AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચને આ કંપનીના 1,23,622 શેર વેચી દીધા, માર્કેટના એક્સપર્ટ્સ પણ માથું ખંજવાળતા રહી ગયા

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં શેરબજારમાં એક મોટો સોદો કરીને બધાને ચોંકાવી દીધા છે. બચ્ચને પોતાના પોર્ટફોલિયોમાંથી એક ખાસ શેરનો મોટો હિસ્સો વેચીને કરોડો રૂપિયા મેળવ્યા છે અને સાથે જ તે શેરમાં થોડું નવું રોકાણ પણ કર્યું છે.

| Updated on: Jun 26, 2026 | 1:08 PM
Share
અમિતાભ બચ્ચને સ્ટીલ વાયર બનાવતી કંપની DP Wires Ltd માંથી પોતાની હિસ્સેદારીનો એક મોટો ભાગ બજારમાં વેચી દીધો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના બલ્ક ડીલના આંકડા મુજબ, બચ્ચને કંપનીના અંદાજે 1 ટકા શેર વેચીને 2.48 કરોડ રૂપિયાથી વધુની રકમ મેળવી છે.

અમિતાભ બચ્ચને સ્ટીલ વાયર બનાવતી કંપની DP Wires Ltd માંથી પોતાની હિસ્સેદારીનો એક મોટો ભાગ બજારમાં વેચી દીધો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના બલ્ક ડીલના આંકડા મુજબ, બચ્ચને કંપનીના અંદાજે 1 ટકા શેર વેચીને 2.48 કરોડ રૂપિયાથી વધુની રકમ મેળવી છે.

1 / 5
અમિતાભ બચ્ચને મધ્ય પ્રદેશની આ કંપનીમાં પોતાના 1,23,622 ઇક્વિટી શેર વેચ્યા છે, જે કંપનીની કુલ હિસ્સેદારીના 0.79 ટકા છે. આ આખો સોદો મંગળવારે 23 જૂનના ખુલ્લા બજારમાં થયો હતો, જ્યાં આ શેર 200.84 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમતે વેચવામાં આવ્યા હતા. આ હિસાબે આખી ડીલની વેલ્યુ 2.48 કરોડ રૂપિયા રહી છે.

અમિતાભ બચ્ચને મધ્ય પ્રદેશની આ કંપનીમાં પોતાના 1,23,622 ઇક્વિટી શેર વેચ્યા છે, જે કંપનીની કુલ હિસ્સેદારીના 0.79 ટકા છે. આ આખો સોદો મંગળવારે 23 જૂનના ખુલ્લા બજારમાં થયો હતો, જ્યાં આ શેર 200.84 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમતે વેચવામાં આવ્યા હતા. આ હિસાબે આખી ડીલની વેલ્યુ 2.48 કરોડ રૂપિયા રહી છે.

2 / 5
માર્ચ ક્વાર્ટરના (ત્રિમાસિક ગાળાના) અંત સુધીના રેકોર્ડને જોઈએ તો, ડીપી વાયર્સમાં અમિતાભ બચ્ચન પાસે કુલ 2.11 ટકા હિસ્સેદારી હતી, જે આશરે 3.27 લાખ શેર બરાબર છે. આ વેચાણ પછી પણ કંપનીમાં તેમનું સારું એવું રોકાણ બચેલું છે.

માર્ચ ક્વાર્ટરના (ત્રિમાસિક ગાળાના) અંત સુધીના રેકોર્ડને જોઈએ તો, ડીપી વાયર્સમાં અમિતાભ બચ્ચન પાસે કુલ 2.11 ટકા હિસ્સેદારી હતી, જે આશરે 3.27 લાખ શેર બરાબર છે. આ વેચાણ પછી પણ કંપનીમાં તેમનું સારું એવું રોકાણ બચેલું છે.

3 / 5
રસપ્રદ વાત એ છે કે, જ્યાં એક તરફ અમિતાભ બચ્ચને પોતાના શેર વેચ્યા છે, તો બીજી તરફ તેમણે આ જ કંપનીના 41,566 નવા શેર ખરીદ્યા પણ છે. આ ખરીદી 199.90 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમતે કરવામાં આવી છે, જેની કુલ વેલ્યુ આશરે 83.09 લાખ રૂપિયા છે. જો કે, બજારમાં તેમના આ શેર ખરીદનારા બીજા રોકાણકારોની ઓળખ હજુ સામે આવી નથી.

રસપ્રદ વાત એ છે કે, જ્યાં એક તરફ અમિતાભ બચ્ચને પોતાના શેર વેચ્યા છે, તો બીજી તરફ તેમણે આ જ કંપનીના 41,566 નવા શેર ખરીદ્યા પણ છે. આ ખરીદી 199.90 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિંમતે કરવામાં આવી છે, જેની કુલ વેલ્યુ આશરે 83.09 લાખ રૂપિયા છે. જો કે, બજારમાં તેમના આ શેર ખરીદનારા બીજા રોકાણકારોની ઓળખ હજુ સામે આવી નથી.

4 / 5
અમિતાભ બચ્ચનના આ મોટા સોદા વચ્ચે શેરબજારમાં ડીપી વાયર્સના શેરમાં તેજી જોવા મળી હતી અને તે 3.30 ટકાના ઉછાળા સાથે 210.45 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો.

અમિતાભ બચ્ચનના આ મોટા સોદા વચ્ચે શેરબજારમાં ડીપી વાયર્સના શેરમાં તેજી જોવા મળી હતી અને તે 3.30 ટકાના ઉછાળા સાથે 210.45 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો.

5 / 5

એક તોલું ‘સોનું’ ₹3 લાખે પહોંચશે… ‘ગોલ્ડ’ ખરીદવું સામાન્ય માણસ માટે બનશે ‘સપનું’, એક્સપર્ટ્સે કરી ‘ચોંકાવનારી ભવિષ્યવાણી’

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">