એજ્યુકેશન
શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે વસ્તુઓ નથી આવડતી અને તેના વિશે ડિટેલમાં વધારે માહિતી મેળવવામાં આવે અને શીખવામાં આવે તેને શિક્ષણ કહેવામાં આવે છે.
શિક્ષણ એ સમાજ દ્વારા એક પેઢીથી નીચેની પેઢીમાં તેના જ્ઞાનને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિકોણથી શિક્ષણ એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. જે વ્યક્તિને સમાજ સાથે જોડવામાં અને સમાજની સંસ્કૃતિની સાતત્ય જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક શિક્ષણથી સમાજના મૂળભૂત નિયમો, પ્રણાલીઓ, ધોરણો અને મૂલ્યોને શીખે છે અને ભણે છે. બાળક ત્યારે જ સમાજ સાથે જોડાઈ શકે છે જ્યારે તે ચોક્કસ સમાજના ઈતિહાસથી વાકેફ હોય. આ બધું તેને શાળામાં શીખવવામાં આવે છે. ઘણું શિક્ષણ પરિવાર પાસેથી પણ સંસ્કારના ભાગરુપે મળતું હોય છે.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.
Pariksha Pe Charcha 2026: વિજેતાઓને મળશે PMના નિવાસસ્થાનને જવાની તક, PM Modi સાથે કરી શકશે મુલાકાત
Pariksha Pe Charcha 2026: "પરીક્ષા પે ચર્ચા" માટે રજિસ્ટ્રેશન ચાલુ છે. અત્યાર સુધીમાં 3.3 મિલિયનથી વધુ નોંધણીઓ થઈ ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે "પરીક્ષા પે ચર્ચા 2026" ના વિજેતાઓને પ્રધાનમંત્રી નિવાસસ્થાનની મુલાકાત લેવાની તક મળશે. ત્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી શકશે.
- Meera Kansagara
- Updated on: Dec 16, 2025
- 8:40 am
Year Ender 2025: NCERT એ વર્ષ 2025માં અભ્યાસક્રમમાં કર્યા આ મોટા ફેરફારો, જાણો શું આવ્યું નવું
Year Ender 2025: NCERT એ વર્ષ 2025 માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. NCERT નો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વિદ્યાર્થીઓ ફક્ત ગોખણપટ્ટીમાં જ ન જોડાય, પરંતુ જીવનમાં વિચારવાનું, સમજવાનું અને તેમની Skill નો ઉપયોગ કરવાનું શીખે.
- Meera Kansagara
- Updated on: Dec 15, 2025
- 12:01 pm
પાકિસ્તાનની યુનિવર્સિટીમાં સંસ્કૃતના વર્ગો શરૂ! મહાભારત અને ગીતાનો અભ્યાસક્રમ, કારણ જાણીને નવાઈ લાગશે
પાકિસ્તાનની એક યુનિવર્સિટીએ સંસ્કૃતનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે, જેમાં મહાભારત અને ગીતા જેવા ગ્રંથો શીખવવામાં આવશે. ચાલો આજના લેખમાં તેના વિશે વધુ જાણીએ.
- Manish Gangani
- Updated on: Dec 13, 2025
- 9:59 pm
BU પરમિશન ન ધરાવતી શાળાઓ પર તવાઈ! પ્રિ-સ્કૂલ બંધ થતા બાળકોનો અભ્યાસ બગડશે, હવે તેની જવાબદારી કોણ લેશે? જુઓ Video
અમદાવાદમાં AMC દ્વારા BU પરમિશન ન ધરાવતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. BU પરમિશનના અભાવે કુલ 35 શાળાઓને સીલ કરવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 13, 2025
- 7:33 pm
34 માંથી કોઈપણ 1 અભ્યાસક્રમ પૂર્ણ કરો અને કેનેડા જાઓ, મેળવી શકો છો સરળતાથી PR ! જાણો કોર્ષ વિશે
કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અહીં સ્થાયી થઈ શકે છે. તેમને કાયમી રહેઠાણ (PR) પણ આપવામાં આવે છે, જેનાથી તેઓ દેશમાં કાયમી ધોરણે રહી શકે છે અને કામ કરી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 11, 2025
- 3:33 pm
શું તમે કથાવાચક બનવા માગો છો, અભ્યાસક્રમોની જાણો સંપૂર્ણ માહિતી
કથાવાચક બનવા માટે હવે વ્યાવસાયિક અભ્યાસક્રમો અને ડિગ્રીઓ ઉપલબ્ધ છે, જે યુવાનોને કલા અને કારકિર્દી બંનેમાં નિપુણતા મેળવવાની મંજૂરી આપે છે. ચાલો જોઈએ કે તમે ક્યાં અભ્યાસ કરી શકો છો.
