2 દીકરા, 6 બહેન અને 5 ભાઈ, પિતા રહી ચૂક્યા છે શિક્ષક, દુનિયાના સૌથી મોટા આતંકવાદીનો આવો છે પરિવાર
મસૂદ અઝહર એક કુખ્યાત આતંકવાદી છે, જે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના સ્થાપક અને નેતા છે. તે ભારત સામેના ઘણા મોટા આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ રહ્યો છે.તો આજે આપણે મસૂદ અઝહરના પરિવાર વિશે વાત કરીએ.

આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર ખૂબ મોટો છે, તેના પરિવારના બધા સભ્યો કોઈને કોઈ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તો આજે આપણે આતંકવાદી અઝહરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મસૂદ અઝહરના કેટલા ભાઈઓ હતા અને તેનો પરિવાર કેટલો મોટો છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર ભારતીય વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરના ઘર પર હુમલો કર્યો હતો. જેમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મોત થયા છે. આ હુમલો ભારતની સરહદથી અંદાજે 100 કિલોમીટર દુર થયો હતો. રિપોર્ટ મુજબ મસુદ અઝહરની બહેન અને તેના પરિવારના સભ્યોના પણ મોત થયા છે.

ભારતની સર્જિકલ સ્ટ્રાઈકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર નાશ થયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ જેશ-એ-મોહમ્મદના પ્રમુખ આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના ઘર પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેના પરિવારના 14 આતંકવાદી માર્યા ગયા છે. પરંતુ મસૂદ અઝહરે 10 મોતની કબુલાત કરી છે.

પાકિસ્તાની મીડિયા મુજબ સ્ટ્રાઈકમાં મસૂદ અઝહરની મોટી બહેન,મૌલાના કશફનો આખો પરિવાર, મુફ્તી અબ્દુલ રઉફ પૌત્ર, મોટી બહેન શહીદ બાજી સાદિયા પોતાના પતિ અને 4 બાળકોની સાથે ઘરમાં સુતી હતી. આ હુમલામાં 14 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે.

હુમલા બાદ મસૂદ અઝહરે પોતાનું નિવેદન બહાર પાડ્યું છે. મસૂદ કહે છે કે અત્યાર સુધીમાં ઘરના 10 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. મસૂદના મુજબ સ્ટ્રાઈકમાં 5 બાળકો માર્યા ગયા છે. આ સિવાય તેનો બનેવી પણ સ્ટ્રાઈકમાં ઠાર થયો છે.

મસૂદ અઝહર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડા છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદથી મસૂદ અંડરગ્રાઉન્ડ છે.

મસૂદ ભારતની હિટ લિસ્ટમાં સામેલ છે. ભારત સરકારનું કહેવું છે કે, મસૂદ આતંકવાદી હુમલાઓ કરવા માટે પાકિસ્તાનના નિર્દેશો પર કામ કરે છે.

ભારતે લશ્કરી હુમલામાં મસૂદના 4 ઠેકાણાઓનો નાશ કર્યો છે. મસૂદ અઝહરને 1983માં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

અઝહર ધોરણ 8 પછી શાળા છોડીને જામિયા ઉલૂમ ઇસ્લામિક શાળામાં જોડાયો, જ્યાંથી તેમણે 1989માં આલિમ તરીકે સ્નાતક થયા અને ટૂંક સમયમાં શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી.

મસૂદ અઝહર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડા છે. આ સંગઠને ભારતમાં ઘણા મોટા હુમલા કર્યા છે, જેમાં સેંકડો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે ભારતે આનો બદલો લીધો છે અને તેના લગભગ આખા કુળનો નાશ કરી દીધો છે.

મસૂદ અઝહરનો જન્મ બહાવલપુરમાં થયો હતો. તેમના પિતા અલી બખ્શ સાબીર પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હતા અને માતા એક ધાર્મિક પરિવારમાંથી હતી. મસૂદ અઝહરના સાત કાકા હતા.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































