સોનિયા ગાંધી
સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1946ના રોજ ઈટલીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થયા બાદ તેમણે વિદેશી ભાષાની શાળામાં પ્રવેશ લીધો જ્યાં તેઓએ અંગ્રેજી, ફ્રેન્ચ તેમજ રુસી ભાષાનો અભ્યાસ કર્યો. કેમ્બ્રિજમાં જયારે તેઓ અંગ્રેજી ભાષાનો કોર્સ કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી.
1968માં નવી દિલ્હી ખાતે તેમનાં લગ્ન થયા હતા. તેમને એક દિકરો રાહુલ અને દિકરી પ્રિયંકા તેમજ બે પૌત્રીઓ છે. 1998માં લોકસભાની ચૂંટણી પૂર્વે, કોંગ્રેસ પાર્ટીની માંગના પ્રત્ત્યુત્તરમાં તેઓએ જાહેરજીવનમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ એપ્રિલ 1998માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ બન્યાં હતા. 1999માં પહેલી વાર સોનિયા ગાંધીની પસંદગી સંસદીય ક્ષેત્ર અમેઠીના સાંસદ સભ્ય તરીકે થઈ હતી. ત્યારબાદ તેઓ લોકસભામાં વિપક્ષનાં નેતા બન્યા હતા.
2004ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓએ પક્ષનાં ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે સૌથી વધુ સીટો પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી. જેના કારણે કોંગ્રેસ પક્ષની આગેવાનીમાં સંયુક્ત સરકાર (યુપીએ) રચવામાં સફળ રહી હતી. આ ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશમાં રાયબરેલીના સંસદીય સભ્ય તરીકે તેઓની પસંદગી કરવામાં આવી હતી.
નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ થઈ નવી FIR, રાહુલ ગાંધી-સોનિયા ગાંધી, સામ પિત્રોડા સહીતનાઓ પર કાવતરુ ઘડ્યાનો આરોપ
દિલ્હી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વ્યક્તિઓ તેમજ ત્રણ કંપનીઓ વિરુદ્ધ નવી FIR દાખલ કરી છે. આ FIR માં એવો આરોપ લગાવાયો છે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની ₹2,000 કરોડની સંપત્તિ માત્ર ₹50 લાખમાં જપ્ત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Nov 30, 2025
- 9:11 am
Gandhi Surname History : મહાત્મા ગાંધી, ઈન્દીરા, રાજીવ, સોનીયા, રાહુલ, પ્રિયંકા ગાંધીની અટકનો ઈતિહાસ જાણો
દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે ગાંધી અટકનો અર્થ જાણીશું
- Disha Thakar
- Updated on: Sep 2, 2025
- 7:40 am
Breaking News : સોનિયા ગાંધીને સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, જાણો તેમની સ્વાસ્થ્ય અપડેટ વિશે
7 જૂનના રોજ સોનિયા ગાંધીએ હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ કર્યા બાદ, તેમને શનિવારે શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
- Sagar Solanki
- Updated on: Jun 15, 2025
- 11:44 pm
Breaking News: સોનિયા ગાંધીની અચાનક લથડી તબિયત, શિમલાની IGMC હોસ્પિટલમાં કરાયા દાખલ
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે, જેના કારણે તેમને શિમલાના ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) ખાતે લઈ જવામાં આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jun 7, 2025
- 6:57 pm
‘National Herald Ki Loot’ લખેલા બેગ સાથે JPC ની બેઠક પહોંચી BJP સાંસદ બાંસુરી સ્વરાજ, વીડિયો થયો વાયરલ
મંગળવારે જ્યારે નવી દિલ્હી બેઠકના ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા, ત્યારે તેમણે જે બેગ લીધી હતી તેમાં 'National Herald Ki Loot' લખેલું હતું.
