, દરરોજ પૂરતી ઊંઘ લેવાથી મન શાંત રહે છે, ઉર્જા મળે છે અને તમે દિવસભર વધુ સારી રીતે કામ કરી શકો છો. પૂરતી ઊંઘ લેવાથી ચીડિયાપણું, મૂડ સ્વિંગ અને તણાવ જેવી સમસ્યા અટકી જાય છે.

5 / 6
દરરોજ સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરો. સૂતા પહેલા મોબાઇલ, લેપટોપ અને ટીવીથી દૂર રહો. સારી ઊંઘ માટે ઊંડા શ્વાસ લેવાની કસરતો, યોગ અને સંગીત સાંભળો. કોફી અને ચામાં કેફીન હોય છે જે ઊંઘને અસર કરે છે, તેથી તેને પીવાનું ટાળો.

દરરોજ સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરો. સૂતા પહેલા મોબાઇલ, લેપટોપ અને ટીવીથી દૂર રહો. સારી ઊંઘ માટે ઊંડા શ્વાસ લેવાની કસરતો, યોગ અને સંગીત સાંભળો. કોફી અને ચામાં કેફીન હોય છે જે ઊંઘને અસર કરે છે, તેથી તેને પીવાનું ટાળો.

6 / 6

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારી માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">