AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી યોજનાઓ

સરકારી યોજનાઓ

‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે.

હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. ઉદાહરણ તરીકે, દેશના સામાન્ય લોકોની સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે ‘આયુષ્માન ભારત’ યોજના શરૂ કરી છે.

ખેડૂતોના પાકને મોસમી આફતોથી બચાવવા માટે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાવવામાં આવી છે. દેશના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ લાગુ કરવામાં આવી છે.

સ્વચ્છ રસોઈ ઇંધણ દેશના કરોડો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ શરૂ કરી છે. દેશના દરેક નાગરિકનું બેંક ખાતું ખોલવા માટે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે.

Read More

SIP કે NPS? કરોડોનું ફંડ બનાવવા કયો રસ્તો ઉત્તમ? ₹5,000 ની દર મહિનાની બચત તમને બનાવશે ‘કરોડપતિ’

તમે નિવૃત્તિ (Retirement) પછી કરોડો રૂપિયાનું મોટું ફંડ બનાવવા માંગો છો પરંતુ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) કે NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) માંથી કયો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ રહેશે, તે અંગે મુંઝવણમાં છો? જો તમે 30 વર્ષની ઉંમરે દર મહિને માત્ર ₹5,000 નું રોકાણ શરૂ કરો છો, તો 60 વર્ષની ઉંમર સુધીમાં બંને વિકલ્પો દ્વારા એક મોટું ભંડોળ ઊભું કરી શકાય છે.

તમે ખાનગી નોકરી કરો છો ? જો હા, તો ESIC અંગે જાણો, તમારા પરિવારજનોને સરકારની સ્વાસ્થ્ય યોજનાનો મળશે લાભ

ESIC યોજનાનો લાભ ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કારખાનાઓ અને ઉત્પાદન એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે છે. આ ESICનો મૂળ હેતુ ખાનગી ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓને અને તેમના પરિવારને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવાનો છે.

₹1 લાખનું રોકાણ બન્યું ₹ 3.33 લાખ, સોનાની આ ખાસ સરકારી સ્કીમે આપ્યું ‘છપ્પરફાડ રિટર્ન’

જો તમે 5 વર્ષ પહેલાં સોનામાં રોકાણ કર્યું હતું, તો સમજો કે તમારી લોટરી લાગી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ ખાસ સરકારી ગોલ્ડ સ્કીમમાં સમય પહેલાં પૈસા ઉપાડવાનો ભાવ જાહેર કરી દીધો છે. વર્ષ 2021 માં જે લોકોએ આ યોજનામાં ₹1 લાખ રોક્યા હતા, તેમના પૈસા આજે સોનાના ભાવ વધવાના કારણે વધીને સીધા ₹3.33 લાખ થઈ ગયા છે. આ યોજનામાં 232% થી વધુનું બમ્પર રિટર્ન તો મળ્યું જ છે, સાથે દર વર્ષે વ્યાજનો અલગથી લાભ પણ મળ્યો છે.

UMANG એપથી EPFના કામ હવે ચપટીમાં! ઘરે બેઠા UANથી લઈને પાસબુક સુધીનાં 5 કામ સરળતાથી કરો

UMANG એપ દ્વારા આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશનની મદદથી UAN-સંબંધિત કાર્યો સરળ બન્યા છે. નવા અને હાલના બંને કર્મચારીઓ આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

ગમે તેટલા AC, કૂલર કે પંખા ચલાવો, વીજબિલ આવશે ‘ઝીરો’: જાણો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેવી રીતે મળશે સબસિડી

મોંઘા વીજબિલમાંથી મુક્તિ મેળવવા માટે કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ શ્રેષ્ઠ વિકલ્પ છે. છત પર સોલાર પેનલ લગાવીને તમે માત્ર વીજબિલ શૂન્ય જ નથી કરી શકતા, પરંતુ વધારાની વીજળી સરકારને વેચીને કમાણી પણ કરી શકો છો. જાણો સબસિડીના નિયમો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.

ICICI બેંકમાં 9.99% સુધીનો હિસ્સો ખરીદશે LIC, રિઝર્વ બેંકે આપી લીલી ઝંડી

દેશની સૌથી મોટી વીમા કંપની LIC હવે દિગ્ગજ ખાનગી બેંક ICICI બેંકમાં પોતાની ભાગીદારી વધારવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ LIC ને પેઇડ-અપ શેર કેપિટલ અથવા વોટિંગ રાઇટ્સમાં 9.99% સુધીનો હિસ્સો ખરીદવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદો પૂર્ણ કરવા માટે LIC ને 1 વર્ષનો સમય આપવામાં આવ્યો છે.

8th Pay Commission: 64% થશે મોંઘવારી ભથ્થું? જાણો લેવલ-1થી લેવલ-7 સુધી કેટલો ફાયદો થશે

લેબર બ્યુરોના અહેવાલમાં જુલાઈ દરમિયાન ઇન્ડેક્સમાં 1.3%નો વધારો થયો છે. 12 મહિનાના સરેરાશના આધારે, ફુગાવાનો દર 64.38% છે, જેનો અર્થ છે કે DA 64% સુધી પહોંચી શકે છે. જોકે, સરકાર દ્વારા અંતિમ જાહેરાત કરવામાં આવશે.

