AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. તેમનું પૂરું નામ અજય સિંહ બિષ્ટ છે. યોગીનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના પંચુર ગામમાં થયો હતો. તેઓ ગઢવાલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. આ સમય દરમિયાન તેઓ ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા.

1993માં યોગી આદિત્યનાથ, ગોરખનાથ પીઠના મહંત અવૈદ્યનાથના સંપર્કમાં આવ્યા હતા. થોડા સમય પછી તેમણે માત્ર 21 વર્ષની ઉંમરે, મહંત અવૈદ્યનાથ પાસેથી દીક્ષા લીધી. તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુ બન્યા. દીક્ષા લીધા પછી તેમના મૂળ નામ અજય સિંહ બિષ્ટથી બદલીને યોગી આદિત્યનાથ થઈ ગયું.

થોડા સમય પછી, મહંત અવૈદ્યનાથે યોગી આદિત્યનાથને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા. 1998માં, યોગીએ ભાજપની ટિકિટ પર ગોરખપુરથી લોકસભાની ચૂંટણી લડી અને જીતીને લોકસભા પહોંચ્યા. તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી.

યોગી આદિત્યનાથ ગોરખપુરથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે હિંદુ યુવા વાહિની પણ બનાવી. વર્ષ 2017 માં ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી અને પાર્ટીએ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા. આ પછી, 2022 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને સફળતા મળી અને યોગી આદિત્યનાથ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા.

Read More

લખનઉમાં સિસ્ટમની ઘોર બેદરકારીના પાપે લાગેલી આગમાં 15 બાળકો થઈ ગયા ભડથુ… ક્યાં સુધી ભ્રષ્ટાચારની આગમાં હોમાતા રહેશે માસૂમો?

22 જૂન 2026 વધુ એક અગ્નિકાંડ. આ વખતે પણ ઘટનાક્રમ એક સરખો જ હતો માત્ર શહેર બદલાયુ. જે પ્રકારે દિલ્હીમાં થયુ, જે પ્રકારે અગાઉ સુરતના તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં થયુ હતુ. તે જ પ્રકારનો અગ્નિકાંડ લખનઉમાં સર્જાયો. માત્ર કેટલાક ભ્રષ્ટ પાપીઓના કારણે 15 નવયુવાનો આગમાં ભડથુ થઈ ગયા. દરેક વખતે આવા અગ્નિકાંડો થતા રહે છે, બે દિવસ કડકાઈના નાટક થાય છે અને થોડા દિવસોમાં મૃતકો માત્ર આંકડો બનીને રહી જાય છે. લખનઉ અગ્નિકાંડની ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત જે સામે આવી તે એ છે કે એ ઈમારત ફાયર સેફ્ટી નોર્મ્સમાં આવતી જ ન હતી છતા તેનો કોમર્શિયલ યુઝ થઈ રહ્યો હતો. વિધાનસભાથી 7 કિલોમીટરના એરિયામાં આવેલી ઈમારતની આ સ્થિતિ હોય તો વિચારો અન્ય જિલ્લાઓની શું હાલત હશે

Breaking News: સડક પર નમાઝ પઢવાને લઈને યુપી CM યોગીની સખ્ત ચેતવણી,”પ્રેમથી માને છે તો ઠીક, નહીં તો બીજા રસ્તાઓ છે “

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સડક પર નમાઝ પઢવાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ યુપીમાં સડક પર નમાઝ બિલકુલ નહીં પઢવા દઈએ. કારણ કે રસ્તો આવવા જવા માટે છે. કાયદો બધા માટે સમાન છે, તો લોકો શિફ્ટમાં અથવા તો તેમના ધાર્મિક સ્થળોએ નમાઝ પઢે. જો સંવાદથી નહીં માને તો સરકાર અન્ય કડક રસ્તાઓ અપનાવશે.

Breaking News : યુપીમાં કૃષ્ણાવતારમને Tax-Free જાહેર કરાઈ, બોક્સ ઓફિસ કલેક્શન 8 કરોડ રૂપિયાને પાર

કૃષ્ણાવતારમને ચાહકો ખુબ પ્રેમ આપી રહ્યા છે. જેના કારણે આ ફિલ્મે સારી એવી કમાણી કરી છે. 7 મેના રોજ સિનેમાઘરોમાં કૃષ્ણાવતારમ પાર્ટ 1 રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ખુબ પસંદ આવી હતી.

Breaking News : મથુરા વૃંદાવનમાં ભયાનક ઘટના, યમુનામાં પલટી સ્ટીમર, 10 લોકોના મોત

વૃંદાવન નજીક યમુના નદીમાં સ્ટીમર પોન્ટૂન પુલ સાથે અથડાતા હ્રદયદ્રાવક બોટ દુર્ઘટના બની. આ દુર્ઘટનામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 15ને સુરક્ષિત બચાવાયા.

Breaking News : વરસાદનું એલર્ટ પણ તૈયારી પાકી ! 12 લાખ સ્ક્વેર ફીટમાં વોટરપ્રૂફ ટેન્ટ, બે લાખ લોકોની વ્યવસ્થા… જેવર એરપોર્ટ ઉદ્ઘાટન માટે તૈયાર

જેવર એરપોર્ટના ઉદ્ઘાટન પહેલા IMDએ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ પ્રશાસને 12 લાખ સ્ક્વેર ફીટ વોટરપ્રૂફ ટેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાઓ સાથે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.

