કાનુની સવાલ: કોલેજમાં રેગિંગ કરશો તો થશે જેલ! જાણો કાયદો શું કહે છે અને શું છે સજા
કાનુની સવાલ: રેગિંગ એટલે નવા વિદ્યાર્થીઓને શરમજનક, અપમાનજનક કે ભય પેદા કરે તેવી પ્રવૃત્તિઓ કરાવવા માટે દબાણ કરવું. તેમાં શબ્દો, હાવભાવ, કપડાં ઉતરાવવાનું કહેવું, દારૂ પીવા કે અશ્લીલ કામ કરવા માટે કહેવું વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન જાળવવા માટે રેગિંગ (Ragging) સામે કડક કાયદો બનાવવામાં આવ્યો છે. રેગિંગ માત્ર મજા માટેની હરકત નથી, તે એક ગંભીર ગુનો છે. જે વિદ્યાર્થીઓની માનસિક અને શારીરિક સ્થિતિ પર ઘાતક અસર કરી શકે છે.

શું છે રેગિંગ?: રેગિંગ એટલે નવા વિદ્યાર્થીઓને શરમજનક, અપમાનજનક કે ભય પેદા કરે તેવી પ્રવૃત્તિઓ કરાવવા માટે દબાણ કરવું. તેમાં શબ્દો, હાવભાવ, કપડાં ઉતરાવવાનું કહેવું, દારૂ પીવા કે અશ્લીલ કામ કરવા માટે કહેવું વગેરેનો સમાવેશ થાય છે.

કાયદો શું કહે છે?: ભારતમાં રેગિંગ સામેનો મુખ્ય કાયદો છે. UGC Regulation on Curbing the Menace of Ragging in Higher Educational Institutions, 2009. આ નિયમ મુજબ રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ સામે કોલેજ, યુનિવર્સિટી અને પોલીસ કડક કાર્યવાહી કરી શકે છે.

આ ઉપરાંત Indian Penal Code (IPC)ની નીચેની કલમો પણ લાગુ પડે છે: કલમ 294: અશ્લીલ વર્તન અથવા શબ્દો માટે. કલમ 323: કોઈને માર મારવો અથવા ઇજા પહોંચાડવી. કલમ 506: ધમકી આપવી. કલમ 306: જો રેગિંગને કારણે કોઈ આત્મહત્યા કરે તો તે આત્મહત્યાના ઉશ્કેરણીનો ગુનો ગણાય છે.

સજા શું છે?: રેગિંગ કરનારને માટે કડક સજા નક્કી કરવામાં આવી છે: કોલેજમાંથી સસ્પેન્શન અથવા રસ્ટિકેશન. પોલીસ કેસ નોંધાઈ શકે છે અને જેલની સજા થઈ શકે છે (2 થી 10 વર્ષ સુધી). ફાઇન અથવા શૈક્ષણિક રેકોર્ડમાં કાયમી દાગ લાગી શકે છે.

વિદ્યાર્થીઓના અધિકાર: જો કોઈ વિદ્યાર્થી રેગિંગનો ભોગ બને તો તે તરત જ આ માધ્યમથી ફરિયાદ કરી શકે છે: કોલેજની Anti-Ragging Committee અથવા Grievance Cellમાં. UGC Helplineમાં તમે ફરિયાદ કરી શકો છો. તેની સેવા 24x7 ચાલુ રહે છે. આ ટોલ ફ્રી નંબર છે. તેમજ ઓનલાઈન ફરિયાદ માટે: www.antiragging.in પર વિઝિટ કરો અને મદદ લો.

રેગિંગ ભલે મજાક તરીકે શરૂ થાય, પરંતુ તેનો અંત ક્યારેક દુખદ બની શકે છે. શિક્ષણ એ સમ્માન અને સ્વાભિમાનનો માર્ગ છે, ડરનો નહીં. દરેક વિદ્યાર્થીએ અન્યનું માન રાખવું અને કાયદાનું પાલન કરવું એ જ સાચું કોલેજ કલ્ચર છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
