યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. તેમનું પૂરું નામ અજય સિંહ બિષ્ટ છે. યોગીનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના પંચુર ગામમાં થયો હતો. તેઓ ગઢવાલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. આ સમય દરમિયાન તેઓ ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા.
1993માં યોગી આદિત્યનાથ, ગોરખનાથ પીઠના મહંત અવૈદ્યનાથના સંપર્કમાં આવ્યા હતા. થોડા સમય પછી તેમણે માત્ર 21 વર્ષની ઉંમરે, મહંત અવૈદ્યનાથ પાસેથી દીક્ષા લીધી. તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુ બન્યા. દીક્ષા લીધા પછી તેમના મૂળ નામ અજય સિંહ બિષ્ટથી બદલીને યોગી આદિત્યનાથ થઈ ગયું.
થોડા સમય પછી, મહંત અવૈદ્યનાથે યોગી આદિત્યનાથને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા. 1998માં, યોગીએ ભાજપની ટિકિટ પર ગોરખપુરથી લોકસભાની ચૂંટણી લડી અને જીતીને લોકસભા પહોંચ્યા. તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી.
યોગી આદિત્યનાથ ગોરખપુરથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે હિંદુ યુવા વાહિની પણ બનાવી. વર્ષ 2017 માં ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી અને પાર્ટીએ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા. આ પછી, 2022 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને સફળતા મળી અને યોગી આદિત્યનાથ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા.
સદીઓની વેદનાનો આજે આવ્યો અંત, અયોધ્યા રામમંદિરેથી બોલ્યા પીએમ મોદી- ધર્મ ધ્વજાના પુનઃસ્થાપનનો સંકલ્પ પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજા ફરકાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સદીઓથી ચાલી આવતી વેદનાનો અંત આવ્યો છે. સદીઓથી ધર્મ ધ્વજાને પુનઃસ્થાપન કરવાનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Nov 25, 2025
- 1:55 pm
30 મિનિટનું શ્રેષ્ઠ મુહૂર્ત, 8,000 VIP ગેસ્ટ્સ, મોબાઈલ પર પ્રતિબંધ, દેશ બનશે વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી
રામ મંદિરમાં 25 નવેમ્બરે આયોજિત થનારા ધ્વજારોહણ સમારોહ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય સમારોહની ગરિમા સાથે સંપન્ન થશે. વૈદિક પરંપરાઓ અને આધુનિક શિષ્ટાચાર વચ્ચે સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીમાં નિર્ધારીત શુભ મુહૂર્તમાં ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવશે. આ અવધિની અંદર 30 મિનિટના શ્રેષ્ઠ મુહૂર્તમાં ધજા ચડાવવામાં આવશે. આ મૂહુર્ત બપોરે 12 થી 12:30 વાગ્યા સુધીમાં થશે.
- Mina Pandya
- Updated on: Nov 24, 2025
- 6:05 pm
Video : 26 લાખ દીવાઓથી ઝગમગ્યો રામનો ઘાટ, 2,128 પુજારીઓએ સરયુ આરતી કરી… અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા
અયોધ્યામાં 9મો દીપોત્સવ ભવ્યતાથી ઉજવાયો, જ્યાં બે વિશ્વ રેકોર્ડ સર્જાયા. 2.6 મિલિયન દીવાઓ પ્રગટાવીને નવો ગિનિસ રેકોર્ડ બન્યો.
- Sagar Solanki
- Updated on: Oct 19, 2025
- 9:33 pm
પાકિસ્તાનની ઈંચે ઈંચ જમીન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં, ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતુ: રાજનાથસિહ
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "ઓપરેશન સિંદૂરમાં જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો કે આ ટ્રેલરથી જ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે જો ભારત પાકિસ્તાનને જન્મ આપી શકે છે, તો તેનો સફાયો પણ કરી શકે છે. મારે તેના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી."
- TV9 Gujarati
- Updated on: Oct 18, 2025
- 3:18 pm
જમ્મુમાં કુદરતી આફતનો કહેર: વૈષ્ણોદેવી ભૂસ્ખલનમાં 41ના મોત, 30 મૃતદેહો કાટમાળમાંથી મળ્યા, મોટાભાગના દિલ્હી, યુપી, પંજાબ અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓ
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે. કિશ્તવાડ, ડોડા અને વૈષ્ણો દેવીમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પંજાબના હતા. અત્યાર સુધીમાં 38 મૃતદેહો મળી આવ્યા છે.
