પાકિસ્તાને આટલા બધા ડ્રોન છોડ્યા-મિસાઈલ મારો કર્યો છતા ભારતમાં કોઈનો વાળ કેમ વાંકો ના થયો, શું કહ્યું DGMO એ ?
પહેલગામના બૈસરન આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો. ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં આતંકીઓના 9 અડ્ડાઓને નિશાન બનાવીને આશરે 100 જેટલા આતંકવાદી-આતંકના સપોલિયાઓનો ખાત્મો બોલાવ્યો. આ ઘટના બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ વડે હવાઈ હુમલા કર્યા પરંતુ એક કાંકરી પણ ખરી નહીં.

ઓપરેશન સિદૂંરના શૌર્યપ્રેરક હુમલા બાદ, ભારતીય સૈન્યની ત્રણેય પાંખના ઓપરેશનલ વડાઓની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

પ્રેસ કોન્ફરન્સમાં ડીજીએમઓ રાજીવ ઘાઈએ ઓપરેશન સિંદૂરને લઈને અનેક ખુલાસાઓ કર્યા હતા.

પાકિસ્તાનના એરબેઝનો ખુદડો બાલોવી દેવાયો હતો. તુર્કીયે પાસેથી પાકિસ્તાને મફતમાં મેળવેલા તકલાદી ડ્રોનને હવામાં જ તોડી નાખવામાં આવ્યા.

ભારતે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે શરૂ કર્યું હતું. પરંતુ પાકિસ્તાનને આતંકવાદીઓ વધુ વ્હાલા લાગ્યા તેથી તેમણે આતંકવાદ સામેની લડાઈ-હુમલાને પોતાની લડાઈ બનાવી નાખી જેમાં તેમણે ભારે માર ખાધો. એટલું જ નહીં સૈન્યની દ્રષ્ટિએ પણ પારાવાર નુકસાન ભોગવવું પડ્યું છે.

ભારતને જાણ હતી કે, પાકિસ્તાન લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાર કર્યા વિના જ ભારતમા વિવિધ જગ્યાઓ પર હુમલા કરવાનો પ્રયાસ કરશે તેથી ભારતે તેની સુરક્ષા પ્રણાલી પહેલેથી જ એક્ટિવ કરી નાખી હતી.

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાને વર્ષો પછી ભારતની સૈન્ય તાકાતનો સ્વાદ ચાખ્યો છે. પાકિસ્તાન એ ના ભૂલે કે આ લડાઈ આતંકવાદ સામેની છે. જો હવે ફરી ભારતમાં આતંકી હુમલા થશે તો ઓપરેશન સિંદૂર કરતા પણ વધુ ખુવારી અને નુકસાન વેઠવા તૈયાર રહે.
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય આર્મીએ, પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા. વાયુસેનાએ હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને શોભાના ગાંઠીયા બનાવી નાખ્યા. ભારતીય સૈન્યના અનેક પરાક્રમ સહીતના શૌર્યપ્રેરક સમાચાર જાણવા માટે અમારા ટોપિક પર ક્લિક કરો.
‘જય હિન્દ જય ભારત’