એજ્યુકેશન
શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે વસ્તુઓ નથી આવડતી અને તેના વિશે ડિટેલમાં વધારે માહિતી મેળવવામાં આવે અને શીખવામાં આવે તેને શિક્ષણ કહેવામાં આવે છે.
શિક્ષણ એ સમાજ દ્વારા એક પેઢીથી નીચેની પેઢીમાં તેના જ્ઞાનને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિકોણથી શિક્ષણ એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. જે વ્યક્તિને સમાજ સાથે જોડવામાં અને સમાજની સંસ્કૃતિની સાતત્ય જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક શિક્ષણથી સમાજના મૂળભૂત નિયમો, પ્રણાલીઓ, ધોરણો અને મૂલ્યોને શીખે છે અને ભણે છે. બાળક ત્યારે જ સમાજ સાથે જોડાઈ શકે છે જ્યારે તે ચોક્કસ સમાજના ઈતિહાસથી વાકેફ હોય. આ બધું તેને શાળામાં શીખવવામાં આવે છે. ઘણું શિક્ષણ પરિવાર પાસેથી પણ સંસ્કારના ભાગરુપે મળતું હોય છે.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.
Read Moreઅમેરિકાની આ 25 યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવવાથી તમને લાખો રૂપિયાનું પેકેજ મળશે! જુઓ List
અમેરિકા ઉચ્ચ શિક્ષણ માટે અનેક ટોચની યુનિવર્સિટીઓ ઓફર કરે છે. જો કે, યોગ્ય યુનિવર્સિટી પસંદ કરવી મહત્વપૂર્ણ છે. કેટલીક યુનિવર્સિટીઓ એવી છે જે વિદ્યાર્થીઓને સારા પેકેજો આપે છે.
- Sagar Solanki
- Updated on: Sep 13, 2026
- 7:11 am
Breaking News : કેનેડામાં ભારતીયો માટે સારા સમાચાર, સ્ટડી પરમિટ વિના કરી શકશે અભ્યાસ, જાણો નવો નિયમ
કેનેડાએ વિદેશી કામદારો માટે નવી ઈમિગ્રેશન નીતિ જાહેર કરી છે. હવે માન્ય વર્ક પરમિટ ધારકો ચોક્કસ શરતો હેઠળ અલગ સ્ટડી પરમિટ વિના અભ્યાસ કરી શકશે, જેનાથી ભારતીયોને ખાસ ફાયદો થશે.
- Sagar Solanki
- Updated on: Sep 11, 2026
- 5:18 pm
Breaking News : વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ!
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ફરી વિવાદમાં છે. વિદ્યાર્થીઓની કથિત અશ્લીલ હરકતોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- Sagar Solanki
- Updated on: Sep 10, 2026
- 4:31 pm
કેનેડામાં આ કોર્સની કરી રહ્યા છો સ્ટડી ? PR મેળવવાની તક વધી શકે છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓ સહિત વિશ્વભરના વિદ્યાર્થીઓની પસંદગીનું મહત્વપૂર્ણ સ્થળ છે. તેની લોકપ્રિયતા પાછળનું એક મોટું કારણ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેનેડામાં નોકરી કરવાની અને આગળ જતાં પરમેનન્ટ રેસિડન્સી (PR) મેળવવાની શક્યતા છે. જોકે, દરેક કોર્સ કર્યા પછી PR મળવી નક્કી નથી. યોગ્ય સ્ટડી પ્રોગ્રામ અને માંગ ધરાવતા ક્ષેત્રની પસંદગી કરવાથી કેનેડામાં સ્થાયી થવાની શક્યતા વધી શકે છે.
- Sagar Solanki
- Updated on: Sep 8, 2026
- 6:56 pm
સરકારી કોલેજો ખાલી, પ્રાઇવેટવાળાને જલસા… ગુજરાત યુનિવર્સિટીમાં PG ની અડધોઅડધ અને UG ની 20 હજાર સીટો ખાલી – જુઓ Video
ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) અભ્યાસક્રમમાં હજારો બેઠકો ખાલી રહી ગઈ છે. GCAS (ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ) દ્વારા આઠ રાઉન્ડ પૂર્ણ થયા હોવા છતાં પ્રવેશ પ્રક્રિયા હજુ સપ્ટેમ્બરમાં પણ ચાલુ છે.
- Ravi Prajapati
- Updated on: Sep 7, 2026
- 6:17 pm
વિદ્યાર્થીઓ માટે આચાર્ય ચાણક્યના 5 સુવર્ણ સૂત્રો: અભ્યાસ અને કરિયરમાં સફળતા મેળવવા અપનાવો આ પાવરફુલ ફોર્મ્યુલા
આચાર્ય ચાણક્ય અનુસાર સફળતા માત્ર ભાગ્યથી નથી મળતી, પરંતુ યોગ્ય વિચાર, સખત પરિશ્રમ અને શિસ્તથી હાંસલ થાય છે. શિક્ષક દિને જાણો વિદ્યાર્થીઓ માટે જીવનમાં આગળ વધવા, લક્ષ્ય પ્રાપ્ત કરવા અને પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવવાના ચાણક્ય નીતિના 5 મહત્વપૂર્ણ ફોર્મ્યુલા.
