Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં આવેલ એક દેશ છે. બાગ્લાદેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સરહદો ભારત સાથે અને દક્ષિણ પૂર્વ સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે. દક્ષિણમાં બંગાળની ખાડી છે. બાંગ્લાદેશ અને ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળ એ મુખ્યત્વે બંગાળી ભાષા બોલતા પ્રદેશ છે, બંગાળ, જેનું ઐતિહાસિક નામ બંગ અથવા બાંગ્લા છે. 1947માં ભારતના ભાગલા સમયે તેને ‘પૂર્વ પાકિસ્તાન’ નામથી પાકિસ્તાનના પૂર્વ ભાગ તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે તેની સીમા રેખા નક્કી કરવામાં આવી હતી.

બાંગ્લાદેશ 164 મિલિયનથી વધુની વસ્તી સાથે વિશ્વનો આઠમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જમીન વિસ્તારની દ્રષ્ટિએ, બાંગ્લાદેશ 92મા ક્રમે છે, જે 148,460 ચોરસ કિલોમીટર (57,320 ચોરસ માઇલ) ને આવરી લે છે, જે તેને સૌથી ગીચ વસ્તીવાળા દેશોમાંનું એક બનાવે છે. બંગાળીઓ બાંગ્લાદેશની કુલ વસ્તીના 98 % છે, જે તેને વિશ્વના સૌથી સમાન રાજ્યોમાંનું એક બનાવે છે. બાંગ્લાદેશની મોટી વસ્તી મુસ્લિમ છે, જે તેને ત્રીજો સૌથી મોટો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ બનાવે છે.

બાંગ્લાદેશનું બંધારણ ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે સ્થાપિત કરે છે અને બાંગ્લાદેશને બિનસાંપ્રદાયિક રાજ્ય જાહેર કરે છે. બૌદ્ધ ગ્રંથો અનુસાર, આ વિસ્તારમાં આધુનિક સભ્યતા 700 બીસીથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. અહીંની શરૂઆતની સભ્યતા પર બૌદ્ધ અને હિંદુ ધર્મનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉત્તર બાંગ્લાદેશમાં હજારો સ્થાપત્ય અવશેષો કે જેને મંદિરો અથવા મઠો કહી શકાય હજુ પણ અસ્તિત્વમાં છે.

 

Read More

પાકિસ્તાનના રવાડે ચડેલા બાંગ્લાદેશમાં ઘેરાયુ આર્થિક સંકટ, મંદી, મોંઘવારીને કારણે લોકો બની રહ્યા છે કંગાળ, IMF એ પણ લોન માટે લટકાવ્યુ

બાંગ્લાદેશ હાલ તેના અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. મોંઘવારી, તૂટતી GDP, ગરીબીની ગર્તામાં ધકેલાયેલા બાંગ્લાદેશે IMF તરફ નજર દોડાવી અને લોન માટે હાથ લંબાવ્યો તો IMF દ્વારા લોન તો નથી મળી પરંતુ માત્ર આશ્વાસન મળ્યુ છે. બાંગ્લાદેશ અને IMF વચ્ચે 4.7 બિલિયન ડોલરની લોન આપવા અંગે હજુ સુધી કોઈ સંમતિ સાધી શકાઈ નથી. ટેક્સમાં સુધારા અને કરન્સી એક્સચેન્જને લઈને બંને વચ્ચે હજુ મડાગાંઠ ઉકેલાઈ નથી. આ અંગેની હવે પછીની તમામ વાટાઘાટો વોશિંગ્ટનમાં થવાની છે, જેમા બાંગ્લાદેશને આપવામાં આવનારા આગામી હપ્તાને લઈને નિર્ણય લેવાઈ શકે

એક એ મમતા હતી જે સંસદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી મુદ્દે હંગામો કરી દેતી અને આજે એજ બાંગ્લાદેશીઓને હાથો બનાવી 2026ની પીચ મજબૂત કરી રહી છે- વાંચો

