AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે. તેનું મૂલ્ય આશરે 17 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો મુખ્ય બિઝનેસ ઓઈલ અને ગેસ સેક્ટરમાં છે. પરંતુ હવે રિલાયન્સ લગભગ દરેક ક્ષેત્રમાં પ્રસરી ચૂકી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વર્તમાન ચેરમેન મુકેશ અંબાણી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મુખ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સમગ્ર ભારતમાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, નેચરલ રિસોર્સિસ, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. રિલાયન્સ ભારતની સૌથી નફાકારક કંપનીઓમાંની એક છે.

સમગ્ર દેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લાખો કર્મચારીઓ કામ કરે છે. તે દેશની દસમી સૌથી મોટી રોજગાર આપતી કંપની પણ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હાલમાં 2023ની ફોર્ચ્યુન લિસ્ટમાં 88મા ક્રમે છે. આ “વિશ્વની સૌથી મોટી કંપનીઓ”ની વૈશ્વિક 500 યાદી છે. રિલાયન્સ હાલમાં ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની છે.

 

Read More

રોકાણકારોની કમાણી, મુકેશ અંબાણીની કંપની સાથે ડીલ બાદ આ સરકારી કંપનીના શેરમાં ભારે ઉછાળો, જાણો

ONGC અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે પૂર્વ કિનારાના ઊંડા પાણીના વિસ્તારોમાં તેલ અને ગેસ સંશોધન માટે મોટો કરાર થયો છે. આ કરારને કારણે ONGCના શેરમાં 8%નો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

Stock Market : 1,800 રૂપિયાને પાર ! અંબાણી ગ્રુપના શેરમાં મોટી તેજીના એંધાણ, રોકાણકારોની ચાંદી જ ચાંદી

અંબાણી ગ્રુપનો આ શેર ટૂંક સમયમાં 1800 રૂપિયાની સપાટીને પાર કરી શકે છે. સરળ રીતે સમજીએ તો, મુકેશ અંબાણીની આ કંપનીના શેર્સમાં રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળી શકે છે.

Breaking News : મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 16 કંપનીઓનું કર્યું Merger, જાણો વિગત

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે 16 પેટાકંપનીઓનું વિલીનીકરણ કર્યું છે, જે તેની ગ્રીન એનર્જી વ્યૂહરચનાને મજબૂત બનાવે છે.

Breaking News : રશિયન તેલ જહાજો ભારત તરફ, અધવચ્ચે જ અંબાણીએ કરી નાખ્યો ખેલ, ગુજરાતની રિફાઇનરીને થશે ફાયદો! જાણો

એક મહિનાના વિરામ બાદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફરી રશિયન ક્રૂડ ઓઇલની આયાત શરૂ કરી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર ફેબ્રુઆરી-માર્ચમાં ટેન્કરો ગુજરાતના જામનગર પહોંચશે.

Breaking News: મુકેશ અંબાણીની કંપની Jioના IPOને લઈને મોટા સમાચાર, આ તારીખે થશે લોન્ચ

Reliance Jio IPO: અહેવાલો અનુસાર, જિયો પ્લેટફોર્મ્સે તેના IPO માટે મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સૅક્સને લીડ બેન્કર્સ તરીકે પસંદ કર્યા છે, જેનું અંદાજિત મૂલ્યાંકન $133 થી $182 અબજ ડોલરની વચ્ચે છે.

Breaking News: Blinkit-Swiggy જે ના કરી શક્યુ તે કમાલ કરી બતાયો મુકેશ અંબાણીએ, ક્વિક કોમર્સ બિઝનેસમાં કર્યો કારનામો

રિલાયન્સે ક્વિક કોમર્સની રેસ જીતી લીધી છે. કંપનીનો દાવો છે કે તેનો 10-મિનિટ ડિલિવરી બિઝનેસ અને FMCG બિઝનેસ હવે નફાકારક છે. જ્યારે સ્વિગી અને બ્લિંકિટ જેવી કંપનીઓ હજુ પણ નુકસાનનો સામનો કરી રહી છે

Breaking News: 731666404000… આ કોઈ નંબર નથી ‘રકમ’ છે ! મુકેશ અંબાણીને 7.3 લાખ કરોડનું નુકસાન થયું, રિલાયન્સના શેરને લઈને રોકાણકારોની ચિંતા વધી

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરના દિવસોમાં તેમની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ મોટા ઘટાડાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ખાસ અસર જોવા મળી શકે છે.

