અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી છે વસ્ત્રની પરબ, જુઓ તસવીર
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સામાજિક સંસ્થા જન સમૃદ્ધિ ફાઉન્ડેશન દ્વારા "વસ્ત્ર પરબ નું આયોજન કરવામાં આવ્યું.. વસ્ત્ર પરબ બનાવવા પાછળનો હેતુ એ છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સોસાયટી ખાતેથી પહેરવા લાયક જૂના વસ્ત્રો ભેગા કરીને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે છે..

આ વસ્ત્રોમાં નાના બાળકો, મહિલાઓ માટે સાડીઓ, કુર્તી સેટ, જીન્સ પેન્ટ અને ટીશર્ટ સાથે સાથે પુરુષો માટે પેન્ટ શર્ટ અને ટીશર્ટનો લોકો તરફથી આપવામાં આવતા હોય છે.

આ શરૂઆત કરતાની સાથે જ વિસ્તારની જનતામા ભારે ઉત્સાહ જોવા મળ્યો, અને મોટા ભાગના લોકોએ પોતાના ઘરે પહેરવા લાયક જૂના વસ્ત્રો ભેગા કરી વિતરણ સ્થળે પહોંચતા કર્યાં હતાં..

ભેટમાં આવેલ વસ્ત્રોને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સુન્દરમ આવાસ પંચરત્ન આવાસ શિવમ આવાસ જેવા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલ છે ત્યાં ગરીબ અને મધ્યમવર્ગના શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે.

આ પરિવારોને વસ્ત્ર પરબ માટે ભેટમાં આવેલ વસ્ત્રોનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના ગરીબ અને મધ્યમવર્ગના શ્રમજીવી પરિવારના બાળકો અને વ્યકિતઓને લાભ મળ્યો..

આ વસ્ત્ર પરબમાં સ્થાનિક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને જન સમૃદ્ધિ ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી ભાવનાબેન જોશી અને ફાઉન્ડેશન ના સંયોજક અમિત પંડ્યાના કહેવા મુજબ આ શરૂઆત નિસ્વાર્થ ભાવની છે.