સરકારી યોજનાઓ
‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે.
હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. ઉદાહરણ તરીકે, દેશના સામાન્ય લોકોની સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે ‘આયુષ્માન ભારત’ યોજના શરૂ કરી છે.
ખેડૂતોના પાકને મોસમી આફતોથી બચાવવા માટે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાવવામાં આવી છે. દેશના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ લાગુ કરવામાં આવી છે.
સ્વચ્છ રસોઈ ઇંધણ દેશના કરોડો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ શરૂ કરી છે. દેશના દરેક નાગરિકનું બેંક ખાતું ખોલવા માટે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે.
Read Moreરોજના માત્ર ₹172 ની બચત પર મળશે ₹28.5 લાખ, LIC ની જીવન લક્ષ્ય પોલિસીમાં મોટો ફાયદો
દેશની સૌથી મોટી વીમા કંપની LIC ની 'જીવન લક્ષ્ય' પોલિસી સેવિંગ્સ સાથે સુરક્ષા કવચ પૂરું પાડે છે. રોજના ₹172 ની નાની બચત કરીને 25 વર્ષની મુદતમાં ₹28.5 લાખનું મોટું ફંડ કેવી રીતે મેળવી શકાય તે સમજો.
- Sachin Agrawal
- Updated on: Aug 23, 2026
- 6:13 pm
આયુષ્માન કાર્ડ e-KYC હજુ બાકી છે? મોબાઇલથી ઘરે બેઠા આ રીતે કરો
આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ હવે CSC કે હોસ્પિટલ ગયા વગર, ઘરે બેઠા સ્માર્ટફોનથી e-KYC કરી શકે છે. આયુષ્માન એપ દ્વારા મોબાઇલ OTP કે આધાર ફેસ ઓથેન્ટિકેશનથી ઓળખ ચકાસી, તમારા આયુષ્માન કાર્ડ માટેની પ્રક્રિયા પૂર્ણ કરો.
- Sagar Solanki
- Updated on: Aug 23, 2026
- 4:49 pm
સુરતમાં પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહી ભાડુઆતોનો દબદબો, 175 મકાનોમાં ભાડુઆત મળી આવ્યા
મહાનગરપાલિકાના ચેકિંગ દરમિયાન આશરે 175 જેટલા મકાનોમાં ભાડુઆત મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ભાડુઆતો પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારબાદ સંબંધિત મકાન માલિકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: Aug 21, 2026
- 11:26 am
જો તમારા પગારમાંથી PF કપાતો હોય તો તમને રૂ. 7 લાખનો વીમો પણ મળે છે, બસ માત્ર આટલું જ કરવું પડશે
EPFO EDLI Scheme : કેન્દ્ર સરકારની EDLI યોજના હેઠળ, EPFO સભ્યનું નોકરી દરમિયાન મૃત્યું થાય તો તેના પરિવારને વધુમાં વધુ રૂ. 7 લાખ સુધીના વીમાનો લાભ મળી શકે છે. આ વીમા માટે કર્મચારી પાસેથી કોઈ અલગ કે વધારાનું પ્રીમિયમ લેવામાં આવતું નથી.
- Bipin Prajapati
- Updated on: Aug 20, 2026
- 1:40 pm
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: વાહન સ્ક્રેપિંગમાંથી મળશે મોટી રાહત, જાણો કયા વાહનો માટે નિયમો હળવા કરાયા
જૂની ગાડીઓ હવે સ્ક્રેપ નહીં થાય? કેન્દ્ર સરકારના એક નવા પ્રસ્તાવથી કોમર્શિયલ વાહન માલિકોને મોટી રાહત મળવાની શક્યતા છે. જાણો કયા વાહનો રસ્તા પર 5 વર્ષ વધુ દોડી શકશે અને સરકારનો પ્લાન શું છે.
- Sachin Agrawal
- Updated on: Aug 18, 2026
- 9:20 pm
પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, રોજ માત્ર ₹195 ની નાની બચતથી બનાવો ₹10 લાખનું મોટું ફંડ, જાણો ગણતરી અને વ્યાજ દર
સુરક્ષિત રોકાણ અને સારા રિટર્ન માટે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ શ્રેષ્ઠ વિકલ્પ છે. 6.7% વ્યાજ દર સાથે રોજ માત્ર ₹195 ની બચત કરીને કેવી રીતે ₹10 લાખનું ફંડ બનાવી શકાય તે જાણો.