- Manish Gangani
- Updated on: Aug 28, 2025
- 7:20 pm
છાંગુર બાબાની ગેરકાયદે હવેલી તોડતા તોડતા તંત્ર ચોકી ઉઠ્યું, મઝાર-કબરનો એક દરવાજો ભારતમાં તો બીજો નેપાળમાં ખુલતો હતો !
ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં નેપાળની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નો મેન્સ લેન્ડ ઉપર ગેરકાયદેસર બાંધકામો મળી આવ્યા છે, જેમાં મઝાર અને ઘરોનો સમાવેશ થાય છે. લખીમપુર અને મહારાજગંજમાં નો મેન્સ લેન્ડ પર ખેતી પણ કરાતી હોવાની માહિતી સામે આવી છે. બલરામપુરમાં ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ છાંગુર બાબને પણ આ ગેરકાયદેસર વસાહતમાંથી મદદ મળી હતી. શ્રાવસ્તીમાં, જિલ્લા કલેકટરે, આંતરરાષ્ટ્રીય સરહદથી 10 કિમીની અંદર નોંધણી માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ફરજિયાત બનાવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 18, 2025
- 4:04 pm
બિન-મુસ્લિમ છોકરીઓનું ધર્મપરિવર્તન કરનાર છાંગુરની આલિશાન હવેલી પર ચાલ્યું યોગીનુ બુલડોઝર
ઉત્તર પ્રદેશના ચર્ચાસ્પદ બનેલા ધર્મપરિવર્તન કેસના મુખ્ય આરોપી જમાલુદ્દીન ઉર્ફે છાંગુરની આલિશાન હવેલી ઉપર આજે યોગી આદિત્યનાથનું બુલડોઝર ચાલ્યું છે. છાંગુરના પરિવારજનોએ, વહીવટીતંત્રના લોકો હવેલીમાં ના આવે તે માટે લોખંડના મોટા દરવાજા ઉપર તાળુ મારી દીધુ હતું. બુલડોઝર લઈને આવેલ વહીવટીતંત્રના લોકોએ ગેસ કટરથી તાળુ તોડીને હવેલીમાં ઘૂસ્યા હતા અને પછી ગેરકાયદેસર હવેલી ઉપર બુલડોઝર ચલાવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Jul 8, 2025
- 1:14 pm
CM યોગીના જન્મદિવસ પર ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું પોસ્ટર રિલીઝ, આ દિવસે ફિલ્મ રિલીઝ થશે
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મદિવસ પર નિર્માતાઓએ તેના જીવન પર આધારિત બની રહેલી ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તો જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.
- Nirupa Duva
- Updated on: Jun 5, 2025
- 5:03 pm
પાકિસ્તાન સામેના યુદ્ધ વચ્ચે લખનૌ બનશે ભારતનું નવું ડિફેન્સ હબ, બ્રહ્મોસ મિસાઇલ પ્લાન્ટ સ્થપાશે
ભારત-પાકિસ્તાન તણાવમાં વધારો થવા છતાં બ્રહ્મોસ મિસાઇલ પ્લાન્ટનું ઉત્પાદન તૈયાર કરવામાં આવશે. વિશ્વની સૌથી શક્તિશાળી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ, બ્રહ્મોસનું ઉત્પાદન ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શરૂ થવાનું છે.
- Ravi Prajapati
- Updated on: May 8, 2025
- 6:41 pm
નમાઝ પઢવા માટે ઇદગાહ અને મસ્જિદ છે, રસ્તો નહીં – હિન્દુઓ પાસેથી ધાર્મિક શિસ્ત શીખો: યોગી આદિત્યનાથ- જુઓ Video
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સ્થળોએ નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. તેમણે વકફ (સુધારા) બિલને ટેકો આપ્યો, વકફ મિલકતોના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, આ બિલ સુધારા અને પારદર્શિતાને લક્ષ્ય રાખે છે. યોગીએ ધાર્મિક શિસ્ત અને કાયદાનું સમાન પાલન પર ભાર મૂક્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 1, 2025
- 2:36 pm