AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને પણ જમ્યા પછી અપચો અને ગેસ થાય છે? તો રોજ કરો આ આસન અને જુઓ ચમત્કાર

આપણે સૌ જાણીએ છીએ કે જમ્યા પછી તરત આરામ કરવો જોઈએ, પરંતુ યોગશાસ્ત્ર એક એવી ક્રિયા જણાવે છે જે આ માન્યતાને બદલી નાખે છે. જમ્યા પછી તરત જ વજ્રાસન કરવું સ્વાસ્થ્ય માટે અદ્ભુત રીતે ફાયદાકારક છે. આ આસન પાચનતંત્ર પર સીધી અને સકારાત્મક અસર કરે છે, જાણો વિગતે..

| Updated on: Sep 06, 2025 | 4:24 PM
Share
પાચનમાં સુધારો:- વજ્રાસન કરવાથી તમારું પાચન સારું રહે છે. જો તમને જમ્યા પછી ગેસ, અપચો કે કબજિયાત જેવી તકલીફ થતી હોય, તો આ આસન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ખોરાકને સરળતાથી પચાવે છે અને પેટને સ્વસ્થ રાખે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને પાચન સંબંધિત રોગોથી બચી શકાય છે.

પાચનમાં સુધારો:- વજ્રાસન કરવાથી તમારું પાચન સારું રહે છે. જો તમને જમ્યા પછી ગેસ, અપચો કે કબજિયાત જેવી તકલીફ થતી હોય, તો આ આસન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ખોરાકને સરળતાથી પચાવે છે અને પેટને સ્વસ્થ રાખે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને પાચન સંબંધિત રોગોથી બચી શકાય છે.

1 / 7
જમ્યા પછી વજ્રાસન કરવાથી પગ અને જાંઘમાં લોહીનો પ્રવાહ ઘટીને પેટના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે. આ વધેલો રક્ત પ્રવાહ પાચનતંત્રના અંગો, જેમ કે પેટ, આંતરડા અને લિવરને વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરવા માટે ઉત્તેજિત કરે છે. પરિણામે, તે પાચનક્રિયાને વેગ આપે છે અને ખોરાકનું પાચન ઝડપથી અને વધુ સરળતાથી થાય છે. જે પાચનને સુધારે છે.

જમ્યા પછી વજ્રાસન કરવાથી પગ અને જાંઘમાં લોહીનો પ્રવાહ ઘટીને પેટના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે. આ વધેલો રક્ત પ્રવાહ પાચનતંત્રના અંગો, જેમ કે પેટ, આંતરડા અને લિવરને વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરવા માટે ઉત્તેજિત કરે છે. પરિણામે, તે પાચનક્રિયાને વેગ આપે છે અને ખોરાકનું પાચન ઝડપથી અને વધુ સરળતાથી થાય છે. જે પાચનને સુધારે છે.

2 / 7
વજ્રાસન એ માત્ર પાચન માટે જ નહીં, પરંતુ કરોડરજ્જુ અને શરીરના ઉપરના ભાગ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ આસનમાં બેસવાથી કરોડરજ્જુ સીધી રહે છે, જે તેના પર આવતા દબાણને ઓછું કરે છે. નિયમિત કરવાથી કરોડરજ્જુ, ખભા અને કમરના સ્નાયુઓ મજબૂત બને છે, જેનાથી પીઠનો દુખાવો ઓછો થાય છે.

વજ્રાસન એ માત્ર પાચન માટે જ નહીં, પરંતુ કરોડરજ્જુ અને શરીરના ઉપરના ભાગ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ આસનમાં બેસવાથી કરોડરજ્જુ સીધી રહે છે, જે તેના પર આવતા દબાણને ઓછું કરે છે. નિયમિત કરવાથી કરોડરજ્જુ, ખભા અને કમરના સ્નાયુઓ મજબૂત બને છે, જેનાથી પીઠનો દુખાવો ઓછો થાય છે.

