AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : ચિત્તોડગઢના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ચિત્તોડગઢ, જેને ચિત્તોડ કિલ્લો તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતના સૌથી વિશાળ અને મહત્વપૂર્ણ કિલ્લાઓમાંનો એક છે. આ સ્થળ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત છે. કિલ્લો એક સમય મેવાડ રાજ્યની રાજધાની રહ્યું હતું અને આજના ચિત્તોડગઢ શહેર ઉપર સ્થિત છે.

| Updated on: Nov 24, 2025 | 6:52 PM
Share
બેરાચ નદીની ખીણ ઉપર આવેલી આશરે 180 મીટર ઊંચી ટેકરી પર ફેલાયેલા આ કિલ્લાનો વિસ્તાર લગભગ 280 હેક્ટર જેટલો છે. કિલ્લાની અંદર ચાર મહેલો, 19 વિશાળ મંદિરો, 20 મોટા જળાશયો, 4 મહત્વના સ્મારકો અને અનેક વિજય સ્તંભ સહિત કુલ 65 ઐતિહાસિક રચનાઓ સમાવેશ થાય છે.

બેરાચ નદીની ખીણ ઉપર આવેલી આશરે 180 મીટર ઊંચી ટેકરી પર ફેલાયેલા આ કિલ્લાનો વિસ્તાર લગભગ 280 હેક્ટર જેટલો છે. કિલ્લાની અંદર ચાર મહેલો, 19 વિશાળ મંદિરો, 20 મોટા જળાશયો, 4 મહત્વના સ્મારકો અને અનેક વિજય સ્તંભ સહિત કુલ 65 ઐતિહાસિક રચનાઓ સમાવેશ થાય છે.

1 / 8
ચિત્તોડગઢને ભૂતકાળમાં ‘ચિત્રકુટ’ તરીકે ઓળખવામાં આવતું હતું, કારણ કે ‘ગઢ’ શબ્દનો અર્થ કિલ્લો થાય છે. એવું માનવામાં આવે છે કે મોરી વંશના રાજા ચિત્રાંગદા મોરીએ આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું, અને કિલ્લાનું નામ પણ તેમના નામ પરથી પડ્યું હોવાની દંતકથા પ્રસિદ્ધ છે. આ વિસ્તારના ઇતિહાસને દર્શાવતા પુરાવા તરીકે 9મી સદીના અનેક નાના બૌદ્ધ સ્તૂપો જયમલ પટ્ટા તળાવની આસપાસ મળ્યા છે. (Credits: - Canva)

ચિત્તોડગઢને ભૂતકાળમાં ‘ચિત્રકુટ’ તરીકે ઓળખવામાં આવતું હતું, કારણ કે ‘ગઢ’ શબ્દનો અર્થ કિલ્લો થાય છે. એવું માનવામાં આવે છે કે મોરી વંશના રાજા ચિત્રાંગદા મોરીએ આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું, અને કિલ્લાનું નામ પણ તેમના નામ પરથી પડ્યું હોવાની દંતકથા પ્રસિદ્ધ છે. આ વિસ્તારના ઇતિહાસને દર્શાવતા પુરાવા તરીકે 9મી સદીના અનેક નાના બૌદ્ધ સ્તૂપો જયમલ પટ્ટા તળાવની આસપાસ મળ્યા છે. (Credits: - Canva)