TV9 WITT Summit 2026: શંકરાચાર્ય સામે બોલવાની મારી કોઈ ઓકાત નથી…” કુમાર વિશ્વાસે TV9 ના મંચ પરથી સત્તાપક્ષ અને સંતોને આપી શિખામણ

TV9 નેટવર્કના મંચ પર કવિ અને કથાવાચક કુમાર વિશ્વાસે ઉત્તર પ્રદેશના શંકરાચાર્ય વિવાદ પર ખુલીને વાત કરી છે. તેમણે શંકરાચાર્યને ભારતીય પરંપરાના 'પિતામહ' ગણાવતા કહ્યું કે, તેમની સામે બોલવાની મારી કોઈ હેસિયત નથી.

બાળકો સાથેના યૌન શોષણ કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિને બેલ મળશે કે થશે જેલ? મેડિકલ રિપોર્ટમાં ઉત્પીડન થયુ હોવાનો ખૂલાસો

સ્વામી અવિમુક્તેશ્વારનંદ સામે લાગેલા યૌન શોષણના આરોપ મામલે બાળકોના મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારે શંકરાચાર્યએ મેડિકલ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે.   હવે આ મામલે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે અવિમુક્તેશ્વરાનંદને જેલ થશે કે બેલ? અવિમુક્તેશ્વરાનંદ સામે ક્યાં ગ્રાઉન્ડ પર આરોપ લગાવવામાં આવ્યા છે, શા માટે તેઓ સતત વિવાદ છે અને તે તમામ બાબતો વિશે વાંચો..

Breaking News: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ યૌન શોષણની નોંધાશે FIR, કોર્ટે આપ્યો આદેશ

પ્રયાગરાજમાં ADJ રેપ અને POCSO સ્પેશિયલ કોર્ટે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી સામે જાતીય શોષણના આરોપોમાં FIR નોંધવા અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કલમ 173(4) હેઠળ આશુતોષ બ્રહ્મચારીએ અરજી દાખલ કરી હતી. બંને સગીરોના નિવેદનો પણ કોર્ટમાં નોંધવામાં આવ્યા હતા. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપોને ખોટા ગણાવતા કહ્યું હતું કે સત્ય બહાર આવશે અને તેઓ કાયદેસર રીતે કેસનો સામનો કરશે.

Breaking News : બાંકે બિહારી મંદિરમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ સલીમ અહમદને આપતા સાધુ-સંતો રોષે ભરાયા, CM સુધી પહોંચી વાત 

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં સ્ટીલ રેલિંગના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો છે. મુસ્લિમ પેઢીને કામ અપાતા સાધુ-સંતોમાં ભારે રોષ છે.

Travel Tips : 3 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરુ થઈ રહ્યો છે માઘ મેળો, જાણો કેવી રીતે પહોંચવું

Prayagraj Magh Mela 2026: પ્રયાગરાજ માઘ મેળો 2026 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. સંગમ પર કેવી રીતે પહોંચવું અને કઈ સાવચેતી રાખવી તે વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીશું.

સદીઓની વેદનાનો આજે આવ્યો અંત, અયોધ્યા રામમંદિરેથી બોલ્યા પીએમ મોદી- ધર્મ ધ્વજાના પુનઃસ્થાપનનો સંકલ્પ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજા ફરકાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સદીઓથી ચાલી આવતી વેદનાનો અંત આવ્યો છે. સદીઓથી ધર્મ ધ્વજાને પુનઃસ્થાપન કરવાનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

30 મિનિટનું શ્રેષ્ઠ મુહૂર્ત, 8,000 VIP ગેસ્ટ્સ, મોબાઈલ પર પ્રતિબંધ, દેશ બનશે વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી

રામ મંદિરમાં 25 નવેમ્બરે આયોજિત થનારા ધ્વજારોહણ સમારોહ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય સમારોહની ગરિમા સાથે સંપન્ન થશે. વૈદિક પરંપરાઓ અને આધુનિક શિષ્ટાચાર વચ્ચે સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીમાં નિર્ધારીત શુભ મુહૂર્તમાં ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવશે. આ અવધિની અંદર 30 મિનિટના શ્રેષ્ઠ મુહૂર્તમાં ધજા ચડાવવામાં આવશે. આ મૂહુર્ત બપોરે 12 થી 12:30 વાગ્યા સુધીમાં થશે.

Video : 26 લાખ દીવાઓથી ઝગમગ્યો રામનો ઘાટ, 2,128 પુજારીઓએ સરયુ આરતી કરી… અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા

અયોધ્યામાં 9મો દીપોત્સવ ભવ્યતાથી ઉજવાયો, જ્યાં બે વિશ્વ રેકોર્ડ સર્જાયા. 2.6 મિલિયન દીવાઓ પ્રગટાવીને નવો ગિનિસ રેકોર્ડ બન્યો.

પાકિસ્તાનની ઈંચે ઈંચ જમીન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં, ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતુ: રાજનાથસિહ

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "ઓપરેશન સિંદૂરમાં જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો કે આ ટ્રેલરથી જ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે જો ભારત પાકિસ્તાનને જન્મ આપી શકે છે, તો તેનો સફાયો પણ કરી શકે છે. મારે તેના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી."

જમ્મુમાં કુદરતી આફતનો કહેર: વૈષ્ણોદેવી ભૂસ્ખલનમાં 41ના મોત, 30 મૃતદેહો કાટમાળમાંથી મળ્યા, મોટાભાગના દિલ્હી, યુપી, પંજાબ અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે. કિશ્તવાડ, ડોડા અને વૈષ્ણો દેવીમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પંજાબના હતા. અત્યાર સુધીમાં 38 મૃતદેહો મળી આવ્યા છે.

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">