AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ ડ્રો થઈ તો કોને ટ્રોફી મળશે? જાણો શું છે નિયમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝમાં ભારતીય ટીમ હાલમાં 1-2થી પાછળ છે. સીરિઝને બરાબરી પર પૂર્ણ કરવા માટે તેમણે છેલ્લી મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે.

| Updated on: Aug 05, 2025 | 9:41 AM
Share
 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. જેનું નામ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી છે. આ સીરિઝને પહેલા પટૌડી ટ્રોફીના નામે ઓળખવામાં આવતી હતી. બંન્ને ટીમ વચ્ચે આ સીરિઝ ખુબ રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. જેનું નામ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી છે. આ સીરિઝને પહેલા પટૌડી ટ્રોફીના નામે ઓળખવામાં આવતી હતી. બંન્ને ટીમ વચ્ચે આ સીરિઝ ખુબ રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે.

1 / 7
4 મેચની સાથે ઈંગ્લેન્ડની ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. હવે છેલ્લી મેચ 31 જુલાઈના રોજ કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચના પરિણામથી સીરિઝનો નિર્ણય લેવાશે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે, જો આ સીરિઝ ડ્રો પર પૂર્ણ થાય છે તો ટ્રોફી કોને મળશે?

4 મેચની સાથે ઈંગ્લેન્ડની ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. હવે છેલ્લી મેચ 31 જુલાઈના રોજ કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચના પરિણામથી સીરિઝનો નિર્ણય લેવાશે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે, જો આ સીરિઝ ડ્રો પર પૂર્ણ થાય છે તો ટ્રોફી કોને મળશે?

2 / 7
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં અત્યાર સુધી રમાયેલી ચારેય મેચ ખૂબ જ રોમાંચક રહી છે. સિરીઝની પહેલી મેચ ઇંગ્લેન્ડે જીતી હતી. જ્યારે બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ વાપસી કરી અને જીત મેળવી છે. પરંતુ ઈંગ્લેન્ડે ત્રીજી મેચ જીતી 2-1થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ભલે ચોથી મેચ ડ્રો કરી હોય પરંતુ હજુ પણ પાછળ છે.

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં અત્યાર સુધી રમાયેલી ચારેય મેચ ખૂબ જ રોમાંચક રહી છે. સિરીઝની પહેલી મેચ ઇંગ્લેન્ડે જીતી હતી. જ્યારે બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ વાપસી કરી અને જીત મેળવી છે. પરંતુ ઈંગ્લેન્ડે ત્રીજી મેચ જીતી 2-1થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ભલે ચોથી મેચ ડ્રો કરી હોય પરંતુ હજુ પણ પાછળ છે.

3 / 7
 આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડને સિરીઝ જીતવા માટે ફક્ત એક વધુ ડ્રો કરવાની જરૂર છે. જો તે મેચ જીતી જાય છે, તો જીતનું અંતર 3-1 થશે. બીજી બાજુ ટીમ ઈન્ડિયા હવે આ સીરિઝને પોતાને નામ કરી શકશે નહી પરંતુ તેની પાસે ડ્રો કરવાની મોટી તક છે.

આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડને સિરીઝ જીતવા માટે ફક્ત એક વધુ ડ્રો કરવાની જરૂર છે. જો તે મેચ જીતી જાય છે, તો જીતનું અંતર 3-1 થશે. બીજી બાજુ ટીમ ઈન્ડિયા હવે આ સીરિઝને પોતાને નામ કરી શકશે નહી પરંતુ તેની પાસે ડ્રો કરવાની મોટી તક છે.

4 / 7
જો ભારતીય ટીમ લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 5મી ટેસ્ટ જીતી જાય છે તો સીરિઝ બરાબરી પર પૂર્ણ થશે પરંતુ મેચ ડ્રો પણ રહે છે તો પણ ટીમ ઈન્ડિયા સિરીઝ હારી જશે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે જો બંને ટીમો વચ્ચે સિરીઝ 2-2 થી ડ્રોમાં સમાપ્ત થાય છે, તો શું ટ્રોફી ઈંગ્લેન્ડમાં રહેશે કે તે ટીમ ઈન્ડિયા સાથે ભારતમાં આવશે?

જો ભારતીય ટીમ લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 5મી ટેસ્ટ જીતી જાય છે તો સીરિઝ બરાબરી પર પૂર્ણ થશે પરંતુ મેચ ડ્રો પણ રહે છે તો પણ ટીમ ઈન્ડિયા સિરીઝ હારી જશે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે જો બંને ટીમો વચ્ચે સિરીઝ 2-2 થી ડ્રોમાં સમાપ્ત થાય છે, તો શું ટ્રોફી ઈંગ્લેન્ડમાં રહેશે કે તે ટીમ ઈન્ડિયા સાથે ભારતમાં આવશે?

5 / 7
તમને જણાવી દઈએ કે, બંન્ને ટીમ વચ્ચે કોઈ ટેસ્ટ સીરિઝ ડ્રો થાય છે તો ટ્રોફીએ ટીમને આપવામાં આવે છે. જેમણે છેલ્લી વખત આ ટ્રોફી જીતી હોય. ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી એન્ડરસન -તેંડુલકર ટ્રોફી જેમણે પહેલા પટૌડી ટ્રોફી કહેવામાં આવતી હતી. તો આ સીરિઝ વર્ષ 2021-22માં રમાઈ હતી. ત્યારે આ સીરિઝ બરાબરી પર પૂર્ણ થઈ હતી.

તમને જણાવી દઈએ કે, બંન્ને ટીમ વચ્ચે કોઈ ટેસ્ટ સીરિઝ ડ્રો થાય છે તો ટ્રોફીએ ટીમને આપવામાં આવે છે. જેમણે છેલ્લી વખત આ ટ્રોફી જીતી હોય. ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી એન્ડરસન -તેંડુલકર ટ્રોફી જેમણે પહેલા પટૌડી ટ્રોફી કહેવામાં આવતી હતી. તો આ સીરિઝ વર્ષ 2021-22માં રમાઈ હતી. ત્યારે આ સીરિઝ બરાબરી પર પૂર્ણ થઈ હતી.

6 / 7
આ પહેલા આ સીરિઝ 2018માં રમાઈ હતી. ત્યારે ઈંગ્લેન્ડે 4-1થી જીત મેળવી હતી. ત્યારથી આ ટ્રોફી ઈંગ્લેન્ડની પાસે છે અને આ વખતે પણ સીરિઝ ડ્રો થાય ચે તો ઈંગ્લેન્ડ પાસે ટ્રોફી રહેશે.

આ પહેલા આ સીરિઝ 2018માં રમાઈ હતી. ત્યારે ઈંગ્લેન્ડે 4-1થી જીત મેળવી હતી. ત્યારથી આ ટ્રોફી ઈંગ્લેન્ડની પાસે છે અને આ વખતે પણ સીરિઝ ડ્રો થાય ચે તો ઈંગ્લેન્ડ પાસે ટ્રોફી રહેશે.

7 / 7

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. અહી ક્લિક કરો

 

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">