Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા

અયોધ્યા

અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે “અવધ”ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.

સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ “જેની સામે જીતી ન કરી શકાય તેવું” એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

હિંદુ ધર્મમાં ભારતનાં સાત શહેરો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો ભારે મહિમા છે. ત્યાં રામચંદ્રજીનાં અનેક સંસ્મરણોને મૂર્તિમંત સ્વરૂપ આપતાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે; જેવાં કે, શ્રી રામચંદ્રજીનું મંદિર, હનુમાન મંદિર (હનુમાનગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, રામકોટ, મણિ પર્વત વગેરે. આને કારણે અયોધ્યા પ્રાચીન મંદિરોના શહેર તરીકે જાણીતું છે.

રામલલ્લાનો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બિરાજમાન થયા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું અને ફૂલો અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે.

Read More

Breaking News: અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

હજુ એકવર્ષ પહેલા અને 500 વર્ષની તપશ્ચર્યા બાદ નિર્માણ પામેલા અયોધ્યાના સુપ્રસિદ્ધ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

અદ્ભુત, અલૌકિક દર્શન : અયોધ્યા રામલલ્લાના લલાટે થયુ સૂર્ય તિલક, જુઓ વીડિયો

અયોધ્યામાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રામ મંદિરની ભવ્યતા જોવા જેવી છે. રામલલ્લાના લલાટે સૂર્ય કિરણનું તિલક કરવામાં આવ્યુ હતુ. વૈદિક મંત્રોના જાપ અને ભક્તોના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું.

Travel tips : રામનવમી પર શ્રીરામના આ મંદિરે પરિવાર સાથે દર્શન કરવાનો પ્લાન બનાવો

દેશભરમાં અયોધ્યા સિવાય શ્રીરામના અનેક પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરો આવેલા છે. અયોધ્યા તમે રામ નવમી પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. ભક્તો અયોધ્યા જવાનું આયોજન કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે, અયોધ્યા તમે બસ અને ટ્રેન દ્વારા કેવી રીતે પહોચશો.

રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂપિયા 270 કરોડનો GSTનો સમાવેશ થાય છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં ધાર્મિક પર્યટન અને રોજગારની તકોમાં વધારો થયો છે. ગયા વર્ષે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાંથી 5 કરોડ દર્શનાર્થીઓએ રામ મંદિરના દર્શન કર્યા હતા. CAG દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ નાણાકીય રેકોર્ડનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.

Ayodhya : રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, જાણો ક્યારથી કરતા હતા રામ લલ્લાની સેવા

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પૂજા કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

Breaking news : મિલ્કીપુરમાં ભાજપે અયોધ્યાની હારનો બદલો લીધો, ચંદ્રભાનુ પાસવાને સપાના ‘પોસ્ટર બોય’ પાસેથી છીનવી લીધી જીત

Milkipur UPChunav Result 2025: અયોધ્યાની મિલ્કીપુર સીટ પર ભાજપના ચંદ્રભાનુ પાસવાન 14 હજાર વોટથી આગળ છે, અવધેશ પ્રસાદના પુત્ર અજીત પાછળ છે.

અયોધ્યામાં ગુમ યુવતીની અનાવૃત અવસ્થામાં લાશ મળતા ચકચાર, સાંસદે મીડિયા સમક્ષ સાર્યા આંસુ- Video

અયોધ્યામાં શુક્રવારથી ગુમ થયેલી યુવતીની અનાવૃત અવસ્થામાં લાશ મળી આવતા સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. ગુમ યુવતીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે અને તેની આંખો પણ ફોડી નાખવામાં આવી તેમજ ચહેરા પર અનેક ઈજાના નિશાન મળી આવ્યા છે.

15 દિવસ અયોધ્યા રામ લલ્લાના દર્શન કરવા ના આવશો, રામ મંદિર ટ્રસ્ટે લોકોને કરી અપીલ

મૌની અમાવસ્યાને કારણે, પ્રયાગરાજ અને અયોધ્યા પહેલેથી જ ભક્તો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ભરેલું છે. જ્યારે, મહાકુંભ માટે આવેલા મોટી સંખ્યામાં ભક્તો પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. જેના કારણે અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક જામ પણ થાય છે. ભક્તો માટે મંદિરમાં દર્શન કરવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે. આવી સ્થિતિમાં, રામ મંદિર ટ્રસ્ટે, અયોધ્યાની નજીકના વિસ્તારના ભક્તોને અપીલ કરી છે કે તેઓ 15 દિવસ માટે રામ લલ્લાના દર્શને ના આવે.

