AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં આવેલ એક દેશ છે. બાગ્લાદેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સરહદો ભારત સાથે અને દક્ષિણ પૂર્વ સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે. દક્ષિણમાં બંગાળની ખાડી છે. બાંગ્લાદેશ અને ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળ એ મુખ્યત્વે બંગાળી ભાષા બોલતા પ્રદેશ છે, બંગાળ, જેનું ઐતિહાસિક નામ બંગ અથવા બાંગ્લા છે. 1947માં ભારતના ભાગલા સમયે તેને ‘પૂર્વ પાકિસ્તાન’ નામથી પાકિસ્તાનના પૂર્વ ભાગ તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે તેની સીમા રેખા નક્કી કરવામાં આવી હતી.

બાંગ્લાદેશ 164 મિલિયનથી વધુની વસ્તી સાથે વિશ્વનો આઠમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જમીન વિસ્તારની દ્રષ્ટિએ, બાંગ્લાદેશ 92મા ક્રમે છે, જે 148,460 ચોરસ કિલોમીટર (57,320 ચોરસ માઇલ) ને આવરી લે છે, જે તેને સૌથી ગીચ વસ્તીવાળા દેશોમાંનું એક બનાવે છે. બંગાળીઓ બાંગ્લાદેશની કુલ વસ્તીના 98 % છે, જે તેને વિશ્વના સૌથી સમાન રાજ્યોમાંનું એક બનાવે છે. બાંગ્લાદેશની મોટી વસ્તી મુસ્લિમ છે, જે તેને ત્રીજો સૌથી મોટો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ બનાવે છે.

બાંગ્લાદેશનું બંધારણ ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે સ્થાપિત કરે છે અને બાંગ્લાદેશને બિનસાંપ્રદાયિક રાજ્ય જાહેર કરે છે. બૌદ્ધ ગ્રંથો અનુસાર, આ વિસ્તારમાં આધુનિક સભ્યતા 700 બીસીથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. અહીંની શરૂઆતની સભ્યતા પર બૌદ્ધ અને હિંદુ ધર્મનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉત્તર બાંગ્લાદેશમાં હજારો સ્થાપત્ય અવશેષો કે જેને મંદિરો અથવા મઠો કહી શકાય હજુ પણ અસ્તિત્વમાં છે.

 

Read More

IPL 2026: KKR ને મોટો ઝટકો, જેના પર 9.2 કરોડ ખર્ચ્યા તે ખેલાડી આટલા દિવસો માટે IPLમાંથી બહાર

KKR ને IPL 2026 પહેલા મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર ફાસ્ટ બોલર પર 9.2 કરોડ રૂપિયાનો મોટો દાવ લગાવ્યો હતો, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે આ સ્ટાર ખેલાડી 8 દિવસ સુધી IPL માં નહીં રમે.

કાનુની સવાલ : બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયેલી ગર્ભવતી મહિલાને ભારત પાછા ફરવાની મંજૂરી કેમ મળી ? શું કહે છે ભારતનો નિર્વાસન કાનુન જાણો

સુપ્રીમ કોર્ટે એક પ્રેગ્નેટ મહિલાને બાંગલાદેશથી ભારત પરત ફરવાની મંજૂરી આપી છે. આ મહિલા તેના 8 વર્ષના દીકરા સાથે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાની શંકાના આધારે સાથે બાંગ્લાદેશ મોકલવામાં આવી હતી. સમગ્ર કેસ વિશે જાણો

BPL 2026 Auction: મેચ ફિક્સિંગના ગંભીર આરોપોને કારણે 7 ખેલાડીઓને ઓક્શનમાંથી બહાર કરવામાં આવ્યા

બાંગ્લાદેશમાં આયોજિત T20 પ્રીમિયર લીગ BPL 2026 ની આગામી સિઝન પહેલા ખેલાડીઓનું ઓક્શન થશે, જો કે ઓક્શનના એક દિવસ પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સાત ખેલાડીઓને ડ્રાફ્ટમાંથી બહાર કરી દીધા હતા. આ સાત ખેલાડીઓ પર મેચ ફિક્સિંગના આરોપો છે.

