સોના-ચાંદીના ભાવ તળિયે બેસી જશે ! આ એક ભવિષ્યવાણીએ વધારી દીધી રોકાણકારોની ઉત્સુકતા
સોના-ચાંદીના ભાવ આગામી દિવસોમાં કઈ દિશામાં જશે, તેને લઈને કોમોડિટી માર્કેટના દિગ્ગજ એક્સપર્ટે એક ખૂબ જ મોટું અને ચોંકાવનારું અનુમાન કર્યું છે. એક્સપર્ટના મતે આ કિંમતી ધાતુઓમાં મોટો કડાકો આવી શકે છે અને રોકાણકારો માટે ખરીદીની સુવર્ણ તક ઊભી થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી 'સોનું' ન ખરીદવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે, પીએમ મોદીએ વિદેશી હૂંડિયામણ અનામત (ફોરેક્સ રિઝર્વ) બચાવવા માટે 'સોનું' ન ખરીદવાની અપીલ કરી છે. ઈરાન સંકટના કારણે કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે. કાચા તેલની આયાત પાછળ ભારતનું મોટું વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ રહ્યું છે.

તેલ સિવાય 'સોના' પાછળ સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ખર્ચ થાય છે. વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) પણ વધારવામાં આવી છે. જો કે, આની અસર પણ હવે દેખાઈ રહી છે અને દેશમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે. આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે કે, આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

કોમોડિટી માર્કેટના દિગ્ગજ એક્સપર્ટ અને કેડિયા કોમોડિટીઝના એમડી અજય કેડિયાના (Ajay Kedia) જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં મોટું કરેક્શન (ઘટાડો) જોવા મળી શકે છે. આની પાછળ અજય કેડિયાએ ઘણા કારણો પણ જણાવ્યા છે. અજય કેડિયાના મતે, ઈતિહાસ પોતાને દોહરાવી શકે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ એવી જ બની રહી છે, જેવી વર્ષ 2008ના ગ્લોબલ ફાઇનાન્સિયલ ક્રાઇસિસ (વૈશ્વિક આર્થિક સંકટ) અને વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધના શરૂઆતના તબક્કામાં જોવા મળી હતી. વર્તમાન સમયમાં કાચા તેલના કારણે મોંઘવારી ઝડપથી વધી રહી છે. કાચા તેલની કિંમત ટૂંક સમયમાં ઓછી થવાની આશા નથી. આનાથી ગ્લોબલ માર્કેટમાં સુસ્તી (Slowdown) આવશે.

તેમના જણાવ્યા મુજબ, જ્યારે પણ આવી આર્થિક સુસ્તી કે સંકટની શરૂઆત થાય છે, ત્યારે લિક્વિડિટી (રોકડ) ની અછતને કારણે શરૂઆતના તબક્કામાં સોના અને ચાંદીમાં તેજીના બદલે ઘટાડો નોંધાય છે. અત્યારે પણ બજારમાં બરાબર એવી જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આથી આ બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો આવી શકે છે.

કોમોડિટી માર્કેટના દિગ્ગજ એક્સપર્ટ અને કેડિયા કોમોડિટીઝના એમડી અજય કેડિયાના (Ajay Kedia) જણાવ્યા અનુસાર, 'સોનું' (Gold) ઘટીને ₹1.40 લાખથી ₹1.45 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. બીજીબાજુ 'ચાંદી' (Silver) તૂટીને ₹2.20 લાખથી ₹2.25 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તર સુધી આવી શકે છે. અજય કેડિયાનું માનવું છે કે, જો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં સોનું અને ચાંદી ઘટીને આ લેવલ પર પહોંચી જાય છે, તો લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદી કરવાની આ સૌથી સુવર્ણ તક હોઈ શકે છે.

સપ્ટેમ્બર સુધીમાં વૈશ્વિક પરિસ્થિતિઓ સુધરવાની આશા છે. ત્યારબાદ તહેવારોની સીઝન પણ શરૂ થશે. આ કારણે સોના અને ચાંદીમાં સપ્ટેમ્બર પછી તેજી જોવા મળી શકે છે. એક મોટું કારણ સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) દ્વારા સતત સોનાની થઈ રહેલી ભારે ખરીદી પણ છે. સેન્ટ્રલ બેંકોની આ મજબૂત બાઈંગ લોંગ ટર્મમાં (લાંબાગાળે) કિંમતોને નવા રેકોર્ડ સ્તરે લઈ જશે.
આ વર્ષે ‘સોનું’ વેચ્યું છે? જ્વેલરી, ETF થી લઈને ડિજિટલ ગોલ્ડ પર કેટલો ‘ટેક્સ’ લાગશે? જાણો ‘આખું ગણિત’