- Sachin Agrawal
- Updated on: Sep 5, 2026
- 7:43 pm
‘જો હું તમારો સ્ટુડન્ટ હોત તો તમે મને શું ટિપ્સ આપતા?’, PM મોદીએ શિક્ષક દિવસના પ્રસંગે માગી સલાહ, ટીચરના જવાબે માહોલ બદલી નાખ્યો
શિક્ષક દિવસના ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત કરનારા શ્રેષ્ઠ શિક્ષકો સાથે ખાસ સંવાદ સાધ્યો હતો. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ એક મહિલા શિક્ષકને અનોખો સવાલ પૂછ્યો કે, જો તેઓ તેમના વિદ્યાર્થી હોત, તો તેઓ PM મોદીને શું સલાહ આપત? સામે શિક્ષકે પણ પૂરા આત્મવિશ્વાસ અને સરળતાથી PM Modi ને એવો રસપ્રદ જવાબ આપ્યો કે, આખો માહોલ આનંદમય બની ગયો હતો.
- Ravi Prajapati
- Updated on: Sep 5, 2026
- 2:15 pm
શિક્ષક દિવસ 2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોનું કર્યું સન્માન, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પર મૂક્યો ભાર, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા. તેમણે શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણના પાયા ગણાવ્યા અને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં તેમના યોગદાનને બિરદાવ્યું.
- Sagar Solanki
- Updated on: Sep 5, 2026
- 12:50 pm
તમે ગાંધીજીને વાંચશો તો ક્યારેય નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે વિચાર આપ્યોઃ અમિત શાહ
અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે પણ અટલો જ સાર્થક હતો જેટલો આજે છે અને આવનારા 100 વર્ષે પણ રહેવાનો છે. ગાંધીજીએ આપેલા સંદેશનુ એક વાક્ય અહીં લખેલ છે. ગાંધીજી એ સંદેશ સ્વરૂપે કહ્યું હતુ કે મે કાંઈ નવું નથી કહ્યું જે સદીઓથી સાંભળતો આવ્યો છુ તે જ કહ્યું છે.
- Bipin Prajapati
- Updated on: Aug 27, 2026
- 7:56 pm
Breaking News : 190 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં! અમદાવાદની શાળામાં એવું શું થયું કે શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય? જુઓ Video
અમદાવાદમાં શ્યામ-ઘનશ્યામ સ્કૂલના પૂર્વ મંજૂરી વિનાના સ્થળાંતરથી 190 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય જોખમમાં મુકાયું છે. કેશવનગરથી જુહાપુરામાં સ્કૂલ ખસેડવામાં આવી હતી, જ્યાં ચલાવવાની મંજૂરી પણ ન હોવાનું સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Aug 26, 2026
- 6:30 pm
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા PMJVK ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપો હેઠળ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર PMJVK ગ્રાન્ટના ઉપયોગમાં નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે.
- Sagar Solanki
- Updated on: Aug 22, 2026
- 10:00 pm
Breaking News રૂ. 10 લાખ સુધી આવક ધરાવનાર બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીને પણ હવે મળશે વિદેશ અભ્યાસ માટેની લોન
New announcement for unreserved category students : મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા ગુજરાતના યુવાનોને પરિવારની આર્થિક સ્થિતિને કારણે મુશ્કેલી ન પડે અને તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકે તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે.
- Bipin Prajapati
- Updated on: Aug 15, 2026
- 12:17 pm
ઉચ્ચ અભ્યાસ માટે ભારતીયોએ નહીં જવું પડે અબ્રોડ, વિદેશી યુનિવર્સિટીઓ આવશે ભારતમાં
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ, વિદેશી યુનિવર્સિટીઓ હવે ભારત તરફ વળી રહી છે, અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ આ હેતુ માટે 16 વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને 'લેટર્સ ઓફ ઇન્ટેન્ટ' (LoI) જાહેર કર્યા છે
- Devankashi rana
- Updated on: Aug 14, 2026
- 8:54 am
Breaking News : ભાવનગર સમરસ છાત્રાલયમાં વિવાદ, વિદ્યાર્થિનીઓના ભોજનમાં જીવાતો, ગંદી થાળીઓ અને ઉત્પીડનના આક્ષેપો
ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ ભોજનની ગુણવત્તા અને પાયાની સુવિધાઓને લઈને મોટો વિરોધ નોંધાવ્યો છે. ભોજનમાં જીવાતો નીકળવી, ગંદી થાળીઓ અને રજાની સમસ્યા જેવી અનેક ફરિયાદોને કારણે વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી.
- Sagar Solanki
- Updated on: Aug 12, 2026
- 10:52 pm
Breaking News: આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાં કાચનો ટુકડો નીકળતા AMC એ ફટકારી નોટિસ, ફુડ સેફ્ટી અંગે થશે તપાસ
અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાં વિદ્યાર્થીને કાચનો ટુકડો નીકળ્યો હતો. જે બાદ શાળાના ઉદ્ધતાઈપૂર્ણ વર્તનને કારણે વાલીઓએ શાળાએ જઈ હોબાળો કર્યો હતો અને શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. વાલીઓના હોબાળા બાદ AMC એ પણ ઘટનાનું સંજ્ઞાન લઈ કેન્ટીનને નોટિસ ફટકારાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Aug 11, 2026
- 9:21 pm