સરકારી યોજનાઓ
‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે.
હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. ઉદાહરણ તરીકે, દેશના સામાન્ય લોકોની સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે ‘આયુષ્માન ભારત’ યોજના શરૂ કરી છે.
ખેડૂતોના પાકને મોસમી આફતોથી બચાવવા માટે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાવવામાં આવી છે. દેશના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ લાગુ કરવામાં આવી છે.
સ્વચ્છ રસોઈ ઇંધણ દેશના કરોડો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ શરૂ કરી છે. દેશના દરેક નાગરિકનું બેંક ખાતું ખોલવા માટે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે.
Read Moreસુરતમાં સગર્ભા માતાના આરોગ્ય સાથે ચેડાં, માતૃશક્તિ યોજના હેઠળ એક્સપાયર્ડ કઠોળ વિતરણ ! જુઓ Video
સુરતના પાંડેસરામાં માતૃશક્તિ યોજના હેઠળ વિતરણ માટે આવેલો કઠોળનો જથ્થો એક્સપાયર્ડ અને વાપરવા માટે અયોગ્ય હોવાનું સામે આવ્યું છે. આનાથી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
- Sagar Solanki
- Updated on: Aug 3, 2026
- 4:51 pm
Breaking News: કેન્દ્રીય કેબિનેટની ‘મોટી જાહેરાત’, PM કિસાન યોજનાથી લઈને ખેલો ઈન્ડિયા સુધી… કરોડોનું બજેટ મંજૂર
દેશમાં ખેતી, રમતગમત અને ઊર્જા ક્ષેત્રે વિકાસને નવી ગતિ આપવા માટે કેન્દ્રીય કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રૂ. 4.5 લાખ કરોડથી વધુની મહત્વકાંક્ષી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 31, 2026
- 5:43 pm
8th Pay Commission: કેન્દ્રના કર્મચારીઓ માટે મોટા સમાચાર! 8મા પગાર પંચ પર સરકારે આપી નવી માહિતી
3 નવેમ્બર, 2025 ના રોજ સરકાર દ્વારા 8મું પગાર પંચ રચવામાં આવ્યું હતું. ત્યારથી સાત મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, પગાર, ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય સંબંધિત બાબતો અંગેની પરિસ્થિતિ અસ્પષ્ટ છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં મોટી વાત કરી છે.
- Devankashi rana
- Updated on: Jul 31, 2026
- 8:51 am
1 ઓગસ્ટથી સ્પીડ પોસ્ટ વિભાગના નિયમોમાં મોટા ફેરફાર, જાણો કઈ ભૂલ કરવા પર ચૂકવવો પડશે ડબલ ચાર્જ
ઇન્ડિયા પોસ્ટ 1 ઓગસ્ટથી સ્પીડ પોસ્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. જો તમે કાગળો સાથે કોઈ નાની વસ્તુ મોકલશો તો તેને ડોક્યુમેન્ટ નહીં પણ પાર્સલ ગણીને વધુ ચાર્જ વસૂલવામાં આવશે.
- Sachin Agrawal
- Updated on: Jul 29, 2026
- 5:47 pm
EPFO : શું હજુ સુધી EPFનું વ્યાજ તમારા ખાતામાં નથી જમા થયું? આ 3 રીતે મિનિટોમાં કરો ચેક
EPF ખાતાઓમાં 8.25% વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા સભ્યોને વ્યાજ ક્રેડિટ અંગે SMS સૂચનાઓ મળવાનું શરૂ થઈ ગયું છે. જો તમને હજુ સુધી EPFO તરફથી કોઈ સંદેશ મળ્યો નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી
- Devankashi rana
- Updated on: Jul 25, 2026
- 8:39 am
ઓલ્ડ પેન્શન સ્કીમ પર સરકારનો મોટો નિર્ણય! આ કર્મચારીઓને મળશે NPSમાંથી OPSમાં જવાનો વિકલ્પ
કેન્દ્ર સરકાર હેઠળના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) એ એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરી છે, જેમાં ચોક્કસ કેન્દ્ર સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) માંથી જૂની પેન્શન યોજના (OPS) માં સ્વિચ કરવાની મોટી તક આપવામાં આવી છે.
- Devankashi rana
- Updated on: Jul 23, 2026
- 9:00 am
LIC અને EPFO પાસે દાવા વગરના પડી રહેલા રૂપિયાનો મુદ્દો સંસદમાં ઉઠ્યો, જાણો કેવી રીતે LIC કે EPFOમાંથી તમારા રૂપિયા પાછા મેળવી શકો
કેન્દ્ર સરકારે સંસદમાં એવો ચોકાવનારો ખૂલાસો કર્યો છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ( LIC ) પાસે કોઈ પણ દાવો ના કરાયો હોય તેવા રૂપિયા 16,450 કરોડ જમા પડ્યા છે.
- Bipin Prajapati
- Updated on: Jul 22, 2026
- 1:59 pm
લગ્ન માટે PF માંથી એડવાન્સ પૈસા જોઈએ છે…! જાણો EPFO કેટલી રકમ ઉપાડવાની આપે છે મંજૂરી?
