AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા

અયોધ્યા

અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે “અવધ”ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.

સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ “જેની સામે જીતી ન કરી શકાય તેવું” એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

હિંદુ ધર્મમાં ભારતનાં સાત શહેરો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો ભારે મહિમા છે. ત્યાં રામચંદ્રજીનાં અનેક સંસ્મરણોને મૂર્તિમંત સ્વરૂપ આપતાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે; જેવાં કે, શ્રી રામચંદ્રજીનું મંદિર, હનુમાન મંદિર (હનુમાનગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, રામકોટ, મણિ પર્વત વગેરે. આને કારણે અયોધ્યા પ્રાચીન મંદિરોના શહેર તરીકે જાણીતું છે.

રામલલ્લાનો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બિરાજમાન થયા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું અને ફૂલો અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે.

Read More

Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’

રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

દાન ચોરીના વિવાદ વચ્ચે રામમંદિર ટ્ર્સ્ટે પહેલીવાર જાહેર કર્યો સોના-ચાંદીનો ખજાનો, જાણો

છેલ્લા કેટલાય દિવસોથી અયોધ્યા સ્થિત રામમંદિરમાંથી દાનની ચોરી થવાના મામલે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને રામ મંદિરના કર્તાહર્તા વિવાદમાં સપડાયા છે. દેશભરના શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોચાડે તેવા સામે આવેલ કૃત્યથી દાન-દક્ષિણા આપનાર સૌ કોઈ અંચબિત થઈ ઉઠ્યા હતા. રામ મંદિરમાં સોના-ચાંદીનુ દાન-દક્ષિણ કરનારા શ્રદ્ધાળુઓને પણ તેમના દાન-દક્ષિણા સલામત છે કે કેમ તે અંગે શંકા હતી. આવા સંજોગોમાં પહેલીવાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, વિતેલા નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધીમાં કેટલુ સોનું અને ચાંદીનો જથ્થો છે તેની વિગતો જાહેર કરી છે.

Breaking News: ચંપત રાયે કેમ ધારણ કર્યું ‘મૌન’ ? કહ્યું, “સમય આવશે ત્યારે એક-એક સત્ય ઉજાગર કરીશ, ત્યાં સુધી…”

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે રામ ભક્તોના નામે એક પત્ર લખીને પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Breaking News: દાનના પૈસા, ગર્લફ્રેન્ડ પર પ્રેમ અને મોંઘી કાર… અવિનાશે રામ મંદિરના ₹19 લાખ ક્યાં અને કેવી રીતે વાપર્યા?

અયોધ્યા રામ મંદિરના દાનની ઉચાપતના કેસમાં એસઆઈટી (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપી અવિનાશ શુક્લાએ પોલીસ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે, તેણે દાનમાં મળેલી રકમમાંથી લાખો રૂપિયા પોતાના મિત્રો, પરિવાર અને અંગત મોજશોખ પાછળ વાપરી નાખ્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ

રામ મંદિરના દાનની ચોરીથી વ્યથિત થઈ ઉઠેલા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજકારણને બદલે ધર્મરક્ષા કરવાની નવી વાત ઉચ્ચારી છે. દિગ્વિજયસિંહે આગામી 2 ઓક્ટોબરે ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પદયાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, તેમણે તેમની યાત્રા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે તેઓ હવે ફક્ત આસ્થાના રક્ષણ માટે પોતાને ધર્મ સમર્પિત કરશે.

Breaking News : હરિદ્વારમાં પૂજારીઓ અને કર્મચારીઓ પાયજામામાં ખિસ્સા નહીં અને હાથમાં બેગ નહીં લઈ જઈ શકે

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં દાનની ચોરી મામલા બાદ હરિદ્વારના મનસા દેવી મંદિર ટ્ર્સ્ટે પુજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો જાહેર કર્યા છે. તેમજ કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.

Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામુ, હવે કૃષ્ણ મોહન સંભાળશે જવાબદારી

અયોધ્યામાં રામ મંદિર ટ્ર્સ્ટની મળેલી બેઠક પૂર્ણ થઈ છે, લગભગ 3 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠક બાદ ટ્રસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી એ જણાવ્યુ કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાનુ રાજીનામુ મંજૂર કરી લેવામાં આવ્યુ છે. કૃષ્ણ મોહન હવે ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

Aayodhya Ram Mandir: રામ મંદિર ટ્રસ્ટની આજે નિર્ણાયક બેઠક, ચંપત રાયના રાજીનામા પર થશે મોટો નિર્ણય

બેઠકના એજન્ડામાં સૌપ્રથમ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા પર વિચાર કરવામાં આવશે. જો આજે આ રાજીનામા સ્વીકારવામાં આવે છે, તો તે ટ્રસ્ટના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોનો માર્ગ મોકળો કરી શકે છે.

