Navel Therapy: દરરોજ નાભિમાં આ તેલના બે ટીપાં નાખો, જુઓ તેના અદ્ભુત ફાયદા!
નાભિને આપણા શરીરનું કેન્દ્ર કહેવામાં આવે છે અને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ નાભિમાં છુપાયેલો છે. શું તમે જાણો છો કે જો તમે દરરોજ આ તેલના બે ટીપાં તમારી નાભિમાં નાખશો તો શું થશે?

સરસવનું તેલ કુદરતી મોઇશ્ચરાઇઝર છે. સરસવનું તેલ નાભિમાં નાખવાથી તે ધીમે ધીમે શરીરમાં શોષાઈ જાય છે અને સૂકી ચામડી માટે લાભદાયી રહે છે. (Credits: - Canva)

કહેવાય છે કે નાભિ પર સરસવના તેલનો ઉપયોગ પેટની તકલીફો માટે લાભકારક થઈ શકે છે. જો તમારી પાચનશક્તિ નબળી હોય, તો નાભિમાં સરસવનું તેલ લગાવવાથી તમને પાચન સંબંધી સમસ્યાઓમાંથી રાહત મળશે અને તમારી પાચનશક્તિ સુધરશે. (Credits: - Canva)

સરસવનું તેલ ગરમ સ્વભાવનું હોય છે. તેથી નાભિમાં તેનું લગાવું શરીરમાં ગરમી ફેલાવે છે, જે સાંધાના દુખાવા અથવા શરદી અને ખાંસીમાંથી પણ રાહત મળે છે. (Credits: - Canva)

કેટલાક લોકો માને છે કે નાભિ પર સરસવનું તેલ લગાવવાથી મન શાંત થાય છે. જો તમને ઊંઘવામાં તકલીફ પડતી હોય, તો આ તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. ( Credits: Getty Images )

જો તમારાં હોઠ અથવા એડી ફાટી ગઈ હોય કે ત્વચા સૂકી લાગી રહી હોય, તો નાભિમાં થોડું સરસવનું તેલ નાખવાથી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને સૂશુષ્કતા દૂર થાય છે. ( Credits: Getty Images )

( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

































