2 / 8
કહેવાય છે કે ગુહિલા વંશના શાસક બપ્પા રાવલે આશરે ઇ. સ. 728  અથવા  ઇ. સ. 734  દરમિયાન ચિત્તોડ કિલ્લો કબજે કર્યો હતો. કેટલીક કથાઓ મુજબ, આ કિલ્લો તેમને દહેજ સ્વરૂપે મળ્યો હતો, જ્યારે અન્ય લોકવૃત્તિઓ કહે છે કે તેમણે મોરી રાજવંશ પાસેથી કિલ્લો જીત્યો હતો. ઇતિહાસકાર આર. સી. મજુમદારના મત મુજબ  ઇ. સ. 725 આસપાસ, જ્યારે અરબ સૈનિકોએ ઉત્તર–પશ્ચિમ ભારતમાં આક્રમણ કર્યું, ત્યારે ચિત્તોડ પર મોરીઓનું શાસન હતું. અરબોએ મોરીઓને હરાવ્યા ઈતિહાસકાર આર.વી. સોમાનીએ એવું માન્યું છે કે બપ્પા રાવલ, પ્રતિષ્ઠિત રાજપૂત રાજા નાગભટ્ટ પ્રથમની સેનામાં સામેલ હતા.  કેટલાક વિદ્વાનો આ સમગ્ર દંતકથા પર શંકા વ્યક્ત કરે છે અને માને છે કે ગુહિલાઓએ પછીના શાસક અલ્લાતાના શાસન પહેલાં ચિત્તોડ પર નિયંત્રણ મેળવ્યું ન હતું.  ચિત્તોડમાં મળેલો સૌથી પ્રાચીન ગુહિલા શિલાલેખ 13મી સદીના મધ્યના તેજસિંહના સમયમાં લખાયો હતો, જેમાં “ચિત્રકૂટ-મહાદુર્ગ” એટલે કે ચિત્તોડનો વિશાળ કિલ્લો તરીકે ઉલ્લેખ જોવા મળે છે. (Credits: - Canva)

કહેવાય છે કે ગુહિલા વંશના શાસક બપ્પા રાવલે આશરે ઇ. સ. 728 અથવા ઇ. સ. 734 દરમિયાન ચિત્તોડ કિલ્લો કબજે કર્યો હતો. કેટલીક કથાઓ મુજબ, આ કિલ્લો તેમને દહેજ સ્વરૂપે મળ્યો હતો, જ્યારે અન્ય લોકવૃત્તિઓ કહે છે કે તેમણે મોરી રાજવંશ પાસેથી કિલ્લો જીત્યો હતો. ઇતિહાસકાર આર. સી. મજુમદારના મત મુજબ ઇ. સ. 725 આસપાસ, જ્યારે અરબ સૈનિકોએ ઉત્તર–પશ્ચિમ ભારતમાં આક્રમણ કર્યું, ત્યારે ચિત્તોડ પર મોરીઓનું શાસન હતું. અરબોએ મોરીઓને હરાવ્યા ઈતિહાસકાર આર.વી. સોમાનીએ એવું માન્યું છે કે બપ્પા રાવલ, પ્રતિષ્ઠિત રાજપૂત રાજા નાગભટ્ટ પ્રથમની સેનામાં સામેલ હતા. કેટલાક વિદ્વાનો આ સમગ્ર દંતકથા પર શંકા વ્યક્ત કરે છે અને માને છે કે ગુહિલાઓએ પછીના શાસક અલ્લાતાના શાસન પહેલાં ચિત્તોડ પર નિયંત્રણ મેળવ્યું ન હતું. ચિત્તોડમાં મળેલો સૌથી પ્રાચીન ગુહિલા શિલાલેખ 13મી સદીના મધ્યના તેજસિંહના સમયમાં લખાયો હતો, જેમાં “ચિત્રકૂટ-મહાદુર્ગ” એટલે કે ચિત્તોડનો વિશાળ કિલ્લો તરીકે ઉલ્લેખ જોવા મળે છે. (Credits: - Canva)

3 / 8
ઇ. સ.  1251 થી 1258 દરમિયાન, અલાઉદ્દીન ખિલજીના આદેશ મુજબ બલબનએ ઘણી વાર ચિત્તોડ કિલ્લા તથા રણથંભોર અને બુંદીના કિલ્લાઓ પર સૈન્ય સાથે ચઢાઈ કરીને  ઘેરામાં રાખવામાં આવ્યા. (Credits: - Canva)

ઇ. સ. 1251 થી 1258 દરમિયાન, અલાઉદ્દીન ખિલજીના આદેશ મુજબ બલબનએ ઘણી વાર ચિત્તોડ કિલ્લા તથા રણથંભોર અને બુંદીના કિલ્લાઓ પર સૈન્ય સાથે ચઢાઈ કરીને ઘેરામાં રાખવામાં આવ્યા. (Credits: - Canva)

