ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ વચ્ચે લિટલ માસ્ટર માટે આવ્યા ખરાબ સમાચાર, કોમેન્ટ્રી છોડીને ભાગ્યા
ભૂતપૂર્વ સુકાની હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન યજમાન બ્રોડકાસ્ટર્સની કોમેન્ટ્રી પેનલનો ભાગ હતો અને તેની સાસુના અવસાન વિશે જાણતા પહેલા શુક્રવારે વિશાખાપટ્ટનમમાં બ્રોડકાસ્ટ ટીમ સાથે કામ શરુ કર્યું હતુ. ત્યારે જ તેમના માટે દુખના સમાચાર સામે આવ્યા હતા.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ શુક્રવારથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ હતી. મેચના પહેલા જ દિવસે મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.

તેઓ કોમેન્ટ્રી માટે વિશાખાપટ્ટનમમાં હતા, પરંતુ કાનપુર જવું પડ્યું. સાસુના મૃત્યુ પછી ગાવસ્કરે અધવચ્ચે કોમેન્ટ્રી છોડી દેવી પડી હતી.

ગાવસ્કર તેમની પત્ની માર્શનીલ ગાવસ્કર અને તેમના પરિવાર સાથે રહેવા માટે શુક્રવારે બપોરે કાનપુર ગયા હતા. ભારતીય ટીમની સિરીઝ દરમિયાન કોમેન્ટ્રી માટે ગાવસ્કરની ખૂબ માંગ છે.

ભૂતપૂર્વ સુકાની હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન યજમાન બ્રોડકાસ્ટર્સની કોમેન્ટ્રી પેનલનો ભાગ હતો અને તેની સાસુના અવસાન વિશે જાણતા પહેલા શુક્રવારે વિશાખાપટ્ટનમમાં બ્રોડકાસ્ટ ટીમ સાથે કામ શરુ કર્યું હતુ.

2022માં સુનિલ ગાવસ્કરની માતાનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ હતુ. માતાના નિધન સમયે પણ ગાવસ્કર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ઢાકામાં રમાઈ રહેલી મેચમાં કમેન્ટ્રી કરી રહ્યા હતા.
