કર્ણાટક

કર્ણાટક

કર્ણાટક દક્ષિણ-ભારતના પાંચ રાજ્યોમાંનું એક છે. તેનું પાટનગર બૅંગલોર છે. આ રાજ્યની મુખ્ય ભાષા કન્નડ છે. કર્ણાટક રાજ્યમાં કુલ 27 જિલ્લાઓ છે. 1970 સુધી આ રાજ્ય મૈસુર રાજ્યના નામે ઓળખાતું હતું, પણ તે પછી તેમાં અસલ મૈસુર રાજ્ય ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી ભેગા કરાયેલા કન્નડ બોલીની બહુમતી વાળા પ્રદેશોનો ઉમેરો કરાયો હતો અને કર્ણાટક રાજ્યની રચના થઇ હતી.

કર્ણાટકનો કુલ વિસ્તાર 1,91,44,621 હેક્ટર છે. 8,71,698 હેક્ટર ન ખેડી શકાય તેવી વેરાન જમીન છે. ખેતી સિવાય અન્ય ઉપયોગમાં લેવાયેલી જમીન 5 % જેટલી છે. ખેતી માટેની જમીન 8 % છે. ખેતી સિવાય અન્ય વૃક્ષોવાળી જમીન 2 % છે. કુલ જમીનના લગભગ 53 %થી 55 % વિસ્તારમાં ખેતી થાય છે.

આ રાજ્યની કુલ વસ્તીના 56 ટકા લોકો ખેતી-પ્રવૃત્તિમાં રોકાયેલા છે. મુખ્ય ખેતીકીય પાકોમાં ડાંગર, જુવાર, રાગી, મકાઈ, બાજરી, ઘઉં, કઠોળ, મગફળી, સૂર્યમુખી, કપાસ, શેરડી અને તમાકુ છે. ભારતના ખાદ્ય પાકોના કુલ ઉત્પાદનમાં આ રાજ્યનો ફાળો 5.59 ટકા છે. બૅંગલોર કર્ણાટકની રાજધાની છે. આ સિવાય મૅંગલોર, કારવાર, બેલગામ, ધારવાડ, બિજાપુર, ગુલબર્ગ, કોલર, મૈસૂર, રાયચુર, બેલારી વગેરે મોટાં શહેરો આવેલાં છે.

Read More

7 મેના રોજ 93 બેઠકો પર મતદાન, અમિત શાહ, સિંધિયા, શિવરાજ સહિત અનેક દિગ્ગજોની શાખ દાવ પર

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સહિત અનેક હસ્તીઓની શાખ દાવ પર છે.

કોંગ્રેસની મુઘલ વિચારસરણી… ઔરંગઝેબના અત્યાચારો યાદ નથીઃ પીએમ મોદી

રાહુલ ગાંધી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારને આપણા રાજાઓ અને સમ્રાટોના યોગદાન યાદ નથી. તેમણે કહ્યું કે આ લોકો વોટ બેંકની રાજનીતિ માટે રાજાઓ અને બાદશાહો વિરુદ્ધ બોલે છે પરંતુ નવાબો, બાદશાહો અને સુલતાનો વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની તેમની હિંમત નથી.

Lok Sabha Election Schedule 2024: ત્રીજા તબક્કામાં 7 મેના રોજ થશે મતદાન, 94 લોકસભા સીટો પર મતદાન, જાણો અહીં

ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, વર્તમાન લોકસભાનો કાર્યકાળ 17 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે દેશભરમાં 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્રો છે, જેમાં 55 લાખ મત ઈવીએમ દ્વારા નાખવામાં આવશે. લોકસભા ચૂંટણી 2024ને લઈને સૂત્ર આપતાં તેમણે કહ્યું કે ચૂંટણીનો તહેવાર એ દેશનું ગૌરવ છે.

