
સરકારી યોજનાઓ
‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે.
હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. ઉદાહરણ તરીકે, દેશના સામાન્ય લોકોની સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે ‘આયુષ્માન ભારત’ યોજના શરૂ કરી છે.
ખેડૂતોના પાકને મોસમી આફતોથી બચાવવા માટે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાવવામાં આવી છે. દેશના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ લાગુ કરવામાં આવી છે.
સ્વચ્છ રસોઈ ઇંધણ દેશના કરોડો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ શરૂ કરી છે. દેશના દરેક નાગરિકનું બેંક ખાતું ખોલવા માટે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે.
8th Pay Commission : કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગારમાં 20થી 30 ટકાનો થશે વધારો, જાણો DA કેટલુ વધશે અને કેટલી સેલેરી પર શું લાભ મળશે
આઠમું પગાર પંચ : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેની તેઓ ઘણા સમયથી રાહ જોતા હતા તે આઠમાં પગાર પંચનું કામ ટુંક સમયમાં જ શરુ થઇ જશે. વ8મા પગાર પંચ હેઠળ 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને પગાર વધારાનો લાભ મળશે. આ ક્યારે અમલમાં આવશે? તે અંગેની વિગત અમે તમને જણાવીશું.
- Tanvi Soni
- Updated on: Mar 22, 2025
- 9:57 am
SIP નો વિકલ્પ બની Post Office ની આ ફાયદાની સ્કીમ, નાના રોકાણથી થશે મોટી કમાણી, જાણી લો
શેરબજારની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ છે, જેના કારણે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. લોકોએ SIPમાં રોકાણ કરવાથી પણ પોતાને દૂર રાખવાનું શરૂ કરી દીધું છે. ઘણી SIP રોકાણકારોને નકારાત્મક વળતર આપવા લાગી છે. જોકે, આ દરમિયાન, પોસ્ટ ઓફિસની એવી યોજનાઓ છે જે ઘટી રહેલા બજારમાં ટેકો પૂરો પાડી શકે છે અને તમારે તેમાં વધુ જોખમ લેવાની જરૂર નથી.
- Sagar Solanki
- Updated on: Mar 19, 2025
- 9:56 pm
8th Pay Commission: આઠમાં પગાર પંચ પર આખરે સરકારે કરી લીધો નિર્ણય, જાણો કેટલા સરકારી કર્મચારીઓને મળશે લાભ
8th Pay Commission Update: 8મા પગાર પંચમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે સરકારે સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના સત્તાવાર રીતે જવાબ આપ્યા છે જેમાં તેમણે 8મા પગાર પંચ વિશે માહિતી આપી છે. નાણા મંત્રાલયે લોકસભામાં પગાર પંચ, તેના લાભો, સરકાર પર નાણાકીય બોજ અને સંબંધિત મુદ્દાઓ પર પોતાનો જવાબ આપ્યો છે.
- Tanvi Soni
- Updated on: Mar 20, 2025
- 2:48 pm
વિધાનસભામાં સરસ્વતી સાયકલ યોજનાની સાયકલમાં પંચર પાડતુ વિપક્ષ
ગુજરાત વિધાનસભામાં આજે સરસ્વતી સાયકલ યોજનાનો મુદ્દો વિપક્ષે ઉપાડીને સરકારને ભીંસમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તથ્યો પર આધારિત પ્રશ્ન વિપક્ષે ઉઠાવ્યા બાદ, ગૃહમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેનો પ્રત્યુતર પાઠવ્યો હતો. જો કે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ આ મુદ્દે સરકારને ટકોર કરતા કહ્યું કે, દીકરીઓને સમયસર સાયકલ મળે એની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Feb 27, 2025
- 3:58 pm
Gujarat Budget 2025-26: ગુજરાત બજેટમાં સરકારે કરી અનેક નવી યોજનાની લહાણી,જાણો તમારે માટે શું છે ?
ગુજરાત સરકારે 2025-26 ના બજેટમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, કૃષિ, રોજગાર, પર્યાવરણ અને આધુનિક ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે.આવો જાણીએ તમામ યોજના.
- Dhinal Chavda
- Updated on: Feb 20, 2025
- 3:44 pm
ગુજરાત સરકારના બજેટમાં ખેડૂતો માટે ખાસ પ્રાવધાન,ધરતીપુત્રોને ફાળવવામાં આવ્યું કરોડોનું ફંડ
કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97% ગામોને દિવસ દરમિયાન વિજ પુરવઠો આપવામાં આવશે, જેના માટે ₹2175 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 20, 2025
- 3:07 pm
Budget 2025: ગિગ વર્કર્સને મળી મોટી ભેટ, સરકાર ઓળખ સાથે આરોગ્ય સેવાઓ પણ આપશે, જાણો ગિગ વર્કર્સ કોણ છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ગિગ વર્કર્સની નોંધણી માટે એક પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવ્યા પછી, આવા કર્મચારીઓને માન્યતા મળશે. આ સાથે, સરકાર દ્વારા આ કર્મચારીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવશે.
