AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુભમન ગિલ

શુભમન ગિલ

ભારતીય ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલનું ડેબ્યૂ વર્ષ 2019 માં વનડે ક્રિકેટ ટીમમાં થયુ હતું. તે બાદ તેણે વર્ષ 2020 માં ટેસ્ટ અને વર્ષ 2023માં ટી-20 ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.

શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં નવેમ્બર 2023 સુધીમાં 18 મેચમાં 32 ની એવરેજ સાથે 966 રન કર્યા છે, જેમાં 2 સદી અને 4 ફિફટીનો સમાવેશ થાય છે. વનડેમાં શુભમને નવેમ્બર 2023 સુધીમાં 41 મેચમાં 2136 રન કર્યા છે. તેની બેટીંગ એવરેજ 61ની રહી છે જ્યારે 6 સદી અને 11 ફિફટી તેણે ફટકારી છે.

વનડેમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે તેનો હાઇએસ્ટ સ્કોર 208 હાંસલ કર્યો હતો. ટી-20 ક્રિકેટની જો વાત કરીએ તો તેણે નવેમ્બર 2023 સુધીમાં 11 મેચમાં 30 ની એવરેજ સાથે 304 રન કર્યા છે, જેમાં 1 સદી અને એક ફિફટી સામેલ છે. આઇપીએલમાં શુભમન ગિલ કોલકત્તા અને ગુજરાત માટે રમ્યો છે.

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 38 ઇનિંગમાં 2000 રન કરવાનો રેકોર્ડ શુભમનના નામે છે.

Read More

Breaking News : ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, શુભમન ગિલ ફિટ, T20 શ્રેણીમાં રમવા માટે તૈયાર

ભારત માટે સારા સમાચાર છે. દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પહેલા શુભમન ગિલને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તેને T20 શ્રેણીમાં રમવા માટે મંજૂરી મળી ગઈ છે.

740 દિવસથી નથી જીતી ટીમ ઈન્ડિયા, સતત હારનો બનાવી દીધો શરમજનક રેકોર્ડ

એવું લાગે છે કે નસીબ ભારતીય ક્રિકેટ ટીમની વિરુદ્ધ થઈ ગયું છે. રાયપુર ODI માં ટીમ ઈન્ડિયા સાથે ફરીવાર એ જ થયું જે છેલ્લા 740 દિવસથી તેમની સાથે થઈ રહ્યું છે. 740 દિવસથી ટીમ ઈન્ડિયા સતત હારનો સામનો કરી રહી છે. અને સાથે જ શરમજનક રેકોર્ડ પણ બની ગયો છે.

Breaking News: T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ-હાર્દિકનું કમબેક, રિંકુ સિંહ બહાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ અને ODI બાદ T20 શ્રેણી શરુ થશે. 9 ડિસેમ્બરથી T20 શ્રેણીની શરૂઆત થશે, જેમાં કુલ 5 મેચ રમાશે. BCCI એ પાંચ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ગિલ-હાર્દિકનું કમબેક થયું છે, જ્યારે રિંકુ સિંહને ટીમમાં સ્થાન નથી મળ્યું.

IND vs SA: હાર્દિક પંડ્યા 2 દિવસમાં મેદાનમાં પાછો ફરશે, શુભમન ગિલની ફિટનેસ અંગે સપ્સેન્સ યથાવત

ભારતીય ટીમ 9 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20I શ્રેણી રમશે, જે T20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી, આ શ્રેણીમાં શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની ભાગીદારીને લઈને ભારે ઉત્તેજના છે.

IND vs SA : શુભમન ગિલની ઈજા વધારે ગંભીર છે, વનડે બાદ આ મહત્વની સીરિઝથી બહાર થઈ શકે છે

ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રમશે નહી. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડેની સાથે ટી20 સીરિઝમાંથી બહાર થઈ શકે છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના મેદાનમાં પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે.

Breaking News : શુભમન ગિલ બાદ વધુ એક સ્ટાર ખેલાડી ઈજાને કારણે ગુવાહાટી ટેસ્ટમાંથી થયો બહાર

ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી ટેસ્ટમાંથી શુભમન ગિલ બાદ વધુ એક સ્ટાર ખેલાડી બહાર થઈ ગયો છે. આ ખેલાડીને પાંસળીમાં ઈજા થઈ છે. જેના કારણે તે હવે બીજી ટેસ્ટમાં નહીં રમી શકે.

IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલ જ નહીં, આ સ્ટાર ખેલાડી પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહેલા કેપ્ટન ગિલને આ મેચમાંથી બહાર કરવામાં આવશે તે પહેલાથી જ સ્પષ્ટ હતું, પરંતુ તેની સાથે અન્ય એક સ્ટાર ઓલરાઉન્ડર પર પપ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે તેવી શક્યતા છે.

IND vs SA : ફિટ હોવા છતાં શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટમાં નહીં રમે, આ છે મોટું કારણ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ પહેલા, બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું છે કે શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ હોય તો પણ, તેને તક આપતા પહેલા વિચાર-વિમર્શ કરવામાં આવશે. જાણો તેની પાછળનું કારણ શું છે?

IND vs SA: ટીમ ઈન્ડિયા બંને બાજુ અટવાઈ, ગૌતમ ગંભીર ગુવાહાટી ટેસ્ટ પહેલા મોટી મૂંઝવણમાં મુકાયો

ગુવાહાટી પોતાની પહેલી ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું છે, અને સ્થાનિક ચાહકો તેના માટે ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયા પણ આ સ્થળે પોતાની પહેલી મેચમાં જીત સાથે શરૂઆત કરવા માંગશે, પરંતુ કેપ્ટન ગિલની ઈજાને કારણે બહાર થવાથી હાલમાં તે તેમના માટે સરળ લાગતું નથી. એવામાં હવે બેસ્ટ પ્લેઈંગ ઈલેવનની પસંદગી પણ મોટી મૂંઝવણ બની ગઈ છે. જાણો કેમ.

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, કેપ્ટન શુભમન ગિલ સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર

કોલકાતા ટેસ્ટના બીજા દિવસે બેટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ગરદનમાં દુખાવો થયો હતો. તે ફક્ત ત્રણ બોલ પછી રિટાયર્ડ હર્ટ થઈ ગયો અને બાકીની મેચમાં ફરી બેટિંગ કરી શક્યો નહીં. હવે તે બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.

IND vs SA : જસપ્રીત બુમરાહ ODI શ્રેણીમાંથી થશે બહાર, આ સ્ટાર ખેલાડીને આપવામાં આવશે આરામ

ટીમ ઈન્ડિયા હાલમાં ઘણા ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ અંગે ચિંતાઓનો સામનો કરી રહી છે. કેપ્ટન શુભમન ગિલ અને વનડેના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરની ફિટનેસ ચિંતાનો વિષય છે, પરંતુ અન્ય ઘણા ખેલાડીઓની ભાગીદારી પણ શંકાના દાયરામાં છે.

Shubman Gill : ઈજા છતાં શુભમન ગિલ નથી માની રહ્યો, ગુવાહાટી ટેસ્ટ પહેલા ચોંકાવનારા સમાચાર

કોલકાતા ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ગુવાહાટી પહોંચી ગઈ છે. મોટા સમાચાર એ છે કે કેપ્ટન શુભમન ગિલ પણ ગુવાહાટી પહોંચી ગયો છે. અહેવાલો સૂચવે છે કે તે કોઈપણ ભોગે બીજી મેચ રમવા માંગે છે. જાણો શું છે મામલો.

Breaking News: શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટ રમશે કે નહીં તે અંગે BCCI એ લીધો મોટો નિર્ણય

BCCIએ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ વિશે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ગિલ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને ટીમ ઈન્ડિયા સાથે ગુવાહાટી જશે અને તેના રમવા અંગેનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવશે.

Breaking News : શુભમન ગિલની ઈજા અંગે BCCIએ આપ્યું મોટું અપડેટ, શું ભારતીય કેપ્ટન બીજી ટેસ્ટમાં રમી શકશે?

IND vs SA : ગુવાહાટીમાં 22 નવેમ્બરથી બીજી ટેસ્ટ મેચ શરુ થશે. જેમાં ભારત અને સાઉથ આફ્રિકા આમને-સામે હશે. આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલના રમવા પર મોટું સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. જેના પર બીસીસીઆઈએ મોટું અપટેડ આપ્યું છે.

Breaking News: ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં 2 સ્ટાર ખેલાડીની અચાનક એન્ટ્રી, શુભમન ગિલ વિશે મોટી અપડેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. આ મેચ પહેલા બંને ટીમોએ પોતાની ટીમમાં ફેરફાર થયા છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ અંગે પણ એક મોટી અપડેટ સામે આવી છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">