AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા

અયોધ્યા

અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે “અવધ”ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.

સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ “જેની સામે જીતી ન કરી શકાય તેવું” એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

હિંદુ ધર્મમાં ભારતનાં સાત શહેરો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો ભારે મહિમા છે. ત્યાં રામચંદ્રજીનાં અનેક સંસ્મરણોને મૂર્તિમંત સ્વરૂપ આપતાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે; જેવાં કે, શ્રી રામચંદ્રજીનું મંદિર, હનુમાન મંદિર (હનુમાનગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, રામકોટ, મણિ પર્વત વગેરે. આને કારણે અયોધ્યા પ્રાચીન મંદિરોના શહેર તરીકે જાણીતું છે.

રામલલ્લાનો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બિરાજમાન થયા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું અને ફૂલો અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે.

Read More

રામ મંદિરના દરવાજા આ લાકડામાંથી બનેલા છે, જાણો તેની વિશેષતા અને કોતરણી વિશે

રામ મંદિર ભવ્યતા અને કલાત્મકતાથી બનાવવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની આકૃતિઓ કોતરેલી છે. રામ મંદિરમાં કુલ 46 દરવાજા છે, જેમાંથી ઘણા સોનાની પરતથી મઢેલા છે.

Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન

ઉત્તરપ્રદેશના સુંદર શહેર અયોધ્યાને રામ જન્મભૂમિ પણ કહેવામાં આવે છે. અયોધ્યામાં તમે પરિવાર કે પછી માતા-પિતાને લઈ ફરવાનો પ્લાન બનાવી શકો છો. 1 દિવસમાં તમે સુંદર સ્થળો પર ફરી શકો છો.

સદીઓની વેદનાનો આજે આવ્યો અંત, અયોધ્યા રામમંદિરેથી બોલ્યા પીએમ મોદી- ધર્મ ધ્વજાના પુનઃસ્થાપનનો સંકલ્પ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજા ફરકાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સદીઓથી ચાલી આવતી વેદનાનો અંત આવ્યો છે. સદીઓથી ધર્મ ધ્વજાને પુનઃસ્થાપન કરવાનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

Breaking News: અયોધ્યા રામમય બની, રામ મંદિર પર PM મોદીએ ધર્મ ધ્વજા લહેરાવી, 3 કિમી દૂરથી થશે ધજાના દર્શન

અભિજિત મુહૂર્ત શરૂ થઈ ગયું છે. ધર્મધ્વજને શિખર પર ચઢાવવામાં આવી રહ્યો છે. વૈદિક વિધિઓ શરૂ થઈ ગઈ છે, અને મંત્રોનો જાપ શરૂ થઈ ગયો છે. PM મોદીએ ધર્મધ્વજ લહેરાવી દીધો છે.

25 નવેમ્બરના મહત્વના સમાચાર : અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે ગોંડલ કોર્ટ દ્વારા અનિરુધ્ધ સિંહ જાડેજાને ઝટકો…જામીન કર્યા નામંજૂર

Gujarat Live Updates આજ 25 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

રામ મંદિરમાં ધજા રોહણ સમારોહમાં શા માટે લેવાઈ રહી છે ઈન્ડિયન આર્મીની મદદ? આ છે ખાસ કારણ

રામ નગરી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શીખર પર શોભાયમાન થનારા મુખ્ય ધ્વજને ધર્મ ધ્વજ કે સૂર્ય ધ્વજ પણ કહેવામાં આવે છે. તેનુ વજન 2.5 કિલોગ્રામ છે. આ ધ્વજ નાયલોન- રેશમ મિશ્રીત પોલિમરથી બનેલો છે. આ ધ્વજારોહણ સમારોહ પહેલા સેના દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેકવર રિહર્સલ પણ કરવામાં આવ્યા છે.

અમદાવાદનું સૌભાગ્ય: અયોધ્યામાં રામ મંદિર પર લહેરાશે અમદાવાદના કારીગરોએ તૈયાર કરેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ-ધ્વજ’- આ છે વિશેષતા

અયોધ્યામાં આવતીકાલે (25-Nov-2025) દિવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને આ ઐતિહાસિક સમારોહનો સાક્ષી ફરી એકવાર સમગ્ર દેશ બનવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે સૌભાગ્યની ઘડી છે. કારણ કે દિવ્ય રામ મંદિર પર જે ધર્મ ધ્વજ લહેરાવવામાં આવશે તેને અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

30 મિનિટનું શ્રેષ્ઠ મુહૂર્ત, 8,000 VIP ગેસ્ટ્સ, મોબાઈલ પર પ્રતિબંધ, દેશ બનશે વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી

રામ મંદિરમાં 25 નવેમ્બરે આયોજિત થનારા ધ્વજારોહણ સમારોહ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય સમારોહની ગરિમા સાથે સંપન્ન થશે. વૈદિક પરંપરાઓ અને આધુનિક શિષ્ટાચાર વચ્ચે સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીમાં નિર્ધારીત શુભ મુહૂર્તમાં ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવશે. આ અવધિની અંદર 30 મિનિટના શ્રેષ્ઠ મુહૂર્તમાં ધજા ચડાવવામાં આવશે. આ મૂહુર્ત બપોરે 12 થી 12:30 વાગ્યા સુધીમાં થશે.

