રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે. તેનું મૂલ્ય આશરે 17 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો મુખ્ય બિઝનેસ ઓઈલ અને ગેસ સેક્ટરમાં છે. પરંતુ હવે રિલાયન્સ લગભગ દરેક ક્ષેત્રમાં પ્રસરી ચૂકી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વર્તમાન ચેરમેન મુકેશ અંબાણી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મુખ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સમગ્ર ભારતમાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, નેચરલ રિસોર્સિસ, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. રિલાયન્સ ભારતની સૌથી નફાકારક કંપનીઓમાંની એક છે.
સમગ્ર દેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લાખો કર્મચારીઓ કામ કરે છે. તે દેશની દસમી સૌથી મોટી રોજગાર આપતી કંપની પણ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હાલમાં 2023ની ફોર્ચ્યુન લિસ્ટમાં 88મા ક્રમે છે. આ “વિશ્વની સૌથી મોટી કંપનીઓ”ની વૈશ્વિક 500 યાદી છે. રિલાયન્સ હાલમાં ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની છે.
Breaking News: મુકેશ અંબાણીની કંપનીનો આ શેર 52 સપ્તાહના હાઈ પર પહોંચ્યો, જેફરીઝએ કહ્યું ખરીદી લો હજુ વધશે
બ્રોકરેજ હાઉસે 2026 માં કંપનીના તમામ મુખ્ય વ્યવસાયિક ક્ષેત્રો અને ઘણા અપેક્ષિત ઉત્પ્રેરકોમાં મજબૂત ગતિનો ઉલ્લેખ કર્યો. આજે, RILનો શેર સમાચાર લખતા સુધી ₹1,580 પર 1.1 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો છે.
- Devankashi rana
- Updated on: Nov 28, 2025
- 1:14 pm
મુકેશ અંબાણીએ 44 લાખ રોકાણકારોને કરાવી દીધી મોજ, જાણો એવું તો શું કર્યું..
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા 11 મહિનામાં ₹4.4 લાખ કરોડ માર્કેટ વેલ્યુ ઉમેરી, 4.4 મિલિયન રોકાણકારોને મોટો ફાયદો થયો.
- Sagar Solanki
- Updated on: Nov 24, 2025
- 4:26 pm
રિલાયન્સનો મોટો નિર્ણય : EU પ્રતિબંધોના પગલે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહી ખરીદે
અમેરિકા રશિયાનું ક્રૂડ ઓઈલ ન ખરીદવા માટે ભારત પર વારંવાર દબાણ કરી રહ્યું હતું. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં આવતા 1.7 થી 1.8 મિલિયન બેરલ ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઈલનો લગભગ અડધો ભાગ ખરીદતી હતી. જોકે, યુરોપિયન યુનિયન (EU) દ્વારા રશિયાને નિશાન બનાવીને અનેક પ્રતિબંધો લાદવામાં આવતાં, રિલાયન્સ કંપનીએ રશિયન ક્રૂડ ઓઈલની આયાત બંધ કરી દીધી છે.
- Sachin Agrawal
- Updated on: Nov 21, 2025
- 7:31 pm
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામે ગંભીર આરોપ, ONGC ગેસ ચોરી કેસમાં હાઇકોર્ટે માંગ્યો જવાબ, જાણો મામલો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર ONGC કુવાઓમાંથી $1.55 બિલિયનના ગેસની ચોરી કરવાનો આરોપ છે. 4 નવેમ્બરના રોજ, મુકેશ અંબાણી સામે તપાસની માંગ કરતી અરજી પર CBI અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરવામાં આવી હતી.
- Sagar Solanki
- Updated on: Nov 13, 2025
- 9:06 pm
મુકેશ અંબાણીનું મોટું પગલું, ફેસબુક સાથે કર્યો કરાર, AI ક્ષેત્રમાં સાથે મળીને કરશે કામ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફેસબુક ઓવરસીઝની પેટાકંપની મેટા સાથે સંયુક્ત સાહસમાં રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ લિમિટેડ (REIL) ની રચના કરી છે. રિલાયન્સ 70% હિસ્સો અને ફેસબુક 30% હિસ્સો ધરાવશે.
- Sagar Solanki
- Updated on: Oct 25, 2025
- 5:35 pm
Reliance : દિવાળી પહેલા મુકેશ અંબાણી માલામાલ, રિલાયન્સે કર્યો કરોડોનો નફો, જાણો વિગત
રિલાયન્સની કુલ આવક ₹2,83,548 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ₹2,58,027 કરોડથી 9.9% વધુ છે.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2025
- 9:07 pm
મુકેશ અંબાણીએ ખોલ્યો ખજાનો, આ મંદિરોને કર્યું અઢળક સંપત્તિનું દાન, જાણો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિર સમિતિને ₹10 કરોડનું દાન આપ્યું. અંબાણી પરિવાર વારંવાર કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લે છે.
- Sagar Solanki
- Updated on: Oct 11, 2025
- 7:59 pm
એશિયાનો સૌથી મોટો ફુડ પાર્ક બનાવશે મુકેશ અંબાણી, સરકાર સાથે 40 હજાર કરોડના કર્યા MOU
દેશની સૌથી મોટી અને મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ખાદ્ય ક્ષેત્રમાં એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. તેની પેટાકંપની RCPL એ દેશમાં ખાદ્ય ઉત્પાદન એકમો સ્થાપવા માટે સરકાર સાથે ₹40,000 કરોડના MoU પર હસ્તાક્ષર કર્યા છે.