Breaking news : મુકેશ અંબાણી ખરીદશે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ! અમેરિકા સાથેની વાતચીતથી ગુજરાતની રિફાઇનરીને ફાયદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રશિયન તેલ આયાત ઘટાડવા અમેરિકાના દબાણ વચ્ચે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ફરી ખરીદવા માંગે છે. કંપની આ માટે અમેરિકાની મંજૂરી મેળવવા પ્રયાસ કરી રહી છે.

Breaking News : ટૂંક સમયમાં લોન્ચ થશે મુકેશ અંબાણીની Jio કંપનીનો IPO, અહીં જાણો A ટુ Z માહિતી

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ ટૂંક સમયમાં IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિલાયન્સ જિયો જૂન 2026 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની યોજના ધરાવે છે. અંદાજ મુજબ, કંપની દ્વારા માત્ર 2.5 ટકા હિસ્સો વેચીને આશરે 4 અબજ ડોલર એકત્ર કરી શકાય છે, જે ભારતીય શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે.

વેનેઝુએલા તેલ સંકટ…. ભારત માટે સુવર્ણ તક, ગુજરાતની રિફાઇનરીને શું થશે ફાયદો ? જાણો

વેનેઝુએલાની વધતી તેલ કટોકટી અને યુએસ પ્રભાવ ભારત માટે મહત્ત્વની તક છે. આનાથી ભારત તેના $1 અબજ ડોલરના બાકી ભંડોળને મુક્ત કરી શકે છે.

Reliance: રિલાયન્સનો શેર 2032 સુધીમાં 10 ગણુ વળતર આપી શકે છે, માર્કેટ એક્સપર્ટ સુશીલ કેડિયાનો દાવો

સુશીલ કેડિયાનો સૌથી આશ્ચર્યજનક અને આશ્ચર્યજનક દાવો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ ખુબ જ વધી શકે છે. તેમનું કહેવું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક 2030 સુધીમાં 10 ગણું વળતર આપી શકે છે.

મુકેશ અંબાણીએ વધાર્યું જગત જમાદાર ટ્રમ્પનું ટેન્શન, ગુજરાતની રિફાઇનરી સાથે છે કનેક્શન, જાણો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડિસ્કાઉન્ટેડ દરે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી ફરી શરૂ કરી છે. કંપની હવે એવા રશિયન સપ્લાયર્સ પાસેથી તેલ આયાત કરી રહી છે, જે અમેરિકા અને યુરોપના પ્રતિબંધોની જપટમાં નથી. આ શિપમેન્ટ ગુજરાતના જામનગર સ્થિત વિશ્વની સૌથી મોટી રિફાઇનરીમાં મોકલવામાં આવી રહી છે. આ પગલાથી આ મહિને ભારતની રશિયન તેલ આયાતમાં થનારા ઘટાડાને મર્યાદિત રાખવામાં મદદ મળશે.

મુકેશ અંબાણીના રિલાયન્સના શેરમાં આટલો મોટો ઉછાળો.. શું હવે આવી ગયો નફો બુક કરવાનો સમય ?

2025માં રિલાયન્સ શેરે 28% વૃદ્ધિ સાથે રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે, જે Jio અને રિટેલ બિઝનેસની મજબૂત કામગીરીને આભારી છે. શેર સર્વકાલીન ઊંચાઈ નજીક પહોંચ્યો છે.

Reliance : મુકેશ અંબાણીની આ કંપનીના શેર બનશે ‘રોકેટ’! મોર્ગન સ્ટેન્લીએ કરી મોટી ભવિષ્યવાણી

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના શેરોને લઈને એક અગ્રણી આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ કંપનીએ મહત્વપૂર્ણ દાવો કર્યો છે. અહેવાલ મુજબ, આગામી વર્ષોમાં કંપનીના વિવિધ વ્યવસાયોમાં કમાણીમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે.

Lionel Messi : જામનગરનો મહેમાન બન્યો મેસ્સી, અનંત અંબાણીના વનતારાની લીધી મુલાકાત, જુઓ વીડિયો

લિયોનેલ મેસ્સી તેમના ભારત પ્રવાસને જામનગર સુધી લંબાવવાની યોજના કરી હતી. નવી દિલ્હીમાં GOAT ઇન્ડિયા ટૂર 2025 પૂર્ણ કર્યા પછી તેઓ અનંત અંબાણીના વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી.

g clip-path="url(#clip0_868_265)">