શુભમન ગિલ
ભારતીય ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલનું ડેબ્યૂ વર્ષ 2019 માં વનડે ક્રિકેટ ટીમમાં થયુ હતું. તે બાદ તેણે વર્ષ 2020 માં ટેસ્ટ અને વર્ષ 2023માં ટી-20 ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.
શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં નવેમ્બર 2023 સુધીમાં 18 મેચમાં 32 ની એવરેજ સાથે 966 રન કર્યા છે, જેમાં 2 સદી અને 4 ફિફટીનો સમાવેશ થાય છે. વનડેમાં શુભમને નવેમ્બર 2023 સુધીમાં 41 મેચમાં 2136 રન કર્યા છે. તેની બેટીંગ એવરેજ 61ની રહી છે જ્યારે 6 સદી અને 11 ફિફટી તેણે ફટકારી છે.
વનડેમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે તેનો હાઇએસ્ટ સ્કોર 208 હાંસલ કર્યો હતો. ટી-20 ક્રિકેટની જો વાત કરીએ તો તેણે નવેમ્બર 2023 સુધીમાં 11 મેચમાં 30 ની એવરેજ સાથે 304 રન કર્યા છે, જેમાં 1 સદી અને એક ફિફટી સામેલ છે. આઇપીએલમાં શુભમન ગિલ કોલકત્તા અને ગુજરાત માટે રમ્યો છે.
વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 38 ઇનિંગમાં 2000 રન કરવાનો રેકોર્ડ શુભમનના નામે છે.
શું T20 વર્લ્ડ કપમાં ‘યશસ્વી જયસ્વાલ’ શુભમન ગિલનું પત્તું સાફ કરશે ? 48 બોલમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં કમબેકનું એલાન કર્યું
રવિવારે અંબી ખાતે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી મેચમાં યશસ્વી જયસ્વાલની ધમાકેદાર સદીની મદદથી મુંબઈએ હરિયાણાને 4 વિકેટે હરાવ્યું. મુંબઈને જીત માટે 235 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે 17.3 ઓવરમાં હાંસલ કરી લીધો.
- Ravi Prajapati
- Updated on: Dec 14, 2025
- 4:38 pm
વિરાટ કોહલી અને રોહિત શર્માના પગારમાં 2 કરોડ રૂપિયાનો ઘટાડો થશે! શુભમન ગિલને થશે ફાયદો
એવા અહેવાલો છે કે BCCI રોહિત અને વિરાટના ગ્રેડમાં સુધારો કરી શકે છે. જો આવું થાય, તો ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ બંને ખેલાડીઓના પગારમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. અહેવાલ અનુસાર રોહિત અને વિરાટને તેમના ગ્રેડમાં ડિમોટ કરવામાં આવે તેવી શક્યતા છે.
- Smit Chauhan
- Updated on: Dec 11, 2025
- 3:55 pm
IND vs SA: આ સ્ટેડિયમમાં પહેલીવાર રમશે ટીમ ઈન્ડિયા, જાણો IPL મેચોમાં કેવું રહ્યું છે ખેલાડીઓનું પ્રદર્શન
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી મેચ ન્યુ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે રમાશે, જે આ મેદાન પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પુરુષ ક્રિકેટ મેચ હશે. જોકે કેટલાક ભારતીય ખેલાડીઓએ ત્યાં IPL મેચ રમી છે, પરંતુ બધાએ સારું પ્રદર્શન નથી કર્યું.
- Smit Chauhan
- Updated on: Dec 10, 2025
- 9:44 pm
IND vs SA : શુભમન ગિલ પહેલી T20I માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાયો, હાર્દિક પંડ્યાએ આ રીતે પ્રેક્ટિસ કરી
Shubman Gill Join Team India : સાઉથ આફ્રિકા વિરુદ્ધ પહેલા ટી20 માટે શુભમન ગિલ ભુવનેશ્વર પહોંચી ચૂક્યો છે. રવિવાર સાંજે 9 કલાકે ભુવનેશ્વર પહોંચ્યો હતો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટી20 મેચ 9 ડિસેમ્બરના રોજ રમાશે.
- Nirupa Duva
- Updated on: Dec 8, 2025
- 12:44 pm
Breaking News : ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, શુભમન ગિલ ફિટ, T20 શ્રેણીમાં રમવા માટે તૈયાર
ભારત માટે સારા સમાચાર છે. દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પહેલા શુભમન ગિલને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તેને T20 શ્રેણીમાં રમવા માટે મંજૂરી મળી ગઈ છે.
