રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે. તેનું મૂલ્ય આશરે 17 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો મુખ્ય બિઝનેસ ઓઈલ અને ગેસ સેક્ટરમાં છે. પરંતુ હવે રિલાયન્સ લગભગ દરેક ક્ષેત્રમાં પ્રસરી ચૂકી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વર્તમાન ચેરમેન મુકેશ અંબાણી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મુખ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સમગ્ર ભારતમાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, નેચરલ રિસોર્સિસ, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. રિલાયન્સ ભારતની સૌથી નફાકારક કંપનીઓમાંની એક છે.
સમગ્ર દેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લાખો કર્મચારીઓ કામ કરે છે. તે દેશની દસમી સૌથી મોટી રોજગાર આપતી કંપની પણ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હાલમાં 2023ની ફોર્ચ્યુન લિસ્ટમાં 88મા ક્રમે છે. આ “વિશ્વની સૌથી મોટી કંપનીઓ”ની વૈશ્વિક 500 યાદી છે. રિલાયન્સ હાલમાં ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની છે.
Breaking News: ભારતના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સાથે જોડાયેલી ફાઇલો ગાયબ ! દાવો- સીક્રેટ માહિતી ડાર્ક વેબ પર પોસ્ટ
કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ભારતના સાત પરમાણુ પ્લાન્ટ્સમાં સૌથી મોટો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશની પરમાણુ ઉર્જા ક્ષમતા વધારવાની યોજનાનો એક અત્યંત મહત્વનો ભાગ છે.
- Sachin Agrawal
- Updated on: Jul 15, 2026
- 6:02 pm
રિલાયન્સનો મોટો દાવ! ભારતના સૌથી મોટા IPO પહેલાં Jio Platformsમાં મોટો ફેરફાર
જિયો પ્લેટફોર્મ્સે પંકજ પવારને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. આ ફેરફાર કંપનીના પ્રસ્તાવિત ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) પહેલા કરવામાં આવ્યો છે. કંપની આ IPO દ્વારા આશરે 4 અબજ અમેરિકી ડોલર એકત્રિત કરવાની યોજના ધરાવે છે. જિયો પ્લેટફોર્મ્સ તેના ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ બિઝનેસમાંથી વધુ મૂલ્ય મેળવવા માંગે છે. આ IPO ભારતના ઇતિહાસનું સૌથી મોટું IPO બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 14, 2026
- 8:32 am
Breaking News: અનિલ અંબાણી ગ્રુપની વધુ ₹1,021 કરોડની સંપત્તિ જપ્ત, કુલ આંકડો ₹20,000 કરોડને પાર
મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) 'રિલાયન્સ' અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. હોમ ફાઇનાન્સ અને કોમર્શિયલ ફાઇનાન્સ કંપનીઓ સાથે જોડાયેલા કથિત બેંક ફંડ ડાયવર્ઝન મામલે એજન્સીએ ગ્રુપની વધુ 1,021 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ નવી કાર્યવાહી સાથે જ અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી કુલ સંપત્તિનો આંકડો 20,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે.
- Ravi Prajapati
- Updated on: Jul 11, 2026
- 9:11 pm
રિલાયન્સની કંપનીને મોટી સફળતા: લોહીની તપાસથી શરૂઆતી કેન્સર ઓળખવાની ટેકનિકને મળી ભારતીય પેટન્ટ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સેસને એક સામાન્ય બ્લડ ટેસ્ટ દ્વારા શરૂઆતના સ્ટેજમાં જ કેન્સર શોધી કાઢતી એડવાન્સ ટેકનિક માટે ભારતીય પેટન્ટ મળ્યો છે. AI આધારિત આ પ્લેટફોર્મની મદદથી માત્ર એક બ્લડ સેમ્પલ દ્વારા કેન્સર શરીરના કયા ભાગમાંથી શરૂ થયું છે તેની પણ સચોટ માહિતી મેળવી શકાશે.
- Sachin Agrawal
- Updated on: Jul 9, 2026
- 4:39 pm
Breaking News: અંબાણીની Reliance કંપની સહિત 6 મોટી એનર્જી ડ્રિંક બ્રાન્ડ્સને ‘નોટિસ’, Red Bull અને Monster પણ મુશ્કેલીમાં
આજકાલ આપણા દેશમાં યુવાનો વચ્ચે એનર્જી ડ્રિંક્સ પીવાનું ચલણ ખૂબ વધી ગયું છે. એવામાં સવાલ એ છે કે, શું આ ડ્રિંક્સ ખરેખર સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે, જેટલા તે દેખાય છે? તાજેતરમાં ફૂડ સેફ્ટી વિભાગ એટલે કે FSSAI એ દેશની 6 મોટી એનર્જી ડ્રિંક બ્રાન્ડ્સને એક નોટિસ મોકલી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 3, 2026
- 2:43 pm
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજીના ચરણોમાં ઝુકાવ્યુ શિશ, મંદિર પરંપરાને અનુસરતા મુંડન કરાવી કર્યુ કેશ દાન
અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી તેમની સેવાકીય પ્રવૃતિઓ અને ધાર્મિક આસ્થા માટે જાણીતા છે. આજ આસ્થાને અનુસરતા અનંત અંબાણીએ તિરુપતિ બાલાજીના ચરણે પહોંચ્યા અને તેમણે પરંપરા અનુસાર મુંડન કરાવી કેશદાન કર્યુ સાથે જ મંદિર ટ્રસ્ટ ને 27.5 કરોડ રૂપિયાની ભેટ આપી.
