બાળકો સાથેના યૌન શોષણ કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિને બેલ મળશે કે થશે જેલ? મેડિકલ રિપોર્ટમાં ઉત્પીડન થયુ હોવાનો ખૂલાસો
સ્વામી અવિમુક્તેશ્વારનંદ સામે લાગેલા યૌન શોષણના આરોપ મામલે બાળકોના મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારે શંકરાચાર્યએ મેડિકલ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. હવે આ મામલે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે અવિમુક્તેશ્વરાનંદને જેલ થશે કે બેલ? અવિમુક્તેશ્વરાનંદ સામે ક્યાં ગ્રાઉન્ડ પર આરોપ લગાવવામાં આવ્યા છે, શા માટે તેઓ સતત વિવાદ છે અને તે તમામ બાબતો વિશે વાંચો..

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની જામીન અરજી પર આવતીકાલે (27 ફેબ્રુઆરી)અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. જેલ કે પછી બેલ એ કાલે સ્પષ્ટ થઈ જશે. અવિમુક્તેશ્વારનંદની બગી જેલ પહોંચશે કે તેમને આગોતરા જામીન મળશે તે તો કાલે કોર્ટ કાર્યવાહી બાદ જ સામે આવશે. પરંતુ આ મામલો હવે ઘણો ગંભીર બની ગયો છે કારણ કે જે બટુકોએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે તે બાળકોનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે અને મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. તો આ તરફ સ્વામી અવિમુક્તેશ્વારનંદ સરસ્વતીએ પણ મેડિકલ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં પીડિત બટુકોએ એ પણ દાવો કર્યો છે કે અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં તેમની સાથે ગંદી હરકતો કરવામાં આવી, બટુકોને મઠમાં પ્રતાડિત કરવામાં આવતા હતા અને આપત્તિજનક કામ કરવામાં આવતુ હતુ. દાવો તો ત્યાં સુધી પણ કરાયો છે કે 20 થી વધુ બટુકો યૌન શોષણનો શિકાર થયા, તેમનુ કહેવુ છે કે માત્ર તેઓ નહીં અન્ય પણ બટુકો...