3 / 7
વજ્રાસન એ માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ આસનમાં બેસવાથી મન શાંત થાય છે અને માનસિક તણાવ ઓછો થાય છે. જ્યારે આપણું મન શાંત હોય છે, ત્યારે પાચનતંત્ર પણ વધુ સારી રીતે કામ કરે છે. તણાવના કારણે થતી પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે અપચો અને એસિડિટીમાં પણ આ આસન કરવાથી રાહત મળે છે, કારણ કે તે મન અને શરીર બંનેને આરામ આપે છે.

વજ્રાસન એ માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ આસનમાં બેસવાથી મન શાંત થાય છે અને માનસિક તણાવ ઓછો થાય છે. જ્યારે આપણું મન શાંત હોય છે, ત્યારે પાચનતંત્ર પણ વધુ સારી રીતે કામ કરે છે. તણાવના કારણે થતી પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે અપચો અને એસિડિટીમાં પણ આ આસન કરવાથી રાહત મળે છે, કારણ કે તે મન અને શરીર બંનેને આરામ આપે છે.

4 / 7
વજ્રાસન વજન ઘટાડવા માટે પણ ખૂબ મદદરૂપ છે. નિયમિત રીતે વજ્રાસન કરવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. સુધરેલું મેટાબોલિઝમ એટલે કે શરીર ખોરાકને વધુ ઝડપથી ઊર્જામાં રૂપાંતરિત કરે છે, જેનાથી ચરબી ઓછી થાય છે અને કેલરી બળી જાય છે. આ આસન પાચન શક્તિ સુધારીને અને ખોરાકનું યોગ્ય રીતે શોષણ કરીને વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે. તેથી, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે જમ્યા પછી વજ્રાસન કરવું એક સારો અને સરળ વિકલ્પ છે.

વજ્રાસન વજન ઘટાડવા માટે પણ ખૂબ મદદરૂપ છે. નિયમિત રીતે વજ્રાસન કરવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. સુધરેલું મેટાબોલિઝમ એટલે કે શરીર ખોરાકને વધુ ઝડપથી ઊર્જામાં રૂપાંતરિત કરે છે, જેનાથી ચરબી ઓછી થાય છે અને કેલરી બળી જાય છે. આ આસન પાચન શક્તિ સુધારીને અને ખોરાકનું યોગ્ય રીતે શોષણ કરીને વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે. તેથી, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે જમ્યા પછી વજ્રાસન કરવું એક સારો અને સરળ વિકલ્પ છે.

5 / 7
જમ્યા પછી તરત જ વજ્રાસનમાં બેસવું અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ આસન માત્ર પાચન માટે જ નહીં, પરંતુ શરીર અને મનને શાંત કરવા માટે પણ ઉત્તમ છે. નિષ્ણાતોના મતે, ભોજન કર્યા પછી 5 થી 10 મિનિટ સુધી આ આસનમાં બેસવાથી પેટને લોહીનો વહે છે, જેનાથી ખોરાક ઝડપથી અને સરળતાથી પચી જાય છે. તેથી, જમ્યા પછી થોડીવાર વજ્રાસન કરવું ખૂબ જ અસરકારક આદત છે જે જીવનશૈલીને સુધારી શકે છે.

જમ્યા પછી તરત જ વજ્રાસનમાં બેસવું અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ આસન માત્ર પાચન માટે જ નહીં, પરંતુ શરીર અને મનને શાંત કરવા માટે પણ ઉત્તમ છે. નિષ્ણાતોના મતે, ભોજન કર્યા પછી 5 થી 10 મિનિટ સુધી આ આસનમાં બેસવાથી પેટને લોહીનો વહે છે, જેનાથી ખોરાક ઝડપથી અને સરળતાથી પચી જાય છે. તેથી, જમ્યા પછી થોડીવાર વજ્રાસન કરવું ખૂબ જ અસરકારક આદત છે જે જીવનશૈલીને સુધારી શકે છે.

6 / 7
(નોંધ: આ લેખમાં આપેલી માહિતી અને ઉકેલો સામાન્ય સમજ પર આધારિત છે. અમે તેમને સમર્થન આપતા નથી. તેમને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) ( all photos credit: AI)

(નોંધ: આ લેખમાં આપેલી માહિતી અને ઉકેલો સામાન્ય સમજ પર આધારિત છે. અમે તેમને સમર્થન આપતા નથી. તેમને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) ( all photos credit: AI)

7 / 7

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">