AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એજ્યુકેશન

એજ્યુકેશન

શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે વસ્તુઓ નથી આવડતી અને તેના વિશે ડિટેલમાં વધારે માહિતી મેળવવામાં આવે અને શીખવામાં આવે તેને શિક્ષણ કહેવામાં આવે છે.

શિક્ષણ એ સમાજ દ્વારા એક પેઢીથી નીચેની પેઢીમાં તેના જ્ઞાનને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિકોણથી શિક્ષણ એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. જે વ્યક્તિને સમાજ સાથે જોડવામાં અને સમાજની સંસ્કૃતિની સાતત્ય જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક શિક્ષણથી સમાજના મૂળભૂત નિયમો, પ્રણાલીઓ, ધોરણો અને મૂલ્યોને શીખે છે અને ભણે છે. બાળક ત્યારે જ સમાજ સાથે જોડાઈ શકે છે જ્યારે તે ચોક્કસ સમાજના ઈતિહાસથી વાકેફ હોય. આ બધું તેને શાળામાં શીખવવામાં આવે છે. ઘણું શિક્ષણ પરિવાર પાસેથી પણ સંસ્કારના ભાગરુપે મળતું હોય છે.

માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.

Read More

Breaking News : ઉત્તરાખંડમાં મદરેસા ખતમ, લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના, ધામી સરકારે લીધો મોટો નિર્ણય

આગામી જુલાઈ 2026 થી મદરેસા બોર્ડ નાબૂદ કર્યા પછી, ઉત્તરાખંડની ધામી સરકારે, ઉત્તરાખંડ રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના કરી છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ધામીએ જણાવ્યું હતું કે આ સત્તામંડળ હવે લઘુમતી બાળકોને આપવામાં આવતા શિક્ષણનું સ્વરૂપ નક્કી કરશે અને અભ્યાસક્રમને અંતિમ સ્વરૂપ આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રમોશન કૌભાંડના આક્ષેપો : 2020ની શિક્ષણ નીતિનો 2015ના પેપરમાં ઉલ્લેખ થતા હોબાળો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉ. કમલ મહેતાના પ્રમોશનને લઈ વિવાદ વકર્યો છે. કોંગ્રેસ નેતા નિદત બારોટની RTIમાં ખુલાસો થયો છે કે સંશોધન પત્રમાં 2020ની શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગંભીર ગેરરીતિના આક્ષેપો વચ્ચે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે

Breaking News: Union Budget 2026-27 વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર ! સ્ટુડન્ટ લોન થઈ સસ્તી, TCS 5% થી ઘટાડીને 2%

બજેટ 2026 માં વિદેશી પ્રવાસ પેકેજો અને શિક્ષણ માટે મોકલવામાં આવતા રેમિટન્સ પરના કરમાં ઘટાડો કરવામાં આવ્યો. જાણો આ બે સરકારી નિર્ણયો સામાન્ય માણસ અને વિદ્યાર્થીઓને કેવી રીતે રાહત આપશે.

Breaking News: CBSE ધોરણ 10 અને12 બોર્ડ પરીક્ષાનું આ દિવસે આવશે Admit Card, આ દિવસે પરીક્ષાઓ થશે શરૂ

CBSE 10th, 12th admit card 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 અને 12 ની વાર્ષિક બોર્ડ પરીક્ષાઓ માટે Admit Card 2026 ટૂંક સમયમાં બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે.

Breaking News : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ! છોકરીઓને મફત સેનિટરી પેડ મળવા જોઈએ નહીંતર સ્કૂલની માન્યતા રદ થશે

સુપ્રીમ કોર્ટે શુક્રવારે છોકરીઓ અને મહિલાઓની ગરિમા, સ્વાસ્થ્ય તેમજ સમાનતાના અત્યંત મહત્વના મુદ્દા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

Breaking News: UGCના નવા નિયમ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, કેન્દ્રને સમિતિ બનાવવા આદેશ

સુપ્રીમ કોર્ટે નવા યુજીસી નિયમો પર સ્ટે આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ નજરે, નિયમોની ભાષા અસ્પષ્ટ લાગે છે. તેથી, દુરુપયોગ અટકાવવા માટે તપાસની જરૂર છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નિયમો પ્રથમ નજરમાં સ્પષ્ટ નથી અને તેનો દુરુપયોગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે યુનિયનને નિયમો ફરીથી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યાં સુધી તેમની કામગીરી અટકાવી હતી.

ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવાનો ગોલ્ડન ચાન્સ, ભારતીયોને મળશે લાખો રૂપિયાની સ્કોલરશીપ, જાણો કેવી રીતે

ન્યુઝીલેન્ડમાં અભ્યાસ: ન્યુઝીલેન્ડ ભારતીયોમાં ઉચ્ચ શિક્ષણ માટે એક લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ડિગ્રી મેળવી રહ્યા છે.