Travel tips : અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે સરકાર આપે છે રૂ. 5000ની સહાય, જાણો નિયમ

શ્રી રામ જન્મભૂમિ ,મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. 31 ડિસેમ્બર 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશેઅરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલ હોય તેમણે જ યાત્રા કરવાની રહેશે.

Year Ender 2024 : વર્ષ 2024માં હિન્દુઓના આ ખાસ મંદિરો ટોપ પર રહ્યા, ઉમટી ભક્તોની ભીડ, જાણો તેના કારણો

Hindu temples highlight 2024 : તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં ભારતના આ બે મંદિરો અથવા ધાર્મિક સ્થળો એટલે કે અયોધ્યા શ્રી રામ મંદિર અને આંધ્ર પ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. અયોધ્યાનું મંદિર એટલું ખાસ હતું કે, અહીં રામલલાની નવી મૂર્તિ જ સ્થાપિત કરવામાં આવી ન હતી પરંતુ મંદિરના નિર્માણ સાથે સમગ્ર અયોધ્યા શહેરની કાયાપલટ પણ થઈ ગઈ હતી.

કુંભ મેળા 2025માં 40 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવો છે અંદાજ, રેલવેએ બનાવ્યો છે ફૂલપ્રૂફ પ્લાન

રેલવે કુંભ મેળા માટે 1,225 વિશેષ ટ્રેનો ચલાવશે. જેમાંથી 825 નાના રૂટ માટે છે, જ્યારે 400 લાંબા અંતરની રિઝર્વ ટ્રેનો છે. રેલવે અનુસાર આ અર્ધ કુંભ 2019 દરમિયાન દોડતી ટ્રેનોની સંખ્યા કરતાં લગભગ 177 ટકા વધુ છે, જ્યારે 533 ટૂંકા અંતર અને 161 લાંબા અંતરની રિઝર્વ ટ્રેનો દોડાવવામાં આવી હતી.

Ayodhya Deepotsav 2024: અયોધ્યામાં આજે રામમય દિવાળી, સરયૂ ઘાટને 25 લાખ દીવાઓથી શણગારાયો, જુઓ Photos

અયોધ્યામાં રોશનીનો પર્વ શરૂ થઈ ગયો છે. રામ કી પૈડી પર વધુ એક નવો રેકોર્ડ બન્યો છે. 55 ઘાટો પર એક સાથે 25 લાખ દીવાઓ પ્રગટાવીને રામ કી પૌડીને ઝળહળતી કરવામાં આવી છે. સરયૂની બંને તરફ હજારો લોકો આ અનોખી ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે.

500 વર્ષ પછી અયોધ્યામાં ઉજવાશે ભવ્ય દિવાળી, સીએમ યોગીએ કહ્યું- અમે જે કહ્યું તે કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અયોધ્યા પહોંચી ગયા છે. આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, આ વર્ષ અયોધ્યા માટે અદ્ભુત, અનોખું, અલૌકિક છે. 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવીને રામ લલ્લા ફરી એકવાર પોતાના ધામમાં બેઠા અને દુનિયાના તમામ પીડિતોને આ સંદેશ આપ્યો કે તેઓ ક્યારેય તેમના માર્ગથી ભટકી ન જાય.

અયોધ્યામાં આજે યોજાશે ભવ્ય દીપોત્સવ, દુલ્હનની જેમ સજીને તૈયાર થઈ રામનગરી, જુઓ-Photo

મળતી માહિતી મુજબ અયોધ્યામાં આજે ભવ્ય દપોત્સવ થશે. રામ કી પૌડી પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સરયુ નદીના 55 ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું, માતા-પિતા અને સસરાના નામે મોટું દાન કર્યું

Akshay Kumar Donation બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે. અભિનેતાએ આ મોટું દાન પોતાના નામે નહિ પરંતુ માતા-પિતા અને સસરા રાજેશ ખન્નાના નામ પર કર્યું છે.

g clip-path="url(#clip0_868_265)">