- Sachin Agrawal
- Updated on: Aug 18, 2026
- 8:43 pm
વસ્તી ગણતરી 2027માં ખોટા જવાબ આપશો તો શું થશે ? જાણો કાયદો શું કહે છે
વસ્તી ગણતરી દરમિયાન ખોટી માહિતી આપવી કે જવાબ આપવાનો ઇનકાર કરવો દંડનીય બની શકે છે. જોકે કાયદામાં કેટલીક ખાસ છૂટ પણ આપવામાં આવી છે. પરંતુ તે કેવા પ્રકારની છૂટ છે અને કોને મળી શકે છે. ? તે જાણો આ અહેવાલમાં.
- Bipin Prajapati
- Updated on: Aug 17, 2026
- 6:35 pm
8th Pay Commission: ₹69,000 મિનિમમ સેલરીનું સપનું થશે સાકાર? 8મા પગાર પંચમાં શું થશે નિર્ણય?
હાલમાં, 7મા પગાર પંચ હેઠળ, કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ મૂળ પગાર ₹18,000 મળે છે. રાષ્ટ્રીય પરિષદ-સંયુક્ત સલાહકાર મશીનરી (NC-JCM), જે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે
- Devankashi rana
- Updated on: Aug 17, 2026
- 9:14 am
DA Hike : દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ ! DA Hikeને લઈને સરકારે જાહેર કરી અપડેટ
કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર DA માં સુધારો કર્યો છે (1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલમાં). આ સુધારો ઔદ્યોગિક કામદારો માટે છૂટક ફુગાવાના ડેટા (AICPI-IW) પર આધારિત છે.
- Devankashi rana
- Updated on: Aug 16, 2026
- 8:36 am
Senior Citizen Card : ઘરે બેઠા સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે મેળવવું અને શું છે ફાયદા?
ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડ મેળવીને સરકારી યોજનાઓ, પરિવહન, આરોગ્ય સેવાઓ અને બેંકિંગમાં વિશેષ લાભો મળે છે.
- Sagar Solanki
- Updated on: Aug 13, 2026
- 10:20 pm
EPFO પોર્ટલ પર સર્વિસ હિસ્ટ્રી ખોટી દેખાઈ રહી છે? જાણો પીએફ અટકે નહીં તે માટે સુધારવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
ઈપીએફઓ પોર્ટલ પર નોકરી શરૂ કરવા કે છોડવાની તારીખમાં ભૂલ તમારા પીએફ ક્લેમ અને પેન્શનને અટકાવી શકે છે. જાણો આ ભૂલને ઓનલાઈન કેવી રીતે ઝડપથી સુધારવી.
- Sachin Agrawal
- Updated on: Aug 13, 2026
- 9:45 pm
માત્ર આધાર લાવો અને 90,000ની લોન મેળવો ! સરકાર આપી રહી ગેરંટી ફ્રી લોન, ક્રેડિટ કાર્ડ પણ મળશે
PM Svanidhi Yojna: તમે સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવી શકો છો. મોદી સરકારે શેરી વિક્રેતાઓ માટે શરૂ કરેલી યોજના તમને જરૂર મુજબની હોઈ શકે છે. અમે પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છીએ, જે કોઈપણ કોલેટરલ વિના ₹90,000 સુધીની લોન આપે છે
- Devankashi rana
- Updated on: Aug 13, 2026
- 11:42 am
હવે વોટ્સએપ પરથી જ ઘરબેઠા બની જશે આયુષ્માન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ. 5,00,000 સુધીની મફત સારવાર મેળવવા માટે હવે આયુષ્માન કાર્ડ બનાવવું કે ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ બન્યું છે. જાણો વોટ્સએપ બોટ દ્વારા આ કાર્ડ બનાવવાની પદ્ધતિ.
- Sachin Agrawal
- Updated on: Aug 12, 2026
- 6:45 pm
આયુષ્માન કાર્ડથી સારવાર કરાવવા જઈ રહ્યા છો? પહેલાં કરી લો આ મહત્વનું કામ નહિતર મુશ્કેલીમાં મુકાશો!
આયુષ્માન ભારત યોજના હેઠળ કેશલેસ સારવાર કરાવતા દર્દીઓ માટે મહત્વના અપડેટ છે. સરકારે નિયમોના ઉલ્લંઘન બદલ 2,359 હોસ્પિટલોને યાદીમાંથી બહાર કરી છે અને 1,200 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે.
- Sachin Agrawal
- Updated on: Aug 10, 2026
- 9:20 pm
PM Kisan Yojana: આ ખેડૂતોને નહીં મળે PM કિસાન યોજનાનો ફાયદો, જોઈ લો સરકારની નવી યાદી અને કડક નિયમો…
પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહેલા કેટલાક ખેડૂતોને આંચકો લાગી શકે છે. સરકારના નવા નિયમો અને પાત્રતાના માપદંડો હેઠળ ઘણા લોકોને આ લાભ મળશે નહીં.
- Sachin Agrawal
- Updated on: Aug 10, 2026
- 3:57 pm