AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા

અયોધ્યા

અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે “અવધ”ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.

સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ “જેની સામે જીતી ન કરી શકાય તેવું” એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

હિંદુ ધર્મમાં ભારતનાં સાત શહેરો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો ભારે મહિમા છે. ત્યાં રામચંદ્રજીનાં અનેક સંસ્મરણોને મૂર્તિમંત સ્વરૂપ આપતાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે; જેવાં કે, શ્રી રામચંદ્રજીનું મંદિર, હનુમાન મંદિર (હનુમાનગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, રામકોટ, મણિ પર્વત વગેરે. આને કારણે અયોધ્યા પ્રાચીન મંદિરોના શહેર તરીકે જાણીતું છે.

રામલલ્લાનો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બિરાજમાન થયા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું અને ફૂલો અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે.

Read More

રામ મંદિરમાં કેવી રીતે ચોરાતા હતા દાનના રુપિયા? જાણો ચોરીથી લઈને ખુલાસા સુધીની સમગ્ર કહાની

માહિતી અનુસાર, મે મહિનાના અંતમાં ટ્રસ્ટના અધિકારીઓએ દાનપેટીમાંથી મળતી રકમ અને બેંકમાં જમા થતી રકમની સમીક્ષા કરી હતી. અગાઉ એક દાનપેટીમાંથી સરેરાશ 6થી 7 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ અચાનક 500 રૂપિયાની નોટોના બંડલમાં ઘટાડો જોવા મળતા શંકા ગઈ. ત્યારબાદ ટ્રસ્ટે નોટ ગણતરી રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો.

Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી મામલે સૌથી મોટા સમાચાર, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય આપી શકે છે રાજીનામુ, કોઈપણ સમયે થઈ શકે છે FIR

PMO એ રામમંદિર ટ્રસ્ટ પાસે જાણકારી માગી હતી. રામ મંદિર ટ્રસ્ટે SIT તપાસનો હવાલો આપી જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ હવે રાજીનામા પડ્યા કે રાજીનામુ આપશે તે અંગે અટકળો ચાલી રહી છે.

Breaking News : રામ મંદિરને બોમ્બથી ઉડાવવાનો હતો પ્લાન! NIA અને ATSએ અંજામ પહેલા જ આતંકીને ઝડપી પાડ્યો

ઉત્તર પ્રદેશના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. શંકાસ્પદ આતંકવાદીએ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાના પોતાના કાવતરાની કબૂલાત કરી છે. આરોપીના મોબાઇલ ફોનમાંથી પાકિસ્તાની નંબર, કેટલાક શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપ અને હથિયારો સાથે લીધેલા ફોટા મળી આવ્યા છે.

Breaking News : રામ મંદિરના દાનની ગણતરી માટે નવા નિયમો લાગુ, કર્મચારીઓ હવે આ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં

Ram Mandir Donation Rules : અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનરાશિની સુરક્ષા પારદર્શિતા વધારવા માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કર્મચારીઓ હવે દાન ગણતરી ખંડમાં ખિસ્સા વગરના ખાસ કપડાં પહેરીને પ્રવેશ કરશે. મોબાઇલ ફોન, બેગ, પાકીટ અને પર્સનલ સામાન લઈ જવા પર પ્રતિબંધ છે.

રામ મંદિરમાં ચોરી:કરોડો દેશવાસીઓની આસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા કોણ છે? શુ મોટા માથા પકડાશે કે નાની માછલીઓને આગળ કરી દેવાશે?

