AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એજ્યુકેશન

એજ્યુકેશન

શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે વસ્તુઓ નથી આવડતી અને તેના વિશે ડિટેલમાં વધારે માહિતી મેળવવામાં આવે અને શીખવામાં આવે તેને શિક્ષણ કહેવામાં આવે છે.

શિક્ષણ એ સમાજ દ્વારા એક પેઢીથી નીચેની પેઢીમાં તેના જ્ઞાનને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિકોણથી શિક્ષણ એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. જે વ્યક્તિને સમાજ સાથે જોડવામાં અને સમાજની સંસ્કૃતિની સાતત્ય જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક શિક્ષણથી સમાજના મૂળભૂત નિયમો, પ્રણાલીઓ, ધોરણો અને મૂલ્યોને શીખે છે અને ભણે છે. બાળક ત્યારે જ સમાજ સાથે જોડાઈ શકે છે જ્યારે તે ચોક્કસ સમાજના ઈતિહાસથી વાકેફ હોય. આ બધું તેને શાળામાં શીખવવામાં આવે છે. ઘણું શિક્ષણ પરિવાર પાસેથી પણ સંસ્કારના ભાગરુપે મળતું હોય છે.

માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.

Read More

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા PMJVK ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપો હેઠળ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર PMJVK ગ્રાન્ટના ઉપયોગમાં નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે.

Breaking News રૂ. 10 લાખ સુધી આવક ધરાવનાર બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીને પણ હવે મળશે વિદેશ અભ્યાસ માટેની લોન

New announcement for unreserved category students : મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા ગુજરાતના યુવાનોને પરિવારની આર્થિક સ્થિતિને કારણે મુશ્કેલી ન પડે અને તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કરી શકે તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે.

ઉચ્ચ અભ્યાસ માટે ભારતીયોએ નહીં જવું પડે અબ્રોડ, વિદેશી યુનિવર્સિટીઓ આવશે ભારતમાં

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ, વિદેશી યુનિવર્સિટીઓ હવે ભારત તરફ વળી રહી છે, અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ આ હેતુ માટે 16 વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને 'લેટર્સ ઓફ ઇન્ટેન્ટ' (LoI) જાહેર કર્યા છે

Breaking News : ભાવનગર સમરસ છાત્રાલયમાં વિવાદ, વિદ્યાર્થિનીઓના ભોજનમાં જીવાતો, ગંદી થાળીઓ અને ઉત્પીડનના આક્ષેપો

ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ ભોજનની ગુણવત્તા અને પાયાની સુવિધાઓને લઈને મોટો વિરોધ નોંધાવ્યો છે. ભોજનમાં જીવાતો નીકળવી, ગંદી થાળીઓ અને રજાની સમસ્યા જેવી અનેક ફરિયાદોને કારણે વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી.

Breaking News:  આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાં કાચનો ટુકડો નીકળતા AMC એ ફટકારી નોટિસ, ફુડ સેફ્ટી અંગે થશે તપાસ

અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાં વિદ્યાર્થીને કાચનો ટુકડો નીકળ્યો હતો. જે બાદ શાળાના ઉદ્ધતાઈપૂર્ણ વર્તનને કારણે વાલીઓએ શાળાએ જઈ હોબાળો કર્યો હતો અને શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. વાલીઓના હોબાળા બાદ AMC એ પણ ઘટનાનું સંજ્ઞાન લઈ કેન્ટીનને નોટિસ ફટકારાઈ છે.