- Sachin Agrawal
- Updated on: Dec 18, 2025
- 3:56 pm
AIમાં કરિયર બનાવવા ઈચ્છો છો ? IIT મદ્રાસે લોન્ચ કર્યા ત્રણ હાઈ-ટેક સર્ટિફિકેટ પ્રોગ્રામ
IIT Madras: IIT મદ્રાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કરિયર બનાવવા માંગતા યુવાનો માટે ત્રણ નવા એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભ્યાસક્રમોની સંપૂર્ણ વિગતો જાણો.
- Meera Kansagara
- Updated on: Dec 9, 2025
- 5:05 pm
પાઇલટ બનવા માટે 12મા ધોરણ પછી શું કરવું પડશે ? જાણો નોકરી મળ્યા પછી તમને કેટલા પૈસા મળે છે
Pilot: જો તમારું 12મા ધોરણ પછી પાઇલટ બનવાનું સ્વપ્ન છે, તો આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે તમારે કઈ લાયકાતની જરૂર પડશે અને પાઇલટ બન્યા પછી તમને કેટલો પગાર મળશે? તે તમને અહીં જાણવા મળશે.
- Meera Kansagara
- Updated on: Dec 8, 2025
- 5:02 pm
ફ્રાન્સની સરકાર આપી રહી છે અભ્યાસ માટેની સ્કોલરશીપ, જાણો સંપૂર્ણ માહિતી
ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સ વિદેશમાં અભ્યાસ માટેનું એક લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. હજારો ભારતીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે, અને તેમની સંખ્યા વધી રહી છે.
- Sachin Agrawal
- Updated on: Dec 7, 2025
- 1:18 pm
Surat : સુરતમાં 25 ખાનગી શાળાઓના રેકર્ડ સાથે ચેડાં ! પૂર્વ DEOએ બોગસ સહી ઓર્ડર ઈશ્યૂ કરાયાનો આક્ષેપ,જુઓ Video
સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ની બોગસ સહી કરીને 25 ખાનગી શાળાઓના રેકોર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ ગંભીર બાબત સામે આવતાની સાથે જ જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 4, 2025
- 2:02 pm
Rajkot : જસદણ તાલુકા શાળામાં ધોરણ 1 અને 2માં હજુ નથી મળ્યા પુસ્તકો ! પાઠ્ય પુસ્તકના અભાવથી વાલીઓ ચિંતિત, જુઓ Video
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શાળાઓમાં ધોરણ-1 અને ધોરણ-2ના વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તક ન મળ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. બાલવાટિકાના વિદ્યાર્થીઓ પણ પુસ્તક વગર ભણી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 3, 2025
- 2:14 pm
હવે બાળકોને AI ટીચર ભણાવશે! 17 વર્ષના છોકરાનો કમાલ, સાડી પહેરેલી શિક્ષિકાને જોઈને લોકો દંગ થઈ ગયા
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રહેતા 17 વર્ષીય આદિત્યએ એક અનોખો AI આધારિત શિક્ષક રોબોટ તૈયાર કર્યો છે. આદિત્યના જણાવ્યા મુજબ, રોબોટના વિકાસ માટે તેણે LLM પર આધારિત વિશેષ ચિપસેટનો ઉપયોગ કર્યો છે. તે કહે છે કે અનેક ટેક કંપનીઓ પણ આવા જ પ્રકારના ચિપસેટથી રોબોટ્સ વિકસાવતી હોવાથી તેને આ ટેક્નોલોજી પસંદ આવી. હવે ચાલો, આ રોબોટનું પ્રદર્શન દર્શાવતો વિડિયો જોઈએ.
- Ashvin Patel
- Updated on: Nov 29, 2025
- 9:41 pm
GPSCમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતીનો પહેલો તબક્કો પૂર્ણ, હવે બીજા તબક્કાની પ્રક્રિયા ચાલુ
GPSC દ્વારા આજે વિવિધ 67 જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેર કરાયેલી લગભગ 50 જાહેરાતની ભરતીનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે,
- Sachin Agrawal
- Updated on: Nov 29, 2025
- 8:52 pm
દેશભરના મેડિકલ કોલેજોમાં EDના દરોડા, કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાંથી પુરાવાઓ કર્યા જપ્ત
EDની ટીમે દેશભરની મેડિકલ કોલેજોના મહત્વના વિભાગોમાં તપાસ કરી અને ત્યાંથી મોટી માત્રામાં દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કર્યા છે. સાથે જ મોબાઈલ ફોન, લેપટોપ, સર્વર ડેટા સહિતના ડિજિટલ પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે.
- Meera Kansagara
- Updated on: Nov 29, 2025
- 11:33 am
Googleમાં નોકરી કેવી રીતે મેળવવી, કયા કોર્ષ મદદ કરે છે?
Google પહેલા ફક્ત એવા લોકોને જ નોકરી આપતું હતું જેમણે IIT, IIM, અથવા અન્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હોય. પરંતુ એવું નથી. આજે ગૂગલ ફક્ત ડિગ્રીઓ પર જ નહીં, પણ Skill પર પણ વધુ ભાર મૂકે છે.
- Meera Kansagara
- Updated on: Nov 25, 2025
- 4:07 pm