Chaitra Navratri 2025 : માતાજીના આશીર્વાદ માટે આ ચૈત્ર નવરાત્રિમાં કરો ખાસ અનુષ્ઠાન
અનુષ્ઠાન એટલે એક વિશેષ ધાર્મિક વિધિ, જે શાસ્ત્રીય નિયમો પ્રમાણે નક્કી કરેલા સમયગાળા માટે કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં કરાતું અનુષ્ઠાન ખાસ કરીને માતા દુર્ગાની કૃપા, ઘરના સુખ-શાંતિ, આરોગ્ય, ગ્રહદોષ નિવારણ અને આધ્યાત્મિક સિદ્ધિ માટે શ્રેષ્ઠ છે.

ચૈત્ર નવરાત્રિ માં માતા દુર્ગાની ઉપાસના અને સાધના માટે અનુષ્ઠાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. નવ દિવસ સુધી નિયમિત સાધના, પૂજા, વ્રત અને મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને ધાર્મિક પ્રભાવ વધે છે. ( Credits: Getty Images )

ઘરને સ્વચ્છ અને પવિત્ર બનાવવું. પૂજા માટે માતા દુર્ગાનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરવી. અખંડ જ્યોતિ (નિરંતર દીવો) પ્રજ્વલિત કરવી. પૂજાનું સામાન (કુંકુમ, ચોખા, ફૂલ, નૈવેદ્ય, કલશ, ધૂપ, દીવો, કેસર, ગંગાજળ, ધારા) તૈયાર રાખવું. ( Credits: Getty Images )

અખંડ જ્યોતનો નવ દિવસ સુધી દીવો ચાલુ રાખવો. રોજ 108 વાર "ૐ દુર્ગાયૈ નમઃ" મંત્રનો જપ કરવો. દેવી મહાત્મ્ય પાઠ, દુર્ગા સપ્તશતી, કુંજિકા સ્તોત્ર અને શ્રી સુક્તમ્ નો પાઠ કરવો. ( Credits: Getty Images )

બ્રહ્મ મુહૂર્ત (સવારે 4:00 થી 6:00AM)યોગ, ધ્યાન, મંત્ર જપ અને પૂજા માટે શ્રેષ્ઠ. સૂર્યોદય પછી (6:00 થી 8:00AM) હવન, નિત્ય પૂજા, સ્તોત્ર પાઠ માટે ઉત્તમ. સંધ્યા સમયે (સૂર્યાસ્ત પછી 6:00 થી 8:00PM)આરતી, ઉપાસના અને પ્રાર્થના માટે શુભ. ( Credits: Getty Images )

સવારનો બ્રહ્મ મુહૂર્ત, શુભ તિથિ અને ગ્રહસ્થિતિ મુજબ યોગ્ય દિવસો અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ વિશિષ્ટ અનુષ્ઠાન કરવા, તો યોગ્ય મુહૂર્ત માટે જ્યોતિષ પરામર્શ કરવું વધુ લાભદાયી થઈ શકે. ( Credits: Getty Images )

ચૈત્ર નવરાત્રિ માં માતા દુર્ગાની ઉપાસના અને સાધના માટે અનુષ્ઠાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. નવ દિવસ સુધી નિયમિત સાધના, પૂજા, વ્રત અને મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને ધાર્મિક પ્રભાવ વધે છે. ( Credits: Getty Images )

અનુષ્ઠાન કરવાથી વ્યક્તિની ધાર્મિક અને આધ્યાત્મિક શ્રદ્ધામાં વૃદ્ધિ થાય. ધ્યાન અને ઉપવાસ જેવા અનુષ્ઠાનો મન અને મગજને શાંત રાખે છે. સામૂહિક અનુષ્ઠાન દ્વારા લોકો એકબીજા સાથે જોડાઈ શકે છે. પવિત્ર ક્રિયાઓ દ્વારા માનસિક અને શારીરિક શુદ્ધિ થાય છે. ( Credits: Getty Images )

અનુષ્ઠાન કરવા માટે યોગ્ય સમય અને સ્થળ પસંદ કરવું, નિયમ અને પરંપરાઓ અનુસાર શિસ્તબદ્ધ રીતે અનુષ્ઠાન કરવું, શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવું , સાત્વિક આહાર અને શુદ્ધતાનો ભાવ રાખવો ( Credits: Getty Images )

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ) ( Credits: Getty Images )
નવ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ, પૂજા અને સાધના કરવાથી માતા દુર્ગાની અપરંપાર કૃપા મળે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

































































