પારસી સમુદાયમાં માણસના મૃતદેહના અગ્નિસંસ્કાર કે દફનાવવામાં નથી આવતા, પરંતુ આ રીતે કરાય છે અંતિમવિધિ
ભારતમાં દરેક ધર્મના લોકો વસવાટ કરે છે. જેમની પરંપરાઓ એક બીજાથી ભિન્ન છે. ભારતમાં પારસી સમુદાયના લોકોની સંખ્યા જો કે વધારે નથી. પરંતુ તેમના યોગદાનનું એક આગવુ મહત્વ છે. પારસી ધર્મમાં અંતિમ સંસ્કાર કરવાની રીતે અન્ય ધર્મથી અલગ છે. પારસીમાં માણસનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં નથી આવતા. તેમજ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મૃતદેહને દફનાવતા પણ નથી.

પારસી ધર્મમાં મૃત શરીરને અશુદ્ધ માનવામાં આવે છે. તો પારસી ધર્મમાં ધરતી, જળ અને અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી મૃતદેહોના અગ્નિસંસ્કાર કે દફનાવવા એ ધાર્મિક દૃષ્ટિકોણથી સંપૂર્ણપણે ખોટું માને છે.

તેઓ એવુ માને છે કે મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાથી અગ્નિનું તત્વ અશુદ્ધ બને છે. મૃતદેહોને દફનાવાથી તે પૃથ્વીને પ્રદૂષિત કરે છે. અને નદીમાં કે પાણીમાં વહેવાથઈ પાણીને પ્રદૂષિત કરે છે.

ટાવર ઓફ સાયલન્સમાં મૃતદેહને ખુલ્લામાં રાખવામાં આવે છે. અને પ્રાર્થના શરૂ કરવામાં આવે છે. અને પ્રાર્થના પછી મૃતદેહને ગીધ અને ગરુડ ખાવા માટે છોડી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પારસી સમુદાયની પરંપરાનો એક ભાગ છે.

પારસી સમુદાયે મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સમાં રાખવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સ એક ગોળાકાર સ્થળ છે જ્યાં મૃતદેહોને ખુલ્લા આકાશ તરફ મુકવામાં આવે છે.

આ પરંપરા પારસી ધર્મમાં લગભગ 3 હજાર વર્ષથી ચાલી આવે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગીધની સંખ્યામાં ઘટાડો થવાને કારણે પારસી સમુદાયના લોકોને અંતિમ સંસ્કાર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

































































