AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું મુસ્લિમો પણ RSSની શાખામાં જોડાઈ શકે ? RSSના વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ ?

રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના મૂળ ઉદ્દેશ્યને સમજાવતા, મોહન ભાગવતે કહ્યું કે, અમારી પાસે ફક્ત એક જ હેતુ છે; તે હેતુ પૂર્ણ કર્યા પછી, અમે બીજું કંઈ પણ કરવા માંગતા નથી. અમારો દ્રષ્ટિકોણ સમગ્ર હિન્દુ સમાજને એક કરવાનો છે, અને તે જ અમારું કાર્ય છે.

શું મુસ્લિમો પણ RSSની શાખામાં જોડાઈ શકે ? RSSના વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2025 | 2:38 PM
Share

રાષ્ટ્રીય સ્વંયસેવક સંધની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી શતાબ્દિ મહોત્સવ કર્ણાટકમાં યોજાઈ રહ્યો છે. દ્વિદિવસીય નવી ક્ષિતીજના નામે યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વડા મોહન ભાગવતે, સંબોધન કર્યું હતુ. મોહન ભાગવતે કહ્યું કે, અમે સંપૂર્ણ હિંદુ સમાજને એક કરી રહ્યાં છીએ. સમાજને સંગઠીત કરવા અને ઉત્તમ ગુણ પ્રદાન કરવાનું કાર્ય કરી રહ્યાં છીએ. જેથી કરીને સમૃદ્ધ અને મજબૂત ભારતનું નિર્માણ થઈ શકે. જે વિશ્વને ધર્મ પ્રદાન કરી શકે જેનાથી દુનિયા સુખી, આનંદિત અને શાંતિ પ્રવર્તી રહે.

આ દરમિયાન જ્યારે મોહન ભાગવતને પુછવામાં આવ્યું કે, શું મુસ્લિમો પણ આરએસએસની શાખામાં આવી શકે ? ત્યારે આ સવાલનો જવાબ આપતા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, કોઈ પણ બ્રાહ્મણને સંઘમાં આવવાની અનુમતિ નથી. સંઘમાં અન્ય કોઈ જાતિને અનુમતિ નથી. કોઈ પણ મુસ્લિમને પણ અનુમતિ નથી. કોઈ ખ્રિસ્તીને પણ સંઘમાં આવવાની મંજૂરી નથી. માત્ર હિંદુઓને અનુમતિ છે. એટલા માટે વિભિન્ન સંપ્રદાયના લોકો, ખાસ કરીને મુસ્લિમ, ખ્રિસ્તી કે અન્ય કોઈ પણ સંપ્રદાયના લોકો સંઘમાં આવી શકે છે. પરંતુ તે તેમની વિશિષ્ટતા બહાર મૂકીને આવે.

શાખામાં બધા ભારતમાત્રાના સંતાન

મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં આવનાર સૌ કોઈની વિશેષતાનું સ્વાગત છે. પરંતુ જ્યારે તમે શાખાની અંદર આવો છો તો તમે ભારત માતાના પુત્ર તરીકે, આ હિંદુ સમાજના સભ્ય તરીકે આવો છે. મુસલમાન પણ શાખામાં આવે છે. ખ્રિસ્તી પણ શાખામાં આવે છે. કેમ કે નિયમિતપણે હિંદુ સમાજ કહેવાતા અન્ય તમામ જાતિના લોકો પણ શાખામાં આવે છે. અમે તેમની ગણતરી નથી કરતા અને અમે તેમને પુછતા પણ નથી કે તેઓ કોણ છે. આપણે બધા ભારત માતાના સંતાનો છીએ અને સંઘ પણ એ જ પ્રકારે કામ કરે છે.

સંપૂર્ણ હિંદુ સમાજને સંગઠીત કરવાનો સંઘનો હેતુ

રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના મૂળ ઉદ્દેશ્યને સમજાવતા, મોહન ભાગવતે કહ્યું કે, અમારી પાસે ફક્ત એક જ હેતુ છે; તે હેતુ પૂર્ણ કર્યા પછી, અમે બીજું કંઈ પણ કરવા માંગતા નથી. અમારો દ્રષ્ટિકોણ સમગ્ર હિન્દુ સમાજને એક કરવાનો છે, અને તે જ અમારું કાર્ય છે. અમે આ પૂર્ણ કરીશું અને સંગઠિત થયેલ સમાજ બાકીનું કાર્ય કરશે. તેમણે કહ્યું, “અમારું મિશન, અમારો દ્રષ્ટિકોણ એક સંગઠીત, મજબૂત હિન્દુ સમાજ છે.”

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">