- TV9 Gujarati
- Updated on: Jun 28, 2026
- 7:40 pm
Jio EV Charger: Jio લાવ્યું સ્માર્ટ ચાર્જર, EV ને કરશે ફાસ્ટ ચાર્જ, જાણો ફાયદા
Jioએ JioEV Aries 7.4kW Pro સ્માર્ટ ચાર્જર લોન્ચ કર્યું છે, જે 4G, Wi-Fi અને RFID સુરક્ષા સાથે આવે છે. આ ચાર્જર Jio TruePower એપ દ્વારા રીમોટલી મેનેજ કરી શકાય છે અને મોટાભાગના ભારતીય EV સાથે સુસંગત છે.
- Sagar Solanki
- Updated on: Jun 22, 2026
- 9:09 pm
Breaking News : મુકેશ અંબાણીની એક જાહેરાતથી રિલાયન્સને મોટો ફાયદો, માર્કેટ કેપ ₹18 લાખ કરોડને પાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ₹18 લાખ કરોડને પાર કરી ગયું છે. જિયો પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત IPO અને મુકેશ અંબાણીની AGM માં નવી વ્યાપાર યોજનાઓની જાહેરાતને કારણે શેરમાં જોરદાર તેજી જોવા મળી.
- Sagar Solanki
- Updated on: Jun 22, 2026
- 5:07 pm
6G નેટવર્ક: ભારતમાં ક્યારે આવશે 6G? રિલાયન્સ AGMમાં આકાશ અંબાણીએ લોન્ચ ટાઇમલાઇનને લઈને આપ્યું આ મોટું અપડેટ
રિલાયન્સ જીયોએ 49મી AGMમાં 6G નેટવર્ક, AI અને LEO સેટેલાઇટ ઇન્ટરનેટને લઈને મોટા સંકેતો આપ્યા છે. જાણો દેશમાં ક્યારથી શરૂ થશે 6G સેવાઓ.
- Sachin Agrawal
- Updated on: Jun 20, 2026
- 8:52 pm
Jio IPO: નફાથી આવક સુધી, મુકેશ અંબાણીની Jio પાસે કેટલા કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે? જાણો A ટુ Z માહિતી
રિલાયન્સની Jio Platforms IPO માટે DRHP દાખલ કરી છે, જેનો હેતુ દેવું ઘટાડવા અને ભવિષ્યના વિકાસ માટે ભંડોળ એકત્ર કરવાનો છે.
- Sagar Solanki
- Updated on: Jun 19, 2026
- 11:50 pm
જે ધાર્યું હતું તે જ થયું… Jioના IPOએ લોન્ચ પહેલા જ માર્કેટ ગરમ કર્યું; પ્રાઇસ બેન્ડથી લઈને બધું જ, જાણો અંદરની વાત
Jio એ તેના IPO માટે ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કરી દીધા છે અને લોન્ચ પહેલા જ શેરબજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં જો તમે પણ રિલાયન્સના રોકાણકાર છો, તો પ્રાઇસ બેન્ડથી લઈને વેલ્યુએશન સુધીની આ અંદરની વાત તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે.
- Ravi Prajapati
- Updated on: Jun 20, 2026
- 12:46 pm
Breaking News : શું Jio ફરી ઇતિહાસ દોહરાવશે ? 27 કરોડ નવા શેરની ચર્ચા વચ્ચે રિલાયન્સના રોકાણકારોને કેટલા શેર મળવાની છે સંભાવના?
રિલાયન્સમાંથી જિઓનો નવો આઈપીઓ અથવા ડી-મર્જર આવવાની વાતો વચ્ચે રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. આવામાં દરેકના મનમાં એક જ સવાલ છે કે આપણને જિઓના કેટલા શેર મળશે? શું જિઓ ફાઇનાન્સની જેમ મફત શેર મળવાની કોઈ શક્યતા છે?
- Ravi Prajapati
- Updated on: Jun 19, 2026
- 3:52 pm
દરેક શેર પર ₹ 480 નફો ! મુકેશ અંબાણીની કંપની પર બ્રોકરેજનો ‘મોટો દાવ’, આ શેર ખરીદવા રોકાણકારોની ‘પડાપડી’
મુકેશ અંબાણીની દિગ્ગજ કંપની ફરી એકવાર ગ્લોબલ બ્રોકરેજ હાઉસની ફેવરિટ લિસ્ટમાં આવી ગઈ છે. અગ્રણી ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ આ સ્ટોક પર પોતાનો મજબૂત ભરોસો જાળવી રાખીને 'Overweight' રેટિંગ આપ્યું છે અને વર્તમાન ભાવથી આશરે 36% થી વધુના ઉછાળાનો અંદાજ લગાવ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jun 1, 2026
- 8:38 pm
ગુજરાતની ધરતી નીચે કંઈક મોટું થવાની તૈયારી ! અંબાણીએ સરકારી કંપની સાથે મિલાવ્યો હાથ, હવે જમીનની અંદર શરૂ થશે ‘અસલી ખેલ’
કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે, ગુજરાતની જમીનની નીચે એક એવું રહસ્ય છુપાયેલું છે કે, જે ભારતનું ભાગ્ય બદલી શકે છે. આ કોઈ સામાન્ય યોજના નથી પરંતુ દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ અને સરકારી કંપની વચ્ચેનો એક માસ્ટરપ્લાન છે, જે વિદેશ પર ભારતની નિર્ભરતાને કાયમ માટે ખતમ કરી દેશે.
- Ravi Prajapati
- Updated on: Jun 5, 2026
- 1:18 pm
Jamnagar Breaking News: રિલાયન્સનું મેગા ગિફ્ટ! જામનગરના ગ્રીન એનર્જી પ્રોજેક્ટથી 2 લાખ નવી નોકરીઓની આશા
ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ગ્રુપના ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં 200,000 થી વધુ નવી નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માં 100,000 થી વધુ લોકોને ભરતી કરી.
- Meera Kansagara
- Updated on: May 30, 2026
- 9:21 am