AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : દેશમાં ઈચ્છામૃત્યુ અંગેના નિયમો અને કાયદા શું છે? શું આત્મહત્યા પણ આ જ દાયરામાં આવે છે? જાણો

સુપ્રીમ કોર્ટે કહ્યું, "રિપોર્ટ્સ અને ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ થાય છે કે હરીશ રાણાની હાલત દયનીય છે. તેથી, આપણે ઈચ્છામૃત્યુ પ્રક્રિયાના આગલા તબક્કામાં આગળ વધવું જોઈએ. તો ચાલો આજે આપણે જાણીએ ઈચ્છામૃત્યુ અંગેનો કાનુન શું છે.

| Updated on: Dec 21, 2025 | 12:40 PM
Share
સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત સંવેદનશીલ કેસ સામે આવ્યો, જેમાં જીવનની ગરિમા, વેદના અને ગૌરવ સાથે   Right to die with dignity પર પુનર્વિચાર કરવાની ફરજ પડી. હરીશ છેલ્લા 13 વર્ષથી 100% અપંગ છે, જેનાથી સ્વસ્થ થવાની શક્યતા ઓછી છે. આ કેસમાં ચાર નિષ્ણાત ડોકટરોના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે હરીશની બીમારીમાંથી સ્વસ્થ થવાની શક્યતા લગભગ શૂન્ય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે ગુરુવારે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પ્રક્રિયાનો આગળનો તબક્કો શરૂ કરવાનો નિર્ણય લીધો.

સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત સંવેદનશીલ કેસ સામે આવ્યો, જેમાં જીવનની ગરિમા, વેદના અને ગૌરવ સાથે Right to die with dignity પર પુનર્વિચાર કરવાની ફરજ પડી. હરીશ છેલ્લા 13 વર્ષથી 100% અપંગ છે, જેનાથી સ્વસ્થ થવાની શક્યતા ઓછી છે. આ કેસમાં ચાર નિષ્ણાત ડોકટરોના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે હરીશની બીમારીમાંથી સ્વસ્થ થવાની શક્યતા લગભગ શૂન્ય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે ગુરુવારે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પ્રક્રિયાનો આગળનો તબક્કો શરૂ કરવાનો નિર્ણય લીધો.

1 / 10
ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે એઈમ્સ દિલ્હીના ડિરેક્ટરને ગૌણ તબીબી બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ અરજી હરીશના પિતા અશોક રાણા દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેઓ વર્ષોથી તેમના પુત્રની સ્થિતિ અસહ્ય સ્થિતિમાં જોઈ રહ્યા હતા.

ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે એઈમ્સ દિલ્હીના ડિરેક્ટરને ગૌણ તબીબી બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ અરજી હરીશના પિતા અશોક રાણા દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેઓ વર્ષોથી તેમના પુત્રની સ્થિતિ અસહ્ય સ્થિતિમાં જોઈ રહ્યા હતા.

2 / 10
પ્રાથમિક તબીબી બોર્ડના અહેવાલમાં જણાવાયું હતું કે હરીશ પથારીવશ હતો, ટ્રેકીઓસ્ટોમી ટ્યુબની મદદથી શ્વાસ લઈ રહ્યો હતો, ગેસ્ટ્રોસ્ટોમી દ્વારા ખોરાક આપવામાં આવી રહ્યો હતો અને તેના આખા શરીરમાં ચાંદા હતા. રિપોર્ટ વાંચતા કોર્ટે ટિપ્પણી કરી હતી કે સ્થિતિ અત્યંત દયનીય હતી અને આટલા લાંબા સમય પછી પણ તેમાં સુધારાના કોઈ સંકેતો દેખાતા નહોતા.

પ્રાથમિક તબીબી બોર્ડના અહેવાલમાં જણાવાયું હતું કે હરીશ પથારીવશ હતો, ટ્રેકીઓસ્ટોમી ટ્યુબની મદદથી શ્વાસ લઈ રહ્યો હતો, ગેસ્ટ્રોસ્ટોમી દ્વારા ખોરાક આપવામાં આવી રહ્યો હતો અને તેના આખા શરીરમાં ચાંદા હતા. રિપોર્ટ વાંચતા કોર્ટે ટિપ્પણી કરી હતી કે સ્થિતિ અત્યંત દયનીય હતી અને આટલા લાંબા સમય પછી પણ તેમાં સુધારાના કોઈ સંકેતો દેખાતા નહોતા.

3 / 10
સુનાવણીના અંતે, બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે. કોર્ટ હવે હાથ પર હાથ રાખી બેસી શકે નહીં. અમે તેમને આ સ્થિતિમાં રહેવા ન દઈ શકીએ, કોર્ટે આદેશ આપ્યો છે કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે. નવો રિપોર્ટ માંગવામાં આવ્યો છે,

સુનાવણીના અંતે, બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે. કોર્ટ હવે હાથ પર હાથ રાખી બેસી શકે નહીં. અમે તેમને આ સ્થિતિમાં રહેવા ન દઈ શકીએ, કોર્ટે આદેશ આપ્યો છે કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે. નવો રિપોર્ટ માંગવામાં આવ્યો છે,

4 / 10
ભારતમાં ઈચ્છામૃત્યુનો કાનૂન શું કહે છે. હરીશ રાણાનો આ કેસ એવો પહેલું પ્રકરણ હશે. જેમાં સુપ્રીમ કોર્ટે દ્વારા નિર્ધારિત પ્રકિયા હેઠળ કોર્ટે ખુદ દેખરેખ રાખી રહી છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં ગરિમાની સાથે મૃત્યુના અધિકારને જીવનનો મૌલિક અધિકારનો ભાગ માન્યો હતો.

