Vastu Tips : ઘર બનાવવા માટે પ્લોટ ખરીદી રહ્યા છો ? લંબચોરસ પ્લોટનું વાસ્તુમાં શું મહત્વ છે જાણો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ ઘર ચોક્કસ નિયમોનું પાલન કરીને બનાવવામાં આવે છે, તો તે ઘર સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર કયા પ્રકારનો પ્લોટ ઘર બનાવવામાં ઉત્તમ માનવામાં આવે છે.

વધતી જતી મોંઘવારીના યુગમાં, જ્યારે માણસની જરૂરિયાતો વધી રહી છે, ત્યારે ઘર બનાવવું એક મોટી સમસ્યા બની ગઈ છે. દરેક માણસ પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન જુએ છે. માણસ ગરીબ હોય કે અમીર, તે ઘર બનાવવાનું સ્વપ્ન જુએ છે.

ત્યારે તમે ઘર ખરીદો છો કે ઘર બનાવવા માટે પ્લોટ ખરીદો છો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવીશું. તેમજ ક્યાં આકારનો પ્લોટ કે ઘરનું વાસ્તુ શાસ્ત્રમાં શું મહત્વ છે તે જણાવીશું.

દરેક જમીનમાલિકને તેની જરૂરિયાતો અનુસાર નાના, મોટા અને વિવિધ કદના પ્લોટની જરૂર હોય છે. ઘર બનાવવા માટે વિવિધ પ્રકારના પ્લોટ હોય છે,

લંબચોરસ પ્રકારના પ્લોટની બંને બાજુઓની લંબાઈ સમાન હોય છે અને બંને બાજુઓની પહોળાઈ લંબાઈ કરતા ઓછી હોય છે, પરંતુ બંને બાજુઓ સામસામે સમાન હોય છે. તેના ચાર ખૂણા સમાન હોય છે.

એવું માનવામાં આવે છે કે આ પ્રકારના પ્લોટ પર રહેતા લોકો પોતાનું આખું જીવન સુખ અને શાંતિમાં વિતાવે છે. આ પ્રકારના પ્લોટ પર બનેલા ઘરો સુંદર અને સુસજ્જ હોઈ શકે છે.

આગળના ભાગમાં એક નાનો બગીચો બનાવી શકાય છે અને પાછળના ભાગમાં પશુઓનો શેડ અથવા સરવન્ટ નિવાસ બનાવી શકાય છે.

આવા પ્લોટ પર કરવામાં આવેલ તમામ કાર્ય વ્યક્તિ માટે ફળદાયી છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.) All Image - Unsplash
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
