AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું લગ્નના પ્રમાણપત્ર વિના છૂટાછેડા શક્ય છે ? જાણો

લગ્ન પ્રમાણપત્ર છૂટાછેડાની પ્રક્રિયામાં એક સહાયક દસ્તાવેજ છે, પરંતુ તે અનિવાર્ય નથી. જો તમારી પાસે લગ્નનું પ્રમાણ નથી, તો કોર્ટમાં લગ્ન પત્રના અસ્તિત્વને સાબિત કરવા માટે અન્ય સબુત (જેમ કે લગ્નની કંકોત્રી, ફોટા, સાક્ષીનું નિવેદન વગેરે) પ્રસ્તુત કરી શકો છો.

| Updated on: Feb 25, 2025 | 8:39 AM
Share
હિન્દુ લગ્ન કાયદો 1955 આ કાયદા મુજબ, લગ્નની માન્યતા માટે લગ્ન નોંધણી ફરજિયાત નથી. એટલે કે, લગ્ન પ્રમાણપત્રની ગેરહાજરીમાં પણ જો અન્ય નક્કર પુરાવા ઉપલબ્ધ હોય, તો લગ્નને માન્ય ગણી શકાય અને છૂટાછેડાની અરજી દાખલ કરી શકાય છે.કલમ 8(5) માં એવું કહેવામાં આવ્યું છે કે, લગ્નની નોંધણી ન હવાને કારણે લગ્ન અમાન્ય હોતા નથી.

હિન્દુ લગ્ન કાયદો 1955 આ કાયદા મુજબ, લગ્નની માન્યતા માટે લગ્ન નોંધણી ફરજિયાત નથી. એટલે કે, લગ્ન પ્રમાણપત્રની ગેરહાજરીમાં પણ જો અન્ય નક્કર પુરાવા ઉપલબ્ધ હોય, તો લગ્નને માન્ય ગણી શકાય અને છૂટાછેડાની અરજી દાખલ કરી શકાય છે.કલમ 8(5) માં એવું કહેવામાં આવ્યું છે કે, લગ્નની નોંધણી ન હવાને કારણે લગ્ન અમાન્ય હોતા નથી.

1 / 6
સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 આ કાયદા મુજબ લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જોકે, જો પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય, તો અન્ય માન્ય દસ્તાવેજો દ્વારા છૂટાછેડા માટે અરજી કરી શકાય છે.

સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 આ કાયદા મુજબ લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જોકે, જો પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય, તો અન્ય માન્ય દસ્તાવેજો દ્વારા છૂટાછેડા માટે અરજી કરી શકાય છે.

2 / 6
સુપ્રીમ કોર્ટના મંતવ્યો અને સીમાચિહ્નરૂપ ચુકાદાઓ જોઈએ તો. સુપ્રીમ કોર્ટે અનેક તકે આ સિદ્ધ કર્યું છે કે, લગ્નના અસ્તિત્વને સાબિત કરવા માટે માત્ર લગ્નનું પ્રમાણપત્ર એકમાત્ર સાધન નથી. અન્ય દસ્તાવેજો હોય તો પણ છૂટાછેડા માટે અરજી કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટના મંતવ્યો અને સીમાચિહ્નરૂપ ચુકાદાઓ જોઈએ તો. સુપ્રીમ કોર્ટે અનેક તકે આ સિદ્ધ કર્યું છે કે, લગ્નના અસ્તિત્વને સાબિત કરવા માટે માત્ર લગ્નનું પ્રમાણપત્ર એકમાત્ર સાધન નથી. અન્ય દસ્તાવેજો હોય તો પણ છૂટાછેડા માટે અરજી કરી શકાય છે.

3 / 6
સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે જો પતિ-પત્ની વચ્ચેના લગ્નના સાચા સંબંધના પુરાવા ઉપલબ્ધ હોય (દા.ત. લગ્ન સમારંભ સંબંધિત દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો વગેરે) તો લગ્ન પ્રમાણપત્રની ગેરહાજરી દૂર થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે જો પતિ-પત્ની વચ્ચેના લગ્નના સાચા સંબંધના પુરાવા ઉપલબ્ધ હોય (દા.ત. લગ્ન સમારંભ સંબંધિત દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો વગેરે) તો લગ્ન પ્રમાણપત્રની ગેરહાજરી દૂર થઈ શકે છે.

4 / 6
 જો લગ્નનું પ્રમાણપત્ર નથી. તો કોર્ટમાં લગ્નની કંકોત્રીનો ફોટો, સાક્ષીઓના નવિદનોને રજુ કરી શકાય છે. છૂટાછેડાની અરજી કરતી વખતે કોર્ટ ખાતરી કરે છે કે લગ્નના અસ્તિત્વ અને માન્યતાના પૂરતા પુરાવા છે.અલગ અલગ કિસ્સાઓમાં, તે નક્કી કરવામાં આવે છે કે ઉપલબ્ધ દસ્તાવેજો અને પુરાવા તે લગ્નના અસ્તિત્વને સ્થાપિત કરવા માટે પૂરતા છે કે નહીં.

જો લગ્નનું પ્રમાણપત્ર નથી. તો કોર્ટમાં લગ્નની કંકોત્રીનો ફોટો, સાક્ષીઓના નવિદનોને રજુ કરી શકાય છે. છૂટાછેડાની અરજી કરતી વખતે કોર્ટ ખાતરી કરે છે કે લગ્નના અસ્તિત્વ અને માન્યતાના પૂરતા પુરાવા છે.અલગ અલગ કિસ્સાઓમાં, તે નક્કી કરવામાં આવે છે કે ઉપલબ્ધ દસ્તાવેજો અને પુરાવા તે લગ્નના અસ્તિત્વને સ્થાપિત કરવા માટે પૂરતા છે કે નહીં.

5 / 6
લગ્નનું પ્રમાણપત્ર વગર છૂટાછેડા સંભવ છે,જો લગ્નના અસ્તિત્વને સાબિત કરવા માટે અન્ય નક્કર અને ચકાસી શકાય તેવા પુરાવા ઉપલબ્ધ હોય તો. એ નોંધવું અગત્યનું છે કે જ્યાં લગ્ન પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય, તે એક મજબૂત દસ્તાવેજ માનવામાં આવે છે, પરંતુ જો તમે અન્ય અધિકૃત પુરાવા રજૂ કરી શકો તો તેની ગેરહાજરી છૂટાછેડા પ્રક્રિયામાં અવરોધ નહીં લાવે. (All Image are Symbolic)

લગ્નનું પ્રમાણપત્ર વગર છૂટાછેડા સંભવ છે,જો લગ્નના અસ્તિત્વને સાબિત કરવા માટે અન્ય નક્કર અને ચકાસી શકાય તેવા પુરાવા ઉપલબ્ધ હોય તો. એ નોંધવું અગત્યનું છે કે જ્યાં લગ્ન પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય, તે એક મજબૂત દસ્તાવેજ માનવામાં આવે છે, પરંતુ જો તમે અન્ય અધિકૃત પુરાવા રજૂ કરી શકો તો તેની ગેરહાજરી છૂટાછેડા પ્રક્રિયામાં અવરોધ નહીં લાવે. (All Image are Symbolic)

6 / 6

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image are Symbolic)

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">