Breaking News : લો બોલો…… ભારત-પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે ચીન પણ ગભરાયું, કહ્યું આમા અમારો કોઈ હાથ નથી
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાને દાવો કર્યો છે કે ભારત પરના હુમલામાં ચીન પાસેથી મળેલા ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમણે પોતે ચીનને આ અંગે માહિતી આપી હતી. હવે આ સમગ્ર ઘટના બાદ ચીને ઉંચા હાથ કરી દીધા છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.

પાકિસ્તાન અને પીઓકે પર ભારતના મિસાઇલ હુમલાના એક દિવસ પછી, ચીન અને પાકિસ્તાનના નિવેદનોમાં પાકિસ્તાનની મોટી પોલ ખુલી છે.બેઇજિંગમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન જ્યારે ચીનના વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું કે, ભારત અને પાકિસ્તાનના આ યુદ્ધમાં ચીની ફાઈટર સામેલ હતું. તો પ્રવક્તા લિન જિયાનેક હ્યું અમને ખબર નથી,

એક દિવસ પહેલા પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાને National Assemblyમાં દાવો કર્યો હતો કે ભારતીય વિમાનોને તોડી પાડવામાં પાકિસ્તાને ચીન પાસેથી મળેલા જેટનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે, આની જાણકારી તેમને ખુદ ચીનની ટીમે આપી છે.

રોયટર્સના રિપોર્ટ મુજબ ચીનની આ પ્રતિક્રિયા પાકિસ્તાનના આધિકારિક નિવેદનથી સંપૂર્ણ ઉંધી છે. એક એવો મામલો સામે આવ્યો છે. જ્યારે ભારત- પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.ચીનનું નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયું છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેમણે ચીનના બનાવેલા જે-10 સી વિમાનથી ભારત પર હુમલો કર્યો છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેમણે ચીનના બનાવેલા જે-10 સી વિમાનથી ભારત પર હુમલો કર્યો છે. આ હુમલા દરમિયાન ચીનના રાજદુતો સવારે 4 વાગ્યા સુધી પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં હાજર હતા. પાકિસ્તાને ભારતના સૌથી શક્તિશાળી રાફેલને જવાબ આપવા માટે ચીનનું જે-10 વિમાન ખરીદ્યું છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

































































