અયોધ્યામાં આજે યોજાશે ભવ્ય દીપોત્સવ, દુલ્હનની જેમ સજીને તૈયાર થઈ રામનગરી, જુઓ-Photo
મળતી માહિતી મુજબ અયોધ્યામાં આજે ભવ્ય દપોત્સવ થશે. રામ કી પૌડી પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સરયુ નદીના 55 ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

અયોધ્યામાં આજે ભવ્ય રોશની ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન રામની નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. કલાકારોનું જૂથ સવારથી જ કાર્યક્રમ રજૂ કરી રહ્યું છે. સાથે જ અયોધ્યામાં ભગવાન રામની ઝાંખી પણ કાઢવામાં આવી રહી છે.

આજે અને આવતીકાલે ભગવાન રામની નગરી અયોધ્યામાં ત્રેતાયુગ જેવું દ્રશ્ય જોવા મળશે. દીપોત્સવ નિમિત્તે સમગ્ર રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ થશે. રામ કી પૌડી પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સરયુ નદીના 55 ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.રામ કી પૌડી પરના દીવા સાંજે 6 વાગ્યાથી પ્રગટાવવાનું શરૂ થશે અને ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી ચાલુ રહેશે. દીવામાં તેલ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે મોટી સંખ્યામાં લોકોને તૈનાત કરવામાં આવ્યા છે.

અયોધ્યા 30 ઓક્ટોબરે ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. દીવાઓમાં સરસવનું તેલ ભરવામાં આવી રહ્યું છે. આ ઘટના યોગી આદિત્યનાથ સરકારના નેતૃત્વમાં અયોધ્યાના આઠમા દીપોત્સવ સાથે જોડાયેલી છે.

આ પ્રસંગે અયોધ્યામાં વિવિધ સ્થળોએ ઝાંખીઓ કાઢવામાં આવી રહી છે અને ત્રેતાયુગમાં રામને અલગ-અલગ મુદ્રામાં બતાવવામાં આવી રહ્યા છે. આ ઝાંખીઓ માત્ર જોવા માટે બનાવવામાં આવી રહી છે.

અયોધ્યામાં સરયુ નદીના કિનારે 'રામ કી પૌડી'ની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. 'રામ કી પૌડી' તરફ જતી 17 લેન સીલ કરી દેવામાં આવી છે.

ઝાંખીઓ ઉપરાંત અન્ય કલાકારો પણ અયોધ્યામાં પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં પુરૂષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારની આર્ટવર્ક કરવામાં આવી રહી છે.

































































