AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બાંકે બિહારી મંદિરમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ સલીમ અહમદને આપતા સાધુ-સંતો રોષે ભરાયા, CM સુધી પહોંચી વાત 

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં સ્ટીલ રેલિંગના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો છે. મુસ્લિમ પેઢીને કામ અપાતા સાધુ-સંતોમાં ભારે રોષ છે.

Breaking News : બાંકે બિહારી મંદિરમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ સલીમ અહમદને આપતા સાધુ-સંતો રોષે ભરાયા, CM સુધી પહોંચી વાત 
| Updated on: Feb 03, 2026 | 8:03 PM
Share

વૃંદાવનના પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ ઊભો થયો છે. મુસ્લિમ પેઢીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા બ્રજભૂમિમાં સાધુ-સંતો અને ધાર્મિક સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સાધુઓ અને સંતોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી છે.

વિવાદનું કેન્દ્ર એ છે કે બાંકે બિહારી મંદિર પરિસરમાં સ્ટીલ રેલિંગ લગાવવાનો કોન્ટ્રાક્ટ ‘કનિકા કન્સ્ટ્રક્શન’ નામની પેઢીને આપવામાં આવ્યો છે, જેનું નામ સલીમ અહેમદ સાથે જોડાયેલું હોવાનું કહેવામાં આવે છે. સાધુઓનું કહેવું છે કે આ નિર્ણય સનાતન પરંપરાઓ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. તેઓનું માનવું છે કે મંદિર જેવા પવિત્ર સ્થળે આવા કોન્ટ્રાક્ટ હિંદુ કોન્ટ્રાક્ટરોને જ આપવામાં જોઈએ.

શ્રી કૃષ્ણે રાસલીલા અને બાળલીલાઓ કરી હતી

શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ ફલાહારી મહારાજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે જે સ્થળે ભગવાન શ્રી કૃષ્ણે રાસલીલા અને બાળલીલાઓ કરી હતી, ત્યાં એવા લોકોની હાજરી બ્રજવાસીઓ સ્વીકારશે નહીં. તેમણે દાવો કર્યો કે આ નિર્ણયથી ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે અને સનાતન સમાજમાં ભારે અસંતોષ છે.

ફલાહારી મહારાજે પોતાના પત્રમાં વધુમાં લખ્યું છે કે સનાતન ધર્મના વિરોધી ગણાતા લોકોને મંદિર પરિસરની નજીક પણ આવવાની મંજૂરી ન આપવી જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે બ્રજભૂમિમાં હજારો સનાતન ધર્મી કોન્ટ્રાક્ટરો ઉપલબ્ધ છે, તો પછી આવા વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવ્યા. તેમણે સમગ્ર મામલાની તપાસ કરી કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ પણ કરી છે.

આ તરફ જિલ્લા વહીવટીતંત્રે વિવાદ પર સ્પષ્ટતા કરી છે. એડીએમ પંકજ વર્માએ જણાવ્યું છે કે આ રેલિંગ મંદિરના નાણાંમાંથી નહીં, પરંતુ તે બેંકો દ્વારા લગાવવામાં આવી રહી છે, જ્યાં મંદિરની રકમ જમા છે. બેંકો દ્વારા CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડ હેઠળ આ કામ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ક્વોટેશન પ્રક્રિયા બાદ બેંકો દ્વારા ‘કનિકા કન્સ્ટ્રક્શન’ની પસંદગી કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ સંસ્થા રંજન નામના વ્યક્તિ દ્વારા સંચાલિત થાય છે અને મંદિર પરિસરમાં ચાલતું કામ ફિલ્ડ મેનેજર રૂપેશ શર્માની દેખરેખ હેઠળ પૂર્ણ થઈ રહ્યું છે. પ્રશાસન મુજબ રેલિંગનું કામ હવે લગભગ પૂર્ણતાની કગાર પર છે.

₹50માં જ રાષ્ટ્રપતિ ભવનની અંદર જઈને જોઇ શકાશે ભારતના લોકશાહીનો જાદુ

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">