Narendra Rathod

Narendra Rathod

Author - TV9 Gujarati

narendra.rathod@tv9.com

છેલ્લા એક દશકાથી ગુજરાતની રાજનીતિ અને સામાજિક વિષયો પર રિપોર્ટિંગ કરે છે. નરેન્દ્ર રાઠોડે સુરત અને દક્ષિણ ગુજરાતમાં સામાજિક-રાજકીય, ધાર્મિકથી લઈ તમામ મુદ્દાઓનું પાંચ વર્ષ રિપોર્ટિંગ કર્યું છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ફરીને રિપોર્ટિંગ કર્યું છે. 2019 લોકસભા ચૂંટણીમાં ઇલેક્શન એક્સપ્રેસ અને ત્યારબાદની ચૂંટણીઓમાં ચૂંટણીલક્ષી સ્પેશિયલ પ્રોગ્રામ અને ઇન્ટરવ્યૂ કર્યા છે. છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું રિપોર્ટિંગ કરતા આવ્યા છે. આ સિવાય શિક્ષણ અને ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો અંગેનું રિપોર્ટિંગ તેમનો રસના વિષયો છે.

Read More
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિશાળ રેલી યોજી વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી પત્ર- જુઓ Video

અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિશાળ રેલી યોજી વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી પત્ર- જુઓ Video

અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે આજે તેમનુ લોકસભા ચૂંટણી માટેનું નામાંકન દાખલ કર્યુ છે. આ અગાઉ તેમણે વિશાળ રેલી યોજી હતી, જે બાદ તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને બરાબર 12.39એ તેમણે નામાંકનપત્ર ભર્યુ હતુ.

ગુજરાતમાં રાજનીતિનો ખેલ શરુ ! વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર ઘટના, જુઓ વીડિયો

ગુજરાતમાં રાજનીતિનો ખેલ શરુ ! વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર ઘટના, જુઓ વીડિયો

આદર્શ આચારસંહિતા અને સંસદીય પ્રણાલીના ભંગ બદલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. જાણો કેમ શંકર ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ કોણે આ ફરિયાદ નોંધાવી છે

Ahmedabad : RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવનાર વાલીઓ સામે કાર્યવાહી, કુલ 180 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા, જુઓ Video

Ahmedabad : RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવનાર વાલીઓ સામે કાર્યવાહી, કુલ 180 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા, જુઓ Video

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અમદાવાદમાં 36 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી 26 હજાર ફોર્મ મંજૂર કરવામા આવ્યા છે. જો કે અમદાવાદ RTEના ઇતિહાસમાં પ્રથમ વાર 180થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે. દોઢ લાખથી વધુની આવક ધરાવનાર વાલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સૌથી વધુ ઉદ્ગમ શાળાના 126 ફોર્મ રદ કર્યા છે.

જેલમાં બોર્ડની પરીક્ષા આપનાર કેદીઓ કોપી કેસ કરતા ઝડપાયા, અમદાવાદમાં કોપી કેસના 16 બનાવ

જેલમાં બોર્ડની પરીક્ષા આપનાર કેદીઓ કોપી કેસ કરતા ઝડપાયા, અમદાવાદમાં કોપી કેસના 16 બનાવ

તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં વર્ગખંડોના CCTV તપાસવાની કામગીરી શરૂ કરાઇ હતી. અમદાવાદ શહેરની શાળાઓના સીસીટીવી તપાસતા 16 કોપીકેસના બનાવો સામે આવ્યા છે. વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન ના હોય ત્યારે વિદ્યાર્થીઓ પૂરવણી બદલતા, કાપલી કરતા કે એક બીજામાંથી જોતા હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપતા 4 કેદી પણ કોપી કરતા ઝડપાયા છે.

Ahmedabad : ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે કાર્યવાહી, ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા કરાઇ અટકાયત, જુઓ Video

Ahmedabad : ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે કાર્યવાહી, ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા કરાઇ અટકાયત, જુઓ Video

શિક્ષિકાને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી હતી. જો કે પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો. ઘાટલોડિયા વિધાનસભામાં BLOની કામગીરી કરવાનોનો શિક્ષિકાએ અસ્વિકાર કર્યો હતો.

Ahmedabad Video : રાજ્યમાં આજે લેવાશે ગુજકેટની પરીક્ષા, 1.38 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Ahmedabad Video : રાજ્યમાં આજે લેવાશે ગુજકેટની પરીક્ષા, 1.38 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાવાની છે. રાજ્યભરના 1.38 લાખ વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા આપવાના છે. મળતી માહિતી અનુસાર આજની આ પરીક્ષામાં 12 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.

