EPFO : PF ઉપાડવા માટે મોબાઈલ APP અને ATM કાર્ડ ક્યારે આવશે ? શું હશે પૈસા ઉપાડવાની મર્યાદા, આવી ગઈ મોટી અપડેટ
EPFO ATM Card And Mobile App: કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે EPFO 3.0 લોન્ચ થયા બાદ EPFO તેના સભ્યોને ATM કાર્ડને લઈને મોટી માહિતી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વેબસાઈટ અને સિસ્ટમમાં સુધારાના પ્રારંભિક તબક્કાને જાન્યુઆરી 2025ના અંત સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

દેશના કરોડો નોકરીયાત લોકો માટે એક સારા સમાચાર છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આ વર્ષે મે-જૂન સુધીમાં EPFO સબસ્ક્રાઇબર્સને EPFO મોબાઇલ એપ્લિકેશન અને ડેબિટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલમાં EPFO 2.0 પર કામ ચાલી રહ્યું છે અને સમગ્ર IT સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી રહી છે, આ કામ જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ પછી મે-જૂન સુધીમાં EPFO 3.0 એપ આવી જશે. EPFO સબસ્ક્રાઇબર્સને આ એપ દ્વારા બેંકિંગ સુવિધાઓ મળશે. ખાસ વાત એ છે કે આ સાથે આખી સિસ્ટમ સેન્ટ્રલાઈઝ થઈ જશે અને ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ જશે.

કેટલા પૈસા ઉપાડી શકાય? : મીડિયા રિપોર્ટ મુજબ તમામ સભ્યો અને વીમાધારક વ્યક્તિઓ ATM દ્વારા તેમના ભવિષ્ય નિધિ (PF)ને ઉપાડી શકશે. તાજેતરના મીડિયા અહેવાલો સૂચવે છે કે ઉપાડ લાભાર્થીના ખાતામાં કુલ બેલેન્સના 50% સુધી મર્યાદિત રહેશે. એ જ રીતે, EPFO પેન્શન યોગદાનમાં વધુ સુગમતા પ્રદાન કરવા માટે એક નવી યોજના લાગુ કરવાનું વિચારી રહ્યું છે. આ દરખાસ્ત હેઠળ, કર્મચારીઓ પાસે વર્તમાન 12 ટકાની મર્યાદા કરતાં વધુ કે ઓછા કર્મચારીઓની પેન્શન યોજના (EPS) માં યોગદાન આપવાનો વિકલ્પ હશે.

મોબાઈલ એપની પણ સુવિધા મળશે : મોબાઈલ બેંકિંગની જેમ, EPF ખાતાઓ માટે પણ એક ખાસ એપ તૈયાર કરવામાં આવી રહી છે, જેના દ્વારા સભ્યો તેમના ખાતામાં આવતા માસિક યોગદાન, પેન્શન ફંડ, અગાઉની નોકરીઓમાંથી યોગદાન વગેરે જેવી બાબતો જોઈ શકે છે. આટલું જ નહીં તેઓ મોબાઈલ એપ દ્વારા તેમના PF એકાઉન્ટ પર નજર પણ રાખી શકે છે.

કેટલુ કન્ટ્રીબ્યુશન? : હાલમાં, કર્મચારી અને એમ્પ્લોયર બંને કર્મચારીના મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને કોઈપણ રિટેનિંગ એલાઉન્સ EPFમાં 12 ટકા યોગદાન આપે છે. કર્મચારીનું સંપૂર્ણ યોગદાન EPFમાં ફાળવવામાં આવે છે, જ્યારે એમ્પ્લોયરના 12 ટકા યોગદાનને EPFમાં 3.67 ટકા અને EPSમાં 8.33 ટકા તરીકે વિભાજિત કરવામાં આવે છે. વધુમાં, ભારત સરકાર રૂ. 15,000 થી ઓછી કમાણી કરનારાઓ માટે કર્મચારી પેન્શનમાં 1.16 ટકા યોગદાન આપે છે.