- Mina Pandya
- Updated on: Sep 26, 2025
- 7:51 pm
Reliance : મુકેશ અંબાણીની મેગા ડીલ, આ કામ માટે કર્યા રૂપિયા 40,000 કરોડના કરાર
રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીએ એશિયાના સૌથી મોટા અને સૌથી આધુનિક ફૂડ પાર્કના નિર્માણ અંગે ચર્ચા કરી. હવે, રિલાયન્સ કન્ઝ્યુમરે ફૂડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય સાથે ₹40,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
- Sagar Solanki
- Updated on: Sep 25, 2025
- 5:03 pm
Reliance Group: મુકેશ અંબાણીની કંપનીઓએ ભેગા કર્યા 210000000000 રૂપિયા, ક્યાંથી અને શા માટે મળી આટલી મોટી રકમ ?
Reliance Group Raised Fund: મુકેશ અંબાણીની કંપનીઓએ એસેટ-બેક્ડ સિક્યોરિટીઝ વેચીને નોંધપાત્ર રકમ એકત્ર કરી છે. આ રકમનો નોંધપાત્ર હિસ્સો દેશના અગ્રણી એસેટ મેનેજરો દ્વારા ખરીદવામાં આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Sep 20, 2025
- 5:04 pm
Reliance IPO : મુકેશ અંબાણી ઇતિહાસ રચવાની તૈયારીમાં, Jio બાદ બીજી કંપનીનો IPO લોન્ચ કરશે..
રિલાયન્સ ગ્રુપ મોટા IPO ની સીરિઝ શરૂ થાય તેવો માહોલ છે. જેનાથી ભારતીય ઇક્વિટી બજારમાં રોકાણકારો માટે મોટી તકો ઉભી થશે. નોંધનીય છે કે તાજેતરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ AGM માં, મુકેશ અંબાણીએ આવતા વર્ષે રિલાયન્સ Jio ના IPO લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
- Sagar Solanki
- Updated on: Sep 18, 2025
- 4:01 pm
સુપ્રીમ કોર્ટે જામનગરના વનતારાને આપી ક્લીનચીટ, હરિશ સાલ્વેએ કહ્યું-શિકારને મંજૂરી આપતા દેશ દ્વારા વાંધો ઉઠાવાયો
ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બનેલ ખાનગી અભ્યારણ વનતારામાં હાથીઓને ટ્રાન્સફર કરવા સામે કરાયેલ પીઆઈએલ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો સમગ્ર પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય તો તેમાં કોઈ ભૂલ નથી. સુપ્રીમ કોર્ટે એસઆઈટીના અહેવાલનો સ્વીકાર કર્યો જેમાં જણાવાયું છે કે, વનતારાએ બધા નિયમોનું પાલન કર્યું છે.
- TV9 Gujarati
- Updated on: Sep 15, 2025
- 9:26 pm
Richest Heir : કોણ બનશે 125 લાખ કરોડ રૂપિયાના વારસદાર ? આ લોકો અંબાણીથી લઈને અદાણી સુધીનો વારસો સંભાળશે
ભારતના મોટા કોર્પોરેટ ગૃહો હવે તેમના પરિવારનો વારસો આગામી પેઢીને સોંપી રહ્યા છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આવનારી પેઢી ફક્ત વારસાના માલિક જ નહીં, પરંતુ તેને ચલાવવા અને વધારવાની જવાબદારી પણ તેમની પાસે રહેશે. ચાલો જાણીએ કે હવે ભારતની મોટી કંપનીઓના વારસદાર કોણ હશે.
- Sagar Solanki
- Updated on: Sep 12, 2025
- 4:29 pm
પંજાબની મદદ માટે આગળ આવ્યો Reliance પરિવાર, 10 પોઈન્ટ એક્શન પ્લાન દ્વારા પહોંચાડવામાં આવી રહી છે મદદ
પંજાબમાં આવેલા વિનાશક પૂરછી જનજીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે અને તેમના માટે રોજિંદા ભોજનની વ્યવસ્થા કરવી પણ એક પડકાર બની ગઈ છે. આ મુશ્કેલ સમયમાં, રિલાયન્સ પરિવાર મદદ માટે આગળ આવ્યો છે અને 10 પોઈન્ટ એક્શન પ્લાન દ્વારા અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.
- Mina Pandya
- Updated on: Sep 11, 2025
- 9:14 pm
Jio અને Allianz એ કરી ભાગીદારી, દેશમાં નવી શરૂ થશે રિઇન્શ્યોરન્સ કંપની; બન્નેનો 50:50 હિસ્સો
Jio Financial Services અને જર્મનીની Allianz એ ભારતમાં રિઇન્શ્યોરન્સ વ્યવસાય માટે એક નવું સંયુક્ત સાહસ બનાવ્યું છે. નવી કંપનીનું નામ Allianz Jio Reinsurance Limited રાખવામાં આવ્યું છે. બંને કંપની વચ્ચેનો હિસ્સો 50-50 ટકા રહેશે અને પ્રારંભિક રોકાણ રૂ. 2.50 લાખ કરવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Sep 10, 2025
- 2:52 pm