રામમંદિરમાં દાનની ચોરી અને ચઢાવા ચોરી એ માત્ર કોઈ ચોરીનો મુદ્દો નથી, અસલમાં આ વિષય છે કરોડો હિંદુઓ, અને રામભક્તોની આસ્થા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલા વિશ્વાસઘાત નો. કારણ કે આ રામમંદિરની સુરક્ષા એટલી જડબેસલાક છે કે ભાવિકો ત્યાં નાની પીન થી લઈને પેન પણ નથી લઈ જઈ શક્તા ત્યારે કરોડો રૂપિયા અને સોના-ચાંદીના કિમતી ભેટો અને આભૂષણો કેવી રીતે ગાયબ થઈ શકે તે સવાલ થવા પણ સ્વાભાવિક છે. કારણ કે મંદિર પરિસરમાં 1000 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યાં દાનમાં મળેલા પૈસાની ગણતરી કરવામાં આવે છે એ રૂમ અને તેની આસપાસ 15 થી 20 CCTV કેમેરા લાગેલા છે. જે 40 દાનપેટીમાં ભક્તો પૈસા નાખે છે તેની આસપાસ પણ હાઈડેફિનેશન અને 360 ડિગ્રી પર રેકોર્ડ કરનારા કેમેરા લગાવેલા છે. આટલી સુરક્ષા છતા ચોર આસાનીથી રૂપિયા અને દાગીનાની ચોરી કરી લે તે કેવી રીતે શક્ય છે તે મોટો સવાલ છે.

Breaking News: રામ મંદિર દાન ચોરી વિવાદમાં મોટી કાર્યવાહી, 40 કર્મચારીઓને દાન ગણતરીમાંથી દૂર કરાયા

અયોધ્યાના રામ મંદિર પ્રસાદ અને દાન ગેરરીતિ મામલે તપાસ વચ્ચે મંદિર ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. દાનની ગણતરીમાં સામેલ આશરે 40 કર્મચારીઓને તેમની જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ નવા કર્મચારીઓ અને કાઉન્ટરોની નિમણૂક કરવામાં આવી છે. દાનપેટીઓમાં આવતી રોકડ રકમ તેમજ દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ગણતરી પ્રક્રિયા પર હવે વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

Breaking News : રામ મંદિર દાન ચોરી કેસમાં SITની તપાસ તેજ, બેંક કર્મચારીઓની ભૂમિકા પર ઉઠ્યા સવાલ, જાણો અત્યાર સુધીની અપડેટ

તપાસ દરમિયાન એવા સંકેતો મળ્યા છે કે બેંકિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ રહી હોઈ શકે છે. SITને એવી શંકા છે કે કેટલીક જગ્યાએ બેદરકારી અથવા સંભવિત મિલીભગત પણ થઈ હોઈ શકે છે. દાનની ગણતરીથી લઈને જમા કરવાની પ્રક્રિયામાં બેંક અધિકારીઓની જવાબદારી હોવા છતાં યોગ્ય દેખરેખ ન રાખવામાં આવી હોવાના આરોપો સામે આવ્યા છે.

અયોધ્યા રામ મંદિરની દાનપેટીમાંથી દાનની ચોરી ! જાણો દાન ચોરીનો સમગ્ર ઘટનાક્રમ-વિવાદ

અયોધ્યા સ્થિત રામ મંદિરને લઈને એવા આરોપો સામે આવ્યા છે કે, મંદિરમાં રાખવામાં આવેલ દાન પેટીઓમાંથી રોકડ ગણતરી અને જમા કરાવવાની પ્રક્રિયા દરમિયાન મોટી રકમ ગુમ થઈ ગઈ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ સરકારે આ મુદ્દાની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. SITની ટીમ હાલમાં કથિત નાણાંની ઉચાપત અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.

Breaking News : અયોધ્યાના રામ મંદિરમાં 11 મહિનામાં 83 કરોડનું દાન, સુરક્ષા પાછળ 10 કરોડ રૂપિયા ખર્ચાયા છતાં થઈ ચોરી

રામ મંદિરના દાનની ચોરીની તપાસમાં ટ્રસ્ટના નાંણાકીય ડોક્યુમેન્ટમાંથી અનેક તથ્ય સામે આવ્યા છે. જેમણે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે. 11 મહિનામાં મંદિરની સુરક્ષા વ્યવસ્થા પાછળ લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ તે જ સમયગાળા દરમિયાન દાનપેટીઓમાંથી ચોરી થઈ હતી.

