IPL 2024: GT vs DC વચ્ચેની મેચમાં 5મી ઓવરના આ બોલે ‘પંત સેના’ની એક ભૂલ જે આખી ઇનિંગના છેલ્લા બોલ સુધી નડી
IPL 2024ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને ચાર રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋષભ પંતે 43 બોલમાં અણનમ 88 રન અને અક્ષર પટેલે 66 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરના અંતે આઠ વિકેટે 220 રન જ બનાવી શકી હતી. જોકે આ વચ્ચે ગુજરાતની બેટિંગમાં 5 મી ઓવરના આ બોલે પંત સેનાની એક ભૂલ જે ઇનિંગના છેલ્લા બોલ સુધી નડી હતી.

ગુજરાત ટાઇટન્સને 13મી ઓવરમાં 121ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. સાઈ સુધરસનને 39 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 65 રનની ઈનિંગ રમી હતી.

પરંતુ સાઈ સુધરસન જ્યારે 17 રન પર હતો ત્યારે આ સ્કોર પર તેને જીવનદાન આપવામાં આવ્યું હતું. અક્ષરે રસિક દાર સલામના બોલ પર કેચ છોડ્યો હતો.

13મી ઓવરમાં રસિક સલામે સાઈ સુધરસનને આઉટ કરીને ગુજરાતને ચોથો ઝટકો આપ્યો હતો. સુદર્શન 39 બોલમાં 65 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

સાઈ સુધરસને 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સમયે ગુજરાતને હવે 42 બોલમાં જીતવા માટે 98 રન કરવાના હતા.

મહત્વનું છે કે સાઈ સુધરસનનો એક કેચ દિલ્હીની ટીમને 48 રનનો ફટકો પડ્યો. જેના કારણએ દિલ્હી અને ગુજરાતની મેચમાં દિલ્હીને આસાનીથી જીતવા જેવી મેચમાં મહેનત કરવી પડી અને છેલ્લા બોલ સુધી રોંચાક મોડ પર આખી ગેમ આવી ને ઊભી હતી.

જોકે અંતમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને ચાર રનથી હરાવ્યું હતું. પરંતુ જો સાઈ સુધરસનનો કેચ છોડવામાં આવ્યો ન હોત તો આટલી મોટી ઇનિંગ આસાની થી જીતી શકે તેમ હતું.