2011 વર્લ્ડ કપ જીતનાર ખેલાડીની બાંગ્લાદેશ T20 લીગમાં એન્ટ્રી, પહેલીવાર કોઈ ભારતીય આ ટુર્નામેન્ટમાં રમશે!

તાજેતરના વર્ષોમાં, કેટલાક ભારતીય ખેલાડીઓએ વિદેશી T20 લીગમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને તે ટીમો માટે પણ રમ્યા છે. જ્યારે મોટાભાગના ખેલાડીઓ CPL, BBL, અથવા SA20 જેવી ટુર્નામેન્ટમાં રમ્યા છે, આ પહેલીવાર છે જ્યારે કોઈ BPLમાં ભાગ લઈ રહ્યું છે.

શેખ હસીનાની સજા જાહેર થયા બાદ યુનુસે મોટું પગલું ભર્યું, ભારતને સત્તાવાર પત્ર મોકલીને પ્રત્યાર્પણની માંગણી કરી

બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને એક સત્તાવાર પત્ર મોકલીને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરી છે. બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) એ માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. હસીના હાલમાં ભારતમાં છે.

IND-A vs BAN-A : ભારે રોમાંચક મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું, સુપર ઓવરમાં હારી ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025 માં ઈન્ડિયા A ની સફરનો અંત આવ્યો છે. બાંગ્લાદેશ A સામેની રોમાંચક સેમિફાઈનલ મેચમાં, ઈન્ડિયા A સુપર ઓવરમાં હારી ગયું અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 194 રનનો સ્કોર બનાવ્યો. જવાબમાં, ઈન્ડિયા A નો સ્કોર સમાન રહ્યો અને મેચ ટાઈ થઈ. બાદમાં સુપર ઓવરમાં મોટી ભૂલના કારણે ઈન્ડિયા A હારી ગયું.

‘મોહમ્મદ યુનુસ મારી માતા ને ટચ પણ ન કરી શકે’- શેખ હસીના ના પુત્રએ કર્યો દાવો

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમના પુત્રએ કહ્યુ,"કોઈપણ પ્રત્યાર્પણ કરતા પહેલા સંધિની સાથે કાયદો હોવો જોઈએ. સૌથી પહેલા તો એક લીગલ સરકાર હોવી જોઈએ. જે યુનુસની સરકાર છે નહીં. બીજુ એ કે, ડ્યુ પ્રોસેસ ફોલો થવી જોઈએ, જે ફોલો નથી કરવામાં આવી. પ્રોસેસ ખુદ લીગલ હોવી જોઈએ અને બાંગ્લાદેશમાં પ્રોસેસ સંપૂર્ણપણે ગેરકાયદે હતી.

મોહમ્મદ યુનુસ ગમે તેટલા ધમપછાડા કરે, આ મજબૂત દલીલોને આધારે ભારત શેખ હસીનાને ક્યારેય બાંગ્લાદેશને સોંપશે નહીં- વાંચો

"ભારત કોઈપણ સંજોગોમાં શેખ હસીનાને સોંપી શકશે નહીં. જો ભારત આવું કરશે, તો બાંગ્લાદેશમાંથી આવામી લીગનો નાશ થશે. પછી ઇસ્લામિક દળો સત્તામાં હશે, અને ચીન અને પાકિસ્તાન સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવશે. ભલે બીએનપીને યુએસનું સમર્થન હોય, પણ યુએસ ક્યારેય બાંગ્લાદેશમાં મોટી શક્તિ બની શકશે નહીં. શેખ હસીનાને સોંપવું એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો છે."