ISROએ અવકાશમાં ભરી બીજી ઉડાન, રિયુઝેબલ વિમાનનું સફળ થયું પરીક્ષણ

ઈસરોએ અવકાશમાં વધુ એક ઉચ્ચ ઉડાન ભરી છે. ISRO એ આજે ​​પુષ્પક વિમાન (RLV-TD) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું. આ એરક્રાફ્ટ ભવિષ્યમાં સ્પેસ મિશનમાં ઘણી બચત લાવશે.

ખડગેના ગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે પીએમ મોદી, આ છે કાર્યક્રમનું શિડ્યુલ

16 માર્ચે પીએમ મોદી કર્ણાટકના ખડગેના હોમ ડિસ્ટ્રિક્ટ કલબુર્ગીમાં એક જાહેર સભાને સંબોધીને તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની કુલ 28 બેઠકોમાંથી 25 બેઠકો જીતી હતી.

આ રાજ્યમાં મંચુરિયનના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું હતું કારણ?

ક્રિસ્પી કોબીજ અને મીઠી અને ખાટા સોસ માંથી તૈયાર કરવામાં આવેલી આ શાકાહારી વાનગી બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકને પ્રિય છે. તમે તેને મકાઈનો લોટ, કોબી અને ગાજર વડે સરળતાથી ઘરે બનાવી શકો છો. પરંતુ સ્વાદથી ભરપૂર હોવા છતાં સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો બેંગલુરુ બ્લાસ્ટનો આરોપી, નવી તસવીરો કરવામાં આવી જાહેર

બેંગલુરુ બ્લાસ્ટ કેસમાં NIAએ મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ કહ્યું છે કે આ બ્લાસ્ટનો શંકાસ્પદ બુધવારના રોજ બેલ્લારી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યો હતો. શકમંદો જુદી જુદી બસોમાં મુસાફરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

બેંગ્લોરમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર તો નથી ને ? કેફે બ્લાસ્ટમાં તપાસ એજન્સીઓના નિશાના પર આ ત્રણ આતંકી મોડ્યુલ

બેંગ્લોરમાં વિસ્ફોટ બાદ હવે તપાસ એજન્સીઓ પણ એક્શનમાં આવી ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમના સભ્યો પણ પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ કર્ણાટક સરકાર પણ ચોંકી ઉઠી હતી.

બેંગલુરુના કેફેમાં વિસ્ફોટ, નવ ઘાયલ, સીએમએ કહ્યું- બ્લાસ્ટ IEDથી થયો, જુઓ બ્લાસ્ટના CCTV

બેંગ્લોરના રાજાજીનગરમાં રામેશ્વરમ કેફેમાં પ્રંચડ વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં IED બ્લાસ્ટ થયો હતો

લો બોલો, રાજ્યસભામાં કોંગ્રેસની જીત બાદ, કર્ણાટકમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના લાગ્યા નારા, ભાજપે શેર કર્યો વીડિયો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ આરોપ લગાવ્યો છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતા નાસિર હુસૈનની જીતની ઉજવણી કરતી વખતે કોંગ્રેસના કાર્યકરોએ વિધાનસભાની અંદર "પાકિસ્તાન ઝિંદાબાદ" ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે આ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે તેના કાર્યકરો માત્ર નસીર હુસૈન માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મંગળવારે કોંગ્રેસે કર્ણાટકમાં રાજ્યસભાની ચારમાંથી ત્રણ બેઠકો જીતી હતી.

સરકારનો પત્ર હોવા છતાં ન મળ્યો ભારતમાં પ્રવેશ, જાણો કોણ છે આ કાશ્મીરી પંડિત મહિલા પ્રોફેસર અને શું છે સમગ્ર ઘટના

પ્રોફેસર નીતાશા કૌલે, એક ભારતીય મૂળના પ્રવાસી કાશ્મીરી પંડિત, ભારત સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેણે બેંગલુરુ એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા છે. તે 12 કલાકની મુસાફરી કરી લેકચર આપવા માટે લંડનથી આવી હતી, પરંતુ તેને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. 

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
g clip-path="url(#clip0_868_265)">