ભોજનમાં કાચ, પ્રાર્થના બંધ કરાઈ અને વિવાદિત પુસ્તકો! આનંદ નિકેતન સ્કૂલ વિવાદોના વંટોળમાં, શાળાનું લાઈસન્સ રદ કરવા માંગ

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ બે મોટા વિવાદોને કારણે ચર્ચામાં આવી છે. ભોજનમાંથી કાચનો ટુકડો નીકળવાના ગંભીર આરોપ બાદ હવે સવારની પ્રાર્થના બંધ કરવા અને અયોગ્ય પુસ્તકો વંચાવવાને લઈને વાલીઓ તેમજ વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે મહત્વપૂર્ણ અપડેટ, USCISના નવા નિયમો બાદ વિઝા અને ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં મોટો ફેરફાર

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે USCISના નવા નિયમો લાગુ પડ્યા છે. હવે વિઝા અને ગ્રીન કાર્ડ અરજીઓમાં દસ્તાવેજો અધૂરા હશે તો USCIS RFE/NOID વગર સીધી નામંજૂર કરી શકશે

વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ, શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરી સામે ઉઠ્યા સવાલ

વડોદરામાં જર્જરિત શાળાના મકાનને કારણે વિદ્યાર્થીઓને 11 દુકાનોમાં અભ્યાસ કરાવવાનો પ્રસ્તાવ મુકાયો છે,હેર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું છે કે યોગ્ય જગ્યાની શોધ ચાલુ છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન મળે તો દુકાનોમાં ભણાવવું પડી શકે છે. આ નિર્ણય સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Breaking News : ભરતી કૌભાંડ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યવાહી, પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન કરાયેલી નિમણૂકો વિવાદમાં

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી અને નાણાકીય વ્યવહારને લગતા ગંભીર વિવાદ બાદ 10 હંગામી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન ઉંચા પગાર અને કથિત આર્થિક ગોબાચારીના આક્ષેપો સામે આવ્યા હતા, જેના પરિણામે યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો છે.

અમદાવાદ: ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકરોની દાદાગીરી, જૂની અદાવતમાં વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો, 3 સામે ફરિયાદ

અમદાવાદની પ્રખ્યાત ગુજરાત કોલેજમાં જૂની અદાવતમાં સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી પર ABVPના કાર્યકરોએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એલિસબ્રિજ પોલીસ મથકે 3 કાર્યકરો સામે ગુનો નોંધાયો છે.

અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી, શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ Video

અમદાવાદમાં ભારે વરસાદને કારણે થયેલા શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાઓને ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે વર્ગો ચલાવવાની મંજૂરી અપાઈ છે.

CMA પરિણામ 2026: અમદાવાદના વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય સ્તરે ઝળહળતો દેખાવ

CMA Final અને Intermediate ના પરિણામો જાહેર થયા છે, જેમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ઓલ ઇન્ડિયા સરેરાશ કરતાં ઘણું વધારે નોંધાયું છે.

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત, અમદાવાદમાં જ 437 જગ્યાઓ ખાલી, જુઓ Video

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત જોવા મળી રહી છે. અમદાવાદમાં જ્ઞાન સહાયકની 955 પૈકી 437 જગ્યાઓ ખાલી છે, જેમાં સૌથી વધુ અંગ્રેજી વિષયના શિક્ષકોની ઘટ છે.

 દેશની 1 લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે! શું આ છે નવી શિક્ષણ વ્યવસ્થા?

દેશમાં પેપરલીક, ભરતી અને શિક્ષણ સુધારાની ચર્ચા વચ્ચે એક એવો મુદ્દો સામે આવ્યો છે, જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. સંસદમાં શિક્ષણ મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં 1,00,843 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષકના સહારે આખી શાળા ચાલી રહી છે. બીજી તરફ અનેક રાજ્યોમાં લાખો શિક્ષકોની જગ્યાઓ હજુ પણ ખાલી છે. એટલું જ નહીં, હજારો શાળાઓ એવી પણ છે જ્યાં શિક્ષક તો છે, પરંતુ એકપણ વિદ્યાર્થી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા આ હકીકત સામે ટકી શકશે?

ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી

IT મંત્રી જિતિન પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના 'IndiaAI Startup Financing' નેજા હેઠળ ગુજરાતમાં પ્રાદેશિક AI ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને રાજ્યના સ્ટાર્ટઅપ્સ, MSME અને શૈક્ષણિક સંસ્થાઓને લક્ષિત સહયોગ પૂરો પાડવા માટે 02 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (AI-CoEs) ફાળવવામાં આવ્યા છે.

સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">