કાનુની સવાલ: આધાર કાર્ડ, માર્કશીટ કે એગ્રીમેન્ટ… ડોક્યુમેન્ટ્સને લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? જાણો સંપૂર્ણ નિયમ

કાનુની સવાલ: આજકાલ દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે લોકો લેમિનેશન કરાવવાનું પસંદ કરે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો અથવા કોઈ મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ એમ દરેક દસ્તાવેજ માટે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? અને જો કરાવીએ તો ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી તો નહીં આવે? જાણો આ આર્ટિકલમાં.

ધ્વજ ફરકાવવો અને ધ્વજ લહેરાવવો બંનેમાં શું અંતર છે ? જાણો 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજને કેવી રીતે વંદન કરવામાં આવે છે

15 August and 26 January Difference: 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના રોજ ધ્વજવંદન સમારોહ વચ્ચે કેટલાક મૂળભૂત તફાવતો છે. એક દિવસે, પ્રધાનમંત્રી રાષ્ટ્રધ્વજ સમારોહમાં ભાગ લે છે, જ્યારે બીજી બાજુ, રાષ્ટ્રપતિ સમારોહનું કેન્દ્ર હોય છે. વધુમાં બંને દિવસે રાષ્ટ્રધ્વજ સમારોહના સ્થળો સંપૂર્ણપણે અલગ હોય છે.

રિવાબાની મદદથી એક દીકરીના સપનાને મળી નવી પાંખો, આર્થિક તંગીને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દેનાર દીકરીની વ્હારે આવ્યા મંત્રી- જુઓ Video

ગુજરાતના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાની મદદની કારણે એક અભ્યાસ છોડી દેનારી કિશોરીના ફરી સ્કૂલે જવાના સપનાને પાંખો મળી છે. આર્થિક તંગીને કારણે કિશોરીએ અભ્યાસ અધવચ્ચે જ મુકી દીધો હતો. શાળાની મુલાકાત દરમિયાન જ્યારે શિક્ષણમંત્રીને આ વાતની જાણ થઈ તો તેમણે કિશોરી માટે મદદનો હાથ લંબાવ્યો.

અમદાવાદની આ યુનિવર્સિટીમાં એક સાથે 4400 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ, જુઓ Photos

એલ.જે. યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ ભવ્યતાપૂર્વક યોજાયો, જેમાં 4400 વિદ્યાર્થીઓને વિવિધ શાખાઓમાં ડિગ્રી એનાયત કરાઈ અને 48 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા.

Canada Visa : કેનેડા આ લોકો માટે લાવી રહ્યું છે એક્સપ્રેસ વિઝા, વિદેશમાં મોટી તક, જાણો

કેનેડા સરકારે ભારતીય ડોકટરો માટે એક્સપ્રેસ વિઝા યોજના જાહેર કરી છે, જે કેનેડાની આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવશે. આ યોજના હેઠળ ભારતીય તબીબી વ્યાવસાયિકોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેક્ટિસ કરવાની તક મળશે.

Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં સેવન્થ ડે જેવી ઘટના થતા થતા રહી ગઈ, વિદ્યાર્થીઓ લાકડ઼ીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા-જુઓ CCTV

Breaking News: અમદાવાદમાં નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી, જુની અદાવતમાં માર્યો માર- જુઓ CCTV Video

જર્મનીમાં અભ્યાસ કરવા માંગતા હો તો આટલા દસ્તાવેજો તૈયાર રાખજો

વિદેશમાં ઉચ્ચ શિક્ષણનું આયોજન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે જર્મની ઝડપથી પસંદગીનો વિકલ્પ બની રહ્યું છે. જો તમે જર્મનીમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો, તો અરજીથી લઈને વિઝા આવશ્યકતાઓ, દસ્તાવેજો અને પ્રક્રિયા સમય સુધીની બધી વિગતો જાણો.

Breaking News: પ્રશ્નપત્ર લીક અટકાવવા કડક કાર્યવાહી, આરોપીઓ જ નહીં, કોલેજોને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે

જેમ જેમ PUC અને SSLC પરીક્ષાઓ નજીક આવી રહી છે, તેમ તેમ બદમાશો પ્રશ્નપત્રો લીક કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્રો લીક કરીને વિદ્યાર્થીઓને છેતરપિંડી પણ કરી રહ્યા છે અને PU બોર્ડ આ બદમાશો પર કાર્યવાહી કરવા માટે એક નવું હથિયાર અજમાવી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">