
અયોધ્યા
અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે “અવધ”ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.
સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ “જેની સામે જીતી ન કરી શકાય તેવું” એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.
હિંદુ ધર્મમાં ભારતનાં સાત શહેરો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો ભારે મહિમા છે. ત્યાં રામચંદ્રજીનાં અનેક સંસ્મરણોને મૂર્તિમંત સ્વરૂપ આપતાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે; જેવાં કે, શ્રી રામચંદ્રજીનું મંદિર, હનુમાન મંદિર (હનુમાનગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, રામકોટ, મણિ પર્વત વગેરે. આને કારણે અયોધ્યા પ્રાચીન મંદિરોના શહેર તરીકે જાણીતું છે.
રામલલ્લાનો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બિરાજમાન થયા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું અને ફૂલો અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે.
રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂપિયા 270 કરોડનો GSTનો સમાવેશ થાય છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં ધાર્મિક પર્યટન અને રોજગારની તકોમાં વધારો થયો છે. ગયા વર્ષે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાંથી 5 કરોડ દર્શનાર્થીઓએ રામ મંદિરના દર્શન કર્યા હતા. CAG દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ નાણાકીય રેકોર્ડનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2025
- 2:38 pm
Ayodhya : રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, જાણો ક્યારથી કરતા હતા રામ લલ્લાની સેવા
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પૂજા કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
- Tanvi Soni
- Updated on: Feb 12, 2025
- 9:46 am
Breaking news : મિલ્કીપુરમાં ભાજપે અયોધ્યાની હારનો બદલો લીધો, ચંદ્રભાનુ પાસવાને સપાના ‘પોસ્ટર બોય’ પાસેથી છીનવી લીધી જીત
Milkipur UPChunav Result 2025: અયોધ્યાની મિલ્કીપુર સીટ પર ભાજપના ચંદ્રભાનુ પાસવાન 14 હજાર વોટથી આગળ છે, અવધેશ પ્રસાદના પુત્ર અજીત પાછળ છે.
- Dhinal Chavda
- Updated on: Feb 8, 2025
- 3:53 pm
અયોધ્યામાં ગુમ યુવતીની અનાવૃત અવસ્થામાં લાશ મળતા ચકચાર, સાંસદે મીડિયા સમક્ષ સાર્યા આંસુ- Video
અયોધ્યામાં શુક્રવારથી ગુમ થયેલી યુવતીની અનાવૃત અવસ્થામાં લાશ મળી આવતા સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. ગુમ યુવતીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે અને તેની આંખો પણ ફોડી નાખવામાં આવી તેમજ ચહેરા પર અનેક ઈજાના નિશાન મળી આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2025
- 7:09 pm
15 દિવસ અયોધ્યા રામ લલ્લાના દર્શન કરવા ના આવશો, રામ મંદિર ટ્રસ્ટે લોકોને કરી અપીલ
મૌની અમાવસ્યાને કારણે, પ્રયાગરાજ અને અયોધ્યા પહેલેથી જ ભક્તો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ભરેલું છે. જ્યારે, મહાકુંભ માટે આવેલા મોટી સંખ્યામાં ભક્તો પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. જેના કારણે અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક જામ પણ થાય છે. ભક્તો માટે મંદિરમાં દર્શન કરવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે. આવી સ્થિતિમાં, રામ મંદિર ટ્રસ્ટે, અયોધ્યાની નજીકના વિસ્તારના ભક્તોને અપીલ કરી છે કે તેઓ 15 દિવસ માટે રામ લલ્લાના દર્શને ના આવે.
- TV9 Gujarati
- Updated on: Jan 28, 2025
- 5:50 pm
Travel tips : અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે સરકાર આપે છે રૂ. 5000ની સહાય, જાણો નિયમ
શ્રી રામ જન્મભૂમિ ,મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. 31 ડિસેમ્બર 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશેઅરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલ હોય તેમણે જ યાત્રા કરવાની રહેશે.
- Nirupa Duva
- Updated on: Dec 17, 2024
- 4:50 pm
Year Ender 2024 : વર્ષ 2024માં હિન્દુઓના આ ખાસ મંદિરો ટોપ પર રહ્યા, ઉમટી ભક્તોની ભીડ, જાણો તેના કારણો
Hindu temples highlight 2024 : તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં ભારતના આ બે મંદિરો અથવા ધાર્મિક સ્થળો એટલે કે અયોધ્યા શ્રી રામ મંદિર અને આંધ્ર પ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. અયોધ્યાનું મંદિર એટલું ખાસ હતું કે, અહીં રામલલાની નવી મૂર્તિ જ સ્થાપિત કરવામાં આવી ન હતી પરંતુ મંદિરના નિર્માણ સાથે સમગ્ર અયોધ્યા શહેરની કાયાપલટ પણ થઈ ગઈ હતી.
