AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંબાણી પર આભ ફાટ્યું! 17 માળનો આલીશાન મહેલ હવે કાયદાના સકંજામાં, EDની ચોંકાવનારી કાર્યવાહી

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી માટે મોટી મુશ્કેલી આવી છે. EDએ મની લોન્ડરિંગના કેસમાં મુંબઈમાં આવેલું તેમનું 17 માળનું આલીશાન ઘર 'અબોડ' સીઝ (જપ્ત) કર્યું છે.

Breaking News : અંબાણી પર આભ ફાટ્યું! 17 માળનો આલીશાન મહેલ હવે કાયદાના સકંજામાં, EDની ચોંકાવનારી કાર્યવાહી
| Updated on: Feb 25, 2026 | 7:05 PM
Share

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બુધવારે એક અત્યંત ચોંકાવનારી કાર્યવાહી કરતા મુંબઈમાં આવેલા અંબાણીના આલીશાન ઘર ‘અબોડ’ (Abode) ને ટાંચમાં લીધું (સીઝ કર્યું) છે. મની લોન્ડરિંગ વિરોધી ચાલી રહેલી આ મોટી તપાસ હેઠળ હવે અંબાણીનો આ સપનાનો મહેલ કાયદાકીય સકંજામાં આવી ગયો છે.

મિલકતની કુલ કિંમત ₹3716.83 કરોડ

અનિલ અંબાણીનો આ બંગલો મુંબઈના સૌથી પોશ વિસ્તાર પાલી હિલમાં આવેલો છે અને તેની ગણતરી ભારતના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. આ ઇમારત 66 મીટર ઊંચી છે અને તેમાં કુલ 17 માળ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલી આ મિલકતની કુલ કિંમત ₹3716.83 કરોડ આંકવામાં આવી છે. આ બંગલો મુંબઈના હાઈ-પ્રોફાઇલ પાલી હિલ વિસ્તારમાં તેની ભવ્યતા માટે જાણીતો છે.

આ સમગ્ર કાર્યવાહી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) દ્વારા કરવામાં આવેલી કથિત બેંક છેતરપિંડીના કેસ સાથે જોડાયેલી છે. EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કરીને આ બહુમાળી બિલ્ડિંગને એટેચ કરી છે.

બેંક ‘છેતરપિંડી’ કેસમાં મોટી એક્શન

એજન્સીનો આરોપ છે કે, કંપની દ્વારા બેંકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને તે નાણાંનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો હતો. તાજેતરના આદેશ પછી, આ કેસમાં અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિની કિંમત લગભગ ₹15,700 કરોડ સુધી પહોંચી ગઈ છે.

અનિલ અંબાણી (66 વર્ષ) ને ટૂંક સમયમાં કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડી શકે છે. અગાઉ ઓગસ્ટ 2025 માં પણ અનિલ અંબાણી ED સમક્ષ હાજર થયા હતા. તે સમયે PMLA હેઠળ તેમનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું. હવે તપાસના બીજા તબક્કામાં તેમની બેંક છેતરપિંડી અને મિલકત સંબંધિત કડક પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.

મુશ્કેલીમાં અનિલ અંબાણી

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લાંબા સમયથી દેવાના સંકટ અને કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહી છે. એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક અનિલ અંબાણી માટે પોતાના ઘરની જપ્તી એ મોટો વ્યક્તિગત અને વ્યાવસાયિક ફટકો માનવામાં આવે છે.

Stock Market : રિલાયન્સના એક શેર પર ₹400 કમાવાની તક, એનાલિસ્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">