- Sagar Solanki
- Updated on: Feb 1, 2025
- 4:41 pm
Budget 2025: દેશની કરોડો મહિલાઓને મળી શકે મોટી ભેટ, જાણો સંપૂર્ણ વિગત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરી 2025ના રોજ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. આ વખતના બજેટમાં મહિલાઓ માટે વિશેષ જાહેરાતોની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) યોજનાની ગાળવણી વધારવાની શક્યતા છે, જે દેશભરની મહિલાઓ માટે સારા સમાચાર સાબિત થઈ શકે છે.
- Sagar Solanki
- Updated on: Jan 31, 2025
- 10:05 pm
સરકાર 3 કરોડ મહિલાને બનાવશે લખપતિ દીદી,આ રીતે મળશે લાભ
લખપતિ દીદી યોજના મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં સરકાર મહિલાઓને વગર વ્યાજે લાખો રૂપિયાની લોન આપે છે. આ યોજના સ્વ-સહાય જૂથ સાથે સંબંધિત છે. આ જૂથમાં મોટાભાગની મહિલાઓનો સમાવેશ થાય છે. આ યોજના વિશે સંપૂર્ણ વિગતો અહીં વાંચો.
- Dhinal Chavda
- Updated on: Jan 31, 2025
- 2:24 pm
Budget 2025 : PM કિસાન યોજનાને લઈને સારા સમાચાર…આ બજેટમાં ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ
દેશની અડધાથી વધુ વસ્તી ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે. સરકાર ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખે છે. આજે પણ દેશમાં એવા ઘણા ખેડૂતો છે. જેઓ ખેતી દ્વારા મોટી આવક મેળવી શકતા નથી. તેથી આવા સીમાંત ખેડૂતો માટે સરકારે વર્ષ 2018માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી.
- Dilip Chaudhary
- Updated on: Jan 28, 2025
- 5:53 pm
Unified Pension Scheme : સરકારી કર્મચારીઓને મોટી ભેટ ! 1 એપ્રિલથી લાગુ થશે UPS, જાણો તેના લાભ
યુનિફાઇડ પેન્શન સ્કીમ UPS એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડશે જે NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ આવે છે અને તેના હેઠળ UPS વિકલ્પ પસંદ કરે છે.
- Devankashi rana
- Updated on: Jan 26, 2025
- 11:06 am
એક સાથે રૂપિયા 1.62 કરોડ અને 1 લાખ રૂપિયા માસિક પેન્શન…આ સરકારી યોજના બનાવશે તમને અમીર !
જો તમારું લક્ષ્ય પેન્શન તરીકે મોટી રકમ મેળવવાનું છે, તો સરકારની આ યોજના તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે, જે તમને નિવૃત્તિ પછી દર મહિને 1 લાખ રૂપિયા કે તેથી વધુ પેન્શન આપી શકે છે. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું, કે કેવી રીતે અને કેટલું રોકાણ કરવાથી તમે કરોડપતિ બની શકશો.
- Dilip Chaudhary
- Updated on: Jan 25, 2025
- 7:16 pm
Post Office ની આ સ્કીમમાં તમને બેંક કરતા વધુ આપશે વ્યાજ, માત્ર 500 માં ખોલાવી શકો છો ખાતું
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માત્ર 500 રૂપિયામાં ખોલાવી શકાય છે. તે ન્યૂનતમ બેલેન્સની જરૂરિયાતને પૂર્ણ કરે છે, તેથી દંડનું જોખમ નથી. આ સાથે તમને ચેકબુક, એટીએમ કાર્ડ, ઈ-બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવી બેંકિંગ સેવાઓની સુવિધાઓ પણ મળે છે.
- Dhinal Chavda
- Updated on: Jan 20, 2025
- 11:37 am
હવે તમે જાતે જ ટ્રાન્સફર કરી શકશો PFની રકમ, એમ્પલોયરની મંજૂરીની નહીં પડે જરૂર
નવા નિયમો હેઠળ EPFO સભ્યો પોતાનું નામ, પિતાનું નામ અને જન્મ તારીખ જેવી વ્યક્તિગત માહિતી જાતે જ સુધારી શકશે. પહેલાં આ ફેરફારો માટે લાંબી અને જટિલ પ્રક્રિયા હતી. હવે ડિજિટલ પ્લેટફોર્મ અને OTP આધારિત સિસ્ટમોને કારણે આ કાર્યો ઝડપી અને સરળ બન્યા છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 19, 2025
- 5:46 pm
8th pay commission : સરકારી કર્મચારીઓનો પગાર 186 % વધશે, આ રીતે મળશે 8મા પગારપંચનો લાભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડપણની કેન્દ્ર સરકારે, સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. સરકારે કહ્યું છે કે, તેને વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. આઠમા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jan 16, 2025
- 7:47 pm