શુભમન ગિલ
ભારતીય ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલનું ડેબ્યૂ વર્ષ 2019 માં વનડે ક્રિકેટ ટીમમાં થયુ હતું. તે બાદ તેણે વર્ષ 2020 માં ટેસ્ટ અને વર્ષ 2023માં ટી-20 ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.
શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં નવેમ્બર 2023 સુધીમાં 18 મેચમાં 32 ની એવરેજ સાથે 966 રન કર્યા છે, જેમાં 2 સદી અને 4 ફિફટીનો સમાવેશ થાય છે. વનડેમાં શુભમને નવેમ્બર 2023 સુધીમાં 41 મેચમાં 2136 રન કર્યા છે. તેની બેટીંગ એવરેજ 61ની રહી છે જ્યારે 6 સદી અને 11 ફિફટી તેણે ફટકારી છે.
વનડેમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે તેનો હાઇએસ્ટ સ્કોર 208 હાંસલ કર્યો હતો. ટી-20 ક્રિકેટની જો વાત કરીએ તો તેણે નવેમ્બર 2023 સુધીમાં 11 મેચમાં 30 ની એવરેજ સાથે 304 રન કર્યા છે, જેમાં 1 સદી અને એક ફિફટી સામેલ છે. આઇપીએલમાં શુભમન ગિલ કોલકત્તા અને ગુજરાત માટે રમ્યો છે.
વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 38 ઇનિંગમાં 2000 રન કરવાનો રેકોર્ડ શુભમનના નામે છે.
Breaking News : પહેલી વાર ટીમ ઈન્ડિયા વડોદરાના સ્ટેડિયમમાં મેચ રમશે, ટીમની નજર 2026ની પહેલી મેચ જીતવા પર
IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ વડોદરાના BCA સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર પહેલી વખત કોઈ વનડે મેચ રમવા ઉતરશે. જેમાં તમામની નજર પિચ પર ટકેલી છે.
- Nirupa Duva
- Updated on: Jan 11, 2026
- 10:00 am
Breaking News : T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદગી ન થવા પર શુભમન ગિલે મૌન તોડ્યું, જુઓ Video
શુભમન ગિલે T20 વર્લ્ડ કપ 2026 માં પસંદગી ન મળવા પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. આ દરમ્યાનનો તેમનો વીડિયો પણ સામે આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jan 10, 2026
- 7:09 pm
Shubman Gill Health: સિલેક્શનના દિવસે જ શુભમન ગિલને મોટો ઝટકો, જમ્યા પછી તબિયત બગડી
શુભમન ગિલની હેલ્થને લઇને ફરી એક અપડેટ સામે આવી છે. ટીમ ઈન્ડિયાના ODI કેપ્ટન શુભમન ગિલની મેદાનમાં વાપસી ઈજાને કારણે મોડી પડી છે. ગિલ સિક્કિમ સામે વિજય હજારે ટ્રોફી મેચ માટે વાપસી કરવાનો હતો, પરંતુ તે ભાગ લઈ શક્યો ન હતો. અહેવાલો અનુસાર, પંજાબ માટે રમવાની તૈયારી કરી રહેલા શુભમન ગિલ મેચ પહેલા ફરી બીમાર પડી ગયા હતા
- Tanvi Soni
- Updated on: Jan 3, 2026
- 1:06 pm
IND vs SL : શુભમન ગિલનો 2025માં બનાવેલો રેકોર્ડ જોખમમાં, સ્મૃતિ મંધાના તોડી શકે છે ગિલનો રેકોર્ડ
Shubman Gill- Smriti Mandhana : વર્ષ 2025માં છેલ્લી મેચમાં સ્મૃતિ મંધાનાની સામે એક મોટો રેકોર્ડ છે. શ્રીલંકા વિરુદ્ધ છેલ્લી ટી20 મેચમાં જો પોતાનું ફોર્મ જાળવી રાખે છે તો તે ગિલનો રેકોર્ડ તોડી શકે છે.
- Nirupa Duva
- Updated on: Dec 30, 2025
- 1:07 pm
Year Ender 2025 : ભારત માટે સૌથી વધુ સદી કોણે ફટકારી? ટીમમાંથી બહાર કરાયેલો ખેલાડી ટોચ પર
Most Hundred For India In 2025 : વર્ષ 2025માં ટીમ ઈન્ડિયા દ્વારા સૌથી વધારે ઈન્ટરનેશનલ સદી ફટાકરવા મામલે 26 વર્ષનો બેટ્સમેન સૌથી આગળ છે. આ ખેલાડીએ કેલેન્ડર યરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતા વધારે સદી ફટકારી છે.
- Nirupa Duva
- Updated on: Dec 25, 2025
- 10:26 am
શુભમન ગિલ કે સંજુ સેમસન 2025માં ટી20 ક્રિકેટમાં કોણે સૌથી વધુ રન બનાવ્યા? જાણો
ટી20 વર્લ્ડકપ 2026 માટે સિલેક્ટર્સે સંજુ સેમસન ઉપર વિશ્વાસ મુક્યો છે. તે પહેલી વખત આ ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળી શકે છે. તે એશિયા કપનો ખિતાબ જીતનારી ટીમનો ભાગ પણ રહી ચૂક્યો છે.