4 / 8
કિલ્લા પર ખિઝર ખાનનું શાસન ઈ.સ. 1311  સુધી ચાલુ રહ્યું, પરંતુ રાજપૂતોના વધતા દબાણને કારણે તેમને સોનિગ્રા વંશના સરદાર માલદેવને કિલ્લાની સત્તા સોંપવી પડી. માલદેવએ લગભગ સાત વર્ષ સુધી ચિત્તોડનું સંચાલન કર્યું. ત્યારબાદ હમ્મિર સિંહે માલદેવને પરાજિત કરીને કિલ્લો ફરી પોતાના નિયંત્રણમાં લીધો અને ચિત્તોડના ગૌરવને ફરી જીવંત બનાવ્યું. ઈ.સ 1378 માં અવસાન પામતા પહેલા હમ્મિરે મેવાડને એક શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય તરીકે સ્થાપિત કર્યું. તેમના વંશજોને, તેમના જન્મસ્થળના નામ પરથી, “સિસોદિયા” તરીકે ઓળખવામાં આવવા લાગ્યા. હમ્મિરના વારસદાર તરીકે તેમના પુત્ર રાણા ક્ષેત્રસિંહ (રાણા ખેતા) સિંહાસને સન્માન અને શક્તિ સાથે શાસન કર્યું. બાદમાં, રાણા ખેતા ના પુત્ર રાણા લાખા ઈ.સ. 1382માં ગાદી પર આવ્યા અને અનેક યુદ્ધોમાં વિજયો મેળવી પોતાની શક્તિ મજબૂત કરી. રાણા લાખાના પ્રખર પૌત્ર રાણા કુંભા ઈ.સ. 1433 માં રાજગાદી પર આવ્યા. અને તે સમય સુધી માલવા અને ગુજરાતના મુસ્લિમ શાસકોનો પ્રભાવી ઉદય થઈ ચુક્યો હતો અને તેઓ મેવાડનાં વધતા બળને નિયંત્રણમાં લેવા ઉત્સુક હતા. (Credits: - Canva)

કિલ્લા પર ખિઝર ખાનનું શાસન ઈ.સ. 1311 સુધી ચાલુ રહ્યું, પરંતુ રાજપૂતોના વધતા દબાણને કારણે તેમને સોનિગ્રા વંશના સરદાર માલદેવને કિલ્લાની સત્તા સોંપવી પડી. માલદેવએ લગભગ સાત વર્ષ સુધી ચિત્તોડનું સંચાલન કર્યું. ત્યારબાદ હમ્મિર સિંહે માલદેવને પરાજિત કરીને કિલ્લો ફરી પોતાના નિયંત્રણમાં લીધો અને ચિત્તોડના ગૌરવને ફરી જીવંત બનાવ્યું. ઈ.સ 1378 માં અવસાન પામતા પહેલા હમ્મિરે મેવાડને એક શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય તરીકે સ્થાપિત કર્યું. તેમના વંશજોને, તેમના જન્મસ્થળના નામ પરથી, “સિસોદિયા” તરીકે ઓળખવામાં આવવા લાગ્યા. હમ્મિરના વારસદાર તરીકે તેમના પુત્ર રાણા ક્ષેત્રસિંહ (રાણા ખેતા) સિંહાસને સન્માન અને શક્તિ સાથે શાસન કર્યું. બાદમાં, રાણા ખેતા ના પુત્ર રાણા લાખા ઈ.સ. 1382માં ગાદી પર આવ્યા અને અનેક યુદ્ધોમાં વિજયો મેળવી પોતાની શક્તિ મજબૂત કરી. રાણા લાખાના પ્રખર પૌત્ર રાણા કુંભા ઈ.સ. 1433 માં રાજગાદી પર આવ્યા. અને તે સમય સુધી માલવા અને ગુજરાતના મુસ્લિમ શાસકોનો પ્રભાવી ઉદય થઈ ચુક્યો હતો અને તેઓ મેવાડનાં વધતા બળને નિયંત્રણમાં લેવા ઉત્સુક હતા. (Credits: - Canva)

