અયોધ્યા
અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે “અવધ”ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.
સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ “જેની સામે જીતી ન કરી શકાય તેવું” એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.
હિંદુ ધર્મમાં ભારતનાં સાત શહેરો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો ભારે મહિમા છે. ત્યાં રામચંદ્રજીનાં અનેક સંસ્મરણોને મૂર્તિમંત સ્વરૂપ આપતાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે; જેવાં કે, શ્રી રામચંદ્રજીનું મંદિર, હનુમાન મંદિર (હનુમાનગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, રામકોટ, મણિ પર્વત વગેરે. આને કારણે અયોધ્યા પ્રાચીન મંદિરોના શહેર તરીકે જાણીતું છે.
રામલલ્લાનો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બિરાજમાન થયા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું અને ફૂલો અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે.
રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FIR કરી રદ
ફરિયાદ મુજબ, આરોપીઓએ જાન્યુઆરી 2024 માં અયોધ્યા મંદિરમાં આયોજિત રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ બતાવવા માટે કોઈમ્બતુરના એક મંદિરની બહાર LED સ્ક્રીન લગાવી હતી.
- Meera Kansagara
- Updated on: Oct 26, 2025
- 10:32 am
Video : 26 લાખ દીવાઓથી ઝગમગ્યો રામનો ઘાટ, 2,128 પુજારીઓએ સરયુ આરતી કરી… અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા
અયોધ્યામાં 9મો દીપોત્સવ ભવ્યતાથી ઉજવાયો, જ્યાં બે વિશ્વ રેકોર્ડ સર્જાયા. 2.6 મિલિયન દીવાઓ પ્રગટાવીને નવો ગિનિસ રેકોર્ડ બન્યો.
- Sagar Solanki
- Updated on: Oct 19, 2025
- 9:33 pm
Ayodhya Diwali : ભક્તોનો રેકોર્ડ તૂટ્યો, દિવાળીએ દિવ્ય બન્યું અયોધ્યા, લાખો ભક્તો મહા આરતી અને દીપોત્સવમાં જોડાયા, જુઓ Photos
અયોધ્યા ડીએમ નિખિલ ટીકારામ ફંડે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે આ દીપોત્સવમાં આવનારા લાખો ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અભૂતપૂર્વ પગલાં લીધા છે. AI કેમેરા માત્ર ભીડની ગણતરી જ નહીં પરંતુ શંકાસ્પદ વ્યક્તિઓને પણ ઓળખી શકશે.
- Sagar Solanki
- Updated on: Oct 19, 2025
- 4:46 pm
સુવર્ણ ગુંબજ, સ્તંભો પર અદ્ભુત કલાકૃતિ… શ્રી રામ મંદિરના પહેલા માળના ફોટા તમારા હૃદયને કરશે મોહિત
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે, મુખ્ય માળખું હવે 85-90 ટકા પૂર્ણ થયું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરના પહેલા માળના મંત્રમુગ્ધ કરનારા ફોટા જાહેર કર્યા છે, જ્યાં ભક્તો હવે રામ દરબાર જોઈ શકશે. મુખ્ય મંદિર નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
- Sagar Solanki
- Updated on: Oct 15, 2025
- 5:35 pm
ચિરંજીવી હનુમાનજી, આ સ્થળોએ આજે પણ અનુભવાય છે બજરંગ બલીની હાજરી, જાણો
હનુમાનજીને અમરત્વના આશીર્વાદ મળ્યા હોવાથી દેશના અનેક પવિત્ર સ્થળોએ તેમને આજેય જીવંત માનવામાં આવે છે. ભારતભરમાં કેટલીક પ્રખ્યાત જગ્યા એવી છે જ્યાં હનુમાનજીની જીવંત ઉપસ્થિતિનો વિશ્વાસ રાખવામાં આવે છે. શું તમને ખબર છે કે આ સ્થળો કયા છે?
- Ashvin Patel
- Updated on: Aug 23, 2025
- 9:19 pm
Video : બજરંગબલીની શરણમાં પહોંચ્યા અનુષ્કા અને વિરાટ કોહલી, બાંકે બિહારી બાદ રામલલ્લાના પણ કર્યા દર્શન
વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો અને હવે અયોધ્યાથી તેની આધ્યાત્મિક યાત્રાની તસવીરો વાયરલ થઈ રહી છે.