- Nirupa Duva
- Updated on: Dec 22, 2025
- 1:53 pm
ગૌતમ ગંભીર, સૂર્યા અને અગરકરે ગિલને અંધારામાં કેમ રાખ્યો? આ એક નિર્ણય 2 દિવસ સુધી ગુપ્ત કેમ રાખવામાં આવ્યો? સિલેક્શનને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
શુભમન ગિલને લખનૌમાં ચોથી T20I પહેલા ઈજા થઈ હતી, જેના કારણે તે પાંચમી મેચમાં રમી શક્યો ન હતો. જો કે, તે સમયે પણ ગિલ ટીમનો વાઇસ-કેપ્ટન હતો પરંતુ 24 કલાકથી ઓછા સમયમાં જ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
- Ravi Prajapati
- Updated on: Dec 21, 2025
- 7:47 pm
T20 World Cup 2026: શુભમન ગિલને ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર કરવામાં આવ્યો? અજિત અગરકરે કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્મા T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 5:39 pm
ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી, વાઈસ કેપ્ટન બદલાયો, આ 2 ખેલાડીઓનું કમબેક
ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટનને બદલવામાં આવ્યો છે. જ્યારે બે ખેલાડીઓનું કમબેક થયું છે.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 3:20 pm
Breaking News: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલનું પત્તું કપાયું, ઈશાન-રિંકુની વાપસી
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં બનેલી આ ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમની પસંદગી મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 5:36 pm
શુભમન ગિલની ફિટનેસ અંગે BCCIએ આપ્યું મોટું અપડેટ, શું તેની T20 વર્લ્ડ કપ પસંદગી પર અસર પડશે?
ભારત-દક્ષિણ આફ્રિકા શ્રેણી દરમિયાન સ્ટાર ઓપનર શુભમન ગિલને બીજી ઈજા થઈ હતી. T20 શ્રેણી દરમિયાન તેને જમણા પગમાં ઈજા થઈ હતી. આ કારણે, તે શ્રેણીની અંતિમ મેચમાં રમી શક્યો ન હતો, અને BCCI એ ઈજા અંગે એક મોટી અપડેટ આપી હતી.
- Smit Chauhan
- Updated on: Dec 19, 2025
- 9:27 pm
IND vs SA: શુભમન ગિલ બહાર, આ બે ખેલાડીઓ પણ બહાર, ગંભીર-સૂર્યાએ લીધો મોટો નિર્ણય
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની અંતિમ મેચ માટે ટીમ ઈન્ડિયાએ ત્રણ ફેરફાર કર્યા. છેલ્લી મેચની જીતના હીરો રહેલા બે ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા. શુભમન ગિલ ઈજાને કારણે બહાર થઈ ગયો.
- Smit Chauhan
- Updated on: Dec 19, 2025
- 7:52 pm
Breaking News: ટેસ્ટ-ODI કેપ્ટન શુભમન ગિલ T20 ટીમમાંથી બહાર, ટીમ ઈન્ડિયાએ લીધો ચોંકાવનારો નિર્ણય
ટીમ ઈન્ડિયાએ T20 વાઈસ કેપ્ટન શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો છે. લખનૌ T20માં સંજુ સેમસન તેની જગ્યાએ રમશે. શુભમન ગિલને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Dec 17, 2025
- 7:16 pm
શું T20 વર્લ્ડ કપમાં ‘યશસ્વી જયસ્વાલ’ શુભમન ગિલનું પત્તું સાફ કરશે ? 48 બોલમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં કમબેકનું એલાન કર્યું
રવિવારે અંબી ખાતે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી મેચમાં યશસ્વી જયસ્વાલની ધમાકેદાર સદીની મદદથી મુંબઈએ હરિયાણાને 4 વિકેટે હરાવ્યું. મુંબઈને જીત માટે 235 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે 17.3 ઓવરમાં હાંસલ કરી લીધો.
- Ravi Prajapati
- Updated on: Dec 14, 2025
- 4:38 pm
વિરાટ કોહલી અને રોહિત શર્માના પગારમાં 2 કરોડ રૂપિયાનો ઘટાડો થશે! શુભમન ગિલને થશે ફાયદો
એવા અહેવાલો છે કે BCCI રોહિત અને વિરાટના ગ્રેડમાં સુધારો કરી શકે છે. જો આવું થાય, તો ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ બંને ખેલાડીઓના પગારમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. અહેવાલ અનુસાર રોહિત અને વિરાટને તેમના ગ્રેડમાં ડિમોટ કરવામાં આવે તેવી શક્યતા છે.
- Smit Chauhan
- Updated on: Dec 11, 2025
- 3:55 pm