
એજ્યુકેશન
શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે વસ્તુઓ નથી આવડતી અને તેના વિશે ડિટેલમાં વધારે માહિતી મેળવવામાં આવે અને શીખવામાં આવે તેને શિક્ષણ કહેવામાં આવે છે.
શિક્ષણ એ સમાજ દ્વારા એક પેઢીથી નીચેની પેઢીમાં તેના જ્ઞાનને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિકોણથી શિક્ષણ એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. જે વ્યક્તિને સમાજ સાથે જોડવામાં અને સમાજની સંસ્કૃતિની સાતત્ય જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક શિક્ષણથી સમાજના મૂળભૂત નિયમો, પ્રણાલીઓ, ધોરણો અને મૂલ્યોને શીખે છે અને ભણે છે. બાળક ત્યારે જ સમાજ સાથે જોડાઈ શકે છે જ્યારે તે ચોક્કસ સમાજના ઈતિહાસથી વાકેફ હોય. આ બધું તેને શાળામાં શીખવવામાં આવે છે. ઘણું શિક્ષણ પરિવાર પાસેથી પણ સંસ્કારના ભાગરુપે મળતું હોય છે.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.
B.Ed કોલેજોએ લાઇબ્રેરીમાં 4000 પુસ્તકો રાખવા પડશે, ઓછા પુસ્તકો હશે તો કાર્યવાહી થશે, આટલા વર્ષનો હશે કોર્સ
NCTE: NCTE એ બધી B.Ed કોલેજો માટે તેમની લાઇબ્રેરીમાં 4000 પુસ્તકો રાખવા ફરજિયાત બનાવ્યા છે. જો લાઇબ્રેરીમાં આનાથી ઓછા પુસ્તકો હોય તો રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ સંબંધિત કોલેજ સામે કાર્યવાહી કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Mar 18, 2025
- 3:23 pm
Study in Foreign : ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ… ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ છે બેસ્ટ ? જાણો
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિત વિશ્વભરના બે દેશોમાં અભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.
- Sagar Solanki
- Updated on: Mar 17, 2025
- 10:16 pm
અગ્નિપથ સ્કીમની ‘અગ્નિપરીક્ષા’ આવતા વર્ષથી શરૂ, પ્રથમ બેચ 4 વર્ષ કરશે પૂર્ણ
ભારતીય સેનાની અગ્નિપથ યોજનાના સૈનિકોની પ્રથમ બેચનું અંતિમ મૂલ્યાંકન આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનું છે. આમાંથી 75% લોકોને સેના છોડવી પડશે. કેટલાક રાજ્યો અને અર્ધલશ્કરી દળોએ તેમના માટે ક્વોટા નક્કી કર્યો છે. કાયમી સ્થાન મેળવવા માટે 25% અગ્નિવીરોની પસંદગી અંતિમ મૂલ્યાંકન પછી કરવામાં આવશે.
- Meera Kansagara
- Updated on: Mar 17, 2025
- 1:04 pm
RTEને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરાઈ, આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી
ગુજરાત સરકારે આરટીઈ અધિનિયમ હેઠળ મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Mar 15, 2025
- 7:53 pm
લાખો રૂપિયાનો પગાર લેતા ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોએ ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના માથે ઝીંક્યો ફી વધારો, NSUIએ કર્યા ઉગ્ર દેખાવો- Video
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર ફી વધારા મામલે વિવાદમાં આવી છે. યુનિવર્સિટી દ્વારા BCom, B.A, BCA, BBA અને PhDના અભ્યાસક્રમોમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારો કર્યો છે. જેના વિરોધમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. NSUIના કાર્યકરોએ કુલપતિના ઘરનો ઘેરાવ કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 10, 2025
- 3:46 pm
Breaking News : GPSC દ્વારા વર્ગ 1-2ની જગ્યાઓ માટે ભરતીની કરાઈ જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
GPSC Recruitment : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર છે. સરકાર દ્વારા ભરતી બહાર પાડી ફોરમ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Mar 6, 2025
- 7:28 pm
ભારતમાં કઈ કોલેજમાંથી નીકળે છે સૌથી વધુ IAS ? કહેવાય છે તેને UPSC ફેક્ટરી
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ કોલેજ માંથી 1975 થી 2014 સુધીમાં 4000 થી વધુ વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષા પાસ કરી છે.
