IPL 2024 : આજે આઈપીએલની 41મી મેચ, RCB પ્લેઓફમાં પહોંચી શકે છે, બસ આ ટીમોની મદદની છે જરુર
રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુની આ સીઝનમાં અત્યારસુધી 8 મેચમાંથી 7માં હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં 6માં સતત હાર બાદ એક મેચ જીતી છે. આરસીબીની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આજે જોવાનું રહેશે કે ટીમ કેવું પ્રદર્શન કરે છે પ્લે ઓફની રેસમાં પોતાનું સ્થાન કેવી રીતે બનાવે છે,

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં આજે 41મી મેચ રમાશે. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. બેંગ્લુરુને આજે મેચ જીતવી પડશે કારણ કે, તે પોઈન્ટ ટેબલમાં 8 મેચમાં 7 હાર બાદ છેલ્લા સ્થાને છે.

આઈપીએલ 2024માં અત્યારસુધી જો કોઈ ટીમનું ખરાબ પ્રદર્શન કરનારી ટીમ હોય તો તે છે વિરાટની ટીમ આરસીબી, આ ટીમને લોકો પહેલાથી જ બહાર થઈ ગઈ છે તેવું કહી રહ્યા છે. કારણ કે, ટીમે 8 મેચ રમી છે જેમાં 7 મેચમાં હાર મળી છે. પરંતુ એવું નથી ટીમ ક્વોલિફાયમાં સ્થાન પણ બનાવી શકે છે.

આઈપીએલનું ફોર્મેટ અને પોઈન્ટ ટેબલનું ગણિત એક નાની આશા જગાડે છે જે આરસીબીને વધુ એક તક આપી રહી છે.આ RCB માટે પ્લેઓફની આશા છે, જ્યાં તેને માત્ર તેની તમામ મેચો જ જીતવાની જરૂર નથી પરંતુ તે 3 ટીમોની જીતની પણ જરૂર છે જેણે તેને ખરાબ રીતે હાર આપી હતી.

સૌથી પહેલા આરસીબીએ તમામ 6 મેચ જીતવી પડશે. જેની શરુઆત 25 એપ્રિલથી સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચથી થશે. જો આજે ટીમ મોટા અંતરથી જીત મેળવે છે તો ટીમ માટે સારી વાત છે. જેનાથી નેટ રન રેટ સારો થશે.

પ્લેઓફમાં પહોંચવા માટે આરસબીને 3 ટીમના સાથની પણ મદદ લેવી પડશે. આ 3 ટીમ છે રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ, જે પોઈન્ટ ટેબલમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. હાલમાં એવું લાગી રહ્યું છે કે, આ ત્રણેય ટીમ પ્લેઓફમાં પહોંચશે.

જો આરસીબી બાકી રહેલી તમામ મેચ જીતી જાય છે તો તેના 14 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકે છે. હાલમાં અન્ય ટીમના 12 કે પછી તેનાથી ઓછા પોઈન્ટ છે.
