ઓસ્ટ્રેલિયા પછી, ભારત હવે આ ટીમ સામે તેમની આગામી ODI સીરિઝ રમશે, જુઓ શેડ્યુલ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ માટે રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેના શાનદાર પ્રદર્શનથી 121 રનની ઈનિગ્સ રમી હતી. તેમજ તેના દમ પર ટીમ ઈન્ડિયાએ જીત પણ મેળવી હતી.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચ 9 વિકેટથી પોતાના નામે કરી છે. આ મેચમાં ભારત માટે બોલર અને બેટ્સમેન બંન્નેએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ભારતે રોહિત શર્માની સદીના કારણે સરળતાથી ચેન્જ કર્યો હતો,

હવે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ બાદ ભારતીય ટીમ તેની આગામી વનડે સીરિઝ સાઉથ આફ્રિકા સામે પોતાના ઘરે રમશે. સાઉથ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે 3 વનડે મેચની સીરિઝ 30 નવેમ્બરથી શરુ થશે.

આ સીરિઝમાં મોટા ભાગે એ ખેલાડીઓને તક મળી શકે છે. જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ચાહકોને રોહિત-વિરાટની જોડી સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિઝ રમતી જોવા મળશે.

સાઉથ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરુ થશે. આ સીરિઝમાં મોટાભાગનાએ ખેલાડીઓને તક મળી શકે છે. જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય. તો હવે ચાહકોને રોહિત-વિરાટ પણ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડેમાં રમતા જોવા મળશે.

હવે જો આપણે સાઉથ આફ્રિકા અને ભારતના શેડ્યુલની વાત કરીએ તો વનડે સીરિઝની પહેલી મેચ 30 નવેમ્બરના રોજ રાંચીના મેદાનમાં રમાશે. ત્યારબાદ બીજી વનડે મેચ 3 ડિસેમ્બરના રોજ રાયપુરમાં રમાશે.

આ સીરિઝની છેલ્લી અને ત્રીજી મેચ વિશાખાપટ્ટનમમાં 6 ડિસેમ્બરના રોજ રમાશે. તમામ મેચ ભારતીય સમયઅનુસાર બપોરના 1:30 કલાકે શરુ થશે. આ મેચનો ટોસ અડધી કલાક પહેલા થશે, (ALL PHOTO : PTI)
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે.અહી ક્લિક કરો