Breaking News: ભગવાનના ઘરમાં થઈ ચોરી? અયોધ્યા રામ મંદિરમાં મોટું કૌભાંડ? ભક્તોના કરોડો રૂપિયા ક્યાં ગાયબ થયા?

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કરોડો રૂપિયાની કથિત અનિયમિતતાનો સનસનાટીભર્યો મામલો! અખિલેશ યાદવના આરોપો બાદ યોગી સરકારે SIT તપાસના આદેશ આપ્યા છે.સાદા કપડામાં આવેલી પોલીસે ઘરમાં ઘૂસીને આરોપી લવકુશ તિવારીને કેમ ઉઠાવ્યો? દાનના રૂપિયા ખરેખર ગાયબ થયા છે?

Ayodhya Shri Ram Yantra: અયોધ્યા રામ મંદિરમાં થશે શ્રીરામ યંત્રની સ્થાપના, ભક્તો બનશે ઐતિહાસિક ક્ષણના સાક્ષી

Ayodhya Shri Ram Yantra: ભારતનું શ્રદ્ધાનું શહેર અયોધ્યા, 19 માર્ચે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. આ દિવસે રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ યંત્ર સ્થાપિત કરવામાં આવશે. શ્રી રામ યંત્ર અને તેના મહત્વ વિશે જાણો.

Breaking News: રામ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક,  મંદિર પરિસરમાં નમાજ પઢી રહેલો એક કાશ્મીરી શખ્સ ઝડપાયો

અયોધ્યાના રામ મંદિર સંકુલમાં NSG બેસ કેમ્પ હોવા છતાંયે સુરક્ષા વ્યવસ્થામાં ખામી હોવાનું બહાર આવ્યું છે. દક્ષિણ દિવાલ વિસ્તારમાં એક કાશ્મીરી શખ્સ નમાઝ અદા કરતો ઝડપાયો છે. સુરક્ષાકર્મીઓએ તેને આમ કરતા અટકાવતા તેણે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, જ્યારે વહીવટીતંત્ર અને ટ્રસ્ટે મૌન ધારણ કર્યું છે.

અનામી ભક્તની અનોખી ભેટ : અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

અયોધ્યામાં આવેલા શ્રીરામ મંદિરને ભગવાન રામના એક અજાણ્યા ભક્ત તરફથી વિશેષ ભેટ અર્પણ કરવામાં આવી છે. આ ભક્તે સોનાં-ચાંદી તેમજ હીરા-ઝવેરાતથી સજ્જ એક અદ્ભુત મૂર્તિ મંદિરને સમર્પિત કરી છે. અંદાજ મુજબ આ ભવ્ય મૂર્તિની કિંમત લગભગ રૂપિયા 30 કરોડ જેટલી હોવાનું જણાવાય છે. મૂર્તિનું તેજ અને ઝળહળાટ નજરને આકર્ષી લે એવો છે. આ મૂર્તિ આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી હોવાનું જાણવા મળે છે.

રામ મંદિરના દરવાજા આ લાકડામાંથી બનેલા છે, જાણો તેની વિશેષતા અને કોતરણી વિશે

રામ મંદિર ભવ્યતા અને કલાત્મકતાથી બનાવવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની આકૃતિઓ કોતરેલી છે. રામ મંદિરમાં કુલ 46 દરવાજા છે, જેમાંથી ઘણા સોનાની પરતથી મઢેલા છે.

Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન

ઉત્તરપ્રદેશના સુંદર શહેર અયોધ્યાને રામ જન્મભૂમિ પણ કહેવામાં આવે છે. અયોધ્યામાં તમે પરિવાર કે પછી માતા-પિતાને લઈ ફરવાનો પ્લાન બનાવી શકો છો. 1 દિવસમાં તમે સુંદર સ્થળો પર ફરી શકો છો.

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">