286 વર્ષ પહેલા આવ્યું હતું સૌથી ગંભીર ચક્રવાત, કેમ વારંવાર આવે છે ચક્રવાત? અહીં જાણો તમામ કારણો
ચક્રવાત મિચોંગ બંગાળની ખાડીમાં સક્રિય છે, પરંતુ તેની અસર ચેન્નાઈમાં શરૂઆતથી જ દેખાઈ રહી છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. આ વર્ષનું આ છઠ્ઠું ચક્રવાત છે જેને નામ આપવામાં આવ્યું છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, મોટાભાગના ચક્રવાત ભારતીય ઉપખંડમાં આવે છે અને ભારત માટે મોટો ખતરો પણ છે.

ચક્રવાત મિચોંગ બંગાળની ખાડી પર આગળ વધી રહ્યું છે, પરંતુ તેની અસર ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા લાગી છે. ખાસ કરીને ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને રસ્તાઓ પર બોટ ચલાવવી પડી છે. હાલમાં તે આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.

આ ચક્રવાતના ઈતિહાસની વાત કરવામાં આવે તો આજથી લગભગ 286 વર્ષ પહેલા ભારતમાં પ્રથમ ગંભીર ચક્રવાત ત્રાટક્યું હતું. NDMA ડેટા અનુસાર વાત કરવામાં આવે તો 1737માં આવેલા આ ચક્રવાતની સૌથી વધુ અસર બંગાળના હુગલીમાં જોવા મળી હતી, જેમાં લગભગ 3 લાખ લોકોના મોત થયા હતા. આ સિવાય 1876માં બાંગ્લાદેશમાં આવેલા ચક્રવાતમાં લગભગ 2.5 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1881માં ચીનમાં આવું જ એક વાવાઝોડું આવ્યું હતું જેણે લગભગ ત્રણ લાખ લોકોના જીવ લીધા હતા.

ચક્રવાત મિચોંગ બંગાળની ખાડીમાંથી ઉદભવ્યું છે, જે આંધ્ર પ્રદેશમાં ત્રાટકશે. આંકડાકીય રીતે જોઈએ તો, હિંદ મહાસાગરમાંથી ઉદ્ભવતા આ વર્ષે આ પ્રકારનું છઠ્ઠું તોફાન છે જેને નામ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં, વિશ્વ હવામાન સંસ્થાના ધોરણો અનુસાર, આ નામ એવા ચક્રવાતને આપવામાં આવ્યું છે જેની ઝડપ 65 કિમી પ્રતિ કલાકથી વધુ હોય છે. આ સ્પીડના હિસાબે નક્કી થાય છે કે કયું ચક્રવાત કેટલું ખતરનાક છે. આ વર્ષની શરૂઆતમાં મોચા મે મહિનામાં, બિપરજોય જૂનમાં, તેજ અને હમૂન ઓક્ટોબરમાં, મિધિલી નવેમ્બરમાં અને હવે મિચોંગ આવ્યા હતા.

ચક્રવાત શા માટે વારંવાર આવે છે તેની વાત કરવા આવે તો સૌ પ્રથમ ચક્રવાતનો ઇતિહાસ સેંકડો વર્ષો જૂનો છે, પરંતુ તાજેતરના વર્ષોમાં ચક્રવાતની સંખ્યામાં વધારો થયો છે. તેનું કારણ ગ્લોબલ વોર્મિંગ હોવાનું માનવામાં આવે છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાથી વાતાવરણમાં ફેરફારને કારણે ચક્રવાતની આવર્તન વધી છે. તે અર્થમાં, આગામી વર્ષોમાં ચક્રવાતની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે.

ચક્રવાત કેવી રીતે રચાય છે તેની વાત કરવામાં આવે તો તાપમાન હંમેશા ગરમ વિસ્તારોમાં રચાય છે, કારણ કે બંગાળની ખાડીની આસપાસ સમુદ્રનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે, જે ચક્રવાતનું કારણ બને છે. વાસ્તવમાં, જ્યારે ગરમ હવા ઉપરની તરફ જાય છે, ત્યારે ખાલી જગ્યા ભરવા માટે ઠંડી હવા નીચે આવે છે, જ્યારે આ ક્રમ વધે છે, ત્યારે તે ધીમે ધીમે ચક્રવાતનું સ્વરૂપ લે છે. જ્યારે તેઓ પવન સાથે જમીન પર પડે છે, ત્યારે ભારે પવન સાથે ભારે વરસાદ થાય છે. ખાસ વાત એ છે કે તેઓ જમીન સાથે અથડાયા પછી જ નબળા પડી જાય છે.

શા માટે ચક્રવાત ભારત માટે ખતરો બની જાય છે તેની તરફ નજર કયીયે તો મોટા ભાગના મોટા ચક્રવાત ભારતીય ઉપખંડમાં થાય છે, તેનું સૌથી મોટું કારણ અહીંનું ભૌગોલિક સ્થાન છે. વાસ્તવમાં ભારત ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે. આ કિસ્સામાં, તેનો દરિયાકાંઠો વિસ્તાર 7516 કિમી સુધી વિસ્તરે છે. વસ્તીની દ્રષ્ટિએ, દેશની લગભગ ત્રીજા ભાગની વસ્તી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ હિંદ મહાસાગર અથવા અરબી સમુદ્રમાં ચક્રવાત રચાય છે, ત્યારે તે ભારત માટે મોટો ખતરો બની જાય છે. આંકડાકીય દૃષ્ટિકોણથી પણ, ભારતીય ઉપખંડમાં ત્રાટકેલા 23 મોટા વાવાઝોડાઓમાંથી લગભગ 21 તોફાનો ભારતને ફટકાર્યા અને નુકસાન પણ કર્યું.