રામ મંદિરનો નવો ‘નો-પોકેટ’ ડ્રેસ કોડ: જાણો આ નિયમો શું છે અને તે કોને લાગુ પડે છે

Ram Mandir No Pocket Dress Code: અયોધ્યા રામ મંદિરમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે આ નવો નિયમ શું છે અને તે કોને લાગુ પડે છે.

‘હિન્દુઓએ સતર્ક રહેવું જોઈએ’, રામ મંદિર વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીની મોટી અપીલ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે તેમને સરકાર અને તપાસ એજન્સીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે દોષિતો સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. ચંપત રાય અંગે તેમણે કહ્યું કે આ તપાસનો વિષય છે અને જે કોઈ દોષિત ઠરશે તેને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Breaking New: રામ મંદિરમાં રોજ ₹8 લાખની ચોરી ! ફરી થયો મોટો ખુલાસો, SIT કરી રહી તપાસ

Ram Mandir Row : રામ મંદિર દાન ચોરી કેસ અંગે ફરી મોટો ખુલાસા થયો છે. આ વચ્ચે, પ્રસાદની ચોરી અંગે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, રામ મંદિરમાં મળતા દાનમાં કથિત અનિયમિતતાની તપાસ કરવા માટે કાર્યરત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને શંકા છે કે દરરોજ આશરે ₹6 લાખ થી ₹8 લાખની ઉચાપત થઈ રહી હતી.

Breaking News : અયોધ્યા બાદ, હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીના આરોપ ! સમિતિ આવી હરકતમાં, આપ્યા તપાસના આદેશ

Badrinath : ચોરીના ખુલાસા બાદ, મંદિર સમિતિના સ્ટાફ સભ્યો અને સમિતિના અધ્યક્ષને પર્સનલ આસિસ્ટન્ટ (PA) ને નોટિસ જાહેર કરવામાં આવી છે. 'ભૈરવ સેના' દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ વિવાદ વધુ તીવ્ર બનતો દેખાય છે. રામ મંદિરમાં દાન ચોરી અંગે ચાલી રહેલા વિવાદ અને અનિયમિતતાઓની તપાસની સાથે બદ્રીનાથ ધામનો મામલો પણ વધી રહ્યો છે.

રામ ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી, દોષીને કડક સજા થાય, હિન્દુ સમાજ ધીરજ રાખેઃ રામમંદિરના દાનની ચોરી અંગે RSS નુ નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહામંત્રી દત્તાત્રેય હોસબોલેએ, રામ મંદિરમાં ભક્તો દ્વારા આવેલા દાનની ચોરીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ઘટનાથી રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હોસબોલેએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, મંદિર વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને યોગ્ય નાણાકીય વ્યવસ્થાની ખાતરીની માંગ કરી છે. તેમણે હિન્દુ સમુદાયને આ મુશ્કેલ સમયમાં જરૂરી ધીરજ અને સંયમ જાળવવા આગ્રહ કર્યો છે.

Breaking News : રામ મંદિરમાં ચોરીના આરોપીઓને 14 દિવસની જેલ, કેસ લડનારા વકીલ પર 5 લાખ રૂપિયાનો દંડ

Ram Temple Donation Case: ફેઝાબાદ બાર એસોસિએશને દાન ચોરી મામલે 8 આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે.તમને જણાવી દઈએ કે આ કેસમાં પહેલી FIR 25 જૂને નોંધાઈ હતી.

Breaking News : રામ મંદિર માટે દાન પર હવે કોણ નજર રાખી રહ્યું છે, દાનના પૈસા કેવી રીતે ગણાઈ રહ્યા છે?

અયોધ્યા રામ મંદિરમાં થયેલી દાન ચોરી વિવાદ વચ્ચે રામલલાના દર્શન માટે ભક્તોની લાઈન હજુ પણ જોવા મળી રહી છે. ભક્તો દિલ ખોલી દાન પણ કરી રહ્યા છે. તો હવે રામ મંદિર માટે દાન પર કોણ નજર રાખી રહ્યું છે અને દાનના પૈસા કેવી રીતે ગણાઈ રહ્યા છે. તેના વિશે વાત કરીએ.

સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">