- Dhinal Chavda
- Updated on: Apr 22, 2025
- 5:11 pm
રાહુલ ગાંધી – સોનિયા ગાંધીની વધશે મુશ્કેલી, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDએ દાખલ કરેલ ચાર્જશીટમાં બન્નેનો નામોલ્લેખ
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસના ઓવરસીઝ વડા સામ પિત્રોડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આ ત્રણેય ઉપરાંત સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે. આ કેસમાં ઈડીએ દાખલ કરેલ ચાર્જશીટમાં દર્શાવેલા આરોપોની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સુનાવણીની તારીખ નક્કી કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 15, 2025
- 7:40 pm
કોંગ્રેસની CWC માં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવા અંગે મંથન, ખરગેએ સંઘને લીધુ આડેહાથ, ભાજપને સરદારના નામે ઘેરી
કોંગ્રેસની 3.30 કલાક ચાલેલી વર્કિંગ કમિટીની અધ્યક્ષતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે એ કરી. તેમણે ભાજપ પર રાષ્ટ્રીય નાયકોના નામે લોકોમાં ગેરસમજ ઉભી કરી ષડયંત્ર ચલાવવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેઓ સંઘ પર પણ ચાબખા મારવાનું ચુક્યા ન હતા.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 8:25 pm
કોંગ્રેસના તમામ જિલ્લાધ્યક્ષોને સોંપાશે નવી જવાબદારી, ગ્રાસરૂટ લેવલે કોંગ્રેસને વધુ મજબૂત કરવા પર CWCમાં ચર્ચા- સચિન પાયલોટ
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત રાષ્ટ્રીય કાર્યકારિણી ચાલી રહી છે ત્યારે બેઠકમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી રહી છે તે અંગે સચિન પાયલોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે બેઠકમાં દેશભરના કોંગ્રેસના જિલ્લાધ્યક્ષોની વધુ સશક્ત કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આજે ચાલી રહેલી કાર્યકારિણીના અંતે ન્યાયપથ નામથી રિઝોલ્યુશન પણ પારિત કરવામાં આવશે.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 4:03 pm
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો થયો પ્રારંભ, પ્રથમ દિવસે CWCની બેઠક, ગાંધી આશ્રમમાં પ્રાર્થના સહિતના આ રહેશે કાર્યક્રમો- Video
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે 8મી એપ્રિલથી પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં 2500 થી વધુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. ત્યારે આવો જાણીએ આ બે દિવસ દરમિયાન કોંગ્રેસનો શું રહેશે કાર્યક્રમ.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 1:45 pm
Poor Lady ! રાષ્ટ્રપતિ પર સોનિયા ગાંધીની ટિપ્પણીએ સર્જ્યો રાજકીય હોબાળો
સંસદના બજેટસત્રના બીજા તબક્કાના પ્રારંભે રાષ્ટ્રપતિના સંબોધન પછી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું, પરંતુ સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મૂના એક કલાક લાંબા ભાષણ પછી રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન સોનિયાને પ્રતિક્રિયા આપતા સાંભળવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jan 31, 2025
- 5:39 pm
નેહરુના એ પત્રોમાં એવું તે શું છે કે ગાંધી પરિવાર પાછા નથી આપી રહ્યો ? PM મ્યુઝિયમે રાહુલ ગાંધીને લખ્યો પત્ર
PM મ્યુઝિયમના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને સોનિયા ગાંધીના આદેશ પર મ્યુઝિયમમાંથી કથિત રીતે પાછા લેવામાં આવેલા પત્રો પરત કરવાની વિનંતી કરી છે. જે બાદ ભાજપ કોંગ્રેસને સવાલ કરી રહ્યું છે કે આ પત્રોમાં એવું તે શું હતું કે ગાંધી પરિવાર આ પત્રો પાછા નથી આપી રહ્યો ?
- Dilip Chaudhary
- Updated on: Dec 18, 2024
- 7:53 pm
નહેરુ સાથે જોડાયેલા પત્રો સોનિયા ગાંધીએ અમને આપવા જોઈએ, નહેરુ મેમોરિયલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર
નેહરુ મેમોરિયલના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને જવાહરલાલ નેહરુના મહત્વના દસ્તાવેજો, જે સોનિયા ગાંધી પાસે છે, તે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમને પરત કરવા અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી છે. આ દસ્તાવેજો 2008માં સોનિયા ગાંધીની વિનંતી પર મ્યુઝિયમમાંથી પાછા ખેંચવામાં આવ્યા હતા. કાદરીનું કહેવું છે કે આ દસ્તાવેજો ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને ઈતિહાસના સંશોધકો માટે ખૂબ ઉપયોગી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 16, 2024
- 11:57 am
પિતાની લાડકવાયી દીકરી, ગાંધી પરિવાર રાજકારણમાં સક્રિય, જાણો ઈન્દિરા ગાંધીના પરિવાર વિશે
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુત્રી તેમનું બાળપણ અલ્હાબાદમાં પસાર થયું છે. તો આજે આપણે ઈન્દિરા ગાંધીના પરિવાર તેમજ તેની રાજકીય કારર્કિદી વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Nov 19, 2025
- 10:37 am
સાસુ અને પતિ રહી ચૂક્યા છે દેશના વડાપ્રધાન, દીકરો અને દીકરી પણ રાજકારણમાં સક્રિય
સોનિયા ગાંધી મૂળ ઈટાલીના છે. દરેક લોકો સોનિયા ગાંધીના પરિવાર વિશે જાણવા માટે ઉત્સુક છે. તો આજે અમે તમને તેમના વિશે વિગતવાર જણાવીશું. 1968માં ઈન્દિરા ગાંધીની પુત્રવધૂ અને રાજીવ ગાંધીની પત્ની તરીકે ભારત આવી હતી. પરંતુ રાજકારણમાં તેમની સક્રિયતા તેમના પતિના મૃત્યુ પછી શરૂ થઈ હતી.
- Nirupa Duva
- Updated on: Apr 8, 2025
- 10:20 am
ગાંધી પરિવારની લાડલી દીકરી પ્રિયંકા ગાંધીનો આજે છે જન્મદિવસ, આવો છે વાડ્રાનો પરિવાર
આજે પ્રિયંકા ગાંધી પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.તો ચાલો આજે આપણે પ્રિયંકા ગાંધીના પરિવાર વિશે વાત કરીએ. જવાહરલાલ નેહરુ અને વિજયલક્ષ્મી પંડિત પછી પહેલીવાર નેહરુ-ગાંધી પરિવારની બીજી ભાઈ-બહેનની જોડી સદનમાં જોવા મળી છે.
- Nirupa Duva
- Updated on: Jan 12, 2025
- 9:40 am