Breaking News: BCCI એ બાંગ્લાદેશ સામે આખી સિરીઝ રદ કરી, અચાનક લીધો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે અને ભારતીય મહિલા ટીમ સાથે જોડાયેલી આગામી શ્રેણી રદ કરી છે. આ શ્રેણીમાં ત્રણ ODI અને ત્રણ T20 મેચ રમવાની હતી. જોકે, BCCIએ અચાનક તેને રદ કરી દીધી છે.

Breaking News : શેખ હસીનાના કેસમાં નવો વળાંક ! શું બાંગ્લાદેશનું ‘બ્લડ મની’ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને બચાવશે ?

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને ગંભીર આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. જો કે, આ બધા વચ્ચે લોકોની નજર બાંગ્લાદેશના 'બ્લડ મની' પર છે. એવામાં ચાલો સમજીએ કે, આ 'બ્લડ મની' શું છે અને આનાથી શેખ હસીના બચશે કે નહીં?

લો બોલો, બાંગ્લાદેશની મહિલા જેલોમાં એક પણ ફાંસી ઘર તો છે નહીંને ત્યાંની સરકારને શેખ હસીનાને ફાંસીએ ચડાવવા છે!

બાંગ્લાદેશમાં મોતની સજા પાામેલી 94 મહિલાઓ હજુ પણ જેલમાં બંધ છે. આઝાદી બાદ 100 થી વધુ મહિલાઓને મોતની સજા સંભળાવવામાં આવી પરંતુ કોઈને પણ હજુ સુધી ફાંસી આપવામાં આવી નથી. બાંગ્લાદેશની મહિલા જેલમાં ફાંસી ઘર સુદ્ધા નથી. શેખ હસીનાને સજા-એ-મોતના એલાન બાદ ફરીથી આ ચર્ચાએ જોર પકડ્યુ છે.

ગોળીબાર…બોમ્બ ફેંકાયા..આગ લગાડાઇ… શેખ હસીનાને ફાંસીની સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ફરી ફાટી નીકળી હિંસા, 2ના મોત

શેખ હસીનાની ફાંસીની સજા બાદ બાંગ્લાદેશમાં અરાજકતા છે. સોમવારથી દેશભરમાં ગોળીબાર, આગચંપી અને બોમ્બ વિસ્ફોટો થઈ રહ્યા છે. દરમિયાન તોફાની ટોળાએ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઘરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો અને બુલડોઝર લઈને પહોંચ્યા. હિંસામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને 12 જેટલા લોકો ઘાયલ થયા છે.

પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો

ભારતમાં કોઈ આંદોલનો થાય કે સરકાર સામે વિરોધનો વંટોળ ભડકી ઉઠે તો આપણે અનેકવાર સત્તાધિશોને એવુ કહેતા સાંભળ્યા છે કે આ વિરોધ વિદેશી તાકતો કરાવી રહી છે. તો એ વિદેશી તાકતો કઈ છે ? ભૂતકાળમાં આ વિદેશી તાકતોએ અનેક દેશોમાં તખ્તાપલટ કરાવી દીધા છે. દેશને અંધાધૂંધીમાં ધકેલી દીધો છે તો આખરે આ વિદેશ તાકતો કઈ છે અને આ તાકાત પાછળ કોનુ ભેજુ કામ કરી રહ્યુ હોય છે. વાંચો

Breaking News : ફાંસીની સજા ! શેખ હસીના વિરુદ્ધ આવ્યો નિર્ણય, શું ભારત બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને પરત મોકલશે ? જાણો નિયમ

બાંગ્લાદેશની કોર્ટમાં શેખ હસીના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. એવામાં આજે એટલે કે 17 નવેમ્બર સોમવારના રોજ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા મળશે, તેવી જાહેરાત કરવામાં આવી.

Breaking News : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા

બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ કોર્ટેનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે. બાંગ્લાદેશની યુનુસ સરકારના વકીલે શેખ હસીનાને ફાંસી આપવાની માંગ કરી હતી. સરકારી વકીલનું કહેવું છે કે, શેખ હસીના વિરુદ્ધ અંદાજે 1400 આરોપ છે.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">