ભારતમાં ઈચ્છામૃત્યુનો કાનૂન શું કહે છે. હરીશ રાણાનો આ કેસ એવો પહેલું પ્રકરણ હશે. જેમાં સુપ્રીમ કોર્ટે દ્વારા નિર્ધારિત પ્રકિયા હેઠળ કોર્ટે ખુદ દેખરેખ રાખી રહી છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં ગરિમાની સાથે મૃત્યુના અધિકારને જીવનનો મૌલિક અધિકારનો ભાગ માન્યો હતો.

5 / 10
 આ સાથે ટર્મિનલ બિમારી કે પછી વેઝિટેટિવ સ્ટેટમાં જીવન-રક્ષક ઉપકરણો દૂર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.2023માં, કોર્ટે પ્રક્રિયામાં સુધારો કર્યો, બે-સ્તરીય તબીબી બોર્ડની સ્થાપના કરી.તેણે એ પણ સુનિશ્ચિત કર્યું કે જો દર્દીના પરિવારને હોસ્પિટલ તરફથી ઈચ્છામૃત્યુની વિનંતી કરવાની પરવાનગી ન મળે, તો તેઓ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.

આ સાથે ટર્મિનલ બિમારી કે પછી વેઝિટેટિવ સ્ટેટમાં જીવન-રક્ષક ઉપકરણો દૂર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.2023માં, કોર્ટે પ્રક્રિયામાં સુધારો કર્યો, બે-સ્તરીય તબીબી બોર્ડની સ્થાપના કરી.તેણે એ પણ સુનિશ્ચિત કર્યું કે જો દર્દીના પરિવારને હોસ્પિટલ તરફથી ઈચ્છામૃત્યુની વિનંતી કરવાની પરવાનગી ન મળે, તો તેઓ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.

6 / 10
હરીશ 2013માં પંજાબ યુનિવર્સિટીમાં બી.ટેક ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તે તેના પીજીના ચોથા માળેથી પડી ગયો હતો. અનેક હોસ્પિટલોમાં સારવાર લેવા છતાં, તે કોમામાંથી બહાર આવ્યો નહીં. જ્યારે દિલ્હી હાઈકોર્ટે તેનો કેસ પ્રાથમિક બોર્ડને મોકલવાનો ઇનકાર કર્યો, ત્યારે તેના પિતાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. તેમણે દલીલ કરી કે તેમના પુત્રની સ્થિતિ તેના ગૌરવનું ઉલ્લંઘન કરે છે અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે.

હરીશ 2013માં પંજાબ યુનિવર્સિટીમાં બી.ટેક ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તે તેના પીજીના ચોથા માળેથી પડી ગયો હતો. અનેક હોસ્પિટલોમાં સારવાર લેવા છતાં, તે કોમામાંથી બહાર આવ્યો નહીં. જ્યારે દિલ્હી હાઈકોર્ટે તેનો કેસ પ્રાથમિક બોર્ડને મોકલવાનો ઇનકાર કર્યો, ત્યારે તેના પિતાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. તેમણે દલીલ કરી કે તેમના પુત્રની સ્થિતિ તેના ગૌરવનું ઉલ્લંઘન કરે છે અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે.

7 / 10
આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે ઈચ્છામૃત્યુના કેટલા પ્રકાર છે. સૌથી પહેલું સક્રિય ઈચ્છા મૃત્યું આ કિસ્સામાં, કોઈ જીવલેણ બીમારીથી પીડાતા અને અસહ્ય શારીરિક કે માનસિક પીડા સહન કરતા દર્દીનું જીવન જાણી જોઈને સમાપ્ત કરવામાં આવે છે. ડોકટરો અથવા તબીબી કર્મચારીઓ પીડા દૂર કરવાના આડમાં દર્દીના જીવનનો અંત લાવવા માટે ઘાતક દવાઓ આપે છે.

આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે ઈચ્છામૃત્યુના કેટલા પ્રકાર છે. સૌથી પહેલું સક્રિય ઈચ્છા મૃત્યું આ કિસ્સામાં, કોઈ જીવલેણ બીમારીથી પીડાતા અને અસહ્ય શારીરિક કે માનસિક પીડા સહન કરતા દર્દીનું જીવન જાણી જોઈને સમાપ્ત કરવામાં આવે છે. ડોકટરો અથવા તબીબી કર્મચારીઓ પીડા દૂર કરવાના આડમાં દર્દીના જીવનનો અંત લાવવા માટે ઘાતક દવાઓ આપે છે.

