AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈલોરાની ગુફામાં 50 વર્ષથી કામ કરતો મુસ્લિમ ગાઇડ હિંદુ દેવી-દેવતાઓ વિશે આપી રહ્યો છે ખોટી માહિતી

મહારાષ્ટ્રમાં ઈલોરા ગુફાઓમાંથી એક ચોંકાવનારો અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. કૈલાશ મંદિરના વિસ્તારમાં, એક મુસ્લિમ ગાઇડ દ્વારા હિંદુ દેવી-દેવતાઓ અને તેમની કોતરણીઓ વિશે ખોટી તેમજ ધાર્મિક લાગણી દુભાવતી માહિતી આપવામાં આવી રહી હોવાનું એક પ્રવાસીએ વીડિયો બનાવીને ખુલ્લું પાડ્યું છે. આ ગંભીર ઘટનાને પગલે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

Breaking News : ઈલોરાની ગુફામાં 50 વર્ષથી કામ કરતો મુસ્લિમ ગાઇડ હિંદુ દેવી-દેવતાઓ વિશે આપી રહ્યો છે ખોટી માહિતી
| Updated on: Nov 29, 2025 | 11:35 AM
Share

ભારતના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પર ગાઇડ દ્વારા આપવામાં આવતી માહિતીની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઈલોરા ગુફાઓમાં કૈલાશ મંદિરની મુલાકાત દરમિયાન, અંકિત નામના એક પ્રવાસીએ અબ્દુલ નામના એક ગાઇડને હાયર કર્યો હતો, જેને 50 વર્ષનો લાંબો અનુભવ હોવાનું કહેવાય છે.

પ્રવાસી અંકિતે નોંધ્યું કે ગાઇડ અબ્દુલ સતત ખોટી અને ધાર્મિક રીતે સંવેદનશીલ વાર્તાઓ જણાવી રહ્યો હતો.

રાવણ અને મહાદેવ: ગાઇડે કહ્યું કે રાવણ મહાદેવનો પરમ ભક્ત હોવા છતાં, તે તેમનો સૌથી મોટો દુશ્મન પણ હતો, અને તે શિવજીને પરેશાન કરવા માટે કૈલાશ પર્વત ઉઠાવી રહ્યો હતો.

શિવ-પાર્વતી પર શંકા: સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ગાઇડે એક કોતરણીનુ ખોટુ અર્થઘટન કરતાં કહ્યું કે શિવજી પોતાની પત્ની પાર્વતી પર શંકા કરતા હતા કે તેઓ કોઈ પારકા પુરુષ તરફ આકર્ષાયા છે. આ શંકાને દૂર કરવા શિવજી ભિખારી (Beggar) બનીને તેમની પરીક્ષા લેવા આવ્યા હતા.

પ્રવાસીએ આપ્યો તથ્ય આધારિત જવાબ:

આ વાતનું ખંડન કરતાં પ્રવાસી અંકિતે કહ્યું કે, શિવજીની કોતરણીમાં તેમણે મુગટ પહેરેલો છે, જે ભિખારી ન હોવાનું સ્પષ્ટ સાબિત કરે છે. તેથી અંકિતે તેને તરત જ છુટો કરી દીધો અને તેના પર ખોટી માહિતી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો.

ASI માં લેખિત ફરિયાદ:

આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યા બાદ અંકિતે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) ની સ્થાનિક ઓફિસમાં જઈને ગાઇડ અબ્દુલ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. અંકિતે ભારપૂર્વક જણાવ્યું છે કે જે વ્યક્તિને ધર્મ અને ઇતિહાસનું યોગ્ય જ્ઞાન ન હોય તેને આવા સંવેદનશીલ સ્થળો પર ગાઇડ તરીકે નોકરી ન મળવી જોઈએ. ASI એ આ બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો – વરરાજા પહેરે છે કન્યાના કપડાં, અને કન્યા પહેરે છે વરરાજાના: આ જિલ્લામાં સદીઓ જૂની અનોખી પરંપરા

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">