Okha થી ઉપડે છે Nathdwaraની ટ્રેન, કાઠીયાવાડીઓ મોકો ના છોડો, જાણી લો કેટલી છે ટિકિટ
Nathdwara train : જે લોકો રાજસ્થાન ફરવા જવાનું વિચારતા હોય છે તેના માટે આ ટ્રેન એકદમ બેસ્ટ છે. આ ટ્રેન નંબર - 19575 ઓખાથી નાથદ્વારા રુટ પર ચાલે છે. આજે અમે તમને આ ટ્રેન વિશે માહિતી આપશું.

okha to Nathdwara train : ટ્રેન નંબર - 19575 ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. જામનગર, રાજકોટ, અમદાવાદના લોકોને આ ટ્રેનનો લાભ મળી શકે છે.

Rajkot to Nathdwara train : ઓખાથી નાથદ્વારા સુધીમાં આ ટ્રેન 19 સ્ટેશન પર સ્ટોપ લે છે. ફક્ત અમદાવાદ અને રતલામ 10 મિનિટ લે છે. આ ટ્રેન નાથદ્વારા 06:25એ પહોંચાડે છે.

Ahmedabad to Nathdwara train : આ ટ્રેન ઓખાથી 08:20 એ ઉપડે છે. રાજકોટ 12:50 વાગ્યે તેમજ વાંકાનેર જંક્શન 13:35 એ પહોંચાડે છે. અમદાવાદ પહોંચવાનો ટાઈમ 17:10નો છે. તેમ છતાં પણ મુસાફરી કરતા પહેલાં ટ્રેનનો સમય એકવાર સાઈટ પર કન્ફર્મ કરીને નીકળવું જોઈએ.

Jamnagar to Nathdwara train : આ ટ્રેમમાં 8 કોચ સ્લિપર કોચ છે, 2A ના 2 કોચ અને 1A નો એક કોચ છે. ટ્રેનની ટિકિટ નાથદ્વારા સુધીની જનરલ કોચની લગભગ- 275 રુપિયા છે. અમદાવાદથી સ્લિપર કોચની ટિકિટ રુપિયા 355ની આસપાસ છે. જામનગરથી નાથદ્વારા જવા માટેની સ્લિપર કોચની ટિકિટ 470 રુપિયા છે અને 2A ની 1815 રુપિયા ટિકિટ છે.

Rajkot to Nathdwara train : રાજકોટથી નાથદ્વારા સુધીની ટિકિટ સ્લિપરની 445 રુપિયા ટિકિટ છે તેમજ 2A ની 1660 રુપિયા ટિકિટ છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં એક વાર સેવા આપે છે. તે દર બુધવારે ઓખાથી ઉપડે છે અને નાથદ્વારા પોતાની સફર પુરી કરે છે.
