પોરબંદર-મુંબઈ જવા માટે ચાલે છે આટલી ટ્રેનો, જાણો તમારા માટે કઈ ટ્રેન છે બેસ્ટ
સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો મુંબઈ કોઈને કોઈ કામે જતા હોય છે. તો તેમના માટે અમે અહીં પોરબંદરથી મુંબઈ જવા માટે કેટલી ટ્રેનોની સુવિધા છે તેના વિશે જણાવીશું.

પોરબંદર કોચ્ચુવેલી એક્સપ્રેસ : એક્સપ્રેસ ટ્રેન નંબર 19262 અઠવાડિયાના દર ગુરુવારે પોરબંદરથી 06:30 PM એ શરુ થાય છે. આ ટ્રેન પનવેલ રેલવે સ્ટેશન 12:10 PMએ પહોંચાડે છે. આમ આ ટ્રેન કુલ 17 કલાકથી વધારેનો પ્રવાસ કરે છે.

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ : સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અઠવાડિયાના દરેક વારે દોડે છે. તે પોરબંદર રેલવે સ્ટેશનથી 09:05 PM એ ઉપડે છે અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન 07:15 PMએ પહોંચાડે છે. આ ટ્રેન પોરબંદર કોચ્ચુવેલી એક્સપ્રેસ કરતા વધારે સમય લે છે. એટલે કે 22 કલાક 10 મિનિટે પહોંચાડે છે.

પોરબંદર કોચ્ચુવેલી એક્સપ્રેસ ટ્રેનને જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, પાલઘર, વસઈ રોડ, પનવેલ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપેલા છે. તે અમદાવાદ, વડોદરા અને સુરત રેલવે સ્ટેશન પર 10 મિનિટ રોકાય છે અન્ય સ્ટેશન પર તે 2થી 5 મિનિટ સ્ટોપ થાય છે.

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનને પોરબંદરથી મુંબઈ સુધી 62 સ્ટોપ આપેલા છે. તે ટ્રેનમા સ્લીપર કોચ, 2A, 3A કોચની સુવિધા આપવામાં આવે છે. આ ટ્રેન સોમથી રવિવાર એમ દરેક વારે સેવા આપે છે. આ ટ્રેન અમદાવાદ 25 મિનિટ સુધી ઉભી રહે છે અને વડોદરા-સુરતમાં 10 મિનિટનું રોકાણ કરે છે.

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન ગુજરાતના નાના-મોટાં દરેક સ્ટેશને સ્ટોપ થાય છે તેમજ પોરબંદર કોચ્ચુવેલી એક્સપ્રેસ લાંબા રુટની ટ્રેન હોવાથી તે માત્ર મોટાં સ્ટેશનો પર જ સ્ટોપ થાય છે.
