AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જન્માષ્ટમી પ્રસાદ માટે આ રીતે બનાવો પંજરી, લડ્ડુ ગોપાલનો પ્રિય ભોગ, સ્વાદ અને સ્વાસ્થ્યનો અદ્ભુત ખજાનો

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાજીને પંજરીનો ભોગ ધરાવવાનું વિશેષ મહત્વ છે. ધાણા પાવડર, મખાના, ડ્રાયફ્રૂટ્સ અને દેશી ઘીમાંથી બનતો આ પવિત્ર પ્રસાદ પાચન માટે ઉત્તમ અને ઉર્જાથી ભરપૂર છે. જાણો ઘરે સરળતાથી બનાવવાની સંપૂર્ણ રેસિપી.

| Updated on: Sep 01, 2026 | 7:20 PM
Share
જન્માષ્ટમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને મધ્યરાત્રિએ 12 વાગ્યે કાનુડાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરે છે તેમજ લડ્ડુ ગોપાલને પારણામાં ઝુલાવે છે. આ દિવસે ઠાકોરજીને વિવિધ પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે, પરંતુ પંજરી વગર જન્માષ્ટમીનો ભોગ અધૂરો માનવામાં આવે છે. આ પ્રસાદ ફરાળી હોવાથી વ્રત-ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. જો તમને ઘરે પંજરી બનાવતા ન આવડતી હોય, તો આ સરળ રેસિપી દ્વારા તમે ઉત્તમ પ્રસાદ તૈયાર કરી શકો છો.

જન્માષ્ટમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને મધ્યરાત્રિએ 12 વાગ્યે કાનુડાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરે છે તેમજ લડ્ડુ ગોપાલને પારણામાં ઝુલાવે છે. આ દિવસે ઠાકોરજીને વિવિધ પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે, પરંતુ પંજરી વગર જન્માષ્ટમીનો ભોગ અધૂરો માનવામાં આવે છે. આ પ્રસાદ ફરાળી હોવાથી વ્રત-ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. જો તમને ઘરે પંજરી બનાવતા ન આવડતી હોય, તો આ સરળ રેસિપી દ્વારા તમે ઉત્તમ પ્રસાદ તૈયાર કરી શકો છો.

1 / 5
પંજરી બનાવવા માટેની સામગ્રી: સવા કપ આખા સૂકા ધાણાનો તાજો પીસેલો પાવડર, અડધો કપ મખાના, ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ, પિસ્તા), 1 ચમચી ચારોળી (ચિરોંજી), અડધો કપ કરકરી પીસેલી ખાંડ અથવા બૂરું ખાંડ, 1/4 કપ ઝીણું સમારેલું સૂકું નાળિયેર (કોપરું), અડધો કપ શુદ્ધ દેશી ઘી.

પંજરી બનાવવા માટેની સામગ્રી: સવા કપ આખા સૂકા ધાણાનો તાજો પીસેલો પાવડર, અડધો કપ મખાના, ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ, પિસ્તા), 1 ચમચી ચારોળી (ચિરોંજી), અડધો કપ કરકરી પીસેલી ખાંડ અથવા બૂરું ખાંડ, 1/4 કપ ઝીણું સમારેલું સૂકું નાળિયેર (કોપરું), અડધો કપ શુદ્ધ દેશી ઘી.

2 / 5
પંજરી બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં 2 મોટા ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં તાજો પીસેલો ધાણા પાવડ ઉમેરી ધીમી આંચ પર સુગંધ આવે અને રંગ સહેજ ઘેરો બદામી થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. હવે તે જ પેનમાં થોડું ઘી ઉમેરીને મખાના ક્રિસ્પી (કુરકુરા) થાય ત્યાં સુધી શેકી લો. મખાના ઠંડા થાય એટલે તેને મિક્સરમાં કરકરા પીસી લો. ત્યારબાદ એક મોટા વાસણમાં શેકેલો ધાણા પાવડર અને પીસેલા મખાના ભેગા કરો. તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ, ચારોળી, કોપરું અને પીસેલી ખાંડ ઉમેરીને તમામ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લો. લડ્ડુ ગોપાલ માટે સ્વાદિષ્ટ અને પવિત્ર ધાણા પંજરીનો પ્રસાદ તૈયાર છે. તેમાં તુલસીદલ પધરાવી ઠાકોરજીને ભોગ ધરાવો.

પંજરી બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં 2 મોટા ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં તાજો પીસેલો ધાણા પાવડ ઉમેરી ધીમી આંચ પર સુગંધ આવે અને રંગ સહેજ ઘેરો બદામી થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. હવે તે જ પેનમાં થોડું ઘી ઉમેરીને મખાના ક્રિસ્પી (કુરકુરા) થાય ત્યાં સુધી શેકી લો. મખાના ઠંડા થાય એટલે તેને મિક્સરમાં કરકરા પીસી લો. ત્યારબાદ એક મોટા વાસણમાં શેકેલો ધાણા પાવડર અને પીસેલા મખાના ભેગા કરો. તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ, ચારોળી, કોપરું અને પીસેલી ખાંડ ઉમેરીને તમામ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લો. લડ્ડુ ગોપાલ માટે સ્વાદિષ્ટ અને પવિત્ર ધાણા પંજરીનો પ્રસાદ તૈયાર છે. તેમાં તુલસીદલ પધરાવી ઠાકોરજીને ભોગ ધરાવો.

3 / 5
પંજરી ખાવાના સ્વાસ્થ્ય લાભ: પંજરી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ પોષક તત્વોથી પણ ભરપૂર છે. ધાણા, મખાના, ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘીનું મિશ્રણ શરીરને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે. ઉપવાસ દરમિયાન તે નબળાઈ દૂર કરવામાં મદદરૂપ બને છે. મખાના અને ડ્રાયફ્રૂટ્સ શક્તિ આપે છે, જ્યારે ધાણા પેટની ગરમી શાંત કરી પાચનતંત્રને સુધારે છે.

પંજરી ખાવાના સ્વાસ્થ્ય લાભ: પંજરી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ પોષક તત્વોથી પણ ભરપૂર છે. ધાણા, મખાના, ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘીનું મિશ્રણ શરીરને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે. ઉપવાસ દરમિયાન તે નબળાઈ દૂર કરવામાં મદદરૂપ બને છે. મખાના અને ડ્રાયફ્રૂટ્સ શક્તિ આપે છે, જ્યારે ધાણા પેટની ગરમી શાંત કરી પાચનતંત્રને સુધારે છે.

4 / 5
વ્રજભૂમિમાં જન્માષ્ટમી પર આ પ્રસાદ અર્પણ કરવાની પ્રાચીન પરંપરા છે. એવી માન્યતા છે કે જન્માષ્ટમીનું વ્રત કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

વ્રજભૂમિમાં જન્માષ્ટમી પર આ પ્રસાદ અર્પણ કરવાની પ્રાચીન પરંપરા છે. એવી માન્યતા છે કે જન્માષ્ટમીનું વ્રત કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

5 / 5

જન્માષ્ટમી પહેલાં કાળા પડેલા કાનુડાની મૂર્તિ ફરી સોના જેવી ચમકશે, અજમાવો આ સરળ અને અચૂક ઘરેલુ નુસ્ખા

Follow Us
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">