AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેકમાં એક ભૂલ અને તમે સીધા જેલ ભેગા ! કાયદા મુજબ ક્યારે દંડ અને કેદની સજા થઈ શકે છે?

શું તમને ખબર છે કે, 'ચેક બાઉન્સ' થવું એ એક ગંભીર ગુનો છે? જો તમે આ વાતથી અજાણ છો, તો ચેતી જજો અને તમારા બેન્ક એકાઉન્ટની સ્થિતિ પર ધ્યાન આપજો, નહીં તો તમારે કોર્ટમાં જવું પડી શકે છે.

| Updated on: Oct 19, 2025 | 2:39 PM
Share
કોઈ વ્યક્તિ બેંક દ્વારા જારી કરાયેલ ચેક બીજા કોઈને પેમેન્ટ માટે આપે છે અને બેંક કોઈ કારણોસર ચેક ક્લિયર ન કરે, ત્યારે તેને 'ચેક બાઉન્સ' કહેવામાં આવે છે. ખાતામાં બેલેન્સ ન હોવું અને સહીમાં ભૂલ હોય, ખોટી તારીખ લખેલી હોય, ખાતા નંબરની ભૂલ, ઓવરરાઇટિંગ, ચેકની સમાપ્તિ તારીખ (સામાન્ય રીતે જારી થયાની તારીખથી ત્રણ મહિના) અથવા ચેક ઇસ્યુ કરનારનું ખાતું બંધ હોવું પણ ચેક બાઉન્સ થવાના મુખ્ય કારણો છે. આ સિવાય બેંકમાં તકનીકી સમસ્યાઓને કારણે પણ ચેક બાઉન્સ થઈ શકે છે.

કોઈ વ્યક્તિ બેંક દ્વારા જારી કરાયેલ ચેક બીજા કોઈને પેમેન્ટ માટે આપે છે અને બેંક કોઈ કારણોસર ચેક ક્લિયર ન કરે, ત્યારે તેને 'ચેક બાઉન્સ' કહેવામાં આવે છે. ખાતામાં બેલેન્સ ન હોવું અને સહીમાં ભૂલ હોય, ખોટી તારીખ લખેલી હોય, ખાતા નંબરની ભૂલ, ઓવરરાઇટિંગ, ચેકની સમાપ્તિ તારીખ (સામાન્ય રીતે જારી થયાની તારીખથી ત્રણ મહિના) અથવા ચેક ઇસ્યુ કરનારનું ખાતું બંધ હોવું પણ ચેક બાઉન્સ થવાના મુખ્ય કારણો છે. આ સિવાય બેંકમાં તકનીકી સમસ્યાઓને કારણે પણ ચેક બાઉન્સ થઈ શકે છે.

1 / 7
કેટલીકવાર, આપણે કોઈને પેમેન્ટ માટે ચેક આપીએ છીએ પરંતુ બેન્ક તેને ક્લિયર કરવાનો અસ્વીકાર કરે છે, એટલે કે ચેક બાઉન્સ થાય છે.  ચેક બાઉન્સ એ ભલે સામાન્ય વાત લાગે પરંતુ તેના કાનૂની પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. જો સમયસર પેમેન્ટ ન થાય અથવા કોઈ કારણોસર ચેક ક્લિયર ન થાય, તો બેંક દંડ લાદે છે. બીજું કે, જો ભૂલ સમયસર સુધારી ન શકાય, તો તેના કારણે કાર્યવાહી અને જેલ પણ થઈ શકે છે.

કેટલીકવાર, આપણે કોઈને પેમેન્ટ માટે ચેક આપીએ છીએ પરંતુ બેન્ક તેને ક્લિયર કરવાનો અસ્વીકાર કરે છે, એટલે કે ચેક બાઉન્સ થાય છે. ચેક બાઉન્સ એ ભલે સામાન્ય વાત લાગે પરંતુ તેના કાનૂની પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. જો સમયસર પેમેન્ટ ન થાય અથવા કોઈ કારણોસર ચેક ક્લિયર ન થાય, તો બેંક દંડ લાદે છે. બીજું કે, જો ભૂલ સમયસર સુધારી ન શકાય, તો તેના કારણે કાર્યવાહી અને જેલ પણ થઈ શકે છે.

2 / 7
બેંક 'ચેક બાઉન્સ' માટે દંડ વસૂલ કરે છે. ચેક જારી કરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવે છે. અલગ અલગ કારણોના આધારે દંડ બદલાઈ શકે છે. દંડ માટે દરેક બેંકે અલગ અલગ રકમ નક્કી કરી હોય છે. મળતી માહિતી મુજબ, દંડ સામાન્ય રીતે ₹150 થી ₹750 જેટલો હોય છે.