5 / 8
મહારાણા પ્રતાપ, રાણા ઉદયસિંહના પુત્ર, મૂલ્યોનું મૂર્તિમંત સ્વરૂપ માનવામાં આવે છે.. તેમણે જીવનભર યુદ્ધના માર્ગને પસંદ કર્યો અને પ્રતિજ્ઞા લીધી કે અકબર પાસેથી ચિત્તોડને મુક્ત કરાવ્યા વગર શાંતિથી જીવવાનું નથી. મેવાડની ભૂતપૂર્વ મહિમા પાછી મેળવવાનું આ તેમનું જીવનલક્ષ્ય હતું, જેના માટે તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. સતત સંઘર્ષ દરમિયાન તેમને ઘાસની પથારી બનાવવા જેવી મુશ્કેલીઓ અને કઠોર પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડ્યો. (Credits: - Canva)

મહારાણા પ્રતાપ, રાણા ઉદયસિંહના પુત્ર, મૂલ્યોનું મૂર્તિમંત સ્વરૂપ માનવામાં આવે છે.. તેમણે જીવનભર યુદ્ધના માર્ગને પસંદ કર્યો અને પ્રતિજ્ઞા લીધી કે અકબર પાસેથી ચિત્તોડને મુક્ત કરાવ્યા વગર શાંતિથી જીવવાનું નથી. મેવાડની ભૂતપૂર્વ મહિમા પાછી મેળવવાનું આ તેમનું જીવનલક્ષ્ય હતું, જેના માટે તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. સતત સંઘર્ષ દરમિયાન તેમને ઘાસની પથારી બનાવવા જેવી મુશ્કેલીઓ અને કઠોર પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડ્યો. (Credits: - Canva)

6 / 8
મહારાણા પ્રતાપ રાજપૂત ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. કપરા સમયમાં પણ તેમણે માન અને ગૌરવને સર્વોપરી રાખ્યું અને કોઈપણ પરિસ્થિતિમાં સમર્પણ કરવાનું સ્વીકાર્યું નહીં. શત્રુઓ પણ તેમની વિરતા અને ઉચ્ચ ચરિત્રના વખાણ કરતા હતા. અંતે, ઈ.સ 1597માં આ મહાન યોધ્ધાનું અવસાન થયું, પરંતુ તેમની અમર ગાથા આજે પણ પ્રેરણા આપે છે. (Credits: - Canva)

મહારાણા પ્રતાપ રાજપૂત ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. કપરા સમયમાં પણ તેમણે માન અને ગૌરવને સર્વોપરી રાખ્યું અને કોઈપણ પરિસ્થિતિમાં સમર્પણ કરવાનું સ્વીકાર્યું નહીં. શત્રુઓ પણ તેમની વિરતા અને ઉચ્ચ ચરિત્રના વખાણ કરતા હતા. અંતે, ઈ.સ 1597માં આ મહાન યોધ્ધાનું અવસાન થયું, પરંતુ તેમની અમર ગાથા આજે પણ પ્રેરણા આપે છે. (Credits: - Canva)

7 / 8
1615માં રાણા અમરસિંહ અને જ્યાંગીર બાદશાહ વચ્ચે સંધિ થઈ, પરંતુ ચિત્તોડને ફરી વસાવવામાં ન આવ્યું. ચિત્તોડ પછી પ્રતીકાત્મક રાજધાની રહી, અને ઉદયપુર રાજધાની બની. 2013માં કંબોડિયાના ફ્નોમ પેન્હ શહેરમાં મળેલ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 37મા સત્ર દરમિયાન રાજસ્થાનના છ પર્વતીય કિલ્લાઓના સમૂહને, જેમાં ચિત્તોડગઢ કિલ્લો પણ સમાવાયેલ છે, વૈશ્વિક વારસો તરીકે માન્યતા આપવામાં આવી હતી. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Canva)

1615માં રાણા અમરસિંહ અને જ્યાંગીર બાદશાહ વચ્ચે સંધિ થઈ, પરંતુ ચિત્તોડને ફરી વસાવવામાં ન આવ્યું. ચિત્તોડ પછી પ્રતીકાત્મક રાજધાની રહી, અને ઉદયપુર રાજધાની બની. 2013માં કંબોડિયાના ફ્નોમ પેન્હ શહેરમાં મળેલ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 37મા સત્ર દરમિયાન રાજસ્થાનના છ પર્વતીય કિલ્લાઓના સમૂહને, જેમાં ચિત્તોડગઢ કિલ્લો પણ સમાવાયેલ છે, વૈશ્વિક વારસો તરીકે માન્યતા આપવામાં આવી હતી. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Canva)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">