એલચીનું પાણી પીવાથી શું થાય છે? બિગ બોસમાં થઈ આ ડ્રિંકની ચર્ચા , જાણો તેના ફાયદા
Cardamom Water: અમાલ પણ તાન્યા ને કહેતો જોવા મળ્યો હતો કે તેના હાથનું એલચીનું પાણી પીવા તાન્યા જ્યાં રહે છે તે જગ્યા એટલે કે ગ્વાલિયર જશે. હકીકતમાં, અમલ દરરોજ એલચીનું પાણી પીવે છે, જે તેના સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે.

પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ આજકાલ ઘણો ચર્ચામાં છે. આ વર્ષે, આ શો તેની 19મી સીઝનમાં છે, અને હંમેશાની જેમ, લોકો બિગ બોસના ઘરમાં થતો ડ્રામા જોઈને આનંદ માણી રહ્યા છે. જો આ દરમિયાન શોમાં અમાલ મલિક અને તાન્યા મિત્તલના મોંઢે એલચી પાણીનું નામ ઘણું સાંભવા મળ્યું છે.

અમાલ પણ તાન્યા ને કહેતો જોવા મળ્યો હતો કે તેના હાથનું એલચીનું પાણી પીવા તાન્યા જ્યાં રહે છે તે જગ્યા એટલે કે ગ્વાલિયર જશે. હકીકતમાં, અમાલ દરરોજ એલચીનું પાણી પીવે છે, જે તેના સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ત્યારે ચાલો જાણીએ તેને પીવાના શું ફાયદા છે.

પાચનમાં મદદ કરે: એલચીનું પાણી પાચન માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેને દરરોજ પીવાથી પેટનું ફૂલવું, ગેસ અને અપચોથી રાહત મળે છે. જેનાથી પાચનમાં મદદ મળે છે. તેથી, ભોજન પહેલાં એલચીનું પાણી પીવું પાચન સમસ્યાઓથી પીડાતા લોકો માટે ફાયદાકારક રહેશે.

મોંની દુર્ગંધ દૂર કરે : ઘણા લોકો એલચીનો ઉપયોગ મોં ફ્રેશનર તરીકે કરે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો મોંના બેક્ટેરિયા સામે લડવામાં, મોંઢાની દુર્ગંધ દૂર કરવા માટે કરે છે.

હૃદય સ્વાસ્થ્યમાં સુધારો: એલચીનું પાણી એન્ટીઑકિસડન્ટ અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એન્ટીઑકિસડન્ટ ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે, હૃદય રોગનું જોખમ ઘટાડે છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આમ, એલચીનું પાણી હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે.

શ્વસન સ્વાસ્થ્યમાં સુધારો: એલચી શ્વસન સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ કરે છે અને શ્વાસ લેવામાં સરળતા લાવે છે. એલચીનું પાણી લાળ સાફ કરે છે, નાક બંધ થવાથી રાહત આપે છે અને ફેફસાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, જે અસ્થમા અથવા બ્રોન્કાઇટિસ જેવી શ્વસન સમસ્યાઓથી પીડાતા લોકો માટે ફાયદાકારક બનાવે છે.

ત્વચા સુધારે : એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર, એલચીનું પાણી ઓક્સિડેટીવ તણાવ ઘટાડીને ત્વચાના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરી શકે છે, જે અકાળે વૃદ્ધત્વનું કારણ બને છે. તે ત્વચાની ફ્રેશનેસ અને ગ્લો જાળવવામાં મદદ કરે છે, ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ડાઘ અને કાળા ધબ્બા ઘટાડે છે. આ પાણી નિયમિતપણે પીવાથી સ્વસ્થ અને ચમકતી ત્વચા મળી શકે છે.
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