બંગાળમાં વક્ફ એક્ટ બાદ મૂર્શિદાબાદમાં ભડકેલી હિંસામાં ત્રણ હિંદુઓની હત્યા કરી દેવામાં આવી અને બે પિતાપુત્રને ઘરમાંથી બહાર ખેંચીને ટોળાએ ઢોર માર માર્યો. જેમા હરગોવન દાસ અને તેના પુત્ર ચંદનદાસનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ. આ હિંસા મુદ્દે મમતા બેનર્જી એવો બચાવ કરી રહી છે કે મીડિયા ખોટા નેરેટિવ ચલાવી રહયુ છે. મૂર્શિદાબાદમાં માત્ર એક વિવાદ થયો છે.

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ મુદ્દે PM મોદીએ મોહમ્મદ યુનુસને શું કહ્યુ? શું હવે આ અત્યાચારો અટકશે?

બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન PM મોદીએ બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસ સાથે અલગથી મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે શું ચર્ચા થઈ. શું બાંગ્લાદેશના હિંદુઓ વિશે કોઈ વાતચીત થઈ હતી કે કેમ? શું બાંગ્લાદેશ હવે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું બંધ કરશે કે કેમ? શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દેશે?

શ્રીલંકામાં રેલવે અને નેપાળમાં પેટ્રોલિયમ પાઇપલાઇન… ભારત પડોશી દેશોમાં કયા પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 6 એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને 128 કિમી લાંબી રેલવે લાઇન અને આધુનિક સિગ્નલિંગ સિસ્ટમના અપગ્રેડેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ભારતના પડોશી દેશોના વિકાસમાં રોકાણને પ્રતિબિંબિત કરે છે. મોદી સરકારના નેતૃત્વ હેઠળ, ભારતે નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન, માલદીવ અને મ્યાનમાર જેવા દેશોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે, જે પ્રાદેશિક સહયોગ અને વિકાસને પ્રોત્સાહન આપે છે.

બાંગ્લાદેશમાં વધુ એક તખ્તાપલટના કાવતરાં પર ભારતે ફેરવી દીધુ પાણી, પાકિસ્તાન તરફી ઈસ્લામી ઉગ્રવાદીઓએ ઘડી હતી યોજના

એક દિવસ પહેલા બાંગ્લાદેશની સેનાએ એ રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમા બાંગ્લાદેશની સેનામાં આર્મી ચીફ જનરલ વકાર ઉજ જમાનના તખ્તાપલટની વાત કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવાયુ છે કે જનરલ વકાર ઉજ જમાનના તખ્તાપલટ માટે એક બેઠક કરવામાં આવી. પરંતુ પૂરતુ સમર્થન ન મળવાથી પ્લાન ફેલ થઈ ગયો.

Holi Festival: આ મુસ્લિમ દેશોમાં ઉજવાય છે હોળી, જાણી લો નામ

હોળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. આ તહેવાર ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઉજવાય છે. મહત્વનું છે કે કેટલાક મુસ્લિમ દેશો પણ આ તહેવારની ઉજવણી કરે છે.

શું બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટ થશે? ખુદ ત્યાંના સેના પ્રમુખે ઈશારો કર્યો કે અહીં કંઈક મોટુ થવાનું છે- વાંચો

બાંગ્લાદેશથી એક મોટી ખબર સામે આવી છે, એ ખબર એ છે કે બાંગ્લાદેશના જનરલ, એટલે કે આર્મી ચીફને લાગી રહ્યુ છે કે બહુ જલદી બાંગ્લાદેશમાં કંઈક મોટુ અને ખતરનાક થવાનું છે. આવી માહિતી કેમ સામે આવી રહી છે? તેને ત્રણ ઘટનાક્રમ દ્વારા વિસ્તારથી સમજીએ.

Champions Trophy 2025 : પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયું, બાંગ્લાદેશની પણ સફર સમાપ્ત

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છઠ્ઠી મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશ સામે આસાન જીત નોંધાવી હતી. ન્યુઝીલેન્ડની આ જીતથી બે ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું અને બાંગ્લાદેશની સાથે પાકિસ્તાનને પણ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું.