- Smit Chauhan
- Updated on: Dec 6, 2025
- 5:47 pm
740 દિવસથી નથી જીતી ટીમ ઈન્ડિયા, સતત હારનો બનાવી દીધો શરમજનક રેકોર્ડ
એવું લાગે છે કે નસીબ ભારતીય ક્રિકેટ ટીમની વિરુદ્ધ થઈ ગયું છે. રાયપુર ODI માં ટીમ ઈન્ડિયા સાથે ફરીવાર એ જ થયું જે છેલ્લા 740 દિવસથી તેમની સાથે થઈ રહ્યું છે. 740 દિવસથી ટીમ ઈન્ડિયા સતત હારનો સામનો કરી રહી છે. અને સાથે જ શરમજનક રેકોર્ડ પણ બની ગયો છે.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 7:30 pm
Breaking News: T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ-હાર્દિકનું કમબેક, રિંકુ સિંહ બહાર
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ અને ODI બાદ T20 શ્રેણી શરુ થશે. 9 ડિસેમ્બરથી T20 શ્રેણીની શરૂઆત થશે, જેમાં કુલ 5 મેચ રમાશે. BCCI એ પાંચ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ગિલ-હાર્દિકનું કમબેક થયું છે, જ્યારે રિંકુ સિંહને ટીમમાં સ્થાન નથી મળ્યું.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2025
- 6:16 pm
IND vs SA: હાર્દિક પંડ્યા 2 દિવસમાં મેદાનમાં પાછો ફરશે, શુભમન ગિલની ફિટનેસ અંગે સપ્સેન્સ યથાવત
ભારતીય ટીમ 9 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20I શ્રેણી રમશે, જે T20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી, આ શ્રેણીમાં શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની ભાગીદારીને લઈને ભારે ઉત્તેજના છે.
- Smit Chauhan
- Updated on: Nov 28, 2025
- 4:21 pm
IND vs SA : શુભમન ગિલની ઈજા વધારે ગંભીર છે, વનડે બાદ આ મહત્વની સીરિઝથી બહાર થઈ શકે છે
ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રમશે નહી. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડેની સાથે ટી20 સીરિઝમાંથી બહાર થઈ શકે છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના મેદાનમાં પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે.
- Nirupa Duva
- Updated on: Nov 23, 2025
- 10:37 am
Breaking News : શુભમન ગિલ બાદ વધુ એક સ્ટાર ખેલાડી ઈજાને કારણે ગુવાહાટી ટેસ્ટમાંથી થયો બહાર
ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી ટેસ્ટમાંથી શુભમન ગિલ બાદ વધુ એક સ્ટાર ખેલાડી બહાર થઈ ગયો છે. આ ખેલાડીને પાંસળીમાં ઈજા થઈ છે. જેના કારણે તે હવે બીજી ટેસ્ટમાં નહીં રમી શકે.
- Smit Chauhan
- Updated on: Nov 21, 2025
- 4:27 pm
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલ જ નહીં, આ સ્ટાર ખેલાડી પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે!
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહેલા કેપ્ટન ગિલને આ મેચમાંથી બહાર કરવામાં આવશે તે પહેલાથી જ સ્પષ્ટ હતું, પરંતુ તેની સાથે અન્ય એક સ્ટાર ઓલરાઉન્ડર પર પપ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે તેવી શક્યતા છે.
- Smit Chauhan
- Updated on: Nov 20, 2025
- 10:20 pm
IND vs SA : ફિટ હોવા છતાં શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટમાં નહીં રમે, આ છે મોટું કારણ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ પહેલા, બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું છે કે શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ હોય તો પણ, તેને તક આપતા પહેલા વિચાર-વિમર્શ કરવામાં આવશે. જાણો તેની પાછળનું કારણ શું છે?
- Smit Chauhan
- Updated on: Nov 20, 2025
- 6:03 pm
IND vs SA: ટીમ ઈન્ડિયા બંને બાજુ અટવાઈ, ગૌતમ ગંભીર ગુવાહાટી ટેસ્ટ પહેલા મોટી મૂંઝવણમાં મુકાયો
ગુવાહાટી પોતાની પહેલી ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું છે, અને સ્થાનિક ચાહકો તેના માટે ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયા પણ આ સ્થળે પોતાની પહેલી મેચમાં જીત સાથે શરૂઆત કરવા માંગશે, પરંતુ કેપ્ટન ગિલની ઈજાને કારણે બહાર થવાથી હાલમાં તે તેમના માટે સરળ લાગતું નથી. એવામાં હવે બેસ્ટ પ્લેઈંગ ઈલેવનની પસંદગી પણ મોટી મૂંઝવણ બની ગઈ છે. જાણો કેમ.
- Smit Chauhan
- Updated on: Nov 19, 2025
- 10:57 pm
Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, કેપ્ટન શુભમન ગિલ સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર
કોલકાતા ટેસ્ટના બીજા દિવસે બેટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ગરદનમાં દુખાવો થયો હતો. તે ફક્ત ત્રણ બોલ પછી રિટાયર્ડ હર્ટ થઈ ગયો અને બાકીની મેચમાં ફરી બેટિંગ કરી શક્યો નહીં. હવે તે બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.
- Smit Chauhan
- Updated on: Nov 19, 2025
- 10:40 pm
IND vs SA : જસપ્રીત બુમરાહ ODI શ્રેણીમાંથી થશે બહાર, આ સ્ટાર ખેલાડીને આપવામાં આવશે આરામ
ટીમ ઈન્ડિયા હાલમાં ઘણા ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ અંગે ચિંતાઓનો સામનો કરી રહી છે. કેપ્ટન શુભમન ગિલ અને વનડેના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરની ફિટનેસ ચિંતાનો વિષય છે, પરંતુ અન્ય ઘણા ખેલાડીઓની ભાગીદારી પણ શંકાના દાયરામાં છે.
- Smit Chauhan
- Updated on: Nov 19, 2025
- 9:56 pm