બેંક 'ચેક બાઉન્સ' માટે દંડ વસૂલ કરે છે. ચેક જારી કરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવે છે. અલગ અલગ કારણોના આધારે દંડ બદલાઈ શકે છે. દંડ માટે દરેક બેંકે અલગ અલગ રકમ નક્કી કરી હોય છે. મળતી માહિતી મુજબ, દંડ સામાન્ય રીતે ₹150 થી ₹750 જેટલો હોય છે.

3 / 7
ભારતમાં ચેક બાઉન્સ થવાને ગુનો ગણવામાં આવે છે. Negotiable Instrument Act 1881 ની કલમ 138 મુજબ, ચેક બાઉન્સ થવો એ સજાપાત્ર ગુનો છે. આ કલમ મુજબ, જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ચેક ઇસ્યુ કરે છે જે બાઉન્સ થાય છે અને નિર્ધારિત સમય (15 દિવસ) માં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો તેને સજા થઈ શકે છે. કલમ 138 માં બે વર્ષ સુધીની કેદ અને દંડ અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવે છે.

ભારતમાં ચેક બાઉન્સ થવાને ગુનો ગણવામાં આવે છે. Negotiable Instrument Act 1881 ની કલમ 138 મુજબ, ચેક બાઉન્સ થવો એ સજાપાત્ર ગુનો છે. આ કલમ મુજબ, જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ચેક ઇસ્યુ કરે છે જે બાઉન્સ થાય છે અને નિર્ધારિત સમય (15 દિવસ) માં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો તેને સજા થઈ શકે છે. કલમ 138 માં બે વર્ષ સુધીની કેદ અને દંડ અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવે છે.

4 / 7
ચેક બાઉન્સ થયા પછી તરત જ ડ્રોઅર પર કાર્યવાહી કરવામાં આવે છે. સમજવા જેવું છે કે, જ્યારે ચેક બાઉન્સ થાય છે, ત્યારે બેંક પહેલા લેણદારને એક રસીદ આપે છે, જેમાં ચેક બાઉન્સ થવાનું કારણ જણાવવામાં આવે છે. આ પછી લેણદાર 30 દિવસની અંદર દેવાદારને નોટિસ મોકલી શકે છે. જો દેવાદાર 15 દિવસની અંદર જવાબ ન આપે, તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

ચેક બાઉન્સ થયા પછી તરત જ ડ્રોઅર પર કાર્યવાહી કરવામાં આવે છે. સમજવા જેવું છે કે, જ્યારે ચેક બાઉન્સ થાય છે, ત્યારે બેંક પહેલા લેણદારને એક રસીદ આપે છે, જેમાં ચેક બાઉન્સ થવાનું કારણ જણાવવામાં આવે છે. આ પછી લેણદાર 30 દિવસની અંદર દેવાદારને નોટિસ મોકલી શકે છે. જો દેવાદાર 15 દિવસની અંદર જવાબ ન આપે, તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

5 / 7
લેણદાર એક મહિનાની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી શકે છે. જો તેમને હજુ પણ પૈસા ન મળે, તો તેઓ દેવાદાર સામે કેસ દાખલ કરી શકે છે. જો તે દોષિત ઠરે તો, 2 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે.

લેણદાર એક મહિનાની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી શકે છે. જો તેમને હજુ પણ પૈસા ન મળે, તો તેઓ દેવાદાર સામે કેસ દાખલ કરી શકે છે. જો તે દોષિત ઠરે તો, 2 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે.

6 / 7
ચેક બાઉન્સ થવાના કાનૂની અને નાણાકીય પરિણામોથી બચવા માટે તમારે કેટલીક સરળ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલા તો, ચેક ઇસ્યુ કરતા પહેલા હંમેશા તમારા ખાતાનું બેલેન્સ તપાસો. બીજું, ચેક પર યોગ્ય રીતે સહી કરો અને તારીખ લખો. આ ઉપરાંત જો તે પોસ્ટ-ડેટેડ ચેક હોય, તો ખાતરી કરો કે તે દિવસે ખાતામાં પૂરતી રકમ છે. છેલ્લે, ચેક બાઉન્સ થવાની શક્યતા ટાળવા માટે UPI, NEFT અથવા RTGS જેવી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરો.

ચેક બાઉન્સ થવાના કાનૂની અને નાણાકીય પરિણામોથી બચવા માટે તમારે કેટલીક સરળ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલા તો, ચેક ઇસ્યુ કરતા પહેલા હંમેશા તમારા ખાતાનું બેલેન્સ તપાસો. બીજું, ચેક પર યોગ્ય રીતે સહી કરો અને તારીખ લખો. આ ઉપરાંત જો તે પોસ્ટ-ડેટેડ ચેક હોય, તો ખાતરી કરો કે તે દિવસે ખાતામાં પૂરતી રકમ છે. છેલ્લે, ચેક બાઉન્સ થવાની શક્યતા ટાળવા માટે UPI, NEFT અથવા RTGS જેવી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરો.

7 / 7

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">