- Meera Kansagara
- Updated on: Dec 11, 2024
- 3:10 pm
કુંભ મેળા 2025માં 40 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવો છે અંદાજ, રેલવેએ બનાવ્યો છે ફૂલપ્રૂફ પ્લાન
રેલવે કુંભ મેળા માટે 1,225 વિશેષ ટ્રેનો ચલાવશે. જેમાંથી 825 નાના રૂટ માટે છે, જ્યારે 400 લાંબા અંતરની રિઝર્વ ટ્રેનો છે. રેલવે અનુસાર આ અર્ધ કુંભ 2019 દરમિયાન દોડતી ટ્રેનોની સંખ્યા કરતાં લગભગ 177 ટકા વધુ છે, જ્યારે 533 ટૂંકા અંતર અને 161 લાંબા અંતરની રિઝર્વ ટ્રેનો દોડાવવામાં આવી હતી.
- Meera Kansagara
- Updated on: Dec 11, 2024
- 9:03 am
Ayodhya Deepotsav 2024: અયોધ્યામાં આજે રામમય દિવાળી, સરયૂ ઘાટને 25 લાખ દીવાઓથી શણગારાયો, જુઓ Photos
અયોધ્યામાં રોશનીનો પર્વ શરૂ થઈ ગયો છે. રામ કી પૈડી પર વધુ એક નવો રેકોર્ડ બન્યો છે. 55 ઘાટો પર એક સાથે 25 લાખ દીવાઓ પ્રગટાવીને રામ કી પૌડીને ઝળહળતી કરવામાં આવી છે. સરયૂની બંને તરફ હજારો લોકો આ અનોખી ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Oct 30, 2024
- 7:59 pm
500 વર્ષ પછી અયોધ્યામાં ઉજવાશે ભવ્ય દિવાળી, સીએમ યોગીએ કહ્યું- અમે જે કહ્યું તે કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અયોધ્યા પહોંચી ગયા છે. આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, આ વર્ષ અયોધ્યા માટે અદ્ભુત, અનોખું, અલૌકિક છે. 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવીને રામ લલ્લા ફરી એકવાર પોતાના ધામમાં બેઠા અને દુનિયાના તમામ પીડિતોને આ સંદેશ આપ્યો કે તેઓ ક્યારેય તેમના માર્ગથી ભટકી ન જાય.
- TV9 Gujarati
- Updated on: Oct 30, 2024
- 6:09 pm
અયોધ્યામાં આજે યોજાશે ભવ્ય દીપોત્સવ, દુલ્હનની જેમ સજીને તૈયાર થઈ રામનગરી, જુઓ-Photo
મળતી માહિતી મુજબ અયોધ્યામાં આજે ભવ્ય દપોત્સવ થશે. રામ કી પૌડી પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સરયુ નદીના 55 ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
- Devankashi rana
- Updated on: Oct 30, 2024
- 1:07 pm
અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું, માતા-પિતા અને સસરાના નામે મોટું દાન કર્યું
Akshay Kumar Donation બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે. અભિનેતાએ આ મોટું દાન પોતાના નામે નહિ પરંતુ માતા-પિતા અને સસરા રાજેશ ખન્નાના નામ પર કર્યું છે.
- Nirupa Duva
- Updated on: Oct 30, 2024
- 12:30 pm
Ayodhya Deepotsav : અયોધ્યા ફરી રેકોર્ડ બનાવવાની તૈયારીમાં, રામનગરી 25 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે, ફોટોમાં જુઓ તૈયારી
Ayodhya Deepotsav : વિશ્વમાં એક અલગ ઓળખ ઉભી કરનારા અયોધ્યા દીપોત્સવ આ વખતે ફરી એક રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સરયૂ નદીના કિનારે 25 લાખ દીવા પ્રગટાવવામાં આવશે.
- Meera Kansagara
- Updated on: Oct 27, 2024
- 2:20 pm
Travel tips : જો તમે દિવાળી સેલિબ્રેટ કરવા અયોધ્યા જઈ રહ્યા છો, તો આ ટિપ્સ તમારા માટે છે
અયોધ્યા ભગવાન રામની નગરીના નામથી જાણીતી છે. અહિ દેશ સહિત વિદેશમાંથી પણ પ્રવાસીઓ ફરવા માટે આવે છે. તો આજે આપણે કેટલીક ખાસ ટ્રાવેલ ટિપ્સ વિશે વાત કરીશું, જે તમારા માટે ખાસ રહેશે.
- Nirupa Duva
- Updated on: Oct 18, 2024
- 5:35 pm
48 કલાકમાં એર ઈન્ડિયા અને ઈંડિગોની 10 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જુઓ Video
એર ઈન્ડિયા અને ઈન્ડિગોની 10 ફ્લાઈટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. જે પછી દિલ્હી-શિકાગો ફ્લાઈટ કેનેડા તરફ ડાયવર્ટ કરાઇ છે. જયપુર-અયોધ્યા ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા છે. સિંગાપોરમાં ધમકી બાદ ઈમરજન્સી લેન્ડિંગ થઇ છે. સોશિયલ મીડિયામાં xના એકાઉન્ટ પરથી ધમકી અપાઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Oct 16, 2024
- 9:17 am