કરોડો હિંદુઓની આસ્થાના ધામ સમા રામમંદિરમાં 25 નવેમ્બરે થશે ધ્વજારોહણ, 30 મિનિટના શુભ મુહૂર્તમાં આટોપી લેવાશે તમામ વિધિ

બાંધકામ એજન્સી દ્વારા ત્રણ સેટમાં મોકલવામાં આવેલા ધ્વજ રેશમ-કોટેડ પેરાશૂટ ફેબ્રિકના દોરામાંથી બનાવવામાં આવ્યા છે. વાલ્મીકિ રામાયણ પર આધારિત, આ ધ્વજમાં રામ રાજ્યનું પ્રતીક "કોવિદાર" વૃક્ષ અને સૂર્ય વંશનું પ્રતીક સૂર્ય દેવને દર્શાવવામાં આવ્યા છે. સમન્વયના પ્રતીક 'ઓમકાર' નું પ્રતીક પણ દર્શાવવામાં આવ્યું છે.

રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FIR કરી રદ

ફરિયાદ મુજબ, આરોપીઓએ જાન્યુઆરી 2024 માં અયોધ્યા મંદિરમાં આયોજિત રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ બતાવવા માટે કોઈમ્બતુરના એક મંદિરની બહાર LED સ્ક્રીન લગાવી હતી.

Video : 26 લાખ દીવાઓથી ઝગમગ્યો રામનો ઘાટ, 2,128 પુજારીઓએ સરયુ આરતી કરી… અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા

અયોધ્યામાં 9મો દીપોત્સવ ભવ્યતાથી ઉજવાયો, જ્યાં બે વિશ્વ રેકોર્ડ સર્જાયા. 2.6 મિલિયન દીવાઓ પ્રગટાવીને નવો ગિનિસ રેકોર્ડ બન્યો.

Ayodhya Diwali : ભક્તોનો રેકોર્ડ તૂટ્યો, દિવાળીએ દિવ્ય બન્યું અયોધ્યા, લાખો ભક્તો મહા આરતી અને દીપોત્સવમાં જોડાયા, જુઓ Photos

અયોધ્યા ડીએમ નિખિલ ટીકારામ ફંડે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે આ દીપોત્સવમાં આવનારા લાખો ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અભૂતપૂર્વ પગલાં લીધા છે. AI કેમેરા માત્ર ભીડની ગણતરી જ નહીં પરંતુ શંકાસ્પદ વ્યક્તિઓને પણ ઓળખી શકશે.

સુવર્ણ ગુંબજ, સ્તંભો પર અદ્ભુત કલાકૃતિ… શ્રી રામ મંદિરના પહેલા માળના ફોટા તમારા હૃદયને કરશે મોહિત 

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે, મુખ્ય માળખું હવે 85-90 ટકા પૂર્ણ થયું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરના પહેલા માળના મંત્રમુગ્ધ કરનારા ફોટા જાહેર કર્યા છે, જ્યાં ભક્તો હવે રામ દરબાર જોઈ શકશે. મુખ્ય મંદિર નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

ચિરંજીવી હનુમાનજી, આ સ્થળોએ આજે પણ અનુભવાય છે બજરંગ બલીની હાજરી, જાણો

હનુમાનજીને અમરત્વના આશીર્વાદ મળ્યા હોવાથી દેશના અનેક પવિત્ર સ્થળોએ તેમને આજેય જીવંત માનવામાં આવે છે. ભારતભરમાં કેટલીક પ્રખ્યાત જગ્યા એવી છે જ્યાં હનુમાનજીની જીવંત ઉપસ્થિતિનો વિશ્વાસ રાખવામાં આવે છે. શું તમને ખબર છે કે આ સ્થળો કયા છે?

Video : બજરંગબલીની શરણમાં પહોંચ્યા અનુષ્કા અને વિરાટ કોહલી, બાંકે બિહારી બાદ રામલલ્લાના પણ કર્યા દર્શન

વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો અને હવે અયોધ્યાથી તેની આધ્યાત્મિક યાત્રાની તસવીરો વાયરલ થઈ રહી છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">