AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે શું વિરાટ કોહલી આઈપીએલ નહી રમે? વાયરલ ફોટોએ ચાહકોની ચિંતા વધારી!

વિરાટ કોહલી હાલ લંડનમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માર્ચના છેલ્લા અઠવાડિયામાં આઈપીએલ 2026 શરુ થશે. ઈરાન-ઈઝરાયલ વચ્ચેના જંગ વચ્ચે દુબઈ એરસ્પેસને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વિરાટ કોહલીનું ભારત આવવું મુશ્કેલ લાગી રહ્યું છે.

Iran Israel War : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે શું વિરાટ કોહલી આઈપીએલ નહી રમે? વાયરલ ફોટોએ ચાહકોની ચિંતા વધારી!
| Updated on: Mar 04, 2026 | 10:21 AM
Share

ઈરાન ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રિકેટને ખુબ મોટું નુકસાન થયું છે. હાલમાં ઈંગ્લેન્ડ લાયન્સ અને પાકિસ્તાન શાહીન્સ વચ્ચે એકદીવસની સીરિઝ રદ થઈ ચૂકી છે. યુદ્ધના કારણે મિડલ ઈર્સ્ટના અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. આ કારણથી ટી20 વર્લ્ડકપમાંથી બહાર થયેલી કેટલીક ટીમ પોતાના ઘરે પરત ફરી નથી અને તેમણે ભારતમાં જ રહેવું પડ્યું છે. આઈપીએલ 2026ની શરુઆત માર્ચના છેલ્લા અઠવાડિયાથી થવાની છે. હવે વિરાટ કોહલીનો એક વાયરલ ફોટોએ તેને આઈપીએલમાં ભાગ લેવાની શકયતા પર સવાલો ઉભા કર્યા છે.

વિરાટ કોહલી નહી રમે આઈપીએલ?

આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલ લંડનમાં પોતાના પરિવાર સાથે છે. જ્યાં કોહલી લંડનના રસ્તા પર પોતાના દીકરા સાથે ફરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, તે હવે લંડનમાં રહે છે અને ક્રિકેટ રમવા માટે ભારત આવે છે. લંડનથી ભારતની દુબઈ રુટની ફ્લાઈટ હાલમાં બંધ છે. મોટાભાગની યાત્રા આ રુટથી આવે છે, લંડનથી ભારતની દુબઈ રુટ વાળી ફલાઈટ હાલમાં બંધ છે. મોટાભાગની મુસાફરી આ રુટથી કરવામાં આવે છે.

ઈરાન ઈઝરાયલ જંગના કારણે દુબઈ એરપોર્ટબંધ છે. તેમજ હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. એવું લાગતું નથી કે, આ યુદ્ધ જલ્દી બંધ થાય. વિરાટ કોહલીનું આઈપીએલ રમવા માટે ભારત આવવું ખુબ મુશ્કેલ જોવા મળી રહ્યું છે. માર્ચના છેલ્લા અઠવાડિયા પહેલા એરસ્પેસ નહી ખુલે તો વિરાટ કોહલી આઈપીએલની શરુઆતની મેચ મિસ કરી શકે છે.

બીસીસીઆઈ કોહલી માટે બનાવશે સ્પેશિયલ પ્લાન?

આઈપીએલ દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટ છે અને વિરાટ કોહલી આવવાથી રોમાંચ ખુબ વધી જાય છે. બીસીસીઆઈ નહી ઈચ્છે કે, આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી ન રમે. ત્યારે બીસીસીઆઈ તેના માટે પ્રાઈવેટ જેટની પણ વ્યવસ્થા કરી શકે છે. દુબઈ સિવાય અમેરિકા-ઓસ્ટ્રેલિયાનો રુટ પણ છે. જેનાથી વિરાટ કોહલી ભારત આવી શકે છે. વિરાટ પાસે બે વિકલ્પ છે.

ભારતમાં ફસાઈ ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝની ટીમ

ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝની ટીમ ટી20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ચૂકી છે. ઈરાન-ઈઝરાયલના યુદ્ધના કારણે તે પોતાના દેશ પરત ફરી શક્યા નથી. તે ભારતમાં જ રોકાયેલા છે અને સ્થિતિ સુધર્યા બાદ આ દેશોના ખેલાડીઓ પોતાના ઘરે પરત ફરી શકે છે.

સુપ્રીમ લીડર અલી ખામેનીના લક્ષ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા, જેમાં તેમનું મૃત્યુ થયું. અહી ક્લિક કરો

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
g clip-path="url(#clip0_868_265)">