8 / 10
નિષ્ક્રિય ઈચ્છામૃત્યુમાં વ્યક્તિને સંપૂર્ણ રીતે મારી નાખવાને બદલે જીવન બચાવતી તબીબી સહાયથી વંચિત રાખવાનો સમાવેશ થાય છે. આ નિર્ણય સામાન્ય રીતે ત્યારે લેવામાં આવે છે જ્યારે દર્દી લાંબા સમય સુધી, ઘણીવાર છ મહિના કે તેથી વધુ સમય માટે વેઝિટેટિવ સ્થિતિમાં હોય અને સામાન્ય જીવનમાં પાછા ફરવાની કોઈ વાસ્તવિક શક્યતા ન હોય. આવા કિસ્સાઓમાં,લાઈફ સપોર્ટ સિસ્ટમ દૂર કરવામાં આવે છે અને મૃત્યુને મંજૂરી આપવામાં આવે છે.

નિષ્ક્રિય ઈચ્છામૃત્યુમાં વ્યક્તિને સંપૂર્ણ રીતે મારી નાખવાને બદલે જીવન બચાવતી તબીબી સહાયથી વંચિત રાખવાનો સમાવેશ થાય છે. આ નિર્ણય સામાન્ય રીતે ત્યારે લેવામાં આવે છે જ્યારે દર્દી લાંબા સમય સુધી, ઘણીવાર છ મહિના કે તેથી વધુ સમય માટે વેઝિટેટિવ સ્થિતિમાં હોય અને સામાન્ય જીવનમાં પાછા ફરવાની કોઈ વાસ્તવિક શક્યતા ન હોય. આવા કિસ્સાઓમાં,લાઈફ સપોર્ટ સિસ્ટમ દૂર કરવામાં આવે છે અને મૃત્યુને મંજૂરી આપવામાં આવે છે.

9 / 10
 આને આસિસ્ટેડ આત્મહત્યા કહેવામાં આવે છે. આ કિસ્સામાં, દર્દી, સંપૂર્ણ સભાન હોવા છતાં, પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લે છે, પરંતુ તેમને તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે. ડૉક્ટર તેમને તેમના નિર્ણયને અમલમાં મૂકવા માટે દવા અથવા અન્ય જરૂરી સાધનો પૂરા પાડે છે.લિવિંગ વીલ એ એક કાનૂની દસ્તાવેજ છે જેના દ્વારા વ્યક્તિ અગાઉથી સ્પષ્ટ કરે છે કે,શું તે ભવિષ્યમાં એવી અસાધ્ય સ્થિતિમાં પહોંચી જાય જ્યાં સાજા થવાની કોઈ શક્યતા ન હોય તો કૃત્રિમ રીતે જીવન જાળવવા માટે તબીબી સુવિધાઓનો લાભ લેવા માંગે છે તે નહી.કઈ પરિસ્થિતિઓ માટે ઈચ્છામૃત્યુની મંજૂરી છે?સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા કોઈ ચોક્કસ શરતોનો ઉલ્લેખ કરતી નથી. જો કોઈ ડૉક્ટર નક્કી કરે કે દર્દીને બચવાની કોઈ આશા નથી, તો દર્દી અને તેના પરિવારની સલાહ પર ઈચ્છામૃત્યુ આપી શકાય છે.જોકે, ઈચ્છામૃત્યુ આપવામાં આવી રહેલી વ્યક્તિને પરિસ્થિતિની જાણ હોવી જરૂરી છે. (all photo : canva)

આને આસિસ્ટેડ આત્મહત્યા કહેવામાં આવે છે. આ કિસ્સામાં, દર્દી, સંપૂર્ણ સભાન હોવા છતાં, પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લે છે, પરંતુ તેમને તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે. ડૉક્ટર તેમને તેમના નિર્ણયને અમલમાં મૂકવા માટે દવા અથવા અન્ય જરૂરી સાધનો પૂરા પાડે છે.લિવિંગ વીલ એ એક કાનૂની દસ્તાવેજ છે જેના દ્વારા વ્યક્તિ અગાઉથી સ્પષ્ટ કરે છે કે,શું તે ભવિષ્યમાં એવી અસાધ્ય સ્થિતિમાં પહોંચી જાય જ્યાં સાજા થવાની કોઈ શક્યતા ન હોય તો કૃત્રિમ રીતે જીવન જાળવવા માટે તબીબી સુવિધાઓનો લાભ લેવા માંગે છે તે નહી.કઈ પરિસ્થિતિઓ માટે ઈચ્છામૃત્યુની મંજૂરી છે?સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા કોઈ ચોક્કસ શરતોનો ઉલ્લેખ કરતી નથી. જો કોઈ ડૉક્ટર નક્કી કરે કે દર્દીને બચવાની કોઈ આશા નથી, તો દર્દી અને તેના પરિવારની સલાહ પર ઈચ્છામૃત્યુ આપી શકાય છે.જોકે, ઈચ્છામૃત્યુ આપવામાં આવી રહેલી વ્યક્તિને પરિસ્થિતિની જાણ હોવી જરૂરી છે. (all photo : canva)

10 / 10

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે.  અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">