જો તમારા ઘરમાં કે પરિવારમાં લગ્નનો પ્રસંગ હોય અને પૈસાની જરૂર હોય, તો તમે EPFO ના નિયમો હેઠળ તમારા PF એકાઉન્ટમાંથી એડવાન્સ રકમ ઉપાડી શકો છો. આ રકમ કોઈ લોન નથી પરંતુ આંશિક ઉપાડ છે. જાણો કેટલા પૈસા ઉપાડી શકાય છે અને તેની ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ શું છે.
- Sachin Agrawal
- Updated on: Jul 21, 2026
- 7:10 pm
8th Pay Comission : 8માં પગાર પંચને લઈને આવ્યા મોટા અપડેટ ! ક્યારે આવશે રિપોર્ટ અને કેટલો વધશે પગાર? જાણો સંપૂર્ણ માહિતી
જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ચાલો 8મા પગાર પંચ સંબંધિત નવીનતમ મુખ્ય અપડેટ્સ જોઈએ.
- Devankashi rana
- Updated on: Jul 18, 2026
- 8:26 am
PF ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ! અકાઉન્ટમાં ટ્રાન્સફર થયુ 8.25% વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
34 કરોડ સભ્યોના ખાતામાં 8.25% ના દરે વ્યાજ જમા થઈ ગયું છે. જો તમે ખાનગી ક્ષેત્રમાં કામ કરો છો અને તમારા પગારનો એક ભાગ PF માં ફાળો આપો છો, તો તરત જ તમારો મોબાઇલ ફોન ઉપાડો અને તપાસો કે તમારા ખાતામાં કેટલું વ્યાજ જમા થયું છે
- Devankashi rana
- Updated on: Jul 17, 2026
- 8:26 am
EPFO Alert: EPFO પોર્ટલ પર ફોટો નથી કર્યો અપડેટ, તો રિજેક્ટ થઈ જશે તમારો PF ક્લેમ
દરેક EPFO વ્યવહાર માટે પ્રોફાઇલ ફોટો અપલોડ કરવો ફરજિયાત નથી, પરંતુ જે સભ્યોએ પોતાનો ફોટો અપલોડ અથવા અપડેટ કર્યો નથી તેમને ઈ-નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં અથવા અમુક અન્ય ઓનલાઈન EPFO સેવાઓને ઍક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. EPFO દ્વારા જાહેર કરાયેલ ચેતવણી અહીં છે.
- Devankashi rana
- Updated on: Jul 16, 2026
- 9:38 am
કાર ખરીદનારાઓ માટે મોટા સમાચાર ! હવે ITR ભરીને આવી રીતે પાછું મેળવી શકો છો ₹10,000નું રિફંડ
તમારું આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે ઓછામાં ઓછા ₹10,000 (અથવા વધુ) ના ટેક્સ રિફંડનો દાવો કરી શકો છો. જો કે, આ કરવા માટે, તમારે તમારા ITR માં કાર ખરીદી પર કાપવામાં આવેલ 1% TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) નો યોગ્ય રીતે દાવો કરવો આવશ્યક છે.
- Devankashi rana
- Updated on: Jul 16, 2026
- 8:46 am
નોકરી બદલતા જ PF ના પૈસા આપોઆપ થઈ જશે ટ્રાન્સફર, જાણો EPFO ના નવા નિયમથી જૂના કર્મચારીઓને શું થશે ફાયદો કે નુકસાન
નોકરી બદલનારા કરોડો નોકરીયાત વર્ગ માટે કેન્દ્ર સરકારના વીમા અને ભંડોળ સંગઠન EPFO એ એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. હવે નવી કંપનીમાં જોડાતા જ જૂની કંપનીના પીએફ ખાતાના પૈસા કોઈ પણ જાતની અરજી કર્યા વિના ઓટોમેટિક નવા ખાતામાં જમા થઈ જશે.
- Sachin Agrawal
- Updated on: Jul 14, 2026
- 8:54 pm
લોકરમાં પડેલું સોનું હવે બનશે કમાણીનું સાધન ! સરકાર કરી રહી મોટી તૈયારી, જાણો શું છે યોજના?
Gold Monetization 2.0: તિજોરી અને લોકરમાં બંધ રહેલું સોનું રાષ્ટ્રીય અર્થતંત્રને નવી ગતિ આપવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકાર આ નિષ્ક્રિય ઘરેલું સોનાને બજારમાં પાછું લાવવા માટે એક ખૂબ જ મહત્વાકાંક્ષી દરખાસ્ત પર વિચાર કરી રહી છે.
- Devankashi rana
- Updated on: Jul 14, 2026
- 8:27 am
EPFO 3.0 થયું લાગૂ ! હવે PF ક્લેમ, ટ્રાન્સફર અને પાસબુક માટે નહીં લગાવવા પડે ચક્કર, જાણો શું બદલાયું
આ મહિને સેન્ટ્રલાઇઝ્ડ IT સક્ષમ સેવાઓ (CITES) પ્રોજેક્ટ હેઠળ તેના સમગ્ર સભ્ય ડેટાબેઝને સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર, આ પગલાથી EPFO સેવાઓ પહેલા કરતા ઝડપી, વધુ પારદર્શક અને વધુ સભ્ય-કેન્દ્રિત બનશે.
- Devankashi rana
- Updated on: Jul 13, 2026
- 8:42 am