કોંગ્રેસ સંગઠનની બેઠકમાં ઉઠ્યો રૂપાલાના નિવેદનનો મુદ્દો, શક્તિસિંહે કહ્યું માત્ર મહારાજાઓનું નહીં સમગ્ર સમાજનું કર્યુ અપમાન- વીડિયો

કોંગ્રેસ સંગઠનની બેઠકમાં ઉઠ્યો રૂપાલાના નિવેદનનો મુદ્દો, શક્તિસિંહે કહ્યું માત્ર મહારાજાઓનું નહીં સમગ્ર સમાજનું કર્યુ અપમાન- વીડિયો

કોંગ્રેસના ઉમેદવારો અને સંગઠનની બેઠકમાં પરશોત્તમ રૂપાલાના વિવાદી નિવેદનનો ઉલ્લેખ થયો છે. શક્તિસિંહ ગોહિલે રૂપાલાના નિવેદનને મહારાજાઓનુ અપમાન ગણાવ્યુ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે પણ જણાવ્યુ હતુ કે રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે.

રાજ્યમાં જ્ઞાનશક્તિ સહિતના પ્રોજેક્ટ હેઠળ CET અને સ્કોલરશિપની યોજાઈ પરીક્ષા, 13.14 લાખ વિદ્યાર્થીઓએ લીધો ભાગ

રાજ્યમાં જ્ઞાનશક્તિ સહિતના પ્રોજેક્ટ હેઠળ CET અને સ્કોલરશિપની યોજાઈ પરીક્ષા, 13.14 લાખ વિદ્યાર્થીઓએ લીધો ભાગ

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની જાહેર પરીક્ષા યોજાઈ. 6 હજારથી 25 હજાર સુધીની સ્કોલરશીપ આપતી આ જાહેર પરીક્ષા રાજ્યભરના ધોરણ પાંચ પૂર્ણ કરેલ અને ધોરણ 8 પૂર્ણ કરેલ 12 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુરિઝમ પેકેજ જારી કર્યા, વિશ્વભરના પ્રવાસીઓને ચૂંટણીના પર્વથી કરાશે અવગત- વીડિયો

અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુરિઝમ પેકેજ જારી કર્યા, વિશ્વભરના પ્રવાસીઓને ચૂંટણીના પર્વથી કરાશે અવગત- વીડિયો

અમદાવાદના એક ટ્રાવેલ્સ ગૃપે આ વખતે લોકશાહીના સૌથી મોટા ચૂંટણી પર્વને ધ્યાને રાખી ઈલેક્શન સ્પેશ્યિલ એવા 12 ટુર પેકેજ જારી કર્યા છે. આ ટુર પેકેજમાં ભારતના પ્રવાસન સ્થળોની ટુરની સાથે વિશ્વભરના પ્રવાસીઓને ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરાશે. ચૂંટણીના ઉમેદવારો સાથે ડીનર તેમજ મુલાકાતનો પણ તેમને મોકો મળશે.

Breaking News : રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ,અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો કર્યો હતો ઇનકાર

Breaking News : રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ,અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો કર્યો હતો ઇનકાર

લોકસભા ચૂંટણીની ઘોષણા થઇ ગયા બાદ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યુ હતુ. જો કે બાદમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણીનું મેદાન છોડ્યું હોવાનું કારણ આગળ ધર્યુ હતુ. જો કે હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ આપી દેતા કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો મળ્યો છે.

મારામારીની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીએ સુરક્ષામાં કર્યો વધારો, 70થી વધુ એક્સ આર્મીમેન કરાયા તૈનાત

મારામારીની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીએ સુરક્ષામાં કર્યો વધારો, 70થી વધુ એક્સ આર્મીમેન કરાયા તૈનાત

ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરાયો છે. 70થી વધુ પૂર્વ આર્મીમેનને સુરક્ષામાં તૈનાત કર્યા છે. યુનિવર્સિટીની દરેક હોસ્ટેલ બહાર 2 અને મહત્વના સ્થળોએ 5-5 સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે. સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ બહાર પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા, ધી ગામ્બિયા હાઈકમિશનની ટીમે ગુજરાત યુનિ.ની મુલાકાત લીધી

ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા, ધી ગામ્બિયા હાઈકમિશનની ટીમે ગુજરાત યુનિ.ની મુલાકાત લીધી

ગુજરાત યુનિવર્સીટીની વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં શનિવારે રાત્રે નમાઝ અદા કરી રહેલ વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીની ઘટનાના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા છે. ઘટના બન્યાના ત્રીજા જ દિવસે ઘી ગામ્બિયા હાઈકમિશનની ટીમ તેમના દેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ નિરીક્ષણ અને બેઠક માટે પહોંચી હતી

g clip-path="url(#clip0_868_265)">