Champions Trophy : ગોવામાં ભારત-બાંગ્લાદેશ મેચ પર સટ્ટો રમતા ત્રણ ગુજરાતીની પોલીસે કરી ધરપકડ

ગુરુવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ પર ગોવામાં સટ્ટો રમાઈ રહ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે એક ઘર પર દરોડા પડ્યા અને ઘટનાસ્થળેથી ત્રણ યુવાનોની ધરપકડ કરી. તેમની પાસેથી એક લેપટોપ અને ચાર મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.

લોકડાઉનમાં લગ્ન કર્યા, પિતા-પુત્રનો જન્મદિવસ એક જ દિવસે આવે છે, આવો છે કેપ્ટનનો પરિવાર

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોનો જન્મ 25 ઓગસ્ટ 1998 ના રોજ બાંગ્લાદેશના રાજશાહીમાં થયો હતો. નઝમુલ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે.તો આજે આપણે બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈનના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

IND vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના ડેબ્યૂ મેચમાં જ શુભમન ગિલે ફટકારી શાનદાર સદી

યુવા ઓપનર શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી જ મેચમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. તેણે આ ઈનિંગ એવા મહત્વપૂર્ણ સમયે રમી હતી જ્યારે ટીમ ઈન્ડિયાને ખૂબ જરૂર હતી. આ તેની વનડે કારકિર્દીની આઠમી સદી છે. આ શુભમન ગિલની ICC ઈવેન્ટમાં પહેલી સદી છે.

IND vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત સાથે શરૂઆત, બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની પહેલી મેચમાં શમી, અક્ષર અને હર્ષિતની દમદાર વિકેટ ટેકિંગ બોલિંગ છતાં બાંગ્લાદેશે ભારત સામે સારી બેટિંગ કરી 228 રન બનાવ્યા અને 229 રનનો સન્માનજનક ટાર્ગેટ ભારતને આપ્યો. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે થોડો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે બાંગ્લાદેશે દુબઈની મુશ્કેલ પિચ પર 229 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરવા દીધો ન હતો. જોકે શુભમન ગિલ અને કેએલ રાહુલની સમજદારી પૂર્વકની બેટિંગના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી.

રોહિત-હાર્દિકના કારણે ટીમ ઈન્ડિયાને 154 રનનો દંડ, 19 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો

બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં બોલરોએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી અને અડધી ટીમને ઝડપથી પેવેલિયન પાછી મોકલી દીધી. આમ છતાં બાંગ્લાદેશે મેચ લાયક 228 રનનો સ્કોર બનાવ્યો અને તેનું કારણ ટીમ ઈન્ડિયાની બે ભૂલો હતી, આ ભૂલના કારણે ટીમ ઈન્ડિયાને 154 રનનું નુકસાન થયું હતું.

IND vs BAN : મોહમ્મદ શમીએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ODI ક્રિકેટમાં દુનિયાના તમામ બોલરોને આ વાતમાં છોડ્યા પાછળ

Mohammad Shami ODI Wickets: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં, મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર બોલિંગ કરી અને બાંગ્લાદેશી બેટ્સમેન માટે સમસ્યા બની રહ્યો.

IND vs BAN: શું ભારતીય ખેલાડીઓ હાથ પર બટર લગાવીને મેદાનમાં ઉતર્યા હતા? ફિલ્ડિંગમાં કરી ત્રણ-ત્રણ ભૂલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની બોલિંગ ઉત્તમ હતી, પરંતુ ફિલ્ડિંગ ખૂબ જ નિરાશાજનક રહી. કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓએ બાંગ્લાદેશના બેટ્સમેનોને જીવનદાન આપ્યું અને સસ્તા ઓલઆઉટ કરવાની તક ગુમાવી.

g clip-path="url(#clip0_868_265)">