- Sagar Solanki
- Updated on: May 25, 2025
- 2:56 pm
History of city name : અયોધ્યાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
અયોધ્યાનું નામકરણ અને ઇતિહાસ ભારતના સૌથી પ્રાચીન અને પાવન શહેરોમાંના એક તરીકે જાણીતું છે. અહીં તેના નામકરણ અને ઇતિહાસની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
- Ashvin Patel
- Updated on: Apr 27, 2025
- 11:51 am
Breaking News: અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
હજુ એકવર્ષ પહેલા અને 500 વર્ષની તપશ્ચર્યા બાદ નિર્માણ પામેલા અયોધ્યાના સુપ્રસિદ્ધ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
- Mina Pandya
- Updated on: Apr 15, 2025
- 5:11 pm
અદ્ભુત, અલૌકિક દર્શન : અયોધ્યા રામલલ્લાના લલાટે થયુ સૂર્ય તિલક, જુઓ વીડિયો
અયોધ્યામાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રામ મંદિરની ભવ્યતા જોવા જેવી છે. રામલલ્લાના લલાટે સૂર્ય કિરણનું તિલક કરવામાં આવ્યુ હતુ. વૈદિક મંત્રોના જાપ અને ભક્તોના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું.
- TV9 Gujarati
- Updated on: Apr 6, 2025
- 1:20 pm
Travel tips : રામનવમી પર શ્રીરામના આ મંદિરે પરિવાર સાથે દર્શન કરવાનો પ્લાન બનાવો
દેશભરમાં અયોધ્યા સિવાય શ્રીરામના અનેક પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરો આવેલા છે. અયોધ્યા તમે રામ નવમી પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. ભક્તો અયોધ્યા જવાનું આયોજન કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે, અયોધ્યા તમે બસ અને ટ્રેન દ્વારા કેવી રીતે પહોચશો.
- Nirupa Duva
- Updated on: Apr 4, 2025
- 9:40 pm
રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂપિયા 270 કરોડનો GSTનો સમાવેશ થાય છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં ધાર્મિક પર્યટન અને રોજગારની તકોમાં વધારો થયો છે. ગયા વર્ષે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાંથી 5 કરોડ દર્શનાર્થીઓએ રામ મંદિરના દર્શન કર્યા હતા. CAG દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ નાણાકીય રેકોર્ડનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2025
- 2:38 pm
Ayodhya : રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, જાણો ક્યારથી કરતા હતા રામ લલ્લાની સેવા
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પૂજા કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
- Tanvi Soni
- Updated on: Feb 12, 2025
- 9:46 am
Breaking news : મિલ્કીપુરમાં ભાજપે અયોધ્યાની હારનો બદલો લીધો, ચંદ્રભાનુ પાસવાને સપાના ‘પોસ્ટર બોય’ પાસેથી છીનવી લીધી જીત
Milkipur UPChunav Result 2025: અયોધ્યાની મિલ્કીપુર સીટ પર ભાજપના ચંદ્રભાનુ પાસવાન 14 હજાર વોટથી આગળ છે, અવધેશ પ્રસાદના પુત્ર અજીત પાછળ છે.
- Dhinal Chavda
- Updated on: Feb 8, 2025
- 3:53 pm
અયોધ્યામાં ગુમ યુવતીની અનાવૃત અવસ્થામાં લાશ મળતા ચકચાર, સાંસદે મીડિયા સમક્ષ સાર્યા આંસુ- Video
અયોધ્યામાં શુક્રવારથી ગુમ થયેલી યુવતીની અનાવૃત અવસ્થામાં લાશ મળી આવતા સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. ગુમ યુવતીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે અને તેની આંખો પણ ફોડી નાખવામાં આવી તેમજ ચહેરા પર અનેક ઈજાના નિશાન મળી આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 7:09 pm
15 દિવસ અયોધ્યા રામ લલ્લાના દર્શન કરવા ના આવશો, રામ મંદિર ટ્રસ્ટે લોકોને કરી અપીલ
મૌની અમાવસ્યાને કારણે, પ્રયાગરાજ અને અયોધ્યા પહેલેથી જ ભક્તો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ભરેલું છે. જ્યારે, મહાકુંભ માટે આવેલા મોટી સંખ્યામાં ભક્તો પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. જેના કારણે અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક જામ પણ થાય છે. ભક્તો માટે મંદિરમાં દર્શન કરવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે. આવી સ્થિતિમાં, રામ મંદિર ટ્રસ્ટે, અયોધ્યાની નજીકના વિસ્તારના ભક્તોને અપીલ કરી છે કે તેઓ 15 દિવસ માટે રામ લલ્લાના દર્શને ના આવે.
- TV9 Gujarati
- Updated on: Jan 28, 2025
- 5:50 pm