EPFO ની નવી એમ્નેસ્ટી સ્કીમ જાહેર: માત્ર 6 મહિના માટે મળશે તક, જાણો કયા PF ટ્રસ્ટોને મળશે મોટો ફાયદો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ છ મહિના માટે વિશેષ 'માફી યોજના-2026' ની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત પરંતુ EPF કાયદા હેઠળ ઔપચારિક મુક્તિ ન ધરાવતા પીએફ ટ્રસ્ટો 28 ડિસેમ્બર 2026 સુધી અરજી કરીને પોતાની સ્થિતિ કાયદેસર અને નિયમિત કરાવી શકે છે.

Breaking News : PM સૂર્ય ઘર યોજનામાં મોટો ફેરફાર, ઘરના સોલર સિસ્ટમનું વીજ ઉત્પાદન ટ્રેક કરશે સરકાર!

કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર દ્વારા થતા દૈનિક વીજ ઉત્પાદનના ડિજિટલ મોનિટરિંગ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઇન્વર્ટર કંપનીઓએ હવે API દ્વારા વીજ ઉત્પાદનનો ડેટા નેશનલ પોર્ટલ પર મોકલવો પડશે.

NPS Calculator : 40 વર્ષની ઉંમરે દર મહિને ₹10,000 નું રોકાણ બનાવી શકે છે ₹76 લાખથી વધુનું રિટાયરમેન્ટ ફંડ, સમજો ગણતરી

રિટાયરમેન્ટ પછી નિયમિત પેન્શન મેળવવા માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એક ઉત્તમ સરકારી યોજના છે. 40 વર્ષની ઉંમરે પણ દર મહિને ₹10,000 નું રોકાણ શરૂ કરીને 60 વર્ષની વયે ₹66 લાખથી ₹76 લાખ સુધીનું ભંડોળ બનાવી શકાય છે. જાણો લમ્પસમ રકમ અને પેન્શનની સંપૂર્ણ ગણતરી.

Breaking News : સુરતમાં PM આવાસ યોજનામાં મોટું કૌભાંડ, સુરતમાં 917 મકાનો ભાડે અપાયા, હજારો બંધ મળ્યા, જુઓ Video

સુરતમાં પીએમ આવાસ યોજના હેઠળના 17,066 મકાનોના સર્વેમાં મોટી ગેરરીતિ સામે આવી છે. 917 મકાનો મૂળ લાભાર્થીઓને બદલે ભાડૂઆતોને આપવામાં આવ્યા હોવાનું જણાયું છે, જ્યારે 6,135 મકાનો બંધ હાલતમાં મળ્યા છે.

પોસ્ટ ઓફિસ RD સ્કીમ : માત્ર ₹5000 ની માસિક બચતથી બનાવો ₹8.50 લાખનું ફંડ, ફક્ત વ્યાજથી જ થશે ₹2.50 લાખની કમાણી

સુરક્ષિત અને સરકારી ગેરંટી સાથે રોકાણ કરવા માંગતા લોકો માટે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) એક શાનદાર વિકલ્પ છે. 6.7% ના આકર્ષક વ્યાજ દર સાથે દર મહિને ₹5,000 નું રોકાણ કરીને તમે 10 વર્ષમાં કુલ ₹8.54 લાખથી વધુનું મોટું ભંડોળ તૈયાર કરી શકો છો.

8th Pay Commission: 8માં પગારપંચ પર મોટા સમાચાર! કર્મચારીઓને મળી શકે છે ₹14.10 લાખ સુધીનું એરિયર, જાણો કેવી રીતે

કર્મચારીઓને તેમના પગારના વિવિધ ઘટકો મળે છે - જેમ કે મૂળ પગાર, મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), અને પરિવહન ભથ્થું (TPTA) - પરંતુ બાકી વેતનની ગણતરી ફક્ત મૂળ પગારના આધારે કરવામાં આવે છે. બાકી વેતન DA, HRA, અથવા TPTA પર ચૂકવવામાં આવતું નથી.

શું છે PMFME યોજના? ફૂડ બિઝનેસ શરૂ કરવા માટે મળશે ₹10 લાખ અને 35% સબસિડી, જાણો સંપૂર્ણ વિગતો

ખાદ્ય પદાર્થો અને ફૂડ પ્રોસેસિંગનો નવો બિઝનેસ શરૂ કરવા કે જૂના બિઝનેસને અપગ્રેડ કરવા કેન્દ્ર સરકારની PMFME યોજના હેઠળ પ્રોજેક્ટ ખર્ચ પર 35% સુધીની સબસિડી (મહત્તમ ₹10 લાખ) અને નાણાકીય સહાય આપવામાં આવે છે. જાણો પાત્રતા, લાભો અને અરજી કરવાની રીત.

આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલે સારવારની ના પાડી? જાણો ફોન પર ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સંપૂર્ણ રીત

આયુષ્માન કાર્ડ હોવા છતાં જો કોઈ માન્ય હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે, તો તમે કચેરીઓના ધક્કા ખાધા વગર ઘરેબેઠા પોર્ટલ અથવા ટોલ-ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો. જાણો ફરિયાદ નોંધાવવાની સાચી રીત અને જરૂરી પુરાવા.

g clip-path="url(#clip0_868_265)">