- Sagar Solanki
- Updated on: Mar 6, 2025
- 3:46 pm
રમઝાન મહિનામાં ભાજપ શાસિત વડોદરા મનપાની શાળાનો સમય બદલવાના મુદ્દે વિવાદ, સરકારે આપ્યા તપાસના આદેશ
વડોદરાની આ ઘટનાના પડધા રાજ્યના અન્ય શહેરોમાં પડી રહ્યાંની જાણ થતા જ સરકાર એકશનમાં આવી છે. ગુજરાતના શિક્ષણ પ્રધાને જાહેરાત કરી હતી કે, વડોદરામાં રમઝાન માસને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવાના મામલે રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ આપ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 3, 2025
- 3:48 pm
ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં કરાશે ફેરફાર, ધો. 1, 6થી 8 અને 12નાં પુસ્તકો બદલાશે
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પાઠ્યપુસ્તકોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
- Sagar Solanki
- Updated on: Feb 27, 2025
- 7:55 pm
Gujarat Board Exams : ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14.30 લાખ વિદ્યાર્થી આપશે પરીક્ષા, જુઓ Video
રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 10 અને ધોરણ 12ના બંન્ને પ્રવાહોની બોર્ડની પરીક્ષા આજથી શરુ થવાની છે. રાજ્યના 14.30 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે.
- TV9 Gujarati
- Updated on: Feb 27, 2025
- 9:18 am
CBSE Board Exam: CBSE હવે 10મા ધોરણની પરીક્ષા બે વાર લેશે, નાબૂદ કરવામાં આવશે સપ્લીમેન્ટ્રી એક્ઝામ
CBSE એ વર્ષમાં બે વાર ધોરણ 10 ની પરીક્ષાઓ લેવાની મંજૂરી આપી છે. 2026થી CBSE પરીક્ષાઓનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરી-માર્ચમાં અને બીજા તબક્કાની પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે.
- Meera Kansagara
- Updated on: Feb 26, 2025
- 7:37 am
Lady DSP : હિસ્ટ્રીશીટરોને પકડનારી મહિલા DSP છે ફિટનેસ ક્વીન જુઓ તસવીરો
ડીએસપી પ્રિયંકા બાજપાઈએ યુપી PCS જેવી કઠિન પરીક્ષા બે વખત પાસ કરી અને ઇતિહાસ રચ્યો છે. જોકે હાલમાં તેણી ફિટનેસ ક્વીન તરીકે પ્રખ્યાત છે.
- Sagar Solanki
- Updated on: Feb 24, 2025
- 4:47 pm
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ ST નિગમ સજ્જ, 250 જેટલી ટ્રીપ ચલાવવાનો કરાયો નિર્ણય, જુઓ Video
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષા આપી શકે તે માટે એસ ટી વિભાગ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
- Ronak Varma
- Updated on: Feb 23, 2025
- 12:14 pm
Yoga For students : બોર્ડ પરીક્ષા દરમિયાન બાળકો રહેશે તણાવમુક્ત, ફક્ત આ 4 યોગાસનો કરો
Board Exam Tips : બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકો તણાવમાં રહે છે. પરંતુ માનસિક તણાવ સ્વાસ્થ્ય માટે સારો નથી. આવી સ્થિતિમાં તમે તણાવમુક્ત રહેવા માટે તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક યોગાસનોનો સમાવેશ કરી શકો છો. જેનાથી તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો.
- Meera Kansagara
- Updated on: Feb 22, 2025
- 9:29 am
વિશ્વ માતૃભાષા દિવસ: મોરારી બાપુનો ગુજરાતી ભાષા જતન માટે આહવાન, જુઓ Video
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે, જાણીતા આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ગુજરાતી ભાષાના જતનની અપીલ કરી. તેમણે ગુજરાતની સાહિત્ય સંસ્થાઓ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણીના પ્રસંગે ભાષાના મહત્વ પર ભાર મૂક્યો અને તેના જતન માટે સૌને પ્રોત્સાહિત કર્યા. આ દિવસ ભારત અને વિશ્વની તમામ ભાષાઓનું ગૌરવ વધારવા માટે ઉજવવામાં આવે છે.
- Ronak Varma
- Updated on: Feb 21, 2025
- 6:05 pm