નેશનલ હાઈવે પર VIP કલ્ચરનો અંત : હવે સરકારી અધિકારીઓના વાહનોએ પણ આપવો પડી શકે છે ટોલ ટેક્સ
કેન્દ્ર સરકાર નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાંથી મુક્તિ મેળવતા વાહનોની યાદી નાની કરવા પર વિચાર કરી રહી છે, જેના કારણે સરકારી બાબુઓની મફત મુસાફરી બંધ થઈ શકે છે.

નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે આગામી સમયમાં ટોલ ટેક્સના નિયમો બદલાઈ શકે છે. કેન્દ્ર સરકાર ટોલ ટેક્સમાંથી મુક્તિ મેળવતા વાહનોની યાદી ટૂંકી કરવાનું વિચારી રહી છે. આ અંતર્ગત કેટલાક સરકારી અધિકારીઓ સાથે જોડાયેલા વાહનોની ટોલ મુક્તિ ખતમ કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ પર હાલમાં અલગ-અલગ વિભાગો અને રાજ્ય સરકારો સાથે વાતચીત ચાલી રહી છે અને સરકાર તેને એકસાથે લાગુ કરવાના બદલે તબક્કાવાર રીતે અમલમાં મૂકી શકે છે.

સરકાર કેમ બદલવા માંગે છે નિયમો: સરકાર દ્વારા રચવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ ટોલ મુક્તિના નિયમોની સમીક્ષા કરી હતી. સમિતિએ સૂચન આપ્યું છે કે નેશનલ હાઈવે ફીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે અને કેટલીક શ્રેણીઓને આ યાદીમાંથી હટાવી દેવામાં આવે. સરકારનું માનવું છે કે ટોલ મુક્તિનો વ્યાપ ઓછો કરવાથી સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે અને સામાન્ય લોકોમાં વીઆઈપી કલ્ચરને લઈને રહેલી નારાજગી પણ ઓછી થશે.

SOPનું પાલન સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના સભ્ય (વાણિજ્યિક કામગીરી) ની અધ્યક્ષતામાં એક ટોલ સમિતિની રચના કરી છે. આ સમિતિના સભ્યોમાં મંત્રાલયના અધિક સચિવ, સંયુક્ત સચિવ (ટોલ), NHIDCL ના મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.(ફોટો ક્રેડિટ-Google)

SOP મુજબ, હાલમાં દેશભરમાં 130 સ્થળોએ 60 કિલોમીટરનું અંતર કાપવા માટે મુસાફરોને બે વાર ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. 30 કિલોમીટરથી ઓછા અંતરે આવેલા 22 ટોલ પ્લાઝા પણ છે. ટોલ ટેક્સ અંગે જનતાને રાહત આપવા માટે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે 24 જૂને આ SOP જાહેર કર્યો હતો.(ફોટો ક્રેડિટ-Google)

SOP મુજબ, એક ઉચ્ચ-સ્તરીય સમિતિ સરકારી નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરશે. જો કોઈ કંપની અથવા કોન્ટ્રાક્ટર 60 કિલોમીટરથી ઓછા અંતરે અથવા શહેરની મર્યાદાના 10 કિલોમીટરની ત્રિજ્યામાં ટોલ પ્લાઝા બનાવવા માંગે છે, તો તેમણે રોડ બાંધકામ શરૂ કરતા પહેલા ટોલ સમિતિની પરવાનગી મેળવવી આવશ્યક છે. (ફોટો ક્રેડિટ-Google)
સ્કીન કરશે ગ્લો અને વજન પણ રહેશે કંટ્રોલમાં ! બસ રોજ સવારે ખાલી પેટે ખાવાનું શરૂ